Blog
પેરેન્ટીંગ કરતા પહેલાં માબાપે સુધરવું પડશે – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 8, 2019
માબાપ પોતાના બાળકોને એક કોમન ડાયલૉગ સંભળાવતા હોય છે અને તે એ કે ‘તું ખોટો છે. તને કંઈ ભાન નથી પડતી, તારામાં કોઈ અક્કલ જ નથી,’ આમ કહેવા પાછળ એમના ભાવ સારા હોય છે પણ કહેવાની રીત બિલકુલ ખોટી હોય છે. મા -બાપ એવું માને છે કે જે એમને જે સાચું લાગે છે એ જ સાચું છે, અને એટલે એ બાળકોને સુધારવાની અને એમને પણ સારા કરવાની કોશિશ કરે છે. પરંતુ એ એક બાબત ભૂલી જાય છે કે જે એમના માટે જે સાચું અને સારું છે એ બધા માટે ન પણ હોય, કેમકે તમારી પાસે એ સંસ્કાર છે, બીજા પાસે એવા સંસ્કાર નથી. આખો દિવસ બાળક જે કરે એ બધું ખોટું છે, એવી માનસિકતા બની જાય છે. બાળક જરાક મોડો ઉઠે એટલે એક ઉપદેશ ચાલુ થઇ જાય કે ‘તમે ક્યારેય નહિ સુધરો’. બાળક મોડો સૂવે તો એ પણ ખોટું, એ જે ખાય એ પણ ખોટું, જેવા કપડાં પહેરે એ પણ ખોટું, જે રીતે ગાડી ચલાવે એ પણ ખોટું, વોટ્સઅપ પર સમય બગાડે એ ખોટું, એ જે મિત્રો સાથે હરે ફરે એ તો સાવ ખોટા. એક વાર આમ ખોટું અને ખરાબ કહેવાની ટેવ પડી ગઈને પછી મા-બાપની સારી અને કિંમતી સલાહની પણ બાળક પર કોઈ જ અસર થવાની નથી, એમનો કોઈ પ્રભાવ કે કોઈ પકડ બાળક પર રહેતી નથી. મા બાપ જયારે બાળકને અને એના વ્યવહારને અને પ્રવૃત્તિને અસ્વીકાર કરે છે ત્યારે એ પણ મા બાપની સાથે એક અંતર બનાવી લે છે અને એમની વાતને અસ્વીકાર કરવા લાગે છે. આ બાબતને પછી આપણે નામ આપીએ છીએ જનરેશન ગેપ. આ જનરેશન ગેપ નથી, આ આદર – સન્માન અને કમ્યુનિકેશન ગેપ છે.
બાળક જેવું છે એવું સ્વીકાર કરવાનો અર્થ છે એ છે કે ‘આ એક આત્મા છે, આ આત્મા આજે મારા દ્વારા મારા ઘરમાં આવી છે, અનેક જન્મોની અનેક સંસ્કારો સાથે, અનેક અનુભવો અને પ્રભાવો લઈ લઈને અનેક જન્મોની યાત્રા કરીને આજે મારા ઘરમાં આવ્યો છે,એ બાળકને તમારું બાળક છે એ રીતે ન જુઓ પણ એ એક આત્મા છે એ રીતે જુઓ. અત્યારે આ આત્માની આ ક્ષમતા છે. માબાપ શું ભૂલ કરે છે કે તરત એની અન્ય સાથે તુલના કરીને એ જે નથી તેનો અસ્વીકાર કરશે. અભ્યાસ કેમ નહિ કર્યો?, અમારા સમયમાં તો અમે બહુ ભણતા હતા, જૂઓ બધા છોકરાઓ વાંચે છે, પરંતુ બધા વાંચે એટલે એ પણ વાંચે એવું તો નથી ને! બાળકો પર દબાવ કરીને, ફોર્સથી ભણવામાં રસ પેદા નથી કરી શકાતો, તમે એને વઢીને, લડીને વાંચવા બેસાડી દેશો પરંતુ એની ક્ષમતા નથી તો એ વાંચવાના બદલે આમતેમ જોયા કરશે. તમે જેટલું પ્રેશર કરશો એટલી એની ક્ષમતા કુંઠિત થશે. તો શું કરવું જોઈએ? એ જુઓ કે એની ક્ષમતા કંઈ બાબતમાં છે? જેમાં તેની ક્ષમતા છે એમાં આગળ વધવા માટે પ્રેરિત કરો, એટલે એના કારણે ભણવામાં પણ શક્તિ મળશે. આપણી મુશ્કેલી એ છે કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે અથવા આજુ બાજુના લોકોની ક્ષમતા પ્રમાણે એની પાસે એવી અપેક્ષા રાખીએ છીએ – આ બાબત યોગ્ય નથી. એની કેટલી અને કંઈ બાબતમાં ક્ષમતા છે એ પ્રમાણે અપેક્ષા રખાયને ?
પેરેન્ટ્સ માને છે કે અમે હંમેશા સાચા છીએ અને બાળકો હંમેશા ખોટા છે. વાસ્તવમાં બાળકો પણ એમના દ્રષ્ટિકોણથી સાચા હોય છે – આ વાત જ્યાં સુધી નહિ સ્વીકારીએ ત્યાં સુધી બાળકો સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ બનશે. ધીરે ધીરે બાળકો મા-બાપથી દૂર થવા લાગે છે. જયારે બાળક નાનું હોય છે ત્યારે એ દરેક વાતો મા-બાપ સાથે શૅર કરે છે. ધીરે ધીરે જેમ જેમ એ મોટું થાય છે પછી એ શેર કરવાનું બંધ કરી દે છે અને માબાપ બાળકોને પૂછે તો પણ એ પોતાની અગંત વાતો શેર નથી કરતા. આવું કેમ થાય છે? જયારે બાળક નાનું હોય છે ત્યારે એની વાતો નાની નાની હોય છે અને એ બધી વાતો માબાપ સાથે ઉત્સાહથી શેર કરે છે, કેમકે ત્યારે તેની વાતો આપણે હળવા મૂડમાં લઈને હસતા હસતા સાંભળીએ છીએ અને સ્વીકારીએ છીએ. ધીરે ધીરે બાળકો મોટા થાય છે એટલે થોડી મોટી વાતો બને છે. જયારે બાળક આવીને સહજતાથી કહે છે કે મમ્મી આજે અમે સ્કૂલ છોડીને પિક્ચર જોવા ગયા હતા અથવા આજે મિત્રોની પાર્ટીમાં મને ફોર્સ કર્યો એટલે મેં પણ મિત્રોની સાથે સિગરેટ પીવાનો ટ્રાય કર્યો. બસ, બાળકોએ જેવું આ શેર કર્યું એટલે હવે ઘરમાં મહાભારત ચાલુ થશે! આ કશરૂઆત છે બાળકોને અસ્વીકાર કરવાની. બાળકોને ખબર નથી પડતી કે અમે શું ખોટું કર્યું. માબાપ હવે ડાયલોગ શરુ કરશે – અમે તારા વિષે આવું ક્યારેય વિચાર્યું નહોતું, આવા આપણા સંસ્કારો નથી, તું ખાનદાનનું નામ બગાડીશ, અમારા સમયમાં અમે હંમેશા મા બાપની આજ્ઞામાં રહેતા હતા. વાસ્તવમાં તમે માબાપ હતા ત્યારે આવું બધું હતું જ નહિ, ન વૉટ્સઅપ હતું, ન ફેસબુક હતી, ન મોબાઈલ હતો, તમારી પાસે આવી કોઈ પસંદગી જ નહોતી. એટલે તમારી પાસે આ બધું કરવાની કોઈ ગુંજાઈશ જ નહોતી. પણ માબાપ બાળકોને સમજવાના બદલે તેને ધમકાવે છે અને પરિણામે બાળકો પોતાની વાત શેર કરવાનું બંધ કરે છે. ઘણી વાર તો પછી ખોટું પણ બોલવા લાગે છે. આવા બાળકો માબાપથી દૂર થાય છે અને મિત્રોથી નજીક જાય છે.
બાળકો પછી મિત્રોને પોતાની બધી વાતો કહેવા લાગે છે અથવા કાઉન્સલર પાસે જાય છે. આજે દરેક સ્કૂલમાં કાઉન્સલરની અનિવાર્યતા થઇ ગઈ છે. માબાપ જો બાળકની વાત સાંભળતા હોત તો, તો આ દુર્ઘટના ન બનત. શું આ સારી બાબત છે કે બાળક પોતાના માબાપને દિલની વાતો શેર ન કરે અને પ્રોફેશનલ પાસે જઈને શેર કરે? અહીંયા માબાપ ચૂકી જાય છે બાળકના મનોવિજ્ઞાનને સમજવાનું અને એનું આ પરિણામ છે. શું ફરક છે એક કાઉન્સલરમાં અને માબાપમાં? કાઉન્સલર નોન જજમેન્ટલ હોય છે અને માબાપ જજ કર્યા કરે છે. કાઉન્સલરનું ધ્યાન સમસ્યાના સમાધાન પર હોય છે અને માબાપનું ધ્યાન સમસ્યા પર હોય છે. એક છોકરાએ સિગરેટ પીધી ને? તો એમાં સિગરેટ ખરાબ છે કે બાળક ખરાબ છે? સિગરેટને ખરાબ માનવના બદલે આપણે બાળક ઉપર જ ચોકડી મૂકી દઈએ છીએ. બાળક સત્તર વર્ષનું થાય તો મિત્રો સાથે સિગરેટ પીવી એ કદાચ સ્વાભાવિક બાબત છે. આ જો બાળકને એની સામે જ કહ્યું હોત અને પછી ધીરે ધીરે એને સમજાવ્યું હોત કે સિગરેટ પીવી સારી બાબત છે કે ખરાબ? તો બાળક માબાપની વાત સમજી શક્યો હોત ! પરંતુ લગભગ માબાપ બાળકને સમજણ આપવાના બદલે, કંટ્રોલ કરવાની કોશિશ કરે છે.
દરેક માબાપને ખલિલ જીબ્રાનની એક વાત મગજમાં ફિટ કરી રાખવી જોઈએ કે બાળક માત્ર આપણા દ્વારા આ સંસારમાં આવે છે, પણ એ આપણા નથી. એ તમારી પ્રોપર્ટી નથી કે નથી એ તમારું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ. માબાપ વાસ્તવમાં ક્યાંક એવું ઈચ્છે છે કે અમારા બાળકો અમારા ઉપર ડિપેન્ડેન્ટ રહે, અમારા અધિકારમાં રહે – આ સંભવ નથી. હવે એ સમય ગયો કે ડોક્ટરનો છોકરો ડોક્ટર જ બને, વકીલનો છોકરો વકીલ જ બને. છોકરાની પોતાની સ્વતંત્રતા છે, એની પોતાની પસંદ અને ઈચ્છાઓ છે. એના પોતાના સપનાઓ છે. માબાપે માત્ર એને એની પ્રતિભા ખીલવવામાં જરૂરી હોય એટલી મદદ કરવી જોઈએ, કેમકે એ પણ એક યાત્રા પર છે. એ યાત્રાના ક્રમમાં આ જન્મમાં એ સંયોગથી તમારા ઘરમાં છે. એક આત્માને ખીલવવા જેટલી મદદ થાય એટલી કરાવી જ જોઈએ પણ કોઈ પણ જાતના અધિકાર ભાવ અને અપેક્ષાના ભાવ વગર એ ધ્યાન રાખવું રહ્યું.
પર્યુષણ પર્વ એટલે શું? કેવી રીતે ઉજવશો આ પર્વ? સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 8, 2019
જૈન ધર્મના આત્મ આરાધકો માટે પાવન પર્વ પર્યુષણ આવી રહ્યા છે.પર્યુષણનો અર્થ થાય છે: ચારેય બાજુથી(વૈભાવિક દશામાંથી) હટીને આત્મામાં સ્થિર થવું. આ પર્વ આત્મસ્થ થવાનું શીખવે છે. માણસ બહારી ભૌતિક વસ્તુઓ પાછળ, બૌદ્ધિક ઉહાપોહના કારણે અને પોતાના નામની ભૂખને પોષવાના કારણે કારણ વગરનો વ્યસ્ત થઇ ગયો છે. આ ત્રણેય કારણોના લીધે આ બહાર જ ભટક્યા કરે છે. એમાં એ શાંતિ અને સુખ માને છે પણ એ અશાંતિનો ભ્રમ માત્ર છે – આ સત્ય જીવનના અંતિમ ક્ષણે સમજાય છે પણ ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. ત્યારે માત્ર પછતાવો શેષ રહે છે.
ઘણા સંઘો આ પર્વને પૈસા કમાવાનું સાધન સમજે છે, એવું મારા પ્રત્યક્ષ દર્શનમાં મને જોવા મળ્યું છે. હું ઘણી વાર ઘણા સંઘોને પૂછું કેવા રહ્યા પર્યુષણ? તો કહે : દસ કરોડ ઘી બોલીમાં ભેગા થયા હો, સરસ રહ્યા પર્યુષણ. પર્યુષણ પર્વની આરાધના કરીને આત્મામાં જવાનું હતું, એના બદલે ત્યાં પણ પરિગ્રહ અને અહંકારનું પોષણ થાય એ કેટલું અજ્ઞાન કહેવાય. તમારી એકની લાલસા અને કામનાના કારણે આખા સંઘને આ દિશામાં લઇ જવાનું પાપ ભૂલીને પણ ના કરતા. આ પવિત્ર દિવસોમાં વધુને વધુ આત્મ અનુસંધાન, આત્મ ચિંતન, આત્મ સુધારની સાધના થવી જોઈએ. લક્ષ્ય ગૌણ ના થવું જોઈએ.
પર્યુષણ પર્વ એ બહારની પ્રવૃતિઓ બદલવાનું નહિ પરંતુ ભીતરની વૃત્તિઓ બદલવાનું પર્વ છે. આપણે સંકલ્પ કરીએ કે આ આઠ મોટા દિવસોમાં :
– હું ક્રોધ નહિ કરું,ભાવાત્મક પ્રતિક્રિયા નહિ કરું.
– હું કોઈની નિંદા નહિ કરું.
– હું કોઈની ઈર્ષ્યા નહિ કરું પણ પ્રમોદભાવ રાખીશ.
– હું સત્ય જ બોલીશ, જૂઠું નહિ બોલું.
– હું ડેરી પ્રોડક્ટ નહિ વાપરું. ગાયો પર જે રીતે અત્યાચાર થાય છે એ માટે દૂધ એ માંસાહાર જેટલું જ અભક્ષ્ય ગણાવું જોઈએ.
– હું રોજ 15 મિનિટ ધ્યાન કરીશ.
– હું રોજ એક કલાક મૌન રાખીશ.
– હું પોતાના દોષો જોઈ, તેમાં સુધાર લાવી ભાવ પ્રતિક્રમણ કરીશ.
– મારા દ્વારા થયેલી ભૂલોની હું ઉદારતાથી ક્ષમા માંગીશ અને કોઈની ભૂલો માટે નમ્રતાથી ક્ષમા માંગીશ.
આ આઠ દિવસના પર્યુષણ માત્ર આઠ દિવસ માટે સારા બનવા માટે નથી. આ પર્વ સમગ્ર જીવનને બદલવાનો ઉપક્રમ બનવો જોઈએ. આ પર્વમાં માત્ર જૈનો જ કેમ, આત્મ સુધાર કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. મહાવીર પણ ક્યાં જૈન હતા? બધા તીર્થંકરો રાજપૂત હતા. આ ક્ષત્રિયનો ધર્મ છે. આત્મા સાથે યુદ્ધ કરવાનો ધર્મ છે. આત્માને જીતવાનો ધર્મ છે. આ પર્વ બાહ્ય આડંબરનું કે દેખાવો કરવાનું પર્વ નથી, આ પોતાની જાતને સુધારવાનું અને માંજવાનું પર્વ છે.
જાગો!, કેમ નથી જાગતા? સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 8, 2019
આજે તા.પહેલી સપ્ટેમ્બરના મલેશિયાના ઐતિહાસિક શહેર મલાકાના વણિક સંઘમાં પ્રવચન આપવાનું થયું. પ્રવચનમાં મોસ્ટલી સિનિયર્સ લોકો હતા. વાતની શરૂઆત ત્રણ મુદ્દાથી કરી હતી.
1. આપણે બધા ધીરે ધીરે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ, આપણી ઉંમર વધી રહી છે પણ આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. આપણી વર્તમાન દશા જોઈને જ આટલું તો ભાન દરેકને પડવું જોઈએ કે આપણે હવે સંધ્યા તરફ અને સૂર્યાસ્ત તરફ જઈ રહ્યા છીએ. આપણી યાદ શક્તિ ઘટી રહી છે, ઇન્દ્રિયો ક્ષીણ થઇ રહી છે,ખાવાનું પચતું નથી, શરીરમાં જોઈએ એટલી સફુર્તિ નથી, ચહેરાનું નૂર ઓસરી રહ્યું છે, મન નિરાશા વધુ અનુભવે છે – આ બધું એ જ સૂચવે છે કે આપણે ઢળતી વયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આમાં કંઈ ડરવાની વાત નથી, સંધ્યાનું પણ પોતાનું સૌંદર્ય હોય છે. પણ એ સૌંદર્યને જોવાવાળી દ્રષ્ટિ જોઈએ. સંધ્યાને જીવનના ભાગ રૂપે સ્વીકારી શકો તો એનું પણ સૌંદર્ય અને આનંદ અલગ છે.
2. બીજું બાજુ શાસ્ત્રો કહે છે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. આ જન્મ વારંવાર નહિ મળે, કેટલી ઘાટીઓ પાર કરીશું ત્યારે કોઈક આશાની કિરણ નજર આવે કે કદાચ ફરી માનવીના રૂપે અવતાર મળે, એ પ્રાપ્તિ માટે પણ અનંતા જન્મો વીતી જાય! છતાં માણસ કેમ ઊંઘમાં છે?, કેમ આટલી આળસમાં જીવે છે? સુસ્તી કેમ ઊડતી નથી? સારું કરવાનાં ભાવ કેમ જાગતા નથી? ધ્યાન, સ્વાધ્યાય કે આત્મ-નિરીક્ષણમાં રુચિ કેમ ઉઘડતી નથી? ભગવાન મહાવીરે કરેલું ગૌતમને ઉદબોધન: સમય માત્ર પ્રમાદ ન કર, એ કેમ સમજાતું નથી? આ કુંભકર્ણની ઊંઘમાંથી ક્યારે જાગીશું? તમારું જીવન અને જીવન શૈલી જોતા એમ લાગે છે કે તમે અહિયાં મરવાના જ નથી, અમરતાનો પટ્ટો બાંધીને આવ્યા હોય એવી રીતે જીવો છો. પણ શાસ્ત્રો કહે છે એટલું જ નહિ, ખુલ્લી આંખે જોઈ શકો છો કે કોઈ અહિયાં ટકતું નથી, અવતારો, તીર્થંકરો, સમ્રાટો અને દેવતાઓ બધા જ એના સમયે આ સંસાર છોડી નવા શરીરમાં પ્રવેશ કરે છે અને ફરી દુઃખની પરંપરા શરુ કરે છે. માણસ જાતને જોઈએ એમ લાગે ‘ જે સુખી થવા આખી જિંદગી દુઃખી થાય એનું નામ માણસ.’ જાગો આ મોહ અને અજ્ઞાનની નિદ્રામાંથી.
3. જાગવા માટે શું કરવું? ધ્યેય બાંધો, નક્કી કરો આટલું તો હું રોજે કરીશ જ, રોજ કોઈ એક વ્રત પાડીશ, કોઈકને મદદ કરીશ, રોજ થોડીવાર ધ્યાનમાં બેસીશ, રોજ થોડી પળો માટે કંઈક સારું વાંચીશ, રોજ પોતાની જાતને સુધારવાનો અને બદલવાનો પ્રયાસ કરીશ. રોજ સત્ય અને સ્વયંની નજીક જવાનો વધુ પ્રયત્ન કરીશ. વિચારી વિચારીને આખી જિંદગી ખોઈ નાખી, હવે કરો નહિતર છેલ્લે પછતાવાનો વારો આવશે. અંતિમ સમયે કોઈ મદદ નહિ કરી શકે, કોઈ ધર્મ નહિ પમાડી શકે, અંતિમ સમયે જાગવું મુશ્કેલ છે, ઉર્જા જ તન અને મનમાં નહિ હોય! જાગવું હોય તો હમણાં જાગો, હમણાં નહિ તો ક્યારેય નહિ. આવતી કાલનો સૂર્ય ઉગે ત્યારે તમે ત્યાંજ ન હોવા જોઈએ જ્યાં અત્યારે છો. 24 કલાકમાં વિકાસના થોડા પગથિયાં ચઢો. પોતાને સંતોષ થાય એવું તો કમ સે કમ જીવવાનો પ્રયાસ કરો.
આટલી વાત કર્યા પછી આધ્યાત્મિક જીવનના પાંચ સૂત્રો આપ્યા જેની વાત પછી ક્યારેક કરીશું.
What is Meditation?
Feb 15, 2019
I love the statement that the “man of Zen walks in Zen and sits in Zen” for the simple reason that meditation cannot be just a part of your life. You cannot make a fragment of your life meditative; it is not possible to be meditative for one hour and then non-meditative for twenty-three hours. It is absolutely impossible. If you are doing that, that means your meditation is false.
Meditation can either be a twenty-four-hour affair or it cannot be at all. It is like breathing: you cannot breathe for one hour and then put it aside for twenty-three hours, otherwise you will be dead. You have to go on breathing. Even while you are asleep you have to go on breathing. Even in a deep coma you have to go on breathing.
Meditation is the breath of your soul. Just as breathing is the life of the body, meditation is the life of the soul. The people who are not aware of meditation are spiritually dead. George Gurdjieff used to say that very few people have souls – and he is right. One is born not with a soul but only with a seed which can grow into a soul – which may not grow. It will depend on you.
You will have to create the right soil, the right climate for it to grow, to bloom. You will have to provoke the spring into coming to you so that your soul can flower, otherwise you are just a body-mind. The soul is only an empty word. Meditation makes it a reality. Meditation is the climate in which the soul happens.
Zen is another name for meditation. The word zen comes from the Sanskrit root dhyan – it has traveled far. Dhyan means a state of absolute silence, of thoughtless silence, but full of awareness. A state of meditation is an innocent, silent state. You are blissfully unaware of your awareness. You are, but you are utterly relaxed. You are not in a state of sleep; you are fully alert, more alert than ever. You are alertness, rather. Dhyan is the greatest contribution of the East to the evolution of humanity.
You have to remember it, otherwise “meditation” can give you a wrong impression. Whenever the word “meditation” is used, immediately the question arises, “On what?” That question is irrelevant. If you are asking, “On what?” then you are asking what to think about, contemplate about, concentrate on – and that is not meditation.
Concentration is not meditation, concentration is an effort of the mind to focus itself. It has certain purposes of its own. It is a method in science – useful, but it is not meditation. Contemplation is a little vague, more abstract. In concentration, the object is more visible; in contemplation, the object is abstract. You concentrate on a flame of light; you contemplate on love. And in Christianity, contemplation and meditation have become synonymous.
Meditation should be given a new meaning, a new fragrance – the fragrance of Zen. Concentration is of the mind, meditation is not of the mind at all, and contemplation is just in between, in a limbo. It is something of the mind and something of the no-mind, a mixture; a state where mind and no-mind meet, the boundary. One has to reach to the absolute state of awareness: that is Zen. You cannot do it every morning for a few minutes or for half an hour and then forget all about it. It has to become like your heartbeat. You have to sit in it, you have to walk in it. Yes, you have even to sleep in it.
Ananda, one of Gautam Buddha’s chief disciples, asked Buddha, “One thing always puzzles me and I cannot contain my curiosity anymore although my question is irrelevant. The question is that when you go to sleep you remain the whole night in the same posture. Wherever you put your hands, your feet, whatsoever side you lie on, you remain exactly the same, like a statue. You don’t move, you don’t change your side, you don’t move your hands,. your feet – nothing changes. You wake up in the morning in exactly the same posture that you had gone to sleep in. One night, just out of curiosity, I looked at you the whole night – not a single movement. Are you controlling yourself even in your sleep?”
Buddha said, “There is no question of control. I am awake, I am in meditation. I sleep in meditation. Just as I wake up early in the morning in meditation, every night I go to sleep in meditation. My day is my meditation, my night too. I remain absolutely calm and quiet because deep down I am perfectly aware. The flame of meditation goes on burning smokeless. That’s why there is no need to move.”
This is of great significance for you all. Meditation has to become something so deep in you that wherever you go it remains, abides with you; whatsoever you do it is always there. Only then can your life be transformed. Then not only will you be meditative in your life, you will be meditative in your death too. You will die in deep meditation.
ધર્મ સીધો સરળ છે, પાખંડીઓએ તેને જટિલ બનાવી દીધો છે – સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 15, 2019
‘દરેક ધર્મ ગ્રંથોમાં મિલાવટ થઇ છે. મૂળ જ્ઞાનીઓએ આપેલું જ્ઞાન આપણે શુદ્ધ રહેવા દીધું નથી. પાખંડીઓએ એમાં પોતાના સ્વાર્થવશ ઘણું ભેળવ્યું છે. બધા ધર્મોની જેમ જૈન ધર્મમાં પણ ઘણી ભેળસેળ થઇ છે. ભગવાન મહાવીર આજે આવીને જોવે તો એમને નવાઈ લાગે કે આ ધર્મ એ જ છે જે હું મૂકીને ગયો હતો. લોકોએ ધર્મને એટલો ચૂંથી નાખ્યો છે કે એને સામાન્ય માણસ માટે જીવવા જેવો રહેવા દીધો નથી. ધર્મ સાવ જ સરળ અને સીધો છે. આપણે લોકોએ એને ખૂબ જ જટિલ અને ન સમજાય તેવો બનાવી દીધો છે. ધર્મને ક્રિયાકાંડના વિચિત્ર કપડાં પહેરાવી દીધા છે જેના કારણે આજની યુવા પેઢી ધર્મથી દૂર ભાગી રહી છે. મારો પ્રયાસ આ જટિલ ધર્મને બને એટલો વાસ્તવિક, સરળ અને જીવવા લાયક બનાવવાનો છે. મહાવીરે જે રીતે ધર્મને સમજાવ્યો હતો આપણે એનાથી ઘણાં ઉલ્ટા માર્ગે નીકળી ગયા છીએ.
સ્થાયી શાંતિની અનુભૂતિ નિવૃત્તિની ક્ષણોમાં જ થાય છે : સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 15, 2019
આત્માનો સ્વભાવ શાંતિ છે અને મનનો સ્વભાવ અશાંતિ છે. મન શાંતિનું વિરોધી છે. એટલે જ મન સદા વ્યક્તિને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખે છે. સારી કે ખરાબ કોઈ પણ પ્રવૃત્તિ મનને દોડાવે રાખે છે. પ્રવૃત્તિમાં શાંતિ સંભવ નથી. શાંતિનો માર્ગ નિવૃત્તિ થકી ખૂલે છે. નિવૃત્તિ શૂન્ય પ્રવૃત્તિ વિકૃતિનું કારણ બને છે. ધ્યાન નિવૃત્તિ તરફ લઇ જનાર સાધના છે. નિવૃત્તિ એટલે પોતાના તરફથી શરીર, વાણી અને મનની કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી, આંખ બંધ કરીને માત્ર જે પ્રવૃત્તિ સહજ રીતે થઇ રહી છે તેને જોવાનો અભ્યાસ કરવો એ નિવૃત્તિની સાધના છે. ભગવાન મહાવીર બાર વર્ષથી વધુ તન – મન અને વચનની નિવૃત્તિમાં રહ્યા અને પછી દુનિયાને અલૌકિક જ્ઞાનનું દાન કર્યું. 24 કલાકમાં 10-15 મિનિટ જો આ સાક્ષીભાવે જોવાની સાધના કરવામાં આવે તો અનેક દિવ્ય આંતરિક શક્તિઓનું ઉદ્દઘાટન થઇ શકે. નિવૃત્તિમાંથી પાંગરતી પ્રવૃત્તિ જ નવી સંસ્કૃતિનું સર્જન કરે છે.’
પેરેન્ટીંગ – માબાપ અને બાળકો
Feb 15, 2019
ગીતાના પહેલા અધ્યાયમાં માત્ર અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે, કૃષ્ણ વચ્ચે ક્યાંય બોલતા નથી. કૃષ્ણને ખબર છે કે આ અર્જુન ખાલી થશે પછી જ હું કંઈક કહી શકીશ અને એ સાંભળી શકશે. આ એક મનોવિજ્ઞાન છે. કૃષ્ણ અર્જુનને ખાલી કરે છે અને પછી પોતે બોલે છે. આખી ગીતા પૂરી થયા પછી કૃષ્ણ અર્જુનને એક વાક્ય બોલે છે – યથેચ્છસિ તથા કરું – હે અર્જુન હવે તને યોગ્ય લાગે તેમ તું કરજે. આ વાક્ય દરેક માબાપે સૌથી મહત્વની ટિપ્સ તરીકે શીખી લેવું જોઈએ.
કૃષ્ણ પહેલા બધું જ કહે છે – ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ, ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાંમ પ્રાપ્ય નિબોધિતઃ – તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર, મેં તને અઢાર અધ્યાયમાં જ્ઞાન આપી દીધું અને હવે તને જે યોગ્ય લાગે તે તું કર, આપણે આપણા બાળકને પચાસ હજારનો ફોન આપી દઈએ છીએ અને પછી સાથે એ પણ કહીયે છીએ કે જો જે આ કેટલો મોંઘો છે, ક્યાંય મૂકીને ન આવતો, આપણે એમ કેમ નથી કહી શકતા કે બેટા ! આ ફોન તારી પાસે નહિ હોય ને, તો હું તારી સાથે વાત નહિ કરી શકું અને તેથી મને સ્ટ્રેસ થશે. આ આપણી બંને વચ્ચેનું કમ્યુનિકેશન છે, ખોઈ નહિ નાખતો બેટા – આવું કેમ નથી કહેતા? એની કિંમત જે હોય તે, એનું મૂલ્ય આપણી બંને વચ્ચેનું કનેક્શન છે – આપણે આ શીખવવાનું ભૂલી ગયા છીએ. આપણે બધાએ આપણે બાળકોને બધું જ આપ્યું જે આપણને નથી મળ્યું, એ એમને આપો, બધું જ આપ્યું પણ એમને સમય આપતા ભૂલી ગયા. આપણે આપણા છોકરાઓ સાથે બેસીને આપણા બાળપણની ભૂલો શૅર ન કરી કે યાર એકવાર હું સિગરેટ પીને આવ્યોને, મારા બાપાએ સૂંઘી લીધોને બે લાફા માર્યો હતા, હું તને લાફો તો નથી મારતો પણ બેટા આવી ભૂલ ન કરતો, મને દુઃખ થશે, આપણે આવું નથી કહેતા. બાળક સ્માર્ટ છે, એને બહુ સાંભળીને કહેવું અને શીખવવું પડશે. બાળક પર અધિકાર જમવાના જમાના ક્યારના ગયા હવે, હવે નહિ કહી શકો – હું તારી માં છું, તું કેમ મારી વાત નહિ માને, અને થોડીવારમાં માં કહેશે બેટા મારો ફોન લોક થઇ ગયો જરા જો ને, એટલે બાળક ગરદન ઊંચી કરીને આડી આંખ કરીને તમારી સામે જોશે, આજનો બાળક ટેક્નોલોજીના યુગમાં જીવે છે. એની પાસે ઇન્ફોરમેશન છે અને તમારી પાસે અનુભવ છે. આ બેનું સંતુલન થાય ને તો અનેક સમસ્યાઓ હલ થાય એટલું નહિ, વિકાસના અનેક નવી સંભાવનાઓ ખુલ્લી થાય. આપણે આપણા અનુભવો બાળક સાથે શેર નથી કરતા. બાળક પાસે જીપીએસ તો છે જ પણ જીપીએસ એ નહિ બતાવે કે એમાં ખાડા ક્યાં આવશે એ તો આપણે જ એને બતાવવું પડશે, એ ત્રણ ખાડા મેં પસાર કર્યા છે, એ મને ખબર છે. આ બધી ભૂલો આપણે કરી ચુક્યા છીએ – આવેશમાં, જવાનીમાં, ઝંખનામાં, આપણે દારૂ પીધો છે, જૂઠું બોલ્યા છે, સિગરેટ પીધી છે. તમે આ બધું કર્યું છે અને એનું માઠું પરિણામ ભોગવ્યું છે, એ તમે તમારા બાળકને કહો – બેટા, તું આ બધું સમજી, વિચારીને નિર્ણય લેજે, નુકશાન થાય તો ભોગવવાની તૈયારી રાખજે, અને એ તૈયારી ન હોય તો આ બધું કરવાનું રહેવા દેજે,
એકવાર એક માને એના દીકરાએ કહ્યું કે ‘પાપા આટલો બધો ગુસ્સો કરે છે પણ તને ગુસ્સો કેમ નથી આવતો? માએ કહ્યું બેટા ! હું તને પછી કહીશ, આપણે પછી ક્યારેક વાત કરીશું. એક વાર એ મા એના બાળકને ક્લાસમાં મૂકવા જતી હતી અને રસ્તામાં- લાલ સિગ્નલ પર એની જ ઉંમરનું બાળક ભીખ માંગવા આવ્યું, એટલે પેલી માએ કહ્યું કે બેટા ! ઉતારું તને આ સિગ્નલ પર ભીખ માંગવા માટે, તને મજા આવશે, માંગી જોવી છે ભીખ, આ એક અનુભવ છે, કરવો હોય તો બોલ. એ બાળકે મા સામે વિચિત્ર રીતે જોઈને કહ્યું કે બુદ્ધિ છે કે નહિ તારામાં, આમ ખરાબ વસ્તુ જોઈને થોડું ખરાબ કરવાનું મન થાય? એટલે માએ કહ્યું – સાચી વાત છે બેટા, એટલે જ મને ગુસ્સો કરનાર માણસને જોઈને ગુસ્સો નથી આવતો. બહુ રસપ્રદ છે પેરેન્ટીંગ. પેરેન્ટીંગ એટલે રોજ નવું નવું શીખતાં રહેવું, આ માત્ર શીખવવાની જ વાત નથી, શીખવાની વાત પણ છે.
અઢી કિલોનું રમકડું આવે ને એક પુરુષ પિતા હૈ જાય છે. અચાનક મહેસુસ થાય કે કેટલી મોટી જવાબદારી આ અઢી કિલો રમકડામાં છે. હવે એક આખી જિંદગી તમારા હાથમાં છે. કેવા પાપા હોય છે, ક્યારેય પિક્ચરની લાઈનમાં ઉભા ન રહે પણ એડમિશન લેવાનું હોય ને તો રાતથી લાઈનમાં ઉભા રહે. ક્યારેય ગાડીમાંથી પગ નીચે ન મૂકે પણ બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ દોડે। પણ આપણે એમને વસ્તુઓ આપી દઈએ છીએ અને વિચારો નથી આપતા। બધું આપી દઈએ છીએ કે પછી દુઃખનો અનુભવ જ નથી કરી શકતો, છાંયડાની સાથે થોડો તડકો પણ અનુભવાય એવું કરો.
તમારા બાળક માટે એક બજેટ બનાવો અને બાળકને કહો કે બેટા, આ તારું બજેટ, તારે આનું જે કરવું હોય તે કરજે, તારે યાદી રાખવાની કે કેટલા વાપર્યા, તારે મને કહેવાનું કે કેટલા વાપર્યા, એટલે મને પૂછે કે હજુ કેટલા બાકી છે, આ હજુ કેટલા બાકી છે એને શીખવ્યું કે દરેકની બાબતમાં એક લિમિટ હોય છે. એક લાઈન હોય છે એની બહાર જવાની એને તક નથી હોતી, માત્ર બજેટ નહિ પણ જીવનમાં બધું જ લિમિટેડ છે. લિમિટેડ હવા છે, લિમિટેડ પાણી છે, લિમિટેડ પેટ્રોલ છે, જે બાળક પાસે જરૂર કરતા વધુ છે એ એના હાથે અપાવો દાનમાં કે બેટા લે આ બાજુ વાળાને આપી આવો. આપણે જે દુનિયામાં જીવીયે છીએ એને વધુ જીવવા લાયક રહેવા દઈએ, એક વાત યાદ રાખજો – સુખી થવું સહેલું છે, દુઃખી થવું અઘરું છે, તમારી આસપાસ એક એવો શાંતિનો ઓરા ઉભો કરો કે લોકો સહજ રીતે તમારી નજીક આવે, લોકોને તમારી પાસે આવવું ગમે, આ શાંતિનો ઓરા એક જ રીતે ઉભો થઇ શકે અને તે એ કે તમે તમારી જાતને પ્રેમ કરતા શીખો। આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા, બાકી આખી દુનિયાને કરીએ છીએ.
એક પતિ પત્ની રોજ ચા પીવા બેસે ગેલેરીમાં,પત્ની રોજ જુએ કે સામેવાળી કપડાં સૂકવે છે.એ જ એનો ટાઇમ, એટલે પત્ની બૂમો પાડે – આ કેટલા ગંદા કપડાં ધોવે છે. કઈ સમજતી નથી બાઈ,એક દિવસ બેઠા અને પત્નીએ કહ્યું કે વાહ ! આજે તો સરસ કપડાં ધોયા છે. એટલે પતિએ કહ્યું – ના, આજે મેં આપણી બાલકનીનો કાચ સાફ કર્યો છે. સંબંધોમાં આટલું જ હોય છે, આપણો કાચ સાફ કરવાનો હોય છે. સામેવાળાના કપડાં ગંદા કે ચોખ્ખા તો પછી થાય છે, આપણો કાચ લૂછો અને એમાંથી દેખાતી વાત બહુ અગત્યની હોય છે. પતિ અને પત્ની વચ્ચે કેમ અદભૂત સંવાદ ન હોય, કેમ વિવાદ કરવો પડે,કેમ સંતાનને એવું ન લાગે કે મારા માબાપ તો એક જ છે, છૂટા પડશે જ નહિ. એક જ વાત બાબતે મા ના પડે એટલે પપ્પા એમ કે કે,એ તો કહે તું તારે કરને જે કરવું હોય તે, એક વાર પત્ની ખોટી પણ હોય પણ એક વાર એને ના પાડી એટલે પતિએ એની પડખે જ ઉભા રહેવાનું અને સ્ટેન્ડ બાય જ કરવાનું હોય, અને એક વાર પતિ ખોટો પણ હોય પણ એને ના પાડી છે કે હા પાડી છે પછી એની સાથે જ રહેવાનું હોય, ઘરમાં વકીલ નહિ આપો તમારા સંતાનને, નહિ તો એ તમને વાપરતા શીખી જશે.
આપણે બાળકને એ આંખ ખોલે એટલે પેલું વાક્ય કહીએ તું જલ્દી કર, તું જલ્દી કર, ચાલ જલ્દી, ચાલ જલ્દી અને પછી એ તેર ચૌદ વર્ષનો થાય એટલે ઉભો ઉભો ખાય એટલે આપણે કહીએ કે જરા શાંતિથી બેસીને ખાને! પણ ક્યાંથી ખાય તમે એના મગજમાં જલ્દી સિવાયનો કોઈ શબ્દ જ નથી નાખ્યો, કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે ચાલ આજે હું ઓફિસ નથી જતો, આપણે બે જણા થઈને ઘર સાફ કરી નાખીએ, ચાલ આપણે બંને રસોઈ કરી નાખીએ, આ સંસ્કાર આપવા બહુ અગત્યના છે, એના લગ્ન જીવન માટે પણ સુરક્ષાનો સેતુ બની રહેશે. તારી મામાં અક્કલ નથી એવું કહેનારા પિતા બહુ જોયા, એ ભૂલી જાય છે કાલે સવારે આ જ વાક્ય, આ જ રીતે તમારી સામે વપરાશે – કે તમારામાં અક્કલ નથી કારણ કે આજ ભાષા આપણે તેને શીખવી છે. સંસ્કારોનો આ વારસો આપવાનું ભૂલી જઈશું તો મોટું નુકસાન થશે. આપણે બાળકોને પાસ બુક તો બહુ આપીએ છીએ હવે શ્વાસ બુક આપીએ। બાળકોને વસ્તુઓ ઘણી આપીએ છીએ પણ સ્નેહ અને સમય આપવાનું ચૂકી જઈએ છીએ, પછી આપણે જ આપણા ઘડપણમાં બાળકને કહેવું પડશે કે બેટા મારી મરણ પથારીએ તું થોડીવાર મારી પાસે બેસજે, પણ ક્યાંથી બેસે ? આપણે તો ક્યારેય બેઠા નથી એની સાથે।
માબાપ ગુજરી જાય પછી તખ્તી મૂકાવે, મંદિરોમાં દાન કરે. એક યુવાન દીકરો લાડુ વેચતો હતો અને કોઈએ પૂછ્યું કે કેમ લાડુ વેચો છો? તો કે મારી મધરને બહુ ભાવતા હતા એટલે એમની ખુશીમાં એ ગુજરી ગયા એટલે વેચું છું. તો પૂછ્યું કે એ જીવતા હતા ત્યારે બાજુમાં બેસીને બાને ક્યારેય ખવડાવ્યા છે? સમાજ રચના બહુ ગૂંચવણ ભરેલી છે. ઘણા વિરોધાભાસોમાં આપણે જીવીએ છીએ. આપણે સાચા બટન દબાવાનું ભૂલી ગયા છોએ. ખોટા બટન બધી જગ્યાએ દબાવી દીધા છે એટલે લાઈટો ખોટી જગ્યાએ થવા લાગી છે. આપણે ક્યાંકને કયાંક રસ્તો ભૂલી ગયા છીએ. ચાલો જીવનનું જીપીએસ ચાલુ કરીએ.
Reflections on the Inspirational Teachings and Practices of Mahavira Swami ( New Books )
Feb 15, 2019
Jain Dharma
Reflections on the Inspirational
Teachings and Practices of Mahavira Swami
————–
Introduction
Self-dependence and self-responsibility on the spiritual journey coupled with the most profound reverence for the welfare of all living entities are central to the religion of Jains. It is this very tradition originating in India and followed by adherents of Jainism the world over that is also greatly admired globally by many non-Jains alike, not least because of its promotion of, and commitment to, non-violence and the advocacy of peace, equanimity and harmony.
The teachings and practices of this ancient tradition propagated by Mahavira Swami, who was born in the sixth century BCE in the same region and time as the Buddha, are as pertinent today as they were over 2,500 years ago. And it is these very teachings and practices, particularly in the context of spiritual self-sufficiency and observance of non-violence which this book explores and presents. Inspired by the unique voice of Mahavira Swami, this book, in fact, is both instructive and of practical relevance for all Jains, particularly in terms of understanding and applying the lessons he taught; but, as a study of the doctrines Mahavira Swami espoused and championed, it is equally of special value for any reader wishing to comprehend the major defining features of Jainism.
Jain Dharma is a long awaited title, one which followers of the religion have often sought in vain but who can now fully enjoy and use in their day-to-day spiritual lives. All too frequently other volumes dedicated to the study of Jainism available in libraries and book shops are inaccessible to religious practitioners themselves, as these texts are mostly authored by scholars and designed essentially for academic use. Alternatively, other books on the religion written from the perspective of Jainism are not always found to be sufficiently comprehensive in a way that practitioners can easily digest. It is for these reasons – a necessary attempt to bridge this gap – that this present work has been constructed.
Throughout the book a sincere attempt is made at all times faithfully to disclose the essence of what Mahavira Swami taught and promulgated, with careful attention given to how he boldly and courageously paved the way for ending the suffering of all sentient beings, ensuring the emancipation of all souls. Moving away from the mainstream traditions dominant during his day in order to create a path that held no bar to any individual and indeed embraced everyone, Mahavira Swami understandably attracted many enthusiastic followers – both ascetic and lay – followers who quickly formed themselves into a distinct and vibrant community. It is also because the transformational message he preached, one which Mahavira Swami himself directly embodied, that the tradition he forged continues to have enormous appeal today, and it is this very message as well as its application that Jain Dharma celebrates. As such, the book is at once an important new resource on Jainism and essential reading for all its practitioners.
– Saman Shrutpragya
– Dr. Graham Dwayer
શિક્ષક હોવાની આચાર સંહિતા – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 15, 2019
શિક્ષક હોવું એક પસંદગીનું વ્યક્તિગત પ્રોફેશન છે, પ્રોફેશન કરતાંય એ એક અનોખો રોમાન્સ છે. આ એવો રોમાન્સ છે જેમાં ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો. ઘણા શિક્ષકો શિક્ષણકાર્યની માત્ર ઔપચારિકતા જ પૂરી કરતા હોય છે. એમની માનસિકતા હોય છે કે વિદ્યાર્થીઓને શીખવું હોય તો શીખે, આપણે છું? આપણે માત્ર અભ્યાસક્રમ પૂરો કરાવવાનો છે – આવું વિચારનારા ક્યારેય વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન પામી શકતા નથી. શિક્ષક હોવું એ સામાન્ય ઘટના નથી, એના માટે શિક્ષકમાં શિક્ષકત્વ હોવું જરૂરી છે.
શિક્ષક હોવાની પહેલી આચાર સંહિતા છે – વિદ્યાર્થીને મિત્ર સમજો –
ઘણા શિક્ષકોની માનસિકતા હોય છે કે મારે વિદ્યાર્થીઓને સુધારવાના છે, એ બગડેલા છે, એ અજ્ઞાની છે, મારે તેને જ્ઞાન આપવાનું છે. હકીકતમાં આ ખોટી અને ભ્રમ ભરેલી માન્યતા છે. વિદ્યાર્થીઓને સુધારવાના નથી અને ન એમને કોઈ જ્ઞાન આપવાનું છે. વિદ્યાર્થીઓ સ્વયં પ્રતિભાશાળી છે જ, આપણે માત્ર તેને સહયોગ અને મદદ કરવાની છે. તમારે કશું જ શીખવવાની જરૂર નથી, માત્ર એવું વાતાવરણ ઉભું કરો કે એ સ્વયં શીખી શકે. વિદ્યાર્થીઓને પોતાના મિત્ર, નાના ભાઈ-બહેન સમજો અને તો જ તમે તેને સહજભાવે મદદ કરી શકશો. આવા શિક્ષકોને વિદ્યાર્થીઓ ભૂલવા ઈચ્છે તો પણ ક્યારેય ભૂલી શકતા નથી. એમની મેમોરી મગજના કોઈ ખૂણામાં ફિટ થઇ જાય છે જે ક્યારેય વિસ્મૃત થતી નથી. જો કે વિદ્યાર્થીઓ ખરાબ શિક્ષકોને પણ યાદ રાખે છે પણ બન્નેની પાછળ અલગ અલગ મનોભાવ કામ કરતા હોય છે. સારા શિક્ષકોને વર્ષો પછી પણ મળવામાં એક વિશેષ આનંદ થતો હોય છે. એમના પ્રત્યે એક નિઃસ્વાર્થ કૃતજ્ઞતાની લાગણી જાગતી હોય છે. આવા શિક્ષક હોવું એ પોતાના માટે સૌભાગ્યનું બીજ વાવવા બરાબર છે અને એમના થકી જ કોઈ શાળા એક આદર્શ શાળા બની શકે છે.
શિક્ષક હોવાની બીજી આચાર સંહિતા છે – અધ્યયનશીલ હોવું –
આજના સમયમાં શિક્ષક એ જ હોઈ શકે જે રોજે રોજ પોતાની જાતને અપડેટ અને અપગ્રેટ રાખતો હોય. એ માટે શિક્ષકે પોતાના જ્ઞાનની સીમાઓ વિકસાવવા અધ્યયનશીલ રહેવું જોઈએ. મારી દ્રષ્ટિએ શિક્ષક એટલે એક હરતી ફરતી લાઈબ્રેરી. શિક્ષક થવાનો અધિકાર તો તેને છે જે જ્ઞાનનો જીવંત ભંડાર હોય, જે શીખવા અને શીખવવા માટે તત્પર હોય. શિક્ષક લક્ષ્મીનો નહિ પણ સરસ્વતીનો અખંડ ઉપાસક હોય.
શિક્ષકની ત્રીજી આચાર સંહિતા છે – આત્મ વિશ્વાસ –
શિક્ષકમાં માત્ર જ્ઞાન હોવું એ પર્યાપ્ત નથી, જ્ઞાનની સાથે શીખવવાની સ્કિલ – કુશળતા પણ હોવી જોઈએ. મેં એવા શિક્ષકો જોયા છે કે જેની પાસે પ્રચુર જ્ઞાન હોય પણ ક્લાસમાં વિદ્યાર્થીઓને સમજાવી ન શકે. વિદ્યાર્થીઓને એમના ક્લાસમાં કંટાળો આવે.એમર્શને કહેલું કે અઘરા વિષયને સરળ બનાવી રસાળ શૈલીમાં સમજાવવાની ક્ષમતા ધરાવે તે શિક્ષક છે. આવા શિક્ષકો પાસે ઘણીવાર જ્ઞાન ઓછું હોય પણ એ વિદ્યાર્થીના ગળે એ રીતે વિષયનો મર્મ ઉતારી દે કે પછી વિદ્યાર્થીને ફરી વાંચવું ન પડે. આ માટે વક્તૃત્વ કળા હોવી શિક્ષક માટે અનિવાર્ય છે. આ માટે શિક્ષકોએ એવા લોકોને સાંભળવા જોઈએ જે પ્રભાવશાળી રીતે પોતાના વિષયોની પ્રસ્તુતિ કરી શકે છે.
શિક્ષકની ચોથી આચાર સંહિતા છે – જીવન અનુભવ –
વિદ્યાર્થીને શીખવવા માટે અને પોતે વધુ સમૃદ્ધ થવા માટે વર્ગખંડની બહાર શિક્ષક શું અનુભવ મેળવે છે એ પણ એટલું જ અગત્યનું છે. એ માટે જરૂરી છે કે શિક્ષક એની ભૂમિકાથી ઉપર ઉઠી મુસાફરી પણ કરે, ઊંચા સ્તરનું સ્પોટ્સ પણ રમે, બીજા પ્રોફેશનનો પણ અનુભવ મેળવે. શિક્ષકનું કામ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાનું જ નથી, સાથોસાથ વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રત્યે ભૂખ ઉઘાડવાનું છે. સાચું જ કહ્યું છે – ‘નબળો શિક્ષક સતત બોલ્યા કરે છે, સારો શિક્ષક માત્ર ભણાવ્યા કરે છે, જયારે ઉત્તમ શિક્ષક એ પ્રેરણા આપે છે. એ પ્રેરણા શ્રોત બનવા માટે આ બધા અનુભવો વિદ્યાર્થીઓને વધુ લાભદાયી થશે. આ બધા અનુભવો શિક્ષકના શિક્ષકત્વમાં પ્રાણ પૂરવા બરાબર છે. આવો શિક્ષક વિદ્યાર્થીને અતિશય પ્રિય હોય છે.
શિક્ષકની પાંચમી આચાર સંહિતા છે – વિદ્યાર્થીને સમજવાની ગટ્સ –
દરેક વિદ્યાર્થીની રુચિ અલગ અલગ હોય છે. એ પ્રમાણે દરેકને અલગ પ્રકારની પ્રેરણાની જરૂર હોય છે. આ બાબત શિક્ષકના બરાબર ધ્યાનમાં હોવી જોઈએ. એ માટે ક્લાસનું વાતાવરણ વધુ મહત્વનું બને છે. શિક્ષક જો એ વાતાવરણ પૂરું નહિ પાડે તો પછી વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર અન્ય લોકોથી પ્રેરણા લેશે – જે એમના માટે અધૂરી અને ખોટી પૂરવાર થાય છે. કેમકે બહારના લોકોને ખબર નથી કે વિદ્યાર્થીની ટેલેન્ટ શું છે? શિક્ષક જો વિદ્યાર્થીની ટેલેન્ટને પહેચાની ન શકે તો એના ક્લાસરૂમમાં હોવાનું શું પ્રયોજન છે? પરિણામે વિદ્યાર્થીઓ શિક્ષક સાથે કનેક્ટ થઇ શકતા નથી. શિક્ષકે આ બાબતે બહુ સજાગ રહેવું જોઈએ અને વિદ્યાર્થીઓનું કનેક્શન ન તૂટે એ જોવું જોઈએ.
શિક્ષકની છઠ્ઠી આચાર સંહિતા છે – વાસ્તવિકતાનો સ્વીકાર –
હા,શિક્ષક એ વિદ્યાર્થીઓ માટે જરૂર હીરો છે પણ ક્યારે? શિક્ષકે યાદ રાખવું જોઈએ કે એ પણ મૂળમાતો એક માણસ છે,અને એ પણ પૂર્ણ નથી, મારામાં પણ કમજોરી છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો ઘણા શિક્ષકોજેમને જવાબ ખબર ન હોય તો કાં તો અપસેટ થઇ જાય અને કાં તો ખોટા જવાબ આપી બેસેછે. આમ કરશો તો વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દેશે. આત્મ વિશ્વાસ હોવો સારી બાબત છે પણ ખોટો જવાબ આપવા માટે આત્મ વિશ્વાસ નહિ, પણ સચ્ચાઈને સ્વીકારવાની હિંમત પણ જોઈએ. પોતાના અજ્ઞાનને પ્રગટ કરવું એ સાહસ માંગી લે છે અને શિક્ષકે આ સાહસ કરવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને કહી શકે કે આ પ્રશ્નનો જવાબ મને ખબર નથી, ચાલો આપણે સાથે મળીને આનો જવાબ શોધીએ.
શિક્ષકને ક્રોધ પણ આવી શકે છે. શિક્ષક સ્વીકાર કરે કે હા, મને ક્રોધ આવે છે, આજે મારુ મૂડ બરાબર નથી. આમ નિખાલતાથી કમજોરીનો સ્વીકાર કરશો તો વિદ્યાર્થીઓને તમારા પર વધુ ભરોસો બેસશે.
શિક્ષકની સાતમી આચાર સંહિતા છે – જોખમ ઉઠાવતા શીખવવું –
બહાના બનાવીને છટકી જવું બહુ સહેલું છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે બહાના બનાવનાર આરામદાઈ જીવ છે અને આવો જીવ વિશેષ કાંઈ કરી શકતો નથી. જીવનનું નામ વિકાસ છે અને વિકાસ માત્ર જોખમ ઉઠાવવાથી જ થાય છે. દરેક શિક્ષક બાળકોને સતત યાદ કરાવે અને શીખવે કે તારે જોખમ ઉઠાવવાનું છે. શિક્ષક પોતે જોખમ ઉઠાવશે તો જ વિદ્યાર્થીને વધુ બળ મળશે. જે નથી આવડતું તે કરવાની, જે નથી ગમતું તેને ગમતું કરવાની અને જે નથી થઇ શકતું તેને કરવાનો ઉત્સાહ જાગશે ત્યારે દુનિયામાં તમારા માટે અશક્ય કશું જ નહિ રહે. કદાચ અસંભવને કરવામાં સફળતા ન મળે તો પણ અનુભવ તો જરૂર મળશે.
શિક્ષકની સાતમી આચાર સંહિતા છે – મહત્વના વિષયમાં એકાગ્રતા કરતા શીખવે –
ક્લાસમાં કોણ મોડું આવ્યું, વિદ્યાર્થીએ હોમવર્ક કર્યું કે નહિ, વિદ્યાર્થીને માર્ક્સ સારા આવ્યા કે નહિ, પાઠ્યક્રમ પૂરો થયો કે નહિ – આ બધું એક શિક્ષક માટે બહુ અગત્યનું નથી, આ કામ મેનેજમેન્ટનું છે કે કાઉન્સલરનું છે, કે હેડ માસ્ટરનું છે. શિક્ષકનું કામ છે બાળકોને જેમાં રસ છે અને જેમાં તેને ઉત્સાહ છે અથવા જે બાળકો માટે સૌથી મહત્વનું છે એમાં એકાગ્ર કરતા શીખવે અને એ પ્રમાણે માર્ગદર્શન અને પ્રેરણા આપે. જો શિક્ષક બીજું વાતોમાં અટવાઈ જશે અને એમાં સમય અને શક્તિ ખર્ચ કરશે તે એના જોવો કોઈ કમજોર શિક્ષક નથી. સમજુ શિક્ષક તેના વિષયમાં પૂરો પૂરો સભાન અને જાગૃત રહે છે. સારો શિક્ષક આચાર્ય શ્રી શું વિચારશે તેની પણ ચિંતા ન કરે. આવા શિક્ષકો ઘણી વાર નિયમો તૂટે તો પણ તેની પરવા નહિ કરે, એમનું એક માત્ર ધ્યેય રહેશે કે વિદ્યાર્થીમાં ઉત્સાહ અને સહભાગિતા કેમ વધે? આવા શિક્ષકોનો કલાસ રૂમ કદાચ લઘર – વઘર અને ઘોંઘાટ યુક્ત હશે તો પણ તેનું પરિણામ સારું આવશે. કેમકે આવા ક્લાસમાં જ વિદ્યાર્થી જિજ્ઞાસુ બને છે, એનામાં કુતૂહલ વૃત્તિ જાગે છે,એનામાં હાજર જવાબીનો ગુણ વિકશે છે, એનામાં આત્મ વિશ્વાસ જાગે છે.
copy right by Peace of Mind Foundation = Rajkot
દરેક ડોક્ટર ફેઇથ હિલર બની શકે છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 15, 2019
ડોક્ટરના મનમાં માત્ર આપવાનો ભાવ હોય:
કેટલાક લોકો માત્ર ફેથથી હિલ કરે છે. વિચારો એ લોકો કોણ છે જે માત્ર દર્દીને સ્પર્શ કરે છે અને એ સાજો થઇ જાય છે. શું પાવર હશે એમનામાં? આ કોઈ મેજીક નથી. એ આ પાવર ઉપરથી લઈને નથી આવ્યા. એ પાવર છે એક સ્પષ્ટ વિચાર અને ભાવ કે મારે તેને આપવું છે, લેવું નથી. લેવાનું તો એની મેળે થશે. કોઈ પૈસા આપ્યા વગર થોડું જશે? દરેક ડોક્ટર ફેઇથ હિલર બની શકે છે જો એ દવાની સાથે દુઆનો ભાવ રાખે. એક ભાવના સ્પષ્ટ રાખે કે મારે માત્ર આપવું છે, વધુ પડતું અને ખોટી રીતે લેવાની વૃત્તિ રાખવી એ ડોકટરની ઇમેજ બગાડે છે.. માત્ર લેવાની જ વૃત્તિ હશે તો હીલિંગ બ્લોક થઇ જશે. ધન કમાવું જોઈએ પરંતુ તે ડોક્ટરની અને હોસ્પિટલની પ્રાથમિકતા ન હોવી જોઈએ. ડોક્ટરની એનર્જી ફિલ્ડમાં માત્ર દેવાનો જ ભાવ હશે તો પછી રોગીના મનમાં વિશ્વાસ એની મેળે ઉભો થશે.
ડોક્ટર માત્ર એક નિર્ણય કરે કે કે મારે આને સાજો કરવો છે, મારે સારી એનર્જી આપવી છે. ડોક્ટરનું અપસેટ થવું ડોક્ટર અને દર્દી બંનેને પ્રભાવિત કરશે. મેડિકલ પ્રોફેશન સૌથી હાઈ રિસ્ક પ્રોફેશન છે. આખો દિવસ દર્દ અને દર્દી સાથે રહેવાનું હોય છે. તનથી પણ અને મનથી પણ દર્દીની નકારાત્મક ઉર્જાની ડોક્ટર પર અસર થાય છે. પરંતુ એવી કોશિશ થવી જોઈએ કે દર્દીનો પ્રભાવ પોતાના પર પડવા ન દઈએ. આમ કરવાથી દર્દી જલ્દી સાજો થશે અને દર્દીઓ એની મેળે વધારે આવશે. સારા ડોક્ટર પાસે બધા દર્દીને જવું ગમે છે. જેને સારું જ કરવું છે ત્યાં તો કોઈ પ્રતિસ્પર્ધા છે જ નહિ. ડોક્ટર જો પ્યાર, કરુણા અને ઉદારતા રેડિયેટ કરશે તો બધા બીમાર ત્યાંજ આવશે ને !
સાચો અને સારો ડોક્ટર કેવો હોય:
તબીબી ક્ષેત્રે ડોક્ટરનું આધ્યાત્મિક રૂપે સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક સ્વાસ્થ્ય ખરાબ તો ઈમોશનલ સ્વાસ્થ્ય ખરાબ અને એ ખરાબ તો મન પણ ખરાબ અને પરિણામે શરીર પણ ખરાબ રહેશે. હોસ્પિટલનું સંપૂર્ણ વાતાવરણ મંદિર જેવું હોવું જોઈએ. દરેક સ્ટાફની વ્યક્તિ જો ખુશ હોય તો ઈલાજ સારી રીતે અને ઝડપી થશે.દરેક હોસ્પિટલ અને ક્લિનિકમાં લખી રાખો – એંગર પ્રોહિબિટેડ – ડેંજરસ ફોર હેલ્થ. જે પણ રોગી આવે બસ પ્યાર, કરુણા અને દેવાનો ભાવ. ધન એની મેળે મળી જશે. ધન લેવાનો ભાવ, પૈસા ખંખેરવાનો ભાવ મનમાં છે તો એ તમારું અને દર્દી બંનેનું નુકશાન કરશે. એક વ્યક્તિ સિનિયર ડોક્ટરને મળવા ગઈ એટલે તરત ડોક્ટરે પૂછ્યું – મેડીક્લેઇમ છે? હસબન્ડ શું કરે છે? આ એક નામી ડોક્ટર છે. પરંતુ તેની એનર્જી પોઝેટીવ નથી. ગમે એટલું એ ડોક્ટરનું નામ હોય પણ ઇન્સાનિયત જરા પણ ન હોય તો હીલિંગ નહિ થાય. કોણ પછી વિશ્વાસ કરશે આવા ડોક્ટર પર ? દર્દીનું દિલ જીતે એ મોટો ડોક્ટર, દર્દીને સારી અને શુભ સલાહ આપે એ ડોક્ટર, દર્દીમાં આત્મ વિશ્વાસ ભરે એ ડોક્ટર, ફરી મારી પાસે આવવું નહિ પડે એવો દિલાસો આપે એ ડોક્ટર, અને દર્દી પાસેથી એની સ્થિતિ જોઈને ચાર્જ કરે એ ડોક્ટર, આવા ડોક્ટરો હંમેશા પોતે ખૂબ દુઆઓ અને આશીર્વાદ કમાય છે. જે ધન કમાય છે એ જરૂરી નથી કે દુઆઓ કમાય, પણ જે દુઆઓ કમાય છે એ ચોક્કસ ધન પણ કમાશે જ.
દર્દી પાસે ફરિસ્તાની માફક જાઓ:
આશીર્વાદ કમાવા માટે શું કરવું? પોતાના મનને શાંત કરો. દર્દીની ભાષામાં વાત કરો. દર્દી ભ્રમિત ન થાય માટે તેની સાથે સ્પષ્ટ રીતે વાત કરો. દર્દી પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ રાખો. દર્દી તમારાથી ભયભીત બને એવું વર્તન ક્યારેય ન કરો. દર્દીને હોસ્પિટલમાં બે- ત્રણ મિનિટ મળો અને શાંતિથી તેની સાથે વાત કરો. દર્દી સામે ક્યારેય આડી અવડી વાત ન કરો. કેટલા ભાવ, શ્રદ્ધા અને જિજ્ઞાસાથી દર્દી તમારી રાહ જોઈ રહ્યો છે. તેને સાંભળો અને પ્રેમથી જવાબ આપો. ડોક્ટર ક્યારેય સ્પર્ધાની ભાષામાં ન વિચારે, કોણ કેટલું કમાય છે એ ન જૂએ. એની નજર નિષ્ઠા પૂર્વક એના કામમાં હોય. પોતાની ગુણવત્તા ન ખોવી જોઈએ. આસૂરી સંપત્તિ ઘરમાં ન આવે એનું ધ્યાન રાખો, અન્યથા આ કર્મ આત્મા ભોગવી નહિ શકે. પરિવારમાં પણ અશાંતિ લાવશે. ડોક્ટર એક માત્ર ધ્યેય રાખે કે દર્દીનું દર્દ મિટાવવું છે, તેને સાજો કરવો છે, આશીર્વાદ લેવા છે. મારો પોતાના ફાયદાનો ક્યારેય વિચાર નહિ કરું. જો દર્દીનો કેશ તમારા વશનો ન હોય તો બીજાની પાસે મોકલવાની પ્રેરણા આપો કે ભાઈ તું પેલા ડોક્ટર પાસે જા, એ તને સારી ટ્રીટમેન્ટ આપશે. દર્દી પાસે રૂમમાં એક ફરિસ્તાની માફક જાઓ, કોઈ તોફાન આવ્યું હોય એ રીતે ઝડપી ઝડપી નહિ.
પ્રિસ્ક્રિપશન લખવાની નવી રીત:
દર્દીની નજરમાં ડોક્ટર ભગવાન સમાન છે, એની આ શ્રદ્ધા અકબંધ રહે એવું આચરણ ડોક્ટરે એની સાથે કરવું જોઈએ. માત્ર રોગને દબાવે નહિ, પણ એની જડ શું છે એ બતાવે અને પ્રિસ્ક્રિપશનમાં પણ એવું કરવા પર ભાર મૂકે તો દર્દીનું કલ્યાણ થશે. ડોક્ટર જો લખી શકે કે ગુસ્સો કરતા નહિ, ઘરમાં વાતાવરણ શાંત રાખજો, શાકાહારી ભોજન કરજો, માંસ ખાતા હોય તો છોડવાની કોશિશ કરજો. તામસિક માંસાહાર ભયપૂર્ણ છે. પશુના માંસમાં પ્રોટીન હોય છે પણ સાથે ભય, અસંસ્કાર અને ક્રૂરતાના નકારાત્મક પરમાણુ પણ હોય છે જે ભોજન સાથે પેટમાં જાય છે. આમ, ડોક્ટર એક મહાન આધ્યાત્મિક શક્તિઓ ભેગી કરી, પવિત્ર અને સેવા ભાવે દર્દીની સારવાર કરશે તો દર્દી તરફથી, એના પરિવાર તરફથી અને સંપૂર્ણ અસ્તિત્વ તરફથી એમના પર આશીર્વાદની વર્ષા થશે. આવા ડોક્ટરો આજે પણ સમાજમાં છે, નથી એવું નથી. ઘણા ડોક્ટરો દિલથી સેવા આપે છે અને દર્દી પ્રત્યે કરુણાભાવ રાખી એના માટે સ્વાસ્થ્યની કામના કરે છે. સારા ડોક્ટરોનું પ્રમાણ સમાજમાં વધારે છે. ક્યાંક ક્યાંક ખરાબ ઘટનાઓ બને છે, તેના કારણે સમગ્ર તબીબી જગતનું નામ ખરાબ થાય છે. ડોક્ટરને પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિથી પોતાને સંતોષ થવો જોઈએ, એ જ મોટું અને સાચું પ્રમાણ પાત્ર છે.
શ્રદ્ધાથી સ્વાસ્થ્ય જલ્દી સુધરે છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 15, 2019
માત્ર ડાળીઓને નહિ. જડને પણ ઠીક કરે :
લગભગ દરેક ડોક્ટર સવારથી સાંજ સુધી પોતાના કામમાં વ્યસ્ત હોય છે. આટલી વ્યસ્તતા શા માટે? બીજા કોઈ પણ ધંધા ઊંચા નીચા થતા હોય છે પણ તબીબી પ્રોફેશનને વરદાન છે કે આ ધંધો ક્યારેય બંધ થવાનો નથી, બીમાર લોકોનું લિસ્ટ ક્યારેય ઘટવાનું નથી. આજે ઉપચારો ખૂબ વધી રહ્યા છે, તબીબી ક્ષેત્રે નીત-નવું અનુસંધાન થઇ રહ્યું છે છતાં બીમારીઓ ઘટવાના બદલે રોજે રોજ વધી રહી છે. દરેક ડોક્ટર એક વાક્ય દર્દીને કહેતા હોય છે કે થોડા સમય પછી રેકર થઇ શકે છે. ફરી મળીશું – આવું કેમ કહે છે? એવા ડોકટર બનવું જોઈએ કે દર્દીને કહી શકે કે હવે આપણે ક્યારેય નહિ મળીએ. દરેક બીમારીઓની જડ મગજમાં હોય છે, ભાવ જગતમાં હોય છે. શરીરનો ઉપચાર કરી લઈએ છીએ પણ વિચારોનું શું? જીવન પદ્ધતિનું શું?, ભાવ જગતની સ્વસ્થતાનું શું? તેને જો સ્વસ્થ નહિ કરીએ તો બીમારીઓ પાછી આવશે. એવા ડોક્ટર બનો કે માત્ર ડાળીઓ જ ન કાપીએ, વૃક્ષના મૂળિયાને પણ ઠીક કરીએ.
ડોક્ટરની માન્યતા સમ્યક બને:
એક વાત એ પણ સમજી લેવી જોઈએ એ દર્દીનો ઉપચાર કરતા પહેલા પોતાને સ્વસ્થ બનાવીએ. બીજાની બીમારી મિટાવવાનો એક જ ઉપાય છે કે એ બીમારીને પહેલા પોતાનામાંથી કાઢી નાખીએ.જે ડોક્ટર પોતે આધ્યાત્મિક અર્થોમાં સ્વસ્થ હોય છે, એ ડોક્ટરના વાયબ્રેશન જ એટલા સ્ટ્રોંગ અને દિવ્ય હશે કે એ દર્દીને પણ સ્વસ્થ કરવામાં મોટું કામ કરશે. દર્દીને પણ માત્ર શરીરથી જ નહિ, મન અને ભાવોથી પણ સ્વસ્થ બનાવવામાં સહયોગી બનશે. જે ડોક્ટર પોતે એવું માને છે કે ટેંશન તો નેચરલ છે, ચિંતા તો નેચરલ છે, બ્લડ પ્રેશર તો નેચરલ છે, સુગર તો નેચરલ છે, તો પછી તેની સારવાર કરવી અત્યંત અઘરી બની જશે. જે ડોકટર પોતે આલ્કોહોલ લે છે, એ જ ડોક્ટર દર્દીને કહેશે કે એક પ્યાલી લે લી તો કોઈ બાત નહિ. એક બોટલ વાઈન તો હાર્ટ માટે ઉત્તમ છે. જે ડોક્ટર પોતે માંસાહારી હોય છે એ જ બીજાને મીટ ખાવાની સલાહ આપશે. વોટએવર વિલ બી ડોક્ટર કન્વિક્શન, ધે વિલ રેડિએટ. જે ડોક્ટર પોતે મીટ ખાતા હશે એ કહેશે ચિકન શૂપ લેના ચાહીએ. જે ડોક્ટરનું બિલીફ હોય છે એ કેટ – કેટલા દર્દીઓ સુધી રેડિયેટ થાય છે. દરેક ડોક્ટર પાસે કેટલી મોટી જવાબદારી હોય છે? તેમની વાત દર્દી આંખ બંધ કરીને સ્વીકાર કરે છે. ‘ડોક્ટર નેક્સ્ટ ટુ ગોડ’ – આવું શા માટે કહ્યું છે? જે ડોક્ટરે કહ્યું બસ તથાસ્તુ ! દર્દી ડોક્ટર પાસે આવે છે ત્યારે ડોક્ટર કયાં વાયબ્રેશન રેડિયેટ કરે છે, એના પર દર્દીના સ્વાસ્થ્યનો આધાર હોય છે. ડોકટરે કહ્યું કે ટેંશન નેચરલ, તો દર્દીનું શું થશે? જયારે વ્યક્તિ નોર્મલ હોય છે ત્યારે શરીરના પેરામીટર કેવા હોય છે? ક્રોધ, ચિંતા વગેરે નેગેટિવ ભાવોની શરીર પર અનૂકુળ અસર થાય છે કે પ્રતિકૂળ? તો પછી આ ભાવો નેચરલ કેવી રીતે હોઈ શકે? ડોક્ટરની સૌ પ્રથમ માન્યતા સમ્યક હોવી જોઈએ.
હીલિંગનું આધ્યાત્મિક વિજ્ઞાન:
આધ્યાત્મિક સ્વાસ્થ્યનો પહેલો અર્થ છે – માન્યતા સમ્યક રાખીએ. પ્રસન્નતા, પ્રેમ, કરુણા, ઈમાનદારી, શાંતિ, આનંદ – આ ભાવો નેચરલ છે. ટેંશન, ચિંતા, ભય, બીમારી , ચીડિયાપણું – આ બધા ભાવો કૃત્રિમ છે – એવું દ્રઢ કરી લઈએ. આધ્યાત્મિક સ્વાસ્થ્યનો બીજો અર્થ છે – એક સ્વસ્થ ડોક્ટર સ્વસ્થ વાયબ્રેશન રેડિયેટ કરે છે. માટે પહેલા ડોક્ટર મન અને ભાવથી સ્વસ્થ રહે એ જરૂરી છે. એક દર્દી વારે વારે પ્રશ્નો પૂછે તો પણ ડોકટર પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે.ડોકટર અપસેટ થઇ જશે તો દર્દીનું શું થશે? એનું હીલિંગ કેવી રીતે થશે? હીલિંગ માત્ર દવા લખી દેવાથી કે સર્જરી કરી દેવા માત્રથી નથી થતું. હીલિંગ ડોક્ટરને મળવાથી શરુ થાય છે. ડોક્ટરના મનોભાવ,વાત કરવાની રીત, વિચારોની સ્વસ્થતા, તેનું બોડી – લેંગ્વેજ બધું જ દર્દીને દવા લેવાના પહેલા અસર કરે છે. હવે તો સ્થિતિ વધુ ખરાબ છે. મીડિયામાં એટલા બધા પ્રોગ્રામ અને ઇન્ફોર્મેશન આવવા મંડી છે કે હવે ડોક્ટર પર વિશ્વાસ કરવો પણ અઘરો છે. આ ડિસ એડવાન્ટેજ છે. મને કોઈ તકલીફ છે તો હું હવે સીધો ડોક્ટર પાસે નહિ જાઉં, હું પહેલા તપાસ કરીશ, ઓળખીતા ડોક્ટરને શોધીશ કેમકે આજ-કાલ ડોક્ટર પર ભરોસો કરવો અઘરો છે. એવી સ્થિતિ આવવી જોઈએ કે દર્દી આંખ બંધ કરીને આવવો જોઈએ. દર્દીને આપણા ઉપર શંકા આવે તો ક્યાંક આપણા કર્મોમાં ખામી છે.ડોક્ટરના કર્મો સારા હશે તો દર્દી પોતાની મેળે વિશ્વાસ કરશે. ડોક્ટરે પ્રિસ્ક્રિપશન લખ્યું કે આ ટેસ્ટ કરાવો. દર્દી વિચારશે કે ખબર નહિ આ ટેસ્ટની જરૂર છે કે નહિ.આ આપણા બધા સાથે થઇ રહ્યું છે. હીલિંગ ખતમ થઇ રહી છે. ડોક્ટર પર ડાઉટ, તેની ટ્રીટમેન્ટ પર ડાઉટ, ટેસ્ટ પર ડાઉટ, સર્જરી કરાવી જરૂરી છે કે નહિ એમાં ડાઉટ, ફી પર ડાઉટ,હીલિંગ થશે કેવી રીતે? અરે, ફેથ ઇસ ધ બેઝિક ઇન્ગ્રિડિયન્સ ઓફ ધ હિલિંગ. ઘણા ડોકટરો આ બધી બાબતે જાગૃત પણ હોય છે અને સમાજમાં સારી સેવા પણ આપે છે. જેની વાત આવતા અંકે વિચારીશું.
બાળકમાં જે દિવ્ય છુપાયેલું છે તેને બહાર લાવે એ સાચો શિક્ષક – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 15, 2019
દરેક શિક્ષક દરેક મા-બાપ કરતા ચાલીશગણો કેપેબલ હોય છે. મા-બાપથી એક સંતાન નથી સચવાતું અને શિક્ષક એક ક્લાસના ચાલીશ જેટલા વિદ્યાર્થીઓને સાચવે છે. એમાંય પાછા બધા જુદા-જુદા ભેજાવાળા, દરેકનો અલગ રસ, અલગ રુચિ, દરેકના અલગ સંસ્કારો અને કુસંસ્કારો, દરેકનું બુદ્ધિનું અને એના સમજવાનું સ્તર પણ ભિન્ન-ભિન્ન હોય છે. માં-બાપ તો બાળક આડું હાલે તો એક બે ઠોકી પણ દે, શિક્ષક આવું કરી શકતો નથી. શિક્ષક થવું એ એક વ્યક્તિગત ચોઈસનું પ્રોફેશન છે. આ એવું પ્રોફેશન છે જેમાં કશું આપો છો તો સામેથી કશું મળે પણ છે. વિદ્યાર્થી ક્યાંના ક્યાં પહોંચી જાય તો પણ એ શિક્ષકને યાદ કરે છે. દરેક શિક્ષકના હાથમાં દર વર્ષે ઓછામાં ઓછા ચાલીશ ભાવિ એના હાથમાં હોય છે. એ ધારો તે આ ભવિષ્ય સાથે ઈચ્છે તેવો ઘાટ આપી શકે, એમના વિચારો સાથે એ કામ કરી તેનું ઘડતર કરી શકે છે. શિક્ષક એક અદ્ભૂત પ્રોફેશન છે. સારો શિક્ષક નક્કી કરે કે આ બાળકોમાંથી ઓછામાં ઓછા આઠ-દસના તો હું ભવિષ્ય બનાવીશ જ !
એક સાચો શિક્ષક શું કરી શકે ? એક ખુબ જ પ્રેરણાદાયી પ્રસંગ ક્યાંક વાંચેલો દરેક શિક્ષક માટે આનાથી મોટી કોઈ પ્રેરણા ન હોઈ શકે. એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે? શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને બહુ વાર લાગી. આવા નવતર અને મૌલિક પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી.
અઠવાડિયાના અંતે શિક્ષિકા બહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા. અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે? દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં ! બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી ! આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું ! એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા. કોણે કોના વિષે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહીનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.
ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામની લડાઈમાં માર્યો ગયો. એનું નામ માર્ક હતું. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલાં શિક્ષિકા બહેન પણ તેમાં સામેલ હતા. જયારે તેમણે અશ્રુભરી આંખે – “મારા વ્હાલા વિદ્યાર્થી !” એમ કહીને કોફીન ઉપર ફૂલો વેર્યા ત્યારે બાજુમાં ઉભેલ એક અન્ય સૈનિક નજીક આવ્યો. ધીમેથી તેમણે કહ્યું – શું તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસટીચર છો મેડમ? હા, કેમ ? – શિક્ષિકા બહેન ને આશ્ચર્ય થયું. ના, કંઈ નહીં. માર્ક તમારા વિષે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને એ હંમેશા અતિ આદરથી યાદ કરતો. ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરુ થઇ ગઈ.
અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા – નમસ્તે ! તમે જ માર્કના નવમાં ધોરણના કલાસ ટીચર છોને ? જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી અ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે ‘ નવમાં ધોરણના અતિઆદરણીય કલાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ.’ સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાગળ જોઇને શિક્ષિકા બહેન ગળગળા થઇ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલો.
બહેન ! માર્કની જ સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. – માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી. એ જ સમયે એક અન્ય યુવતી ત્યાં આવી. બોલી. – હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે ! અરે મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો જ કાગળ લગાવ્યો છે! અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક કિંમતી ભેટ છે ! અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ એક કાગળ કાઢીને બધાને બતાવ્યો.
વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા. એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ? બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના ! આપણે આપણા મિત્રો, સ્નેહીઓ તેમ જ સગાવહાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહિયે છીએ, આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યાં સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે એ જો ધ્યાનમાં રાખી શકીએ તો દરેક વ્યક્તિ એક પ્રેરણા છે અને દરેકમાં સારાપણું છુપાયેલું જ હોય છે. માત્ર એને બહાર પ્રગટાવવાની જરૂર હોય છે. શિક્ષણનો અર્થ જ આ છે.
Importance of Jain Manglik (Part-3) Saman Shrutpragya શરણાગતિનું આધ્યાત્મિક વિજ્ઞાન – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 15, 2019
કૃષ્ણે ગીતમાં કહ્યું છે – અર્જુન તું બધા ધર્મોને છોડીને એક મારી શરણમાં આવી જા. આ ઉપરથી જોતા લાગશે કે અહંકારપૂર્ણ ઘોષણા છે. પરંતુ એવું નથી. હંમેશા શા માટે અને કંઈ પરિસ્થિતિમાં બોલાઈ રહ્યું છે એનો સંદર્ભ જોવો જોઈએ. કૃષ્ણ જે યુગમાં બોલી રહ્યા હતા એ પૂર્ણ નિર્દોષ શ્રદ્ધાનો યુગ હતો. એ સમયે કોઈને એવું નહીં લાગ્યું કે કૃષ્ણ કેવી અહંકારની વાત કરે છે. અર્જુને પ્રશ્ન પણ ન ઉઠાવ્યો. મહાવીર અને બુદ્ધના સમયમાં લોકોની ચિત્ત દશા વક્ર અને જડ થઇ ચૂકી હતી. મામેકં શરણમ વ્રજ કહ્યું પણ બુદ્ધ અને મહાવીરે આવું નહિ કહ્યું. સાધકની તરફથી આ સૂત્ર છે – અરિહંતની શરણ સ્વીકાર કરું છું. આ બે જ છોર છે શરણાગતિના. સિદ્ધ કહે છે – આવી જાઓ મારી શરણમાં અને સાધક કહે છે – હું આપની શરણમાં આવું છું.બુદ્ધમ, સંઘમ, ધમ્મ્મમ શરણમ ગચ્છામિ – હું શરણ જાઉં છું – પહેલું ચરણ છે. શરણ સ્વીકાર કરું છું એ યાત્રાનો અંત છે. અંતિમ કદમ છે. મહાવીરનું સૂત્ર છે – અરિહંતનું શરણ સ્વીકાર કરું છું. એટલે કે હું નક્કી કરી ચૂક્યો છું કે હું આપની શરણ સ્વીકાર કરું છું. હિન્દુ અને જૈન વિચારમાં મૌલિક ભેદ આ જ છે. એકમાં સિદ્ધ કહે છે બીજામાં સાધક કહે છે. મહાવીર કહે કે મારી શરણમાં આવી જાઓ તો લોકોને અહંકાર દેખાશે.બુદ્ધિ અને તર્ક શરણ જવાના વિરોધમાં છે. શરણની સ્વીકૃતિ અહંકારની હત્યા છે. ધર્મના ક્ષેત્રમાં ચેતનાનો વિકાસ અહંકાર મુક્તિ થકી જ સંભવ છે. મહાવીર શરણની વાત જ નથી કરતા. આ શરણ એકતરફની છે. સાધક તરફથી આ ઘોષણા છે. આજ તો સ્થિતિ વધુ વિકટ છે. આજે કોઈ ચૂપ રહેશે તો પણ લાગશે કે મૌન પણ એક સ્વીકૃતિ છે.તર્ક વધુ રોગગ્રસ્ત થયો છે.મૌન સંમતિનું લક્ષણ છે. આ આદમી અહંકારી છે તો અરિહંત કેવી રીતે હોઈ શકે.મહાવીર જોર દઈને કહે સાધકને કે નહિ, શરણ આવવાની જરૂર જ નથી, તો જ લોકોને લાગશે કે આ વ્યક્તિ બરાબર છે. પરંતુ આ અસ્વીકારમાં સાધકના વિકાસના દરવાજા બંધ થઇ જાય છે. કૃષ્ણમૂર્તિ એટલે કહે છે કે કોઈની શરણમાં જવાની જરૂર નથી. આના કારણે અહંકારી સાધક પ્રસન્ન થાય છે કે વાહ આમને કોઈ વાત સાચી કરી. પરંતુ આના કારણે લોકોના અહંકારની ચિકિત્સા થવી અઘરી છે. હવે તો એવો સમય આવ્યો છે કે સાધુને કહેવું પડશે કે હું આપની શરણમાં આવ્યો છું મને સ્વીકાર કરો. કૃષ્ણના યુગમાં સત્યની પ્રાપ્તિ સરળ, મહાવીર વખતે કઠિન અને હવે તો લગભગ અસંભવ. યુગ આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈને સહયોગ પહોંચાડવો હોય તો અત્યંત કઠિન છે. કૃષ્ણની માફક બોલાવીને સહયોગ દેવો તો કઠિન છે જ, મહાવીરની જેમ, પોતાની મેળે કોઈ જાય તો સહયોગ કરવો કઠિન છે હવે તો સિદ્ધને કહેવું પડશે સાધકને કે હું આપણી શરણમાં આવું છું. આ આધ્યાત્મિક વિકૃતિ છે.
શરણનું કેમ આટલું મહત્વ છે – શરીરની દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરીએ શરીરની મુદ્દાઓની ભારે અસર થાય છે. ભારતીય યોગમાં એક પ્રયોગ છે – શવાશન. અર્થ છે – પૂર્ણ સમર્પિત શરીરની દશા. અત્યંત શિથિલ દશા છે. એનાથી ઉલ્ટી સ્થિતિ ભારતીય ધર્મ પરંપરામાં છે સાષ્ટાંગ પ્રણામ કરવાની.આ મુદ્રા પણ અદભૂત છે. આ વિધિમાં પુરા શરીરને સંપૂર્ણ સમર્પણ ભાવથી શરીરના અંગોને જમીન પર છોડી દેવામાં આવે છે. આ શરણાગતિની શારીરિક સ્થિતિ છે. આ માત્ર નમસ્કાર એક વિધિ માત્ર નથી. આ અદભૂત વૈજ્ઞાનિક સત્યોથી ભરેલો પ્રયોગ છે જે અનેક રહસ્યોથી ભરેલો છે. જો વ્યક્તિ શરીરના બધા અંગોને ઢીલા છોડી, જમીનને અડાળી દેવામાં આવે અને સમતલ પૃથ્વી પર સૂઈ જવામાં આવે તો રાતના ઊંઘમાં ઉર્જા અને શક્તિ મળે છે, જગતની શક્તિઓ આપણામાં પ્રવેશ કરે છે. શરીર ઉભું હોય છે તો સાથે અહંકાર પણ ઉભો હોય છે. સુઈ જવાથી માત્ર શરીર જ નહિ, અહંકાર પણ સુઈ જાય છે, અહંકારનું વિસર્જન થાય છે. પાવલિતાને પ્રયોગ કર્યા છે. થાકેલા માણસોને પૂનઃ સ્ફૂર્તિમાં લાવવા માટે ગાયની નીચે સૂઈને કરવાની વાત કરી. સૂવા માત્રથી અહંકાર ઢીલો થવા લાગે છે. ફ્રેન્ચ ખોજી પિરામિડ પર અનુસંધાન કર્યું છે. તમે ઉભા હોવ છો તો ચિત્તની આકૃતિ અલગ હોય। બોવિસ એનું નામ છે. દસ વર્ષથી શોધ કરે છે.બિલાડી કે ઉંદર પિરામિડમાં ફંસાઈ જાય છે તો મરી જાય છે ત્યારે સૂકાઈ જાય છે પણ સડતો નથી. પિરામિડની આકૃતિ આટલું કામ કરી શકે જ્યામિટ્રિક આકૃતિનો અદભૂત પ્રભાવ છે. બહારની આકૃતિ આટલું પરિવર્તન લાવી શકે તો આંતરિક આકૃતિનું તો કહેવું જ છું. શરણાગતિ આંતરિક આકૃતિને બદલવાની પ્રાયોગિક વિધિ છે. ચિત્તમાં પણ જ્યામિટ્રિક ફિગર હોય છે. હું શરણમાં આવું છું – આ ભાવ અંતરની આકૃતિ બદલી નાખે છે. જીવનમાં રૂપાંતરણ ઘટિત થાય છે. આપણા અંતરમાં પણ આકૃતિઓ છે, ચેતના પણ ભાવ અનુસાર રૂપ લે છે.
લગભગ વીસ વર્ષ પહેલાની વાત છે. વિજ્ઞાનને હલાવી દીધું છે.દિમિત્રી દૉઝોનોવ નામનો એક ખેડૂત જમીનથી ચાર ફુટ ઉપર ઉઠી જાય છે. દસ મિનિટ સુધી જમીનથી અધર ગુરુત્વાકર્ષણની પરે અટકેલો રહે છે. વૈજ્ઞાનિક સિદ્ધ – રાજ છું – એક – સમર્પણ ભાવ – પરમાત્માના હાથમાં મને છોડું છું. હું સંપૂર્ણ સમર્પિત થઇ જાઉં છું. પોતાને ભૂલી શકું છું અને પરમાત્મા માત્ર છે એવો ભાવ કરું છું. ત્યારે આ પ્રયોગ કામ કરે છે. જમીન પોતાના નિયમો બદલી નાખે તો પ્રકૃતિના કોઈ પણ નિયમો બદલી શકાય છે. જે વ્યક્તિ અરિહંતની શરણ જાય તેની કામવાસનાની પકડ પણ ઢીલી પડી શકે છે.શરીરની માંગ છૂટી જાય. મહાવીર અને બુદ્ધની પદ્માસન અને સિદ્ધાસન આકૃતિ પેરામેડિકલ છે. પિરામિડની આકૃતિ બને છે. આ આકૃતિમાં પ્રકૃતિના નિયમો છૂટી જાય છે અને પરમાત્માના નિયમો કામ કરે છે. શરત માત્ર એટલી કે આપણે પોતાનો અહંકાર વિરાટના ચરણોમાં સમર્પિત કરી શકીએ. શરણાગતિની પોતાની આકૃતિ છે, અહંકારની પોતાની આકૃતિ હોય છે. અહંકારી સદા ભયભીત રહે છે અને શરણાગત સદા ભયમુક્ત રહે છે.
નમસ્કારથી શરુ થાય છે અને શરણાગતિથી પૂર્ણ થાય છે.
ત્રણ વસ્તુઓ લાવે છે શરણાગતિ – એક – ઇનર જ્યામિટ્રિક – આંતરિક ચિત્ત દશાને અને ચિત્તની આકૃતિઓને બદલી નાખે છે. બે – તમને પ્રકૃતિના સાધારણ નિયમોથી બહાર લઇ જાય છે અને દિવ્ય નિયમો સાથે જોડી દે છે. ત્રણ – શરણાગતિ તમારા જીવન દ્વારોને પરમ ઉર્જા તરફ ખોલી નાખે છે. વ્યક્તિ જયારે સમર્પિત થાય છે ત્યારે દિવ્ય ઉર્જા એના તરફ પ્રવાહિત થાય છે. અહંકારી દીન છે જેને પરં ઉર્જા સાથે સંબંધ તોડી નાખ્યા છે. શરણાગતિ કરનાર ભાગ્યશાળી છે કે જેને પરમ ચેતના સાથે પોતાના સંબંધો જોડી દીધા છે.લડો અથવા છોડો – અનંત શ્રોતની આકૃતિઓ છે – અરિહંત, સિદ્ધ, સાધુ જેનાથી આપણે પરિચિત છીએ – મૂળ તત્વ નિરાકાર છે. શરણાગતિમાં શર્તો ન હોય એટલી એની અસર વધારે થશે. જડ વસ્તુઓને નમસ્કાર કરવા કરતા જાગૃત પુરુષોના ચરણોમાં નમસ્કાર કરવામાં વધુ લાભ છે.એમાં અહંકાર વધુ નષ્ઠ થાય છે. કૉઝમિક ઉર્જા સામે સમર્પિત થઇ જાઓ.
Importance of Jain Manglik (Part-2) Saman Shrutpragya ચત્તારિ લોગુત્તમા – લોકમાં ચાર ઉત્તમ છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
માંગલિક સાંભળવું જૈન પરંપરામાં સૌથી વધુ પ્રસિદ્દ છે. દરેક શુભ કાર્યમાં માંગલિક સાંભળવું એ દરેક શ્રાવકોની શ્રદ્ધાનો વિષય છે. ચાર મંગળ છે – અર્હત, સિદ્ધ, સાધુ અને ધર્મ. નમસ્કાર મંત્રમાં જ્યાં પાંચ પરમેષ્ઠિ મંગળ છે – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, તેમ માંગલિકના પાઠમાં ચાર મંગળ છે. આ માંગલિકમાં ત્રણ મંગળ એ જ છે જે નમસ્કાર મંત્રમાં છે – અરિહંત, સિદ્ધ અને સાધુ. માંગલિકમાં એક ધર્મને વધારે મંગળ તરીકે મૂક્યું છે. વાસ્તવિક દ્રષ્ટિએ જૂઓ તો એક ધર્મ જ મંગળ છે. કેમકે અરિહંત એ પણ ધર્મ જ છે, સિદ્ધ અને સાધુ એ પણ ધર્મ જ છે. એટલે ધર્મ એ જ મંગળ છે. જૈન આગમ ગ્રંથમાંનો એક આગમ ગ્રંથ છે – દશવૈકાલિક સૂત્ર. એની પહેલી જ ગાથામાં કહ્યું છે –
ધમ્મો મંગલમુક્કીઠમ, અહિંસા સંજમો તઓ,
દેવાવિતમ નમન સંતિ, જસ્સ ધમ્મે સયામણો.
એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા, સંયમ અને તપ તેના લક્ષણો છે. આવા ધર્મમાં જેનું મન સદા ઓતઃ પ્રોત હોય છે, એવા મનુષ્યને દેવતા પણ નમસ્કાર કરે છે. અહીં ધર્મને મંગળ ઘોષિત કર્યું છે અને આવા ધર્મને જે પામી ચૂક્યા છે એવા દિવ્ય આત્માઓ પણ મંગળ છે. એટલે પહેલા દિવ્ય આત્માઓ પ્રત્યે મંગળનો ભાવ કરો. આપણે એટલા કમજોર અને વિકૃત છીએ કે સામાન્ય માણસ પ્રત્યે મંગલ અને શુભની ભાવના કરી શકતા નથી. આપણો અહંકાર આડે આવે છે. એટલે એટલિસ્ટ જે ચૈતન્યના પરમ શિખર પર છે એવા શુદ્ધ પરમાત્મા પ્રત્યે તો મંગળની ભાવના ભાવી શકાય ને ! દુશ્મન મંગળ છે, શત્રુ મંગળ છે એ કહેવું તો અઘરું છે. એટલે જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે તો મંગળની કામના કરો. આ ચારેય મંગળ છે એ માંગલિકના પહેલા ચરણમાં સમજાવ્યું અને હવે બીજા ચરણમાં કહે છે કે આ ચારેય મંગળ છે એટલું જ નહિ, આ ચારેય લોકમાં ઉત્તમ પણ છે. માંગલિકના બીજા ચરણમાં કહ્યું છે –
અરિહંતા લોગુત્તમા,
સિદ્ધા લોગુત્તમા
સાહૂ લોગુત્તમા
કેવલિ પન્નત્તો ધમ્મો લોગુત્તમા
અરિહંત લોકમાં ઉત્તમ છે, સિદ્ધ લોકમાં ઉત્તમ છે, સાધુ લોકમાં ઉત્તમ છે અને કેવલી પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. અહીં લોકનો અર્થ છે – આ સમસ્ત સૃષ્ટિ કે સંસાર. અહીં એક પ્રશ્ન થઇ શકે કે મંગળ કહ્યા પછી ઉત્તમ કહેવાનું શું કારણ હશે? આ કહેવા પાછળ મોટું મનોવિજ્ઞાન છે. આમાં આપણા મનની દશાનું દર્શન છે. એક જ્ઞાની અજ્ઞાનીનાં મનને જાણે છે અને ઓળખે છે. કેમકે ઘણી વાર મંગળ કહ્યા પછી પણ આપણે જે ઉત્તમ નથી એને પણ મંગળ માની લઈએ છીએ. એટલે માત્ર મંગળ હોવું એટલું જ પર્યાપ્ત નથી. એ ઉત્તમ પણ હોવું જોઈએ. એટલે અરિહંત મંગળ છે એટલું જ સત્ય નથી, અરિહંત ઉત્તમ પણ છે, સિદ્ધ ઉત્તમ પણ છે, સાધુ ઉત્તમ પણ છે, અને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉત્તમ પણ છે. મંગલ કહ્યા પછી ઉત્તમ કહેવાની શું જરૂર હતી? એનું પણ કારણ છે અને એ કારણ આપણી અંદર છે. આ બધા સૂત્રો આપણા મન પર આધારિત છે. જે ઉત્તમ નથી એને પણ મંગળ માની શકીએ છીએ. આ મંગલ એ ઉત્તમ છે કેમકે આ મંગલ એ શિખર છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, થવા યોગ્ય છે. ભૌતિકવાદ કહે છે આત્મા, બાત્મા કંઈ છે જ નહિ. શરીર જ સર્વસ્વ છે, પદાર્થ જ બધું છે. પદાર્થ જ બધું હોય તો આત્માની યાત્રા કેવી રીતે કરશો?
કેવલિ પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે એવું મહાવીરે નથી કહ્યું. દરેક ધર્મો કહે છે – વેદમાં પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે, બાઇબલને માનવા વાળા કહે છે – બાઇબલમાં લખ્યું છે એ જ ધર્મ મંગળ છે, કુરાનને માનનારા કહે છે – કુરાનમાં જે લખ્યું છે એ જ ઉત્તમ છે.ગીતાને માનનારા કહે છે કે ગીતામાં લખ્યું છે એ જ ધર્મ ઉત્તમ છે. મહાવીર આવું નથી કહેતા. એ કહે છે – આત્મ જ્ઞાનની ક્ષણોમાં જે જ્ઞાન પ્રગટ થાય છે એવો ધર્મ મંગળ છે. આ ધર્મ જીવંત છે. કેવલીએ જે કહ્યું છે એ શાસ્ત્રોમાં લખ્યું એ ધર્મ મંગળ નથી. મહાવીરે કંઈ લખ્યું નથી, લખાવ્યું નથી. એમના પછી ઘણા વર્ષે આ બધું લખાયું. એ લખાયેલું જે છે એ મંગળ નથી. કેમકે લખાયેલું બધું પ્રામાણિક નથી. એક ઐતિહાસિક ગ્રંથ છે – સમણ સૂત્તમ. ભગવાન મહાવીરની પચીસૌમી નિર્વાણ શતાબ્દીના અવસરે સમગ્ર જૈન સમાજ દ્વારા માન્ય થયેલો આ ગ્રંથ છે. આજે આ જૈન ધર્મનો સર્વ સંમત ગ્રંથ છે. જિનવાણી એક છે. એ બધા તત્વોનું નિરૂપણ કરવા વાળી અનાદિ વાણી છે. છતાં એનો એટલો બધો વિસ્તાર થઇ ગયો કે એમાં ઘણી બધી વાતો ભળી ગઈ. ગંગોત્રીનું નિર્મળ જળ એ જ્યાંથી પ્રવાહિત થાય છે ત્યાં એ બહુજ સાફ અને નિર્મળ હોય છે.પરંતુ વિસ્તાર થતાની સાથે એમાં ઘણી વાતો મળી જાય છે. આ એક બહુ સ્પષ્ટ સત્ય છે કે સીમામાં રહેનાર જેટલો નિર્મળ રહી શકે છે, વિસ્તાર થયા પછી એમાં એ નિર્મળતા રહેતી નથી. માણસ વિસ્તાર ઈચ્છે છે પણ એ સચ્ચાઈને ન ભૂલવી જોઈએ કે વિસ્તારની સાથે જ વિકૃતિ પણ સાથે ભળી જાય છે. દરેક ધર્મ ગ્રંથોમાં આવું થયું છે અને જૈન ધર્મમા પણ આવું જ બન્યું છે. હવે વિવેક કરવાની જરૂર પડશે. જેથી સત્યને સ્વીકારીને અસત્યને અલગ કરી શકીએ. જે મૂળ છે તેને સ્વીકારીએ અને જે પછીથી જોડાયેલું છે તેનો અસ્વીકાર કરીએ.
ઉત્તમ છે એને પ્રાપ્ત કરવા માટે મૂલ્ય ચૂકવવું પડશે. આ ઉત્તમ છે એને પામવા માટે પોતાની જાતને અને જાતના અહંકારને છોડાવો પડશે.
આપણા માટે કોણ ઉત્તમકોણ છે? ચોકમાં જેના પૂતળા બને એ ઉત્તમ છે. એ તો કબૂતરો માટે બને છે. માણસો જૂએ એના કરતા એનાથી કબૂતરોને વધુ લાભ થાય છે. છાપામાં પહેલા પાને જેના ફોટા આવે એ ઉત્તમ છે? એના પર તો કેરીના છૂંદા અને અથાણાં ખવાતા હોય છે. જે ફોટો પહેલા પાને આવ્યો હોય અને માણસને હરખ થયો હોય કે ઓહો મારો ફોટો, દુનિયાએ મારી નોંધ લીધી એવો અહંકાર અંદર આંટા મારતો હોય એ અહંકાર અને એ ફોટો ત્રણ દિવસ પછી કોઈ પણ ખમણની દુકાને પડીકામાં પેક થયેલો જોવા મળશે, એ ચોવીસ કલાકમાં તો પસ્તી થઇ જાય છે.આ ઉત્તમ છે? ફિલ્મના હિરાઓ ઉત્તમ છે? ઉત્તમ કોણ એને સમજાવા માટે એક બનેલી ઘટના પાર વિચારીએ.
નીરજા નામની ફિલ્મ આવેલી. એક જુવાન સ્ત્રી જેને હજુ જિંદગીના કોયડા ઉકેલવાના બાકી છે. જીવન સંઘર્ષમય છે, લગ્ન જીવનમાં ભંગાણ થયેલ છે. છૂટાછેડા લીધેલ છે. પોતાની જિંદગી સેટ કરવાની કોશિશ કરે છે. પ્લેનમાં એરહોસ્ટ તરીકે નોકરી કરે છે. પાન એરલાઇનમ એરહોસ્ટ તરીકે જાય છે. લીબિયાના ત્રાસવાદીઓ એના પર હુમલો કરે છે. પહેલી વખત નીરજાને તક છે ઉતરી જવાની અને બચી જવાની, કારણકે એરહોસ્ટ તરીકે દરવાજાની બાજુમાં જ ઉભી છે. પણ એ પહેલાં પાયલોટને સૂચના આપીને ભગાડે છે, જેથી પ્લેન ઉડે નહિ અને યાત્રીઓ બચી જાય. પ્લેન ઉડે તો એ ક્યાં લઇ જાય અને શું થાય એ ખબર નથી. આઠ કલાકમાં એકતાલીસ પાસપોર્ટ ભેગા કરે છે વિદેશીઓના જેને આ લોકો વીણી વીણીને મારવાના છે. એ પાસપોર્ટ ભેગા કરે છે પોતાની જાનના જોખમે કે જેથી ખબર ન પડે કે કોણ ક્યાં દેશનો છે? આ નીરજા કોઈ ટ્રેઈન્ડ સોલ્જર નથી, કે નથી કોઈ પોલીસ ખાતાની અધિકારી, તમારી અને મારી જેમ એરહોસ્ટેસ એટલે એક નોર્મલ કેરિયર છે. આ બાવીસ વર્ષની એક છોકરી પોતાના પ્રેઝન્સ ઓફ માઈન્ડથી પરિસ્થિતિથી હારી જવાના બદલે, પરિસ્થિતિને ટેકલ કરવાની ટ્રાય કરે છે. આઠ કલાકની મહેનતના અંતે, ઇમર્જન્સી થાય છે અને એ દરવાજો ખોલે છે. સ્ત્રી તરીકે બચવાનો અને પ્લેનમાંથી ઉતરવાનો પહેલો ચાન્સ એનો છે અને એ દરવાજા પાસે જ ઉભી હોય છે. છતાંય તમામ પ્રવાસીઓને બહાર કાઢવાની કોશિશ કરે છે અને છેલ્લે નીકળવા જાય છે અને ગોળી વાગે છે ને મારી જાય છે. આપણા માટે આવી ઉમદા વ્યક્તિ ઉત્તમ છે અને હિરો છે. તમારાથી થઇ શકે એટલું, તમારી જાતના ભોગે, તમારી આસપાસની દુનિયામાં વધુ સારું કરવાની કોશિશ કરે એનું નામ હિરો અને એ ઉત્તમ અને આદર્શ છે.એક જ વ્યક્તિ એવી છે આખી પૃથ્વી ઉપર કે જેને ભારતનો, પાકિસ્તાનનો અને અમેરિકાનો – ત્રણેય દેશનો બ્રેવરી એવોર્ડ મડ્યો છે. આ આપણે કરવાનું છે. એના માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી, એ માટે માત્ર આત્મ વિશ્વાસની જરૂર છે.
પુણ્ય પાપની સાચી સમજણ – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
દરેક ધર્મ દર્શનોમાં પુણ્ય અને પાપની સમજણ આપવામાં આવી છે. જૈન દર્શનમાં આપણે અઢાર પાપની ચર્ચા ગયા. એ અઢાર પાપોના ફરી નામ જોઈ જઈએ – પ્રાણાતિપાત – એટલે જીવોની હિંસા કરવી, મૃષાવાદ એટલે જૂઠ બોલવું,અદત્તાદાન એટલે ચોરી કરવી,મૈથુન એટલે પર સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો,પરિગ્રહ એટલે વણ જોઈતું સંગ્રહવું,ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ,અભ્યાખ્યાન એટલે કોઈના પર ખોટો આરોપ લગાવવો,પૈશુન્ય એટલે ચુગલી ખાવી,પર -પરિવાદ એટલે કોઈના દોષો જોવા અને એની ચર્ચા કરવી,રતિ – અરતિ એટલે કે સંસારમાં પ્રીતિ અને ધર્મમાં અરુચિ,માયા મૃષા એટલે કે કપટ પૂર્વક ખોટું બોલવું, મિથ્યા દર્શન શલ્ય એટલે સાચાને ખોટું અને ખોટાને સાચું સિદ્ધ કરવું.
એક શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેટલા પણ નેગેટિવ ભાવ છે એ પાપ છે અને જેટલા પણ પોઝેટીવ ભાવ છે એ પુણ્ય છે. જૈન દર્શનમાં પુણ્યના પણ નવ પ્રકાર આવે છે – અન્ન પુણ્ય, પાણી પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય,વસ્ત્ર પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય,કાય પુણ્ય,અને નમસ્કાર પુણ્ય. આમ તો આ નવેય પુણ્ય સંયમી અને પાંચ મહાવ્રતધારી સાધુ માટે કરવાના હોય છે. પરંતુ લૌકિક અર્થમાં પણ એનો મહિમા છે. કોઈ પણ જીવને ખવડાવું,પાણી પીવડાવું,રહેવા માટે સ્થાન આપવું,સુવા માટેની વ્યવસ્થા કરી આપવી,વસ્ત્રો આપવા,મનમાં સારા ભાવ રાખવા, સારી વાણી ઉચ્ચારવી,શરીરથી કોઈને સહારો આપવો – આ બધા જ પોઝેટીવ ભાવો અને કાર્યો તે પુણ્ય છે.
દરેક ધર્મમાં આ પુણ્ય પાપની ચર્ચા છે. કુરાનમાં કહ્યું છે કે ‘ કયામતના દિવસે દરેકે વ્યક્તિગત પુણ્ય પાપનો હિસાબ આપવાનો હોય છે. હિન્દૂ પરંપરામાં દસ પુણ્ય અને દસ પાપની ચર્ચા કરવામાં આવી છે. દસ પુણ્ય ક્રમે કરીને આ પ્રમાણે છે – 1. ધૃતિ – દરેક પરિસ્થિતમાં ધૈર્ય ધારણ કરવું, કોઈ કાર્યમાં ઉતાવળ ન કરાવી અને પ્રતિકૂળતામાં ઉશ્કેરાટ ન કરવો,વિચલિત ન થવું. 2. ક્ષમા – માફ કરવામાં સામર્થ્યવાન હોવું, બદલો લેવાની વૃત્તિ ન રાખવી.
3. દમ – ઉદંડતા ન રાખવી, 4. અસ્તેય – બીજાની વસ્તુ લેવાનો વિચાર ન કરવો, 5. શૌચ – આહાર,શરીર અને મનની શુદ્ધિ રાખવી, પવિત્રતા જાળવવી, 6.ઇન્દ્રિય નિગ્રહ – ઇન્દ્રિઓને વિષયોમાં લુપ્ત ન થવા દેવું,7. ઘી – બુદ્ધિનો સદુપયોગ કરવો, 8. સમ્યક જ્ઞાન – ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ,કામ અને મોક્ષનું સમ્યક જ્ઞાન હોવું, 9.સત્ય – સત્ય કહેવાનું સામર્થ્ય જેમાં વ્યક્તિગત રીતે કોઈનું દિલ ન દુભાય,10. અક્રોધ – ક્ષમા કર્યા પછી પણ કોઈ અપમાન કરે તો ક્રોધ ન કરવો.
જેમ આ દસ પુણ્ય છે તેમ દસ પાપ પણ બતાવ્યા છે –
1. બીજાનું ધન હડપવાની ઇચ્છા – કોઈ પણ ભોગે જે ધન પોતાના હક્કનું નથી એના ઉપર મયાચારી આચરી પોતાનું કરવાની કોશિશ કરવી. આ પાપ આજે સીમા વટાવી ચૂક્યું છે.બીજાનું પડાવી પાડવામાં માણસ પોતાની જાતને હોશિયાર મને છે. પૈસા ઉધાર લઈને આપવાની દાનત ન હોવી, બ્લેક મેઈલ કરી પાસેથી અણહક્કનું પડાવી લેવું, હમણા જ નોટ બંધી વખતે બેંકના અધિકારીઓએ કેટલા ગોટાળા કર્યા એ ઘણાએ પોતાની આંખોથી જોયું છે. આવા વખતે કેટલાય લોકોએ કમિશનનો ધંધો ચાલુ કરી દીધો હતો. આ ભયંકર પાપ છે. આ પાપનું પરિણામ વ્યાજ સાથે ભોગવવું જ પડે છે. કુદરત બાઈમાનીનું ફળ આપે જ છે. સમજદાર માણસ હંમેશા પ્રામાણિકતાથી જીવવાની કોશિશ કરે. એક ડોક્ટર દર્દી સાથે લાલચમાં આવીને ખોટી દાવાપ લખી આપે કે રોગ ન હોય છતાં પૈસાના મોહમાં એના શરીર સાથે ખોટા ચાડા કરવા એ ધનની અપ્રમાણિક લાલસા જ છે. એક વ્યાપારી માલમાં ભેળસેળ કરે એ પણ ધનની લાલસા જ છે. એક સ્કૂલ અનાપ સનાપ ફી ઉઘરાવી વિદ્યાર્થી અને વાલી સાથે બેઈમાની કરે એ પણ પાપ છે. આજે બધા જ ક્ષેત્રમાં ધન પામવા માટે માણસ ગમે તેટલી નીચલી કક્ષાએ જવા તૈયાર થઇ જાય છે.
2. નિષિદ્ધ કર્મ કરવાં – જેમ કે વ્યભિચાર આચરવો, માંસાહાર કરવો,લૂંટફાટ કરવી, સમાજમાં અરાજકતા ફેલાવવી આ બધા નિષિદ્ધ કર્મો છે અને એ પાપ છે.જે કર્મો સમાજ અને વ્યક્તિની આત્મા માટે ઘાતક છે એ બધા જ કર્મો નિષિદ્ધ કર્મો છે.
3. શરીરને જ સર્વસ્વ માનવું – શરીરનો અતિ મોહ અનેક પાપો કરાવે છે. શરીરના મોહમાં સમાજ અને આત્માનું જે પરમ કર્તવ્ય છે તેને ભૂલી જવું. માત્ર ખાવા- પીવા અને મોજ મજા કરવી એ જ જીવનનું લક્ષ્ય મણિ લેવું એ અજ્ઞાન છે અને પાપ છે.
4. કઠોર વચન બોલવું – જેમ ફાવે તેમ બોલવું અને બોલીને લોકોને હર્ટ કરવા એ પણ પાપ છે. માણસે બોલવામાં વિવેક રાખવો જોઈએ. જે બોલીને બગાડે છે એનો કોઈ સાથ આપતું નથી. મિત અને મૃદુ ભાષી બનવું જરૂરી છે.
5.ખોટું બોલવું – પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા નાની નાની વાતમાં ખોટું બોલવું.ઘણી વાર કારણ વગર માત્ર આદતવશ ખોટું બોલવું એ પણ પાપ છે.
6. નિંદા કરવી – કોઈની ખોટી તો નહિ સાચી વાત પણ ઉઘાડી ન પાડવી જોઈએ. ઘણા લોકોની આ એક મોટી બીમારી હોય છે. બીજાની વાતો આડી અવળી કહ્યા વિના રહી શકતા નથી.
7. અકારણ બોલવું – કારણ વગર બોલવાની શી જરૂર હોઈ શકે? ઘણા અકારણ ઘણું બોલતા હોય છે. આવા લોકના શબ્દોની કોઈ કિંમત કરતુ નથી. એક શબ્દની કિંમત હજાર રૂપિયા છે એમ સમજીને જો બોલીશું તો ઘણા વ્યર્થના શબ્દો નીકળતા બંધ થઇ જશે.
8. ચોરી કરવી – ચોરી ન કરવી એ પુણ્ય છે, એટલે ચોરી કરવી એ પાપ જ કહેવાય !
9.તન – મન અને કર્મથી કોઈને પરેશાન કરવા – ઘણા લોકોને બીજાને તકલીફ આપવામાં એક સસ્તો આનંદ મળતો હોય છે. જે લોકોને પોતાના આનંદનો માર્ગ નથી મળ્યો એ પછી બીજાનો આનંદ લૂંટવામાં પોતે પોતાને સુખી માનતા હોય છે.
10. પર સ્ત્રી સાથે કે પર પુરુષ સાથે સંબંધો રાખવા – આ તો આજે સાવ કોમન થઇ ગયું છે. આ પાપ કોણ નહિ કરતુ હોય એ શોધનો વિષય છે.આડા સંબંધોનું તો પૂર આવ્યું છે.વાતાવરણ અને મીડિયાએ આપણા મનને રાક્ષસી બનાવામાં મોટો ભાગ ભજવ્યો છે.પોતાના સંબંધો પ્રત્યે વફાદાર ન રહેવું એ બહુ મોટું પાપ છે.
આ આખી ચર્ચાનો ઉપસંહાર કરીએ તો વેદવ્યાસે પુરાણોમાં સરસ વાત કરી છે. કહ્યું છે – અષ્ટા દસ પુરાણેષુ, વ્યાસસ્ય વચનં દ્વાયમ, પરોપકારાય પુન્યાય, પાપાય પરપીડનમ – પરોપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડા પહોંચાડવી એ પાપ છે. મહાવીર સ્વામી કહે છે જાગૃતિ પૂર્વક જે કરો તે પુણ્ય છે અને બેહોશીમાં જે કરો તે પાપ છે. તત્વાર્થ સૂત્રમાં લખ્યું છે – શુભસ્ય પુણ્યમ અને અશુભસ્ય પાપઃ – જે શુભ છે તે બધું પુણ્ય છે અને અશુભ છે તે બધું પાપ છે. ગીતા કહે છે – આસૂરી શક્તિઓ પાપ છે અને દૈવી સંપત્તિ એ પુણ્ય છે. પૂર્વ શુભ સંસ્કારો ઉપરાંત સત્સંગ દ્વારા, સારા મિત્રોની સોબત દ્વારા,પવિત્ર પુરુષોના સાનિધ્યમાં રહીને માણસ પુણ્યની પ્રેરણા મેળવી શકે છે અને પાપથી બચી શકે છે.
Importance of Jain Manglik (Part-1) Saman Shrutpragya: ચત્તારિ મંગલમ- ચાર મંગળ છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
જિનવાણી એક છે. એ બધા તત્વોનું નિરૂપણ કરવા વાળી અનાદિ વાણી છે. છતાં એનો એટલો બધો વિસ્તાર થઇ ગયો કે એમાં ઘણી બધી વાતો ભળી ગઈ. ગંગોત્રીનું નિર્મળ જળ એ જ્યાંથી પ્રવાહિત થાય છે ત્યાં એ બહુ જ સાફ અને નિર્મળ હોય છે.પરંતુ વિસ્તાર થતાની સાથે એમાં ઘણી વાતો મળી જાય છે, ભળી જાય છે. આ એક બહુ સ્પષ્ટ સત્ય છે કે સીમામાં રહેનાર જેટલો નિર્મળ રહી શકે છે, વિસ્તાર થયા પછી એમાં એ નિર્મળતા રહેતી નથી. માણસ વિસ્તાર ઈચ્છે છે પણ એ સચ્ચાઈને ભૂલવી ન જોઈએ કે વિસ્તારની સાથે જ વિકૃતિ પણ સાથે ભળી જાય છે. દરેક ધર્મ ગ્રંથોમાં આવું થયું છે અને જૈન ધર્મમા પણ આવું જ બન્યું છે. હવે વિવેક કરવાની જરૂર પડશે. જેથી સત્યને સ્વીકારીને અસત્યને અલગ કરી શકીએ. જે મૂળ છે તેને સ્વીકારીએ અને જે પછીથી જોડાયેલું છે તેનો અસ્વીકાર કરીએ.
જૈન ધર્મનો એક ઐતિહાસિક ગ્રંથ છે – સમણ સૂત્તમ. ભગવાન મહાવીરની પચીસોમી નિર્વાણ શતાબ્દીના અવસરે સમગ્ર જૈન સમાજ દ્વારા માન્ય થયેલો આ ગ્રંથ છે. આજે આ જૈન ધર્મનો સર્વ સંમત ગ્રંથ છે. સમણ સૂત્ર જિન વાણીનો એક સંકલિત ગ્રંથ છે. જૈન ધર્મના બધા જ શાસ્ત્રોનો આ સાર છે. આ ગ્રંથને જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગ્રંથ કહી શકીએ છીએ. આ ગ્રંથમાં ભેળસેળ નથી, ભગવાન મહાવીરની મૂળ વાણીનું સંકલન છે. આ ગ્રંથનું પહેલું પ્રકરણ છે – નમસ્કાર મંત્ર અને બીજું પ્રકરણ છે – મંગળ સૂત્ર. જૈનધર્મમાં માંગલિકનું સર્વાધિક મહત્વ છે. કોઈ પણ કાર્યના પ્રારંભમાં માંગલિક સાંભળવાની આપણે ત્યાં પરંપરા છે. વ્યાપારી નવો ધંધો ચાલુ કરે તો માંગલિક સાંભળે છે. વિદ્યાર્થી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે માંગલિક સાંભળે છે. કોઈ યુવાન જયારે લગ્ન કરે ત્યારે માંગલિક સાંભળે છે. કોઈ યાત્રી મુસાફરી કરે ત્યારે માંગલિક સાંભળીને યાત્રા શરુ કરે છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ મંગળની સાથે કરીએ. મોટા કાર્યક્રમ અને પ્રવચનનો આરંભ પણ મંગળગીતથી કે મંગળ પાઠથી કરીએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે અને નિષ્ફળતાથી બધાય ગભરાય છે. કોઈ પણ કાર્યમાં સફળતા ત્યારે મળે છે કે એમાં બાધા ઉભી ન થાય. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા મનુષ્ય એ જ વિચારે છે કે આ કાર્ય નિર્વિઘ્ન રીતે સફળ થાય. માંગલિક સાંભળવાનો આ એક હેતુ છે.
આજે અહીં આપણે માંગલિકના સ્વરૂપ અને મહિમાને સમજીએ. ઘણી બધી વસ્તુઓ મંગળ તરીકે પ્રસિદ્ધ છે. નારિયેળ, દીપક, જળ, દૂધ,ગોળ, દહીં, ઘી – આવી અનેક વસ્તુઓને મંગળ માનીએ છીએ. આ બધાને મંગળ કેમ માનીએ છીએ? એ જ પદાર્થને મંગળ માનીએ છીએ જે પદાર્થ આપણને પ્રભાવિત કરે છે. આપણી વિચારધારાને અને ભાવધારાને અસર કરે. આ બધાનું વૈજ્ઞાનિક કારણ શોધીએ તો કહી શકાય કે દરેક પદાર્થ રશ્મિમય હોય છે. દરેક પદાર્થમાંથી કિરણો નીકળે છે. કોઈ પદાર્થ એવો નથી જે કિરણો ન છોડતો હોય. સચેતનમાંથી પણ કિરણો નીકળે છે અને કોઈ પણ જડ પદાર્થોમાંથી પણ એ નીકળે છે. આ જ સિદ્ધાંતના આધારે ફોટોગ્રાફીની શોધ થઇ. કિરણો વસ્તુ કે વ્યક્તિના આકાર પ્રમાણે નીકળે છે અને ચારેય બાજુ ફેલાઈ જાય છે. એટલા માટે જ ટેલિવિઝનમાં હજારો માઈલ દૂરનું દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ. એક એ પણ શોધ થઇ છે કે માણસ તો ઉભો થઈને ચાલ્યો જાય પણ ત્યાર પછી પણ એક બે કલાક સુધી એની અસર ત્યાં દેખાય છે. આપણે સ્થૂળ વસ્તુઓના પ્રભાવને જાણીએ છીએ એટલે સ્થૂળ પદાર્થોને મંગળ માનીએ છીએ. પદાર્થ એટલે મંગળ છે કે એ કિરણો છોડે છે અને આપણને પ્રભાવિત કરે છે.
પદાર્થનું બીજું લક્ષણ છે – ચયાપચય. દરેક ક્ષણે ચય અને અપચય થાય છે. કંઈક નીકળે છે અને કંઈક જોડાય છે. સૂક્ષ્મ દુનિયામાં આ ક્રમ તેજ ગતિએ ચાલે છે. આપણા આ શરીરમાંથી દરેક ક્ષણે અનેક પરમાણુઓ નીકળી રહ્યા છે અને અનેક પરમાણુઓ આવી રહ્યા છે. ચામડી બહારની સ્થૂળ વસ્તુઓને ભીતર પ્રવેશવા ન દે પણ સૂક્ષ્મ પરમાણુ તો ચામડીને ભેદીને આવ-જાવ કરી શકે છે. ભીંત અને દિવાલ સ્થૂળ પદાર્થોને રોકી શકે પણ સૂક્ષ્મ અસંખ્ય પરમાણુઓ નિરંતર એમાંથી આવ-જાવ કરી રહ્યા છે. આ બે ગુણોના કારણે પદાર્થોને મંગળ માનીએ છીએ. દરેક પદાર્થ મંગળ નથી બની શકતા, કેમકે અનેક પદાર્થોમાંથી ખરાબ પરમાણુઓ પણ નીકળે છે. જેમાં શુભ પરમાણુઓ નીકળે છે એ પદાર્થ મંગળ છે. એ પણ વાસ્તવિક મંગળ નથી, માત્ર દ્રવ્ય મંગળ છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ મંગળની પરિભાષા અલગ છે. એ પરિભાષા એ છે કે જે વાસ્તવમાં અનિષ્ટને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને દરેક કાળમાં, દરેક દેશમાં અને દરેક જીવ માટે અનિષ્ઠ દૂર કરી શકે, એ જ સાચા અર્થમાં મંગળ છે.
મહાવીરને થયાને અઢી હજાર વર્ષ પહેલા એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ચીનમાં લાઓત્સુ દ્વારા એક કહેવત પ્રસિદ્ધ હતી કે ‘ જે શ્રેષ્ઠ ચિકિત્સક છે એ બીમારી પ્રગટ થાય એ પહેલા જ એને ઠીક કરી દે છે અને જે સામાન્ય ચિકિત્સક હોય છે એ છે જે રોગના મૂળને દૂર કર્યા વગર, બીમારી આવ્યા પછી એના પર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે.’ એ સમયે ચિકિત્સકને બીમારી ઠીક કરવા માટે કોઈ ફી આપવામાં નહોતી આવતી. રિવાજ ઠીક ઉલટો હતો, ચિકિત્સકને એ માટે પૈસા આપવામાં આવતા કે એ કોઈને બીમાર ન પડવા દે અને કદાચ કોઈ બીમાર પડી જતું તો ચિકિત્સકે પોતે રોગીને પૈસા આપવા પડતા હતા અને રોગીનો ઈલાજ પણ કરવો પડતો. આવી પદ્ધતિનું નામ હતું એક્યુપંક્ચર. આ પ્રકારની ચિકિત્સા પદ્ધતિને વૈજ્ઞાનિક સમર્થન મળવાનું શરુ થઇ ચૂક્યું છે.
આ પદ્ધતિ માને છે કે શરીરમાં માત્ર ખૂન અને વિદ્યુત જ નથી વહેતી, પ્રાણ પ્રવાહ પણ વહે છે. એ પ્રાણ પ્રવાહમાં છ મહિના પહેલા જાણી શકાય છે કે શરીરમાં કંઈક ગડબડ થવાની છે. આ પ્રાણ શરીરમાં પહેલા બીજ રૂપે વસ્તુ જન્મ લે છે પછી એ વિરાટ વૃક્ષ બની ભૌતિક શરીરમાં ફેલાઈ જાય છે. ચાહે શુભને જન્મ આપવો હોય કે અશુભને પહેલા પ્રાણ શરીરમાં બીજને રોપવું પડે છે. આ મંગલ પાઠ છે કે અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને ધર્મ મંગળ છે એ ભાવ પ્રાણ શરીરમાં બીજ રોપવાની વિધિ છે. કેમકે જે મંગળ છે તેની કામના કરવી સ્વાભાવિક છે. આપણે એ જ ઇચ્છીએ છીએ જે મંગળ છે, અમંગળ કોઈ શું કામ ઈચ્છે ? આમાં તો ઈચ્છાની પણ વાત નથી, માત્ર એક ભાવ છે કે અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને કેવલિ કે જેમને સ્વયંને જાણ્યા અને પામ્યા એમના દ્વારા પ્રસ્થાપિત ધર્મ મંગળ છે.
મનનો નિયમ છે કે જે પણ મંગળ છે એનો ભાવ ગહન થઇ જાય તો તેની આકાંક્ષા શરુ થઇ જાય છે. આકાંક્ષાને ઉભી નથી કરવી પડતી, માત્ર મંગળની ધારણા પેદા કરવી પડે છે. ધારણા જેવી ગહન થાય છે ત્યારે ચેતનાનું રૂપાંતરણ થાય છે. માત્ર પોતાની જ ચેતનાનું નહિ, આજુ બાજુની ચેતનાનું પણ પરિવર્તન થવા લાગે છે. આપણે પોતાની જ નહિ, આજુ બાજુની ધારણાઓથી પણ પ્રભાવિત થઈએ છીએ. એટલે મહાવીરે કહ્યું છે – અજ્ઞાનીથી દૂર રહેવું મંગળ છે અને જ્ઞાનીની નજીક રહેવું મંગળ છે. સત્સંગનો આ જ અર્થ છે જ્યાં શુભ છે તેની નજીક રહેવું. શુભની કામના કરવી શુભ થવા માટે જરૂરી છે. આજે જગતમાં ખરાબ વધુ થઇ રહ્યું છે કારણકે આપણે શુભની કામના જ નથી કરતા. મહાવીર પોતાના સાધુઓને કહેતા રહેતા કે શુભની કામનામાં ડૂબ્યા રહો અને તેની શરૂઆત એનાથી કરો કે જે શુભની ઊંચાઈ છે. અરિહંત,સિદ્ધ,સાધુ અને ધર્મ આ ચાર એ શુભનું ઊંચામાં ઊંચું શિખર છે. કેવલી પન્નતો ધમ્મો મંગલમ – જેમને શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે એમને જે કહ્યું તે મંગલ છે. એમ નથી કહ્યું કે મહાવીર મંગલમ, જૈન મંગલમ, હિન્દૂ મંગલમ – આ બધામાં સીમા છે. અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ આ અસીમ અને અનંત છે. આ મંગળની ધારણા પ્રાણોમાં ફીટ થઇ જાય તો અમંગળ થવાનું બંધ થઇ જાય છે. જે માંગીએ છીએ એ મળી જાય છે.
મંગળની કામના અને ભાવના તો દરેક જીવ માત્ર પ્રત્યે કરવી જોઈએ પણ આપણે એટલા કમજોર અને વિકૃત છીએ કે સામાન્ય માણસ પ્રત્યે તો મંગલ અને શુભની ભાવના કરવી અઘરી લાગે છે. એટલિસ્ટ જે ચૈતન્યના પરમ શિખર પર છે એવા શુદ્ધ પરમાત્મા પ્રત્યે તો મંગળની ભાવના ભાવી શકાય ને ! દુશ્મન મંગળ છે, શત્રુ મંગળ છે એ કહેવું તો આપણા માટે અઘરું છે. એટલે જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે પહેલા મંગળની કામના કરો. પ્રશ્ન થાય કે આવું મંગળ શું હોય શકે? આત્મા અને ધર્મ આવાં મંગળ છે. માંગલિકમાં આ બંનેનો સમાવેશ થાય છે. અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને ત્રિકાળ જ્ઞાનીઓએ બતાવેલો ધર્મ મંગળ છે. કેમ કે અરિહંત એ આત્મા છે, સિદ્ધ એ પણ આત્મા છે અને સાધુ એ પણ આત્મા છે અને ધર્મ જે આત્મા સુધી પહોંચાડે છે એ ધર્મ પણ મંગળ છે. આત્માના ત્રણ ગુણ છે – અનંત ચૈતન્ય ( જ્ઞાન અને દર્શન), અનંત આનંદ ( ચારિત્ર ) અને અનંત શક્તિ ( વીર્ય ). આનો વિસ્તાર કરીએ તો સિદ્ધ અને સાધુ બેય મંગળ છે. સિદ્ધ એ આત્મા છે જે સાધના કરતા કરતા સિદ્ધ થઇ ગયા અને સાધુ એ આત્મા છે જે સિદ્ધ થવા સાધના માર્ગમાં લીન છે. સાધુ પ્રારંભ છે, સિદ્ધ તેનું પરિણામ છે. આમાં અરિહંત એ સિદ્ધમાં આવી જાય છે અને આચાર્ય અને ઉપાધ્યાય એ સાધુમાં આવી જાય છે. ટૂંકમાં પાંચેય પરમેષ્ઠિ મઁગળ છે અને એ પાંચ પવિત્ર આત્મા સુધી પહોંચાડનાર ધર્મ છે એટલે ધર્મ પણ મંગળ છે.
ધૈર્યથી મુશ્કેલીને અવસરમાં ફેરવો – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
એક ઘટનાથી જીવનમાં પ્રતિકૂળ ઘટના પ્રત્યે કેવી રીતે ધૈર્ય રાખવું તે સમજીએ. એક છોકરી રડતી રડતી એમના પિતા પાસે ગઈ અને પિતાજીને કહ્યું – પાપા હું થાકી ગઈ છું. “જીવન એટલું અઘરું છે કે હું એક મુશ્કેલીનો સામનો કરું છું ત્યાં બીજી મુશ્કેલી આવીને ઉભી રહી જાય છે.હું આવી રીતે નહિ જીવી શકું!” પિતાજીને એની પૂરી વાત સાંભળી અને પછી તેનો હાથ પકડીને બેટીને રસોડામાં લઇ ગયા. પિતાજીને ત્રણ તપેલીમાં પાણી મૂક્યું અને પાણીને ગેસ પર ઉકળવા મૂક્યું. તમે શું કરો છો? દીકરીએ પૂછ્યું પણ પાપાએ જવાબ ન આપ્યો. પછી પાપા આલુ, ઈંડા અને કૉફી લઇ આવ્યા. બેટીએ ફરી ગુસ્સામાં પૂછ્યું પાપા આપ શું કરો છો? પાપાએ કોઈ જવાબ ના આપ્યો. એમને પહેલી તપેલીમાં આલુ નાખ્યા, બીજી તપેલીમાં ઈંડા નાખ્યા અને ત્રીજી તપેલીમાં કોફી નાખી. પિતાશ્રીએ થોડીવાર પછી ઈંડા અને આલુને ગેસ પરથી ઉતાર્યા, પ્લેટમાં મૂક્યા અને કૉફીને કપમાં નાખી.
પિતાજીએ બેટીને પૂછ્યું બેટા ! તને શું દેખાય છે? બેટી બોલી – આલુ, ઈંડા અને કૉફી. પાપાએ કહ્યું કે “આલુ, ઈંડા અને કૉફીને એક જેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્રણેયને ઉકળતા પાણીમાં નાખ્યાં, આલુ પહેલા કઠોર અને મજબૂત હતાં, પણ પાણીએ તેને નરમ અને નિર્મળ બનાવી દીધાં. ઈંડા નાજૂક હતા પણ પાણીએ તેને કડ઼ક અને સખ્ત બનાવી દીધાં. પરંતુ કોફી નહિ બદલી પાણીથી, ઉલ્ટાનું કૉફીએ પાણીને બદલીને કંઈક અલગ જ બનાવી દીધું. પિતાએ બેટીને ફરીથી પૂછ્યું કે તું આમાંથી કોણ છે? આલુ, ઈંડા કે કૉફી ? જયારે જીવનમાં મુશ્કેલીઓ આવશે ત્યારે તું શું કરીશ? કમજોર બનીશ કે કઠોર કે ધૈર્યથી મુશ્કેલીઓને અવસરમાં બદલવાની કોશિશ કરીશ?
ગયો સમય પાછો આવતો નથી – જાગી જાઓ : સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
એક વ્યક્તિ ઓફિસથી મોડી રાતે કામ કરીને થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો. દરવાજો ખોલતા જ જોયું કે એનો પાંચ વર્ષનો બાળક સૂવાના બદલે તેની રાહ જોઈ રહ્યો છે. જેવા પાપા અંદર ઘુસ્યા કે તરત જ બેટાએ કહ્યું, પાપા શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? હા હા, પૂછો, શું પૂછવું છે? પિતાએ કહ્યું. બેટાએ પૂછ્યું – પાપા, આપ એક કલાકમાં કેટલું કમાઈ લો છો? એની સાથે તારે શું લેવા-દેવા? તું આવા બેકારના પ્રશ્નો કેમ કરે છે? ડેડીએ ગુસ્સામાં જવાબ આપ્યો. બેટાએ કહ્યું, બસ હું આમ જ જાણવા માંગુ છું, કૃપિયા આપ બતાવો ને કે એક કલાકમાં કેટલા કમાવો છો? પિતાએ ગુસ્સામાં તેની તરફ જોઈને કહ્યું – પાંચ હજાર. અચ્છા, બેટેને માસૂમિયતથી સર ઝુકાવીને કહ્યું – પાપા, શું તમે મને ત્રણ હજાર ઉધાર આપી શકો છો? આટલું સાંભળતા જ એ પાપાના ચહેરા પર આગ ઝરવા લાગી. તો તું એટલા માટે આ બેકારના પ્રશ્નો પૂછતો હતો? જેનાથી તું મારી પાસેથી પૈસા લઈને તું નકામા રમકડાં અને બેકારની વસ્તુઓ ખરીદી શકો? ચૂપચાપ પોતાના કમરામાં જાઓ અને સુઈ જાઓ અને સોચો કે તું કેટલો સેલ્ફીશ છે? હું દિવસ રાત મહેનત કરીને પૈસા કમાઉ છું અને તારે તેને બેકારની ચીજોમાં વેડફી નાખવા છે? આટલું સાંભળતા જ બેટાની આંખમાં આંસુ આવી ગયા અને એ ચૂપચાપ પોતાના કમરામાં ચાલ્યો ગયો. બાપ હજુ પણ ગુસ્સામાં હતો અને વિચારી રહ્યો હતો કે આખિર તેના બેટાની આવું કરવાની હિંમત કેમ થઇ?
એકાધ કલાક પછી ગુસ્સાનો પારો શાંત થયો અને વિચારવા લાગ્યો કે બની શકે કે કોઈ જરૂરી કામ માટે બેટાએ પૈસા માંગ્યા હશે, કેમકે આજ પહેલા ક્યારેય એને આવી રીતે પૈસા નથી માંગ્યા. પછી એ ઉઠીને બેટાના કમરામાં ગયો અને પૂછ્યું કે શું તું ઊંઘી રહ્યો છે? ના, બેટાએ જવાબ આપ્યો. બેટા હું વિચારી રહ્યો હતો કે મેં તને બેકારમાં ઠપકો આપ્યો, દરઅસલ, દિવસભરના ઑફિસના કામથી હું થાકી ગયો હતો, બેટા હું ક્ષમા માંગુ છું, મારા ગુસ્સા માટે તું મને માફ કરી દે. આ લો ત્રણ હજાર રૂપિયા. આટલું કહેતા તેને દીકરાના હાથમાં ત્રણ હજાર રૂપિયા થમાવી દીધા. થેંક્યુ પાપા, દિકરો ખુશીથી પૈસા લઈને બોલ્યો. ફરી એ તેજીથી પોતાની આલમારી તરફ ગયો અને ત્યાંથી એને ઢગલાબંધ સિક્કા નીકાળ્યા અને ધીરે ધીરે તે તેને ગણવા લાગ્યો. બાપે ગુસ્સામાં કહ્યું કે તારી પાસે પહેલેથી જ આટલા બધા પૈસા હતા તો પછી મારી પાસેથી વધુ પૈસા કેમ માંગ્યા? કેમકે મારી પાસે પૈસા ઓછા હતા પાપા અને હવે મારે જેટલા જોઈએ છે એટલા પૈસા છે. પાપા, આપ રોજ પાંચ હજાર રૂપિયા કમાઓ છો ને, એટલા પૈસા હવે હું તમને આપું છું અને એક વિનંતી કરું છું પાપા, પ્લીઝ આ પૈસા લઇ લો અને કાલે ઘરે જલ્દી આવી જજો, કેમકે મારે તમારી સાથે બેસીને ભોજન કરવું છે. બાપાની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. મિત્રો! આ તેજ રફ્તારની જિંદગીમાં આપણે આપણી જાતને એટલા વ્યસ્ત બનાવી દઈએ છીએ કે પછી એ લોકો માટે પણ સમય નથી કાઢી શકતા જે લોકો આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો હોય છે. આપણે આપણા પરિવાર, મિત્રો અને સ્વજનો માટે સમય કાઢીએ અન્યથા એક દિવસ એહસાસ થશે કે નાની માટી વસ્તુઓ મેળવવામાં, આપણે જે બહુમૂલ્ય હતું તે બધું ખોઈ નાખ્યું છે. પરંતુ ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હશે. આ વાસ્તવિકતાને સમય રહેતા સમજી લઈએ તો જ લાભ છે.
સમય એ અમૂલ્ય હીરો છે અને ધૈર્ય એ અમૂલ્ય મોતી – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
એક સાધુ હતા, એ દરેક શેરીઓમાં રોડો નાખી નાખીને ફરતા હતા અને એક વાત કહેતા હતા – “જે જોઈએ તે લઇ લો, જે જોઈએ તે લઇ લો.” લોકો એમની વાતો પર જરા પણ ધ્યાન નહોતા આપતા, પણ છતાં આ એક જ વાતની રટણ લગાવી રહ્યા હતા કે ‘ જે જોઈએ તે લઇ લો.’ એક દિવસ એક યુવાન તેમની પાસે પહોંચ્યો અને પૂછ્યું, ‘બાબા તમે જે બોલો છો કે જે જોઈએ તે લઇ લો, તો શું તમે મને એ આપી શકો જે મારે જોઈએ છે?’ સાધુ બોલ્યા, ‘બિલકુલ બેટા, અગર તું મારી માત માનીશ તો હું તને બધું જ આપી શકીશ જે તારે જોઈએ છે.’ યુવકે કહ્યું, ‘મહારાજ, મારે હીરાના બહુ મોટા વ્યાપારી થવું છે.’ સાધુએ કહ્યું, ‘હું તને એક હીરો અને એક મોતી આપું છું,એનાથી તું જેટલું ઈચ્છીશ એટલા હીરા અને મોતી બનાવી શકીશ.’ આટલું બોલતા જ એ સાધુએ પોતાનો હાથ એ યુવકના હાથમાં થમાવતાં કહ્યું, ‘પુત્ર ! હું તને દુનિયાનો સૌથી કિંમતી હીરો આપું છું, લોકો તેને “સમય” કહે છે. તેને તું જોરથી તારી મુઠ્ઠીમાં પકડી લે અને તેને ક્યારેય ખોતો નહિ. તું આનાથી જેટલા હીરા બનાવવા માંગીશ એટલા બનાવી શકીશ.’ સાધુની આ વાત સાંભળી યુવક વિચારમાં પડી ગયો.
થોડીવારમાં સાધુએ પોતાનો બીજો હાથ યુવકના હાથમાં લેતા કહ્યું, અને આ લો દુનિયાનું સૌથી કિંમતી મોતી, લોકો તેને “ધૈર્ય”નાં નામથી ઓળખે છે. જયારે પણ સમય આપવા છતાં અને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળે તો આને ધારણ કરી લેજે. યુવક સાધુની વાતોને ખૂબ ગંભીરતાથી સમજી રહ્યો હતો અને પછી નક્કી કરી લીધું કે આજ પછી એ હવે ક્યારેય સમયને બરબાદ નહિ કરે અને હંમેશા ધૈર્યથી કામ લેશે આટલું નક્કી કરીને એ એક હીરાના વ્યાપારી સાથે કામ કરવા લાગી જાય છે.. પોતાની મહેનત, લગન અને ધૈર્યથી એ પણ એક દિવસ બહુ મોટો હીરાનો વ્યાપારી બની જાય છે. દોસ્તો, સમય અને ધૈર્ય એ એક એવા કિંમતી હીરા અને મોટી છે જેના થકી માણસ મોટામાં મોટા લક્ષ્ય સિદ્ધ કરી શકે છે.માટે જરૂરી છે કે આપણે આપણો કિંમતી સમય વ્યર્થમાં ન વેડફીએ અને પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે ધૈર્ય ધારણ કરીએ.
મિથ્યા દર્શન શલ્ય એ અઢાર પાપોની જનની છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
અમૃતમાં ઝેરના દર્શન કરનારો અમૃતપાનથી વંચિત રહી જાય અને ઝેરમાં અમૃતના દર્શન કરનાર ઝેરપાન કરીને અકાળે પરલોકમાં રવાના થઇ જાય છે. હીરામાં કાચના ટુકડાના દર્શન કરનારો હીરાની
પ્રાપ્તિથી વંચિત રહી જાય છે અને કાચમાં હીરાના દર્શન કરનારો કરોડોના નુકસાનનો ભોગ બની જાય છે. પરંતુ તત્વને અતત્વ અને આત્માને અનાત્મા માનનારો સર્વ કર્મોથી મુક્ત થવાના સૌભાગ્યથી વંચિત રહી જાય છે અને અનાત્માને આત્મા માનનારો અનંત સંસારની યાત્રાએ નીકળી જાય છે. મિથ્યાત્વ આખરે છે શું – તત્વ અને અતત્વ વચ્ચેનો અવિવેક, સાચા ખોટાની પરખનો અભાવ.
મિથ્યા દર્શન શલ્ય ને અઢાર પાપોની જનની કહેવાય છે. ઉપરના સત્તર પાપો હોય અને અઢારમું ન હોય એ બની શકે છે. તેનું ઉદાહરણ છે – સમકિતી. પરંતુ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવાની જ એ ન્યાયે અઢારમું મિથ્યા દર્શન પાપ હોય તો સત્તરે સત્તર પાપ જરૂર હશે. બુદ્ધિરૂપ ત્રાજવામાં તોલવામાં આવે તો એક બાજુ સત્તર પાપ મૂકો અને બીજી બાજુ માત્ર અઢારમું મિથ્યા દર્શન શલ્યનું પાપ મુકો તો મિથ્યા દર્શન શલ્યનું પલ્લું નમી જશે. પદાર્થના સ્વરૂપનો જે મિથ્યા ભાવ છે એ જ મિથ્યાત્વ શલ્ય છે.એટલે કે વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ છે તેને ઊંધું અને ઉલટું માનવું તે મિથ્યા દર્શન શલ્ય છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ વાસ્તવમાં જ્ઞાનની જ પ્રક્રિયા છે.આત્માની જ આ બે જ્ઞાન અવસ્થા છે – મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન. મિથ્યાજ્ઞાનીમાં જે જ્ઞાન પડેલું છે એ વાસ્તવમાં જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે. અહીં વિપરીત જ્ઞાનને જ અજ્ઞાન કહેવાય છે. તેથી મિથ્યા જ્ઞાનીની પ્રવૃત્તિ હંમેશા અજ્ઞાનથી ભરેલી હશે. એટલે મિથ્યા જ્ઞાની એ અજ્ઞાની જ છે અને જેને યથાર્થ જ્ઞાન છે એ સમકિત છે. જેનું જ્ઞાન સાચું એની વૃત્તિ – પ્રવૃત્તિ સાચી, જેનું જ્ઞાન ખોટું એની વૃત્તિ અને પ્રવૃત્તિ પણ ખોટા હોય છે.
જેમ એક વ્યક્તિ દારૂના નશામાં ગમે તેમ વિપરીત બોલે છે. એનો બધો વિવેક નષ્ઠ થઇ ગયો હોય છે.એ પોતાની માને પત્ની, પત્નીને ભાભી, બહેનને મા એમ વિપરિત બોલતો હોય છે, ઠીક એવી રીતે મિથ્યાત્વી પણ મોહ મદિરાના નશામાં જે મારુ નથી તેને મારુ માની બેસે છે, જે ખોટું છે તેને સાચું અને સાચાને ખોટું માની બેસે છે.મિથ્યાત્વીની પ્રવૃત્તિ પણ પાપમયી જ હોવાની છે. ટૂંકમાં મિથ્યાત્વ એટલે જે જેવું છે તેને તેવું ન માનતા, તેને વિપરિત માનવું અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે છે.
અહીં મિથ્યાત્વીની દસ સંજ્ઞા આ પ્રમાણે છે –
1.ધર્મને અધર્મ માનવો – જે જ્ઞાન દર્શન અને ચરિત્રની ક્રિયા અને ભાવમાં ધર્મ છે તેને અધર્મ માનવો તે પહેલું મિથ્યાત્વ છે.
2.અધર્મને ધર્મ માનવો – જે હિંસા,ચોરી,મૈથુન આદિ પાપ પ્રવૃત્તિમાં ધર્મ માને તે બીજા પ્રકારનું મિથ્યાત્વ છે. પ્રવૃત્તિ ભલે શુભ દેખાતી હોય પણ એના સેવનથી રાગ દ્વેષ પોષાતા હોય તો એ પણ અધર્મ જ છે અને તેને ધર્મ માનવો એ પણ મિથ્યાત્વ છે. આગને ઠારવા તમે તેમાં પાણીના બદલે પેટ્રોલ નાખો તો શું થાય? રાગ દ્વેષને ઘટાડવા તમે ધર્મને બદલે અધર્મ સેવો તો શું થાય?
3.સન્માર્ગને ઉન્માર્ગ માનવો – મોક્ષરૂપ ત્યાગ અને સંયમ જે માર્ગ છે તેને ઉન્માર્ગ કે ખોટો માર્ગ માનવો તે ત્રીજા નંબરનું મિથ્યાત્વ છે.આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે, આ જ જિનશાસનનો માર્ગ છે. છતાં પોતાની બુદ્ધિની વિકૃતિને આધીન બનીને સન્માર્ગમાં ઉનમાર્ગની બુદ્ધિ લાવવી એ જ મિથ્યાત્વ છે. શાસ્ત્રના શબ્દો મૌન હોય છે. એને બોલતા આપણે કરવાના હોય છે. અર્થાત તેનું અર્થઘટન આપણે કરવાનું હોય છે. જો માન્યતા અને મન સ્વચ્છંદી હશે તો શાસ્ત્ર પંક્તિનું ઉલટું અર્થઘટન કરીને આત્માને ઉન્માર્ગે ચઢાવી દેશે.
4.ઉન્માર્ગને સન્માર્ગ માનવો – પાપને કે સ્વર્ગ પ્રાપ્તિને સન્માર્ગ સમજવો તે આ ચોથા નંબરનું મિથ્યાત્વ છે. એક દારૂડિયાને પૂછ્યું કે તમે દારૂ પીઓ છો? તો કે હા, શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂ પીઓ. તમે જે શાસ્ત્રની વાત કરો છો એમાં તો એમ લખ્યું છે કે દારૂ પીઓ અને નરકે જાઓ. પેલા દારૂડિયાએ કહ્યું જુઓ, હું તો શાસ્ત્ર વાંચનમાં દારૂ પીઓ ત્યાં સુધી જ પહોંચ્યો છું. આગળનું વાંચન કરીશ ત્યારે નક્કી કરીશ કે સાચું શુ છે? અધર્મનો પક્ષપાત, ગલતનો પક્ષપાત એ ઉન્માર્ગને સન્માર્ગ માનવા બરાબર છે. બજારમાં ટકી રહેવું હોય તો ખોટું બોલવું પડે, બધાને વશમાં રાખવા હોય તો ક્રોધ કરવો જ જોઈએ.
5.અસાધુને સાધુ માનવા – જે સંયમી નથી, પાંચ મહાવ્રતી નથી, કંચન અને કામિનીના ત્યાગી નથી તેવા ભોગીને સાધુ માનવા એ પાંચમું મિથ્યાત્વ છે.
6.સાધુને અસાધુ માનવા – જે સાચા અર્થમાં આત્મલીન છે, સ્વ સાધનામાં મસ્ત છે એવા સાધુને અસાધુ માનવા તે છઠ્ઠું મિથ્યાત્વ છે.
7.જીવને જીવ ન માનવા – ચૈતન્ય સંપન્ન જ્ઞાન દર્શન લક્ષણવાળા જીવને જીવ ન માનવા અને જીવનુ અસ્તિત્વ જ ન માનવું તે સાતમું મિથ્યાત્વ છે.ત્રસ કાયને તો હજુ જીવ માનવું અઘરું નથી પણ પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ અને વનસ્પતિમાં જીવ છે એ સ્વીકારવું અઘરું છે. આની પાછળ આપણો તર્ક એટલો જ છે કે જે આંખેથી ન દેખાય તેને કેમ સ્વીકારવું. ઘણું બધું એવું આપણે સ્વીકારીએ છીએ જે આંખેથી નથી દેખાતું, જેમ કે હવા, વિદ્યુત વગેરે.
8.અજીવને જીવ માનવા – પંચ ભૂતોથી ઉત્પન્ન થયેલ પદાર્થોને જીવ માનવા તે આઠમા નંબરનું મિથ્યાત્વ છે. જેમ કે શરીર એ અજીવ છે છતાં મન તેમાં જીવ બુદ્ધિ કરીને બેઠું છે. મિથ્યાત્વી જીવ અજીવ એવા આ શરીરમાં જીવ બુદ્ધિ રાખીને જીવનભર શરીરની જ આળપંપાળ અને સારસંભાળ કરતુ રહીને આત્માને પૂરી તરહ વિસરી જાય છે.
9.મૂર્ત્તને અમૂર્ત માનવા – જે રૂપી પદાર્થ છે તેને અરૂપી માનવા તે નવમા નંબરનું મિથ્યાત્વ છે. કર્મ પણ રૂપી છે છતાં એને અરૂપી માનવું એ અજ્ઞાન છે. અને
10. અમૂર્તને મૂર્ત્ત માનવું – જે અરૂપી સત્તા છે તેને રૂપી સત્તા માનવી તે દસમું મિથ્યાત્વ છે. આત્મા અરૂપી સત્તા છે છતાં તેને શરીર સાથે જોડી રૂપી માનવું એ પણ મિથ્યાત્વ છે.
આવા મિથ્યાત્વના પાછા પાંચ પ્રકાર છે –
1. અભિગ્રહિક મિથ્યાત્વ – પોતપોતાનો મત ખોટો હોય તો પણ એ અમારો છે, અમારા બાપ દાદાનો છે એવો દુરાગ્રહ રાખવો
2. અનાભિગ્રહિક મિથ્યાત્વ – સાચા ખોટા બંનેમાં સમાન બુદ્ધિ રાખવી તે અને ખોટાને પણ ખોટું ન માનવું તે મિથ્યાત્વ છે. આમાં યથાર્થ સમજણનો અભાવ હોય છે. આવી વ્યક્તિની માન્યતા હોય છે કે બધા ભગવાન અને બધા ધર્મો સરખા જ છે.
3.આભિનિવેશિક મિથ્યાત્વ – આવી વ્યક્તિ સિદ્ધાન્તતઃ વસ્તુના સાચા સ્વરૂપને જાણે છે છતાં સાંપ્રદાયિક વ્યામોહના કારણે પોતાના મત અને ગચ્છને છોડી શક્તિ નથી.
4. સાંશયિક મિથ્યાત્વ – ધર્મની આરાધના બધી જ કરે છતાં મનમાં શંકા રહે કે આ બધું સાચું હશે કે નહિ. હું જે કરું છું તેનું ફળ મળશે કે નહિ? આવી શંકા રાખવી તે સાંશયિક મિથ્યાત્વ છે.
5. અનાભોગિક મિથ્યાત્વ – અજ્ઞાનની પ્રધાનતાના કારણે એકેન્દ્રિયથી અસંગી પંચેદ્રીયના જીવોને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વ શલ્ય એટલે છે કે જ્યાં સુધી આ કાંટો નીકળે નહિ ત્યાં સુધી જીવને ક્યાંય ચૈન નથી પડતું.
આ સંદભૅ છેલ્લી વાત – બુદ્ધિની મંદતા, બુદ્ધિની અલ્પતા,અને બુદ્ધિની મલિનતાના જયારે આપણે શિકાર બન્યા જ છીએ ત્યારે તત્વનો નિર્ણય કરવામાં આપણી બુદ્ધિને જ પ્રાધાન્ય આપવાના બદલે ‘પ્રભુ, આપે જે કહ્યું તે જ સાચું છે.’ એમ સ્વીકારી ચિત્તને પ્રભુ આજ્ઞામાં ગોઠવી દઈએ તો એમાં જ આપણા આત્માનું હિત સમાયેલું છે. જૈન ધર્મમાં દર્શાવેલ અઢાર પાપોની ચર્ચા અહીં પૂરી થાય છે. આમાંથી જેટલા પાપો છોડી શકાય એટલા છોડી જીવનને પવિત્ર બનાવી પ્રસન્નતા અને પ્રશાંતતાના સુખનો અનુભવ કરીએ.
Share this :
કોઈને બદનામ કરવાનું પાપ તમને બરબાદ કરીને જ રહેશે : સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
છેલ્લા કેટલાક સમયથી આપણે જૈન દર્શનમાં અઢાર પાપોની ચર્ચા કરી રહ્યા છીએ. આજે એ જ ક્રમમાં આપણે તેરમાં પાપસ્થાનક ની ચર્ચા કરીશું. તેરમું પાપ છે – અભ્યાખ્યાન પાપ. ઘણા લોકોને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે અને તે એ કે મેં આ જીવનમાં કોઈને દુઃખ નથી આપ્યું તો મારા જીવનમાં આટલું દુઃખ અને આટલા કષ્ટો કેમ? ભારતીય ધર્મ સંસ્કૃતિ પૂર્વ જન્મ અને પુનર્જન્મમાં માને છે. પૂર્વ જન્મમાં કરેલા કર્મોના સારા નરસા ફળ ભોગવવા જ પડે છે. વર્તમાન સમયની દરેક મુશ્કેલી અને કઠિનાઈનું કારણ ક્યાંકને કયાંક પૂર્વે કરેલા કર્મોમાં જોવા મળશે. એ સંદર્ભે અભ્યાખ્યાન પાપને સમજીએ તો અભ્યાખ્યાન એટલે જેનામાં જે દોષો નથી એનામાં એ દોષોનો જૂઠો આરોપ લગાવવો, જે માણસ સાચો છે એને દુનિયા અને દુનિયાના લોકો સામે ખોટો ચીતરવો, પોતાની ઈર્ષ્યા અને અદેખાઈ વશ કોઈને ખોટી રીતે બદનામ કરવાની બાલિશ ચેષ્ટા કરવી. માટે એક બાબત ખાસ યાદ રાખી લેવી ઘટે કે બીજાને બદનામ કરવામાં એનું નુકશાન થાય છે કે નહિ એ ચોક્કસ નથી પણ બદનામ કરનારને અનંત જન્મો સુધી નરક અને નિગોદની યાતનાઓ ભોગવવી પડે છે.
જૈન દર્શન કહે છે કે કે બીજાને ખોટી રીતે બદનામ કરવાની ચેષ્ટા જે કરે છે એના જીવનમાં મુખ્ય ત્રણ કર્મોનો ભયંકર બંધ થાય છે અને જીવન યાત્રામાં એ કર્મોના કટુ ફળ ભોગવ્યા સિવાય છૂટકો નથી. પહેલું કર્મ બંધ છે – અશાતા વેદનીય કર્મનું. એટલે કે જે બીજાને બદનામ કરવાની ચેષ્ટા કરે છે એના જીવનમાં ભયંકર બીમારીઓ આંખ સામે આવીને ઉભી રહે છે. શરીરનું કેન્સર, પગમાં ફ્રેક્ચર, બ્રેઈન ટ્યુમર, આંખનો અંધાપો, કાનની બહેરાશ,પક્ષાઘાત, ચામડીના ભયંકર રોગો અને બીજા અનેક અસાધ્ય રોગો જે થાય છે એના મૂળમાં બીજા પર ખોટા આરોપો અને બદનામ કરવાની વૃત્તિ મુખ્ય છે. ઘણી વાર આરોગ્યનું બધું જ ધ્યાન અને કાળજી રાખવા છતાં કેમ ખતરનાક રોગો માણસને એટેક કરે છે એનું કારણ આ પાપમાં છુપાયેલું છે. આના મૂળમાં મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે તમે જેને બદનામ કર્યો છે એ પોતાની બદનામીના કારણે જે માનસિક અને ભાવાત્મક યાતના ભોગવે છે અને એટલે એના પરિણામ સ્વરૂપે આવું કરનાર ભયંકર વ્યાધિઓનો શિકાર બને છે.
કર્મબંધન જગતનો કાયદો એવો છે કે તમે સામેની કોઈ વ્યક્તિને જે ક્ષેત્રનું નુકશાન પહોંચાડો છો એ ક્ષેત્રમાં તમારું વિઘ્ન (અંતરાય ) કર્મ બંધાય છે. તમે કોઈની સંપત્તિ લૂંટો છો તો તમને લાભ થતો થતો અટકી જશે, કોઈના રૂપને જોઈને ઈર્ષ્યા થશે તો તમે તમારી કુરુપતાના બીજ વાવો છો. પરંતુ સામાના જીવનને ખતમ કે બરબાદ કરવાનું આયોજન કરો છો તો આખા શરીરની બીમારીનું કર્મ બાંધો છો અને એ કટુ ફળ ભોગવ્યે જ છૂટકો છે.
આ અભ્યાખ્યાન પાપનું બીજું ફળ છે – અપયશ નામ કર્મ. એટલે કે તમે કરોડોનું દાન કરો કે લોકોની સારા ભાવથી સેવા કરો, તમે મહિના સુધીનું તપ કરો કે દુષ્કર બ્રહ્મચર્ય વ્રત પાડો પણ છતાં તમારી ખ્યાતિ વધવાના બદલે તમારો અપયશ જ થાય. પરિવારમાં બધાનું ખૂબ ધ્યાન રાખો, મિત્રો માટે પ્રાણ આપવા તૈયાર થઇ જાઓ અને સમાજ માટે મારી ફિટો છતાં તમારી કોઈ જ કદર ન કરે તો સમજી લેવું આની પાછળ તમારી કોઈને બદનામ કરવાનું પાપ તમારા નામે ચડેલું છે.એક પુષ્પને કાંટા તરીકે સાબિત કરવું, એક પુણ્યાત્માને પાપી તરીકે ઘોષિત કરવો, એક જ્ઞાનીને અજ્ઞાની તરીકે સાબિત કરવો જેટલું મોટું પાપ છે એટલું જ મોટું આ અભ્યાખ્યાનનું પાપ છે. એક વ્યક્તિ તમારા લીધે જયારે બદનામ થાય છે ત્યારે એને થતાં અનેક લાભોથી એ હાથ ધોઈ બેસે છે અને એમાં તમે નિમિત્ત બનો છો એટલે આ કર્મનું પરિણામ તમારે રોતા રોતા ભોગવવું પડશે એમ સમજી વહેલી ટકે ચેતી જજો અને કોઈને બદનામ કરવું પાપ મહેરબાની કરીને ન કરશો. આ પાપનું કોઈ પ્રાયઃચિત્ત પણ સંભવ નથી.
આ પાપનું ત્રીજું કટુ ફળ છે – અનાદેય નામ કર્મ. તમે જ્યાં જાઓ ત્યાં તમારી ઉપેક્ષા જ થાય. તમે કોઈને કાંઈ કહેવા જાઓ પણ સામેનાને ગમે જ નહિ, કોઈને મીઠી સલાહ આપો તો પણ એ તમારો શત્રુ થઇ બેસે,તમે જે કંઈ સારું પણ કરો તો પણ એ તમારો વિરોધ અને ઉપેક્ષા જ કરે, આ એક રીતે અપમાનિત થવા બરાબર જ છે ને! પણ આપણે જ જયારે કોઈની જિંદગીમાં પથરા નાખ્યા હોય તો પછી આપણા જીવનમાં ફૂલો ક્યાંથી દેખાય? તમારે વ્યક્તિ, પરિવાર, અને સમાજમાં ઉપેક્ષાના ભોગ ન બનવું હોય તો કોઈને ભૂલેચુકે પણ બદનામ કરવાનું પાપ નહિ જ કરતા.
આપણા મનની એક અદભૂત શક્તિ છે અને એ છે અનુમાન કરવાની શક્તિ. આ શક્તિનો ઉપયોગ સારી રીતે પણ થઇ શકે છે અને ખરાબ રીતે પણ થઇ શકે છે. કોઈ પાપીને એના પાપ સામે ન જોતા એમાં પણ કંઈક વિશેષતાના દર્શન કરીને એના પુણ્યમાં પ્રાણ ફૂંકવાનું શ્રેષ્ઠ કામ કરવું એ પણ અનુમાનનો એક ઉપયોગ છે અને એક સંતના સંતત્વને છુપાવી એને પાપી ચિતરવાની અને પાપનું અનુમાન કરી દુનિયાની સામે ખોટું ઉદાહરણ મુકવામાં પણ અનુમાનનો ખરાબ ઉપયોગ થઇ શકે છે. આપ આવું કરશો તો સંતને દુર્જન બનવાનું મન થશે અને સમાજમાં સંતત્વ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે અને એ પાપમાં તમે નિમિત્ત બનશો. આ આખીયે ચર્ચાનો સાર એટલો જ યાદ રાખી તેનું દૃઢતા પૂર્વક પાલન કરીએ કે ‘અહંકાર અને અનુમાનને આધીન બનીને જેઓ સંત અને સજ્જન છે એમના વિષે ખરાબ બોલવાનું પાપ હું કદીયે નહિ કરું’, સારાને સારો કહીયે અને જે ખરાબ છે એને પ્રેમથી સુધારવાની નમ્ર ચેષ્ટા કરીયે પરંતુ સારાને ખરાબ સાબિત કરવાનો પ્રચાર ભૂલે ચુકે ન કરીએ એવી શક્તિ અને એવો વિવેક જાગૃત કરીએ.
ડુક્કર જેમ વિષ્ટાપ્રિય હોય છે, તેમ ચાડિયો દોષપ્રચાર પ્રિય હોય છે. ! સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
એક વ્યક્તિ સાગર કિનારે જાય છે. સાગરને જોઈને કહે છે ‘ સાગર તું મહાન છે. તારી પાસે આવવું બધાને ગમે છે. તું લોકોને એક પારથી બીજે પાર પહોંચાડે છે પણ તારામાં આ ખારાશ ન હોત તો કેટલું સારું!’ આટલું કહેતા જ તેની નજર એક વૃક્ષ પર બેઠેલી કોયલ પર પડે છે અને કહે છે, ‘કોયલ તારો અવાજ કેટલો મધુર છે,તું ટહૂકે છે ત્યારે લોકોના દિલ જીતી લે છે પણ તારો આ રંગ કાળો ન હોત તો કેટલું સારું!’ આટલું બોલે છે ત્યાં એની નજર ગુલાબના છોડ પર પડે છે અને કહે છે, ‘હે ગુલાબ તું કેટલું મહાન છે,થોડી ક્ષણો જ તું જીવે છે પણ તારી સુગંધથી તું લોકોને મોહી લે છે પરંતુ તારી ચારેય બાજુ આટલા કાંટા ન હોત તો કેટલું સારું!’ આટલું બોલવાનું માંડ પૂરું કરે છે ત્યાં એની નજર આકાશમાં ચમકતા ચાંદ ઉપર પડે છે અને બોલી ઉઠે છે, ‘હે ચાંદ તું કેટલો ગુણવાન છે,તારામાં સોળે કળાએ ખીલવાની ક્ષમતા છે, કવિઓ તારી કળાઓ પર આફરીન થઈને કવિતાઓ રચવા લાગે છે પણ તારામાં આ કલંક ન હોત તું કેટલું સારું!’ આટલું બોલીને એ શાંત પડે છે ત્યારે સાગર,કોયલ,ફૂલ અને ચાંદ એક સાથે બોલી ઉઠે છે, ‘ હે મનુષ્ય તું કેટલો મહાન છે,શાસ્ત્રો તારી મહિમાના ગીતો ગાય છે,દુનિયાનો તું સૌથી બુદ્ધિમાન આત્મા છો, પણ તારામાં આ દોષો જોવાની ટેવ ન હોત તો કેટલું સારું!’
બસ, માણસનો એક આજ પ્રોબ્લેમ છે કે એ બધી રીતે બરાબર છે પણ એનામાં આ દોષો જોવાની ટેવના કારણે અને એને પ્રચારિત કરવાના વ્યસનના કારણે એની પાસે બધું હોવા છતાં એ દુઃખી, પરેશાન અને અશાંત છે. ગટર આગળ જતી હવા એક જ કામ કરે છે, બધે જ દુર્ગંધ ફેલાવાનું. બગીચાના એક વૃક્ષની ડાળ પર સડી ગયેલ ફળને જોઈને કાગડો એક જ કામ કરે છે, બગીચાને બદનામ કરવાનું. મડદા પાસે પહોંચી ગયેલ ગીધ એક જ કામ કરે છે,મડદાને ચૂંથવાનું અને એની દુર્ગંધ બધેય ફેલાવાનું. બસ ઠીક એવી રીતે પૈશુન્ય પાપને સેવનાર જીવ એક જ કામ કરે છે,વ્યક્તિમાં રહેલા દોષોને અનેક લોકોના કાન સુધી પહોંચાડવાનું.
અર્થાંત આવા દોષ શોધકને સમુદ્રની ગંભીરતાની પ્રશંસા કરવી નથી પણ ખારાશની ચાડી ખાવી છે. ગુલાબની સુગંધની નોંધ લેવી નથી પણ એના કાંટાઓ જોઈ એના પેટમાં દુઃખે છે.ચંદ્રમાની શીતળતા એને પ્રેરણા આપતી નથી પણ એનો કાળો દાગ જોઈને એની ધડકન વધી જાય છે. કોયલનો મીઠો અવાજ એને આકર્ષતો નથી પણ એની કાળાશ ઉઠીને આંખે ચોંટે છે. અને આ બધું ખરાબ જોઈને અટકતો નથી પણ આ બધી વાતોને બધેય પ્રચારિત કરવામાં એને ભારે રસ પડે છે.
એવું કહી શકાય કે આ જગતમાં ચાર પ્રકારના જીવો હોય છે –
1.ગુણ દર્શક અને ગુણ પ્રચારક
- દોષ દર્શક અને દોષ પ્રસારક
3.ગુણ દર્શક પણ દોષ પ્રચારક
4.દોષ દર્શક પણ ગુણ પ્રચારક
જે ચાડિયો છે એનો નંબર બીજા અને ત્રીજામાં આવે છે. આ પૈશુન્ય એ ચૌદમા નંબરનું પાપ છે. પૈશૂન્ય એટલે બીજામાં ખરાબ જોઈને એની ચાડીઓ ખાતા ફરવું. ઘણા લોકોનું આજ એક કામ હોય છે. એની માત્ર આંખો ખરાબ છે એટલું જ નહિ, એનું હૃદય ઈર્ષ્યાની આગથી સળગતું હોય છે અને એનું મન આવા જીવોની ઉન્નતિ જોઈ શકતું નથી.ડુક્કર જેમ વિષ્ટા પ્રિય હોય છે,શિયાળ જેમ કપટ પ્રિય હોય છે,ભેંસ જેમ કીચડ પ્રિયા હોય છે,કાગડો જેમ ગંદવાડપ્રિય હોય છે તેમ ચાડિયો દોષ પ્રચાર પ્રિય હોય છે.બસ એની નજરમાં નબળું ચડવું જોઈએ અને એના પ્રચારમાં પછી એ તલપાપડ બન્યા વિના રહેશે નહિ. પરંતુ સાવધાન ! અન્યના સુખની તમે ગમે એટલા ઉત્સાહથી જાહેરાત કરો પણ એ સુખ તમારું બનતું નથી પણ અન્યના સદ્ગુણોની તમે જો ઉલ્લાસથી જાહેરાત કરશો તો એ તમારા બની ગયા વિના રહેશે નહિ અને એ પણ હકીકત છે કે અન્યના દોષો જેટલા પ્રચારિત કરશો એટલા તમે પણ ગંદા થયા વિના રહેશો નહિ.
જે હાથમાં વિષ્ટા હોય છે એ હાથમાં રમકડાં રહી શકતા નથી, જે ઘરની બહાર ભટકતો હોય છે એ ઘરમાં મળી શકતો નથી,જે થિયેટરોમાં હોય છે એ પ્રભુ મંદિરમાં મળશે નહિ, ઠીક એવી રીતે જેની આંખો બીજાના દોષો જોવામાં અને જેનું ઈર્ષ્યાળુ હૃદય એનો પ્રચાર કરવામાં વ્યસ્ત હોય છે તેને પોતાના ગુણોની માવજત કરવાનો સમય મળતો નથી. ચાડી ખાવા પાછળનું એક જ મનોવિજ્ઞાન છે અને તે એ કે, બીજાને હું જેટલો ખરાબ ચીતરી શકું એટલો હું વધુ સારો પુરવાર થઇ શકું અને બીજાની ખરાબી ચીતરીને હું મારી ખરાબીને સરળતાથી છુપાવી શકું. પરંતુ એ એક સત્યને ભૂલી જાય છે કે ભલે તે પોતાની જાતને ચાલાક,હોંશિયાર અને બુદ્ધિમાન માનતો હોય પણ એ સર્વત્ર અપ્રિય જ બન્યો રહેતો હોય છે અને અન્યોની અશાંતિનું કારણ પણ બનતો હોય છે.
જૈન આગમ ગ્રંથોમાં આવા ચાડિયા માટે એક વચન આવે છે – પિશુના: પુષ્ટિ ખાદકા: એટલે કે જેમ જંગલી જનાવરો પીઠ પાછળ હુમલો કરતા હોય છે તેમ આ ચાડિયાઓ પીઠ પાછળ જ બીજાની ટીકાઓ કરતા હોય છે અને આ પીઠ પાછળનું માંસ ખાવા બરાબર છે.
છેલ્લે એટલું જ કહીશ કે તમારા ઘરમાં કોઈ આવીને કચરો નાખી જાય તો તમને નથી ગમતું તો તમારા કાનમાં કોઈ બીજાઓની હલકી અને બેમતલબની વાતો કરતા હોય તો તમે કેમ ચલાવી લો છો? જેમ તમારી ખાનદાની બીજાના ઘરમાં કચરો નાખતા જો તમને રોકતી હોય તો સામાના કાનમાં બીજાઓની હલકી વાતો કેમ નાખવામાં રસ લ્યો છો? સંદેશ સ્પષ્ટ છે તમે ખુદ ચાડિયા બનો નહિ, તમારી આજુ બાજુ આવા ચાડિયાઓ ફરકવા દો નહિ, ઘણા અનિષ્ઠ થતા બચી જશે.
નિંદા કરવાના પાપ કરતા નિદ્રાની આળસ વધુ સારી – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
એક બહેન એની બહેનપણીના ઘરે જાય છે. અરીસા સામે જોઈને કહે છે, આ દર્પણમાં ધૂળ કેટલી બધી છે! પેલી બહેનપણી તેને જવાબ આપે છે કે તને ધૂળ જ દેખાય છે, આ જાપાનની દસ હજારની કિંમતી ફ્રેમ નથી દેખાતી! ઘણા લોકોનું આવું જ હોય છે કે એમની આંખ ખરાબ જોવા ટેવાઈ ગઈ હોય છે અને એના કારણે એમને સારું ક્યાંય કશું દેખાતું નથી હોતું. આવા નિંદક ખરાબ લોકોને તો એ ખરાબ રીતે ચિતરે છે પણ સારા લોકો પર પણ દાગ લગાવવાનું ચૂકતા નથી. આવા લોકો સ્મશાનની તો નિંદા કરશે જ પણ સાથોસાથ મંદિરની પણ નિંદા કરતા ફરતા હોય છે. કતલખાનાની જ નહિ, પાંજરાપોળની પણ નિંદા કરતા હોય છે. આ નિંદાનું કૃત્ય બૉમ્બ જેવું છે – એ સારું અને ખરાબ બધાને સાફ કરી નાખે છે. આવું પાપ કરનાર ખરાબ વ્યક્તિને તો બદનામ કરે જ છે, સારી વ્યક્તિને પણ કલંકિત કરવામાં કશું બાકી નથી રાખતી. દુર્જનને જ નહિ,સજ્જનને પણ, પાડોશીને જ નહિ, માં-બાપને પણ ઉતારી પાડે છે. આવી પાપી વ્યક્તિ પાપીનું તો પાપ ઉઘાડું કરે જ છે, પણ પરમાત્માની નિંદા કરવામાં પણ તેને હિચકિચાહટ થતી નથી.
માણસના મગજમાં સતત વિચારોનો પ્રવાહ ચાલતો હોય છે. એના મનમાં ક્યારેક ભૂતકાળના તો ક્યારેક ભવિષ્યકાળના વિચારો મંડરાતા હોય છે. એ વિચારો આગળ જતા ચિંતા અને દુર્ભાવનું રૂપ લેતા હોય છે. એ બધા વિચારો અને ચિંતાને ચાર ભાગોમાં વહેંચી શકાય –
1. ઉત્તમ ચિંતા – અહીં ચિંતા એટલે ચિંતન. ઉત્તમ ચિંતન એટલે આત્માનું અને આત્મ સ્વરૂપનું ચિંતન,સાધના અને શુદ્ધિનું ચિંતન, પવિત્રતા અને પ્રસન્નતાનું ચિંતન,સદ્દગતિ અને પરમ ગતિનું ચિંતન, સ્વ દોષ અને સ્વ વિકાસનું ચિંતન.
2. મધ્યમ ચિંતા – આ ચિંતામાં ખાવા પીવાની અને માન પાનની ચિંતા થાય,ભેગું કરવાની અને ભોગવવાની જ ચિંતા સતાવતી હોય. જ્યાં જાય ત્યાં પોતાની સગવળતાના વિચારો કર્યા કરે એ મધ્યમ ચિંતા છે.
3. અધમ ચિંતા – આ ચિંતાના મૂળમાં ‘પૈસા’ જ છે. કેવી રીતે કમાવું, ક્યાંથી બે પૈસા વધારે કેમ મળે? ગમે તે રીતે,અધિક પૈસા,જલ્દી પૈસા અને ગમે તે રસ્તેથી પૈસા કેમ મળે તે જ વિચારમાં અને આયોજનમાં સતત પોતાના મનની શક્તિઓ વેડફતા હોય છે. પૈસા માટે નીતિ છોડવામાં પણ અને પાપ આચરવામાં પણ એમને વાંધો નથી. પૈસા માટે કોઈનું ખૂન પણ કરવું પડે તો આવા લોકો માટે એમાં પણ વાંધો નથી.આવા લોકો કદાચ પૈસા ભેગા કરી શકે છે પણ તેને શાંતિથી ભોગવી નથી શકતા. ગીતાની ભાષામાં આ આસુરી સંપત્તિ છે.
4.અધમાધમ ચિંતા – જેના મૂળમાં પોતે નહિ, અન્ય છે.બીજા શું કરે છે, બીજાનું કેમ ચાલે છે, બીજા ક્યાં જાય છે, એવી વ્યર્થ ચિંતામાં જે પોતાની બહુમૂલ્ય શક્તિ વેડફી નાખે છે. એમાં પણ બીજાનું સારું જોઈને ઈર્ષ્યા જાગે,કોઈ ખરાબ કરે તો વૈર વૃત્તિ જાગે, કોઈ કહ્યું ન માને તો ક્રોધ જાગે અને ધીરે ધીરે બીજાનું ખરાબ કરવાનું અને વિચારવાની ટેવ પડી જાય આ અધમા અધમ ચિંતા છે.
બીજાનું ગમે તેમ બોલવું એને જૈન શાસ્ત્રમાં ‘પરપરિવાદ’ નામનું સોળમું પાપ કહ્યું છે.પરપરિવાદ એટલે બીજાના વિષે જૂઠી વાતો કરવી,બીજાની માત્ર પોતાની ઈર્ષ્યાના કારણે નિંદા કરવી.જૈન શાસ્ત્ર કહે છે કે આવી નિંદા કરનાર આગલા ભવમાં બહેરા અને મૂંગા જન્મે છે.નિંદા એક એવું રસપ્રદ પાપ છે કે એ કરતી વખતે એ કોઈ ખોટું કરે છે એવો અહેસાસ પણ નથી થતો,કે એ કોઈ ખોટું કરે છે એનું દર્દ પણ નથી અનુભવાતું. અને આમ કરીને એ કોઈ પાપ કરે છે એવું પણ નથી લાગતું. આ પાપનું કોઈ પ્રાયઃશ્ચિત્ત પણ થઇ શકતું નથી. બીજા પાપ તો એકાંતમાં કરવા પડે છે પણ આ પાપ જાહેરમાં ખુલ્લે આમ કરે છે. બીજા પાપ કરતા પકડાઈ જવાનો ભય રહે છે, નિંદાના પાપમાં તો પકડવાનો પણ ભય નથી રહેતો.
પાપ બે પ્રકારના હોય છે – એક – જે આપણી પાછળ પડ્યાં છે અને બે – જેની પાછળ આપણે પડ્યા છીએ. જે પાપ કર્યા વિના ચાલે નહિ એ પહેલા નંબરમાં આવે છે. જીવન નિર્વાહ કરવામાં અનેક નાના મોટા પાપો કરવા પડે છે – ખાવા માટે,ધંધા માટે, નાના મોટા પાપ કર્યા વિના ચાલે તેમ નથી એ પહેલી શ્રેણીમાં આવે છે અને બીજા નંબરના પાપ એવા છે કે જેની કોઈ જ જરૂર નથી.જે માત્ર મોજ શોખ માટે અને પોતાની ઉચ્છુખલ વૃત્તિઓના પોષણ માટે કરવામાં આવે છે. જૈન દર્શનમાં એકને અર્થ દંડ અને બીજાને અનર્થ દંડ કહેવામાં આવે છે.ચોક્કસ પ્રયોજનના કારણે આત્મા કર્મોથી દંડતો રહે તે અર્થ દંડ અને કારણ વિના કે પ્રયોજન વિના આત્માને પતનના માર્ગે ધકેલવો એ અનર્થ દંડ પાપ કહેવાય છે. સંસારી જીવન જીવવા માટે હિંસાનું પાપ કરવું પડે એ અર્થ હિંસા છે અને નિંદાનું પાપ તો ક્યાંય ક્યારેય કરવાની જરૂર નથી, છતાં જીવ કરે એ અનર્થ પાપ છે.
કેવી વિચિત્રતા છે કે જે સંસારમાં હિંસાના પાપથી સંપૂર્ણ રીતે બચવું સંભવ નથી એનાથી એ બચવાની કોશિશ કરે છે અને જે નિંદાથી ભયંકર કર્મો બંધાય છે એવા ન કરવાના પાપો હોંશે હોંશે કરે છે.ખૂની પણ પોતાના પુત્રના ખૂનથી દૂર રહે છે પણ અહીં તો નિંદા કરનાર પોતાના સગા બાપને પણ નથી છોડતો! સેવન કાળ વખતે અત્યંત પ્રિય લાગતી નિંદા જયારે ફળ આપે છે ત્યારે ડૂચા કાઢી નાખે છે. આવી નિંદાના પાપ કરતા નિદ્રાધીન રહેવું વધુ સારું છે. કેમકે નિદ્રાધીન વ્યક્તિ કમ સે કમ એટલો સમય કોઈની નિંદા તો નહિ કરે ને! આ નિંદાના પાપને છોડવા માટે કોઈને સાચા ભાવથી અનુમોદવાનું ચાલુ કરીએ, કોઈના સારા ગુનો જોઈને પ્રસન્ન થઇ તેની પ્રશંસા કરીને નવાજીએ અને પરપરિવાદના પાપથી બચવાનો સલક્ષ્ય સંકલ્પ કરીએ.
સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જ જન્મ લે છે : સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
દુર્યોધને કહેલું હું પાપને જાણું છું પણ છોડી શકતો નથી અને હું ધર્મને જાણું છું પણ તેને આચરી શકતો નથી. આ અવાજ માત્ર દુર્યોધનનો જ નથી, આપણા બધાનો પણ છે. આપણે જાણીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે, છતાં પણ મોહ અને મમતાના કારણે સત્યના માર્ગે ચાલી શકતા નથી અને અસત્યનો માર્ગ છોડી શકતા નથી અને તેને પરિણામે અનેક તકલીફોનો ભોગ બનવું પડે છે. આવુ જ એક પાપ છે – રતિ અને અરતિ. રતિ એટલે રુચિકર લાગવું,ગમવું,સારું લાગવું, લગાવ થવો, રાગભાવ જાગવો અને એમાં સુખનો આભાસ થવો. અરતિ એટલે અરુચિ, અણગમો, દ્વેષ,અપ્રિય લાગવું અને એમાં દુઃખ અનુભવવું. ગમો જ અણગમો બને છે, રાગ જ દ્વેષનું કારણ બને છે, જે ગમે છે એ જ થોડા સમયમાં વૈરાગ્ય જન્માવે છે, પણ આ વૈરાગ્ય સાચો નથી, માત્ર ક્રિયાની પ્રતિક્રિયા છે. જીવ ફરી પાછો નવી ગમતી વસ્તુઓ કે વ્યક્તિ પાછળ ગાંડો -ઘેલો બને છે. સુખ ભોગાવાની લાલસા રતિનું મૂળ છે અને દુઃખથી બચવાની વૃત્તિ અરતિના મૂડમાં છે.
માણસનું મન ક્ષણભંગુરના સુખમાં અટવાયેલું રહે છે. મન શોધે છે સ્થાઈ તૃપ્તિ પણ જ્યાં શોધે છે એ જગ્યા ખોટી છે. બહારના વ્યક્તિમાં કે વસ્તુમાં સ્થાઈ તૃપ્તિ સંભવ જ નથી. સ્થાઈ તૃપ્તિ આત્મદશામાં છે એ માણસ ભૂલી ગયો છે. આકર્ષણ એટલે રતિ અને અનાકર્ષણ કે અરુચિ એટલે અરતિ. જૈન દર્શનમાં અઢાર પાપમાંનું આ પંદરમું પાપ છે- રતિ – અરતિ. સુખ દુઃખ, રાત અને દિવસ, શરદી અને ગરમી જેમ એક જ સિક્કાની બે બાજુઓ છે એમ રતિ અને અરતિ એ પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. દિવસ અને રાત જેમ એકલા હોતા નથી એમ રતિ અને અરતિ એકલા રહેતા નથી.
હા, કદાચ બંને વચ્ચે સમયનું અંતર હોઈ શકે. પત્ની પરની આજની રતિને અરતિમાં બદલાતા કદાચ મહિનો, વર્ષ કે દસ વર્ષ લાગે પણ રતિનો સ્વભાવ જ અરતિમાં બદલવાનો છે. આ બંને ભાવો ક્ષણિક છે. માણસને જે વસ્તુ કે વ્યક્તિ ગમે છે એ ત્યાં સુધી જ કે એ એના મનને સુખ આપે અને એના મન પ્રમાણે ચાલે. જેવી આમાં અહંકારના ઘર્ષણથી કંઈક ગડબડ ઉભી થઇ એટલે તરત એના પ્રત્યે અરુચિનો ભાવ જાગશે. વસ્તુ કે વ્યક્તિમાં કોઈ રસ કે નિરસતા નથી. રતિ – અરતિનું ઉત્પન્ન સ્થાન મન જ છે. મારુ મન જ આ પ્રકારની કલ્પનાઓ કરે છે. મન પોતે ચંચળ છે એટલે એની વૃત્તિઓ પણ એટલી જ ક્ષણિક રહેવાની. સવારના નાસ્તામાં ભાવતા ખાખરા બપોરે જમવામાં ભાવતા નથી અને સાંજે ભોજનમાં ભાવતી ખીચડી સવારે નાસ્તામાં ખાવી ગમતી નથી. આરોગ્ય સારું હોય ત્યારે સોની નોટ પણ ગમે છે અને કેન્સરનું નિદાન થઇ ગયા પછી કરોડોની કમાણીના સમાચાર પણ સાંભળવા ગમતા નથી.
આ રતિ અને અરતિને પાપ ખોલતા માટે કહ્યું છે કે જીવ ખોટા માર્ગે સુખ શોધવામાં જીવનની અમૂલ્ય ક્ષણો વેડફી નાખે છે. સુખના ખોટા આકર્ષણો પાછળ અને દુઃખના અણગમા પાછળ જૂઠ, દંભ,બેઈમાની, સંગ્રહખોરી, હિંસા, વિશ્વાસઘાત જેવા અનેક બીજા પાપો પણ કરે છે. આ બધું કરવામાં પોતાની જાતને ભૂલી જાય છે, ફાઈનલી એ પોતાની સાથે જ બેઈમાની કરવા લાગે છે. એમાંથી જન્મે છે આર્ત્ત અને રૌદ્ર ધ્યાન એટલે કે પોતાને દુઃખી કરવું કે અન્યને દુઃખી કરવું.
સાચા સુખનો માર્ગ એક જ છે મનુષ્ય સારી નરસી બંને સ્થિતિમાં સમભાવ રાખી પોતાની શક્તિઓને ઓળખે અને તેનો સદુપયોગ કરે. જૈન શાસનમાં ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઇ ગયેલ મહાસતી સુલસાની વાત જાણવા જેવી છે. મહાસતી સુલસા જેવી પરમ શ્રાવિકાને કોઈ સંતાન નથી. નાગ સારથી નામના એમના પતિએ દેવ સાધનામાં સફળતા પ્રાપ્ત કરી અને દૈવી ફળ સુલસાને ખવડાવ્યું અને યોગાનુયોગ ભવિતવ્યતા વશ સુલસાએ બત્રીશ બાળકોને જન્મ આપ્યો. આ બત્રીશ બાળકો મગધના સમ્રાટ શ્રેણિકના અંગ રક્ષક બન્યા અને ચેડારાજાના યુદ્ધમાં બત્રીસે પુત્રો મરી ગયા. જયારે આ સમાચાર સુલસાને મળ્યા ત્યારે વિચારો સુલસાનું શું થયું હશે?
પરંતુ નવાઈની વાત એ છે કે આપણા કરતા ઉલ્ટી જ ઘટના બને છે. આવી વિકટ સ્થિતિમાં પણ સુલસાએ અંશ માત્ર પણ કલ્પાંત કર્યું નથી. બત્રીશ પુત્રો ન હતા ત્યારે પણ કોઈ રતિ કે આકર્ષણ નહોતું અને હવે પુત્રો નથી રહ્યા તો પણ કોઈ શોક નથી. સંસાર છે પરિસ્થતિઓ આવે ને જાય. સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જ જન્મ લે છે. આપણે સૌએ બોધ લેવો રહ્યો કે અનુકૂળતામાં રતિ રાખવી અને પ્રતિકૂળતામાં અરતિ કે અરુચિ રાખવી બંને દુઃખદાયી છે. અરતિ દુઃખદાઈ છે એ તો બધાને સમજાય એવી બાબત છે પણ રતિ પણ દુઃખદાયી છે એ માત્ર જ્ઞાનીને સમજાય છે.
જેના પ્રત્યે વધુ મોહ અને લગાવ હોય છે એ જ દુઃખનું કારણ બને છે શું આવું અનેકવાર અનુભવ્યું નથી. જેની સાથે મોહના સંબંધો બાંધ્યા હોય છે એ જયારે આ સંસારથી વિદાય લે છે ત્યારે કેટલું દુઃખ થાય છે. એ દુઃખ વ્યક્તિ જવાથી નથી થયું પણ એ વ્યક્તિમાં સુખ બુદ્ધિ છે એટલે થયું છે. એ ગયેલી વ્યક્તિ પ્રત્યે પણ કોઈ ભાવ નથી હોતો પરંતુ એનાથી મારો સ્વાર્થ સિદ્ધ થતો હતો એ હવે સિદ્ધ નહિ થાય એટલે હું દુઃખી થાઉં છે. કોઈ કોઈ માટે નથી રોતું યાર, માણસ પોતાના જ કોઈ તુચ્છ સ્વાર્થ ખાતર રોતો હોય છે. કહ્યું છે ને કે ‘ કોઈ કિસી કે ખાતિર નહિ રોતા, સબકો અપની હી કિસી બાત પર રોના આયા.’ માણસ ભીતરમાં સાચા પ્રેમને પામે પછી જ બધું સાચું થતું હોય છે, એ પહેલા બધું જ ડ્ર્રામા માત્ર છે. સુલસાની જેમ ભીતરી તત્વનો બોધ થઇ જાય પછી બહાર સુખ દુઃખનું કે રતિ – અરતિનું કોઈ કારણ રહેતું નથી.
નીતિ એક સામાજિક વ્યવસ્થા છે, ધર્મ એક આધ્યાત્મિક જાગરણ છે ( જૈન દર્શનમાં પાંચ સમિતિ ) : સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
આજના સૂત્રોમાં કર્મ અને કર્મ બંધની અને પાપ – પુણ્યની ચર્ચા કરીશું. પાપ શું છે અને પુણ્ય શું છે? આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં પાપ છે કે પ્રવૃત્તિ કરનારમાં? ચોરી કરવી એ પાપ છે કે ચોરી કરનારની ભાવ દશામાં પાપ છે? દાન કરવું એ પુણ્ય છે કે દાન કરનારની આંતરિક ચેતનામાં? કૃત્ય – પ્રવૃત્તિ મહત્વની છે કે અંદરનો અભિપ્રાય? આ મનુષ્ય જગતનો જૂનો અને શાશ્વત પ્રશ્ન છે. નીતિશાસ્ત્ર કૃત્યનો વિચાર કરે છે કે શું કરવું અને શું ન કરવું? ધર્મ કર્તાનો કે કર્મ કરનારનો વિચાર કરે છે. કર્મ કરનાર કેવો હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ?.જયારે પહેલીવાર ઉપનિષદનો પશ્ચિમી ભાષામાં અનુવાદ થયો તો ત્યાંના વિચારકોને નવાઈ લાગી કે એમાં ઈસાઈ ધર્મની જેમ દસ આજ્ઞા જેવી કોઈ વાતો નથી. ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, સેવા કરો, દાન કરો એવા કોઈ આદેશ ત્યાં નથી. પશ્ચિમી ધર્મો જે કરવા – ન કરવાના આદેશ ઉપર ટકેલા છે. લાગ્યું હશે કે ઉપનિષદ ધર્મ ગ્રંથ નહિ હોય, પણ એ ધર્મ ગ્રંથ છે.
મહાવીરની દ્રષ્ટિએ પણ કરવા, ન કરવાની આજ્ઞા આપવી એ નીતિનું કામ છે, ધર્મનું નહિ. નૈતિક એમને થવું પડે છે જે ધાર્મિક નથી.ધાર્મિક વ્યક્તિ નીતિથી ઉપર ઉઠી જાય છે. કેમકે એમને આત્માનો મૂળ શ્રોત પામી લીધો હોય છે..જેમ કે એક આંધળા માણસને લાકડીની મદદ લેવી પડે છે,જેને આંખ છે એમને લાકડીની જરૂર નથી. નીતિ કામચલાઉ લાકડી છે, અધાર્મિક માણસના હાથમાં પકડાવવી પડે છે. જેમની પાસે ભીતરની આંખ નથી, એમને બહારના નિયમો પકડવા પડે છે. આ ભારતીય અને પશ્ચિમી ધર્મોમાં બુનયાદી ફરક છે..નીતિ એક સામાજિક વ્યવસ્થા છે, ધર્મ એક આધ્યાત્મિક જાગરણ છે. બહાર જેટલા નિયમો વધારે એટલો માણસ અંદરથી સૂતેલો છે અને જેટલો માણસ અંદરથી જાગૃત છે પછી નિયમની કોઈ જરૂરત નથી. કાનૂન એટલા માટે છે કે માણસ ખોટા છે. લાઓત્સે કહ્યું છે કે નીતિનો જન્મ જ ત્યારે થાય છે જયારે માણસ ધર્મ શૂન્ય હોય છે. જયારે ભીતરનો તાઓ – સ્વભાવ નષ્ઠ થઇ જાય છે ત્યારે બહાર નિયમો ગોઠવવા પડે છે. ભારતીય ધર્મોનું એક વાત પાર જોર છે કે ભીતરની ચેતના પરિશુદ્ધ હોવી જોઈએ. ચેતના શુદ્ધ હશે તો આચરણ પોતાની મેળે શુદ્ધ થઇ જશે. તમે શું કરો છો એનું મૂલ્ય નથી, તમે શું છો તેનું મૂલ્ય છે.ભીતર તમે ખોટા હશો અને બહાર આચરણ સારું કરવા જશો તો એ પાખંડ સિવાય બીજું કશું નથી..મહાવીરના આ સૂત્રો અંદરથી જાગવા માટેના સૂત્રો છે..
ગૌતમ સ્વામીએ એકવાર પ્રભુ મહાવીરને પૂછ્યું –
કહં ચરે કહં ચિટ્ઠે કહં આશે કહં સયે,
કહં ભૂંજનતો ભાષનતો પાવ કમં ન બંધઈ ।
એટલે કે ‘હું કેવી રીતે ચાલુ, કેવી રીતે બેસું, કેવી રીતે ઠહેરુ, કેવી રીતે ઊંઘું, કેવી રીતે ખાઉં અને કેવી રીતે બોલું કે જેથી પાપ કર્મનો બંધ ન થાય?’
અહીં પૂછનાર કૃત્યો વિષે પૂછે છે કે કેવી રીતે ચાલુ, બેસું વગેરે. આવો જ પ્રશ્ન ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યો હતો કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય, વ્યવહાર કેવો હોય? જોર એ વાત ઉપર છે કે અમે શું કરીએ કે પાપ કર્મનું બંધન ન થાય? જોર કર્મ ઉપર છે.. મહાવીર જે જવાબ આપે છે એમાં જોર કર્મ ઉપર નથી, જોર કર્તા ઉપર છે. પ્રશ્ન છ પૂછયા છે પણ જવાબ એક જ છે – ‘જયં’ એટલે કે યતના પૂર્વક કોઈ પણ ક્રિયા કરો. ક્રિયાનું મૂલ્ય નથી, યતનાનું મૂલ્ય છે. યતનાનો અર્થ છે જાગૃતિ પૂર્વક કંઈ પણ કરવું. જૈન પંડિતો પણ આનો ખોટો અર્થ કરે છે – જયં એટલે સંયમ એવો અર્થ કરે છે. જયંનો અર્થ સંયમ નથી, જાગૃતિ છે. પ્રશ્ન વ્યવહાર કેન્દ્રિત છે પણ જ્ઞાનીનો જવાબ નિશ્ચય કેન્દ્રિત છે. સાધકનો સવાલ બહિર્મુખી પ્રવૃત્તિ કેમ કરવી એનો જવાબ જ્ઞાની અંતર્મુખી દ્રષ્ટિકોણથી આપે છે. શું કરવું એ એટલું મહત્વનું નથી, જે કરો તે દરેક ક્રિયા સભાન અવસ્થામાં કરવી. મહાવીર તેને સમિતિ કહે છે. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ. આવી પાંચ સમિતિ સાધક માટે બતાવી છે.
પહેલી સમિતિ છે – ઈર્યા સમિતિ – જાગૃતિ પૂર્વક ચાલવું. આપણે તો ઊંઘમાં જ ચાલીએ છીએ.ચાલતી વખતે મગજમાં પચાસો વિચાર ચાલતા હોય છે. આ આદત અનેક જન્મોની છે. આ બેહોશીની આદતને તોડવી અઘરી છે, એક મોટી તપશ્ચર્યા છે. અનેક વર્ષોની સાધના અને પ્રયાસ પછી આવી જાગૃતિ આવી શકે છે. ધીરે ધીરે પ્રયોગ કરો. જાગૃતિ અને હોશ પૂર્વક ચાલો. ચાલતા આવડે તો ચાલવું એ માત્ર શારીરિક કસરત જ નથી, ધ્યાનની પરમ અવસ્થા પણ છે. જયારે ચાલો ત્યારે ધ્યાન રાખો કે તમારું ચિત્ત ચાલવાની ક્રિયામાં એકાગ્રચિત્ત રહે. દસ – વીસ કદમ જાગૃતિ રહેશે અને ફરી પાછી બેહોશી પકડી લેશે. પરંતુ હાર માન્ય વગર અને નિરાશ થયા વિના આ પ્રયોગ ચાલુ રાખશો તો ચોક્કસ સફળતા મળશે. ચાલો ત્યારે જે કંઈ સહજ રીતે બની રહ્યું છે એના પ્રત્યે સજાગ રહો. આ સજાગતા તમને બંધનમાંથી બહાર લાવશે. લાખોમાં ચાર છ માણસો આવી રીતે જાગૃતિ પૂર્વક ચાલતા હશે. એટલે જ બુદ્ધ અને મહાવીર અને કૃષ્ણની જાગૃતિનું મહત્વ છે. દરેક ક્રિયા હોશ પૂર્વક કરવી એ સમિતિ છે. ઇર્યા સમિતિ એટલે જાગૃતિ પૂર્વક ચાલવું. સાધુની જીવન ચર્યામાં વિહાર પ્રમુખ છે. એ વિહાર એટલે જ ચાલવું. આ ચાલવાની ક્રિયામાં ભીતરી તત્વ સજગ રહેવું જોઈએ. એટલે કે ચાલતી વખતે પણ ધ્યાનમય દશા રહેવી જોઈએ. ભગવાન મહાવીરે સાધુની પરિભાષા જ એ કરી છે કે : સૂત્તા અમુનિ – અસુત્તા મુનિ – જે સૂતેલો છે તે અમુનિ છે અને જે જાગેલો છે તે મુનિ છે.
બીજી સમિતિ છે – ભાષા સમિતિ. બોલતી વખતે પણ ચેતનાની જાગૃતિ રહેવી જોઈએ. સાધક ક્યારેય બેહોશીમાં ન બોલે. આ બેહોશી જ પાપ છે. બોલતી વખતે આવેશ આવી ગયો એનો અર્થ છે તમે બેહોશ થાય ગયા છો. હોશમાં હોવ તો આવેશનો પ્રશ્ન જ નથી ઉઠતો. આજે બધા પ્રોબ્લેમ આ વાણીની ઉંછુંખલતાએ જ તો ઉભા કાર્ય છે. કેમ આપણાથી કટુ બોલાઈ જવાય છે કેમ કે ભીતર તમે બેહોશ છો. બોલતી વખતે એટલા સાવધાન રહો કે તમે એક એક શબ્દ જાગૃતિ પૂર્વક બોલી શકો. બેહોશીમાં બોલવું એ જ બંધન છે, એમાં જ હિંસા છે – પોતાની અને અન્યની. હોશમાં બોલશો તો શક્તિનો સંચય થશે અને બેહોશીમાં બોલશો તો શક્તિ નષ્ઠ થશે. જો બોલવામાં જાગૃતિ હશે તો મુખમાંથી કટુ શબ્દો નહિ નીકળે, અનાવશ્યક શબ્દો પણ વિરામ પામશે.
ત્રીજી સમિતિ છે – એષણા સમિતિ : એષણા એટલે દોષ ટાળીને આહારની શોધ કરવી. સાધુ ભિક્ષાજીવી છે એટલે એ અલગ અલગ ઘરોમાંથી આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરતી વખતે સાવધાની રાખવી કે હિંસા આદિનો કોઈ દોષ ન લાગે અને આહાર લેતી વખતે એટલા સાવધાન અને હોશમાં રહેવું કે ક્યાંય કોઈ વસ્તુ પર આશક્તિ ન જાગે. સાધુ માટે મર્યાદા છે કે 42 દોષો ટાળીને આહારની ગવેષણા કરે. મૂળમાં તો સાવધાની અને જાગૃતિ જ છે. સાધુ જો જાગૃત હશે તો નિર્દોષ આહાર જ ગ્રહણ કરશે. એ સાવધાની નહિ હોય તો સાધુ પર ગુરુ અનેક નિયમો થોપશે. જેટલા નિયમો વધે છે એટલી જ જાગૃતિ ઓછી હોય છે.
ચોથી સમિતિ છે – આદાન નિક્ષેપ સમિતિ: વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુ પૂંજી – પ્રમાજીને લેવી-મૂકવી તે આદાન નિક્ષેપ સમિતિ છે. આમાં પણ સાવધાની છે. પૂર્ણ સજગ અને જાગૃત રહી વસ્ત્ર પાત્ર લેવા અને મુકવા. સાધુના હાથે વસ્ત્ર ફાટી જાય કે પાત્ર હાથમાંથી છટકી જાય એનો અર્થ થયો કે જાગૃતિનો અભાવ છે. વસ્ત્ર પાત્ર તો માત્ર ઉદાહરણ છે. સાધુ કોઈ પણ વસ્તુ લે કે મૂકે એમાં પૂરેપૂરી સજગતા રહેવી જોઈએ. પુસ્તક – ગ્રંથ કે અન્ય કોઈ પણ વસ્તુમાં હોશનો દીપક પ્રગટેલો રહેવો જોઈએ.
પાંચમી સમિતિ છે – પરિષ્ઠાપનિકા સમિતિ : એટલે મૂળ-મૂત્ર બળખો વગેરે જાગૃતિ પૂર્વક પરઠવો. સાધુ ગમે ત્યાં થુંકે નહિ કે ગમે ત્યાં શૌચ – ઉત્સર્ગ માટે ન જાય. પોતાનો હોશ પણ જાળવી રાખવો અને કોઈ જીવની હિંસા ન થાય એની પૂરેપૂરી સાવધાની રાખવી. મૂળ તો સાધુ માટે આવા હિંસાત્મક સ્થાનોમાં રહેવું પણ દોષ યુક્ત છે. સાધુ પોતાની સ્થાન માટે એવું સ્થાન પસંદ કરે છે કે ત્યાં કોઈ જીવની હિંસા ન થાય. આજની પરિસ્થિતિ જરા વિચિત્ર છે. આજે કેટલા સાધુ ઈર્યા સમિતિ પૂર્વક વિહાર કરે છે? કેટલા સાધુઓ બોલવામાં સાવધાન હોય છે? કેટલા સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે? રસોડા ચાલતા હોય ત્યાં સાધુને આહાર લેવો નિર્દોષ નથી. કેટલા સાધુઓ વસ્ત્રોને અને અન્ય વસ્તુઓ લેતી મુક્તિ વખતે સજગ હોય છે? મહાવીરનો સાધુ તો પૂર્ણ હોશ પૂર્વક જીવતો હોય છે.
જૈન દર્શનમાં ત્રણ ગુપ્તિ : સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
દરેક જીવનું અંતિમ લક્ષ્ય છે – આત્મજ્ઞાન. આત્મ જ્ઞાન સમસ્ત અધ્યાત્મનું એક માત્ર અંતિમ બિંદુ છે. આજની આધુનિક ભાષામાં કહો તો આનંદની અનુભૂતિ દરેક જીવનું અંતિમ ધ્યેય છે. જૈન દર્શનમાં એના માટે બે પ્રકારની સાધના બતાવી છે એક સાધના સક્રિય છે અથવા પ્રવૃત્તિ પ્રધાન છે અને બીજી સાધના નિષ્ક્રિય છે એટલે કે નિવૃત્તિ પ્રધાન છે.. શરીરની સ્થિરતા, વાણીના મૌન અને મનની સ્થિરતા પૂર્વક જે સાધના થાય એ નિષ્ક્રિય કે નિવૃતિ પ્રધાન સાધના છે. જેમાં શરીર મન અને વાણી પ્રવૃત્ત હોય પણ એ દરેક પ્રવૃત્તિમાં જાગૃતિ હોય એ સક્રિય કે પ્રવૃત્તિ પ્રધાન સાધના છે. પ્રવૃત્તિમાં જાગૃતિ રાખવા માટે પહેલા નિષ્ક્રિય સાધના દ્રઢ કરી લેવી જરૂરી છે. નિષ્ક્રિય સાધના વગર સક્રિય સાધનામાં જાગૃતિ રહી શક્તિ નથી. નિવૃત્તિ એ સાધનાનું કેન્દ્ર છે અને પ્રવૃત્તિમાં સભાનતા એ સાધનાની પરિધિ છે કે પરિણામ છે. અહીં આપણે આજે સાધનાનું નિવૃત્તિ પ્રધાન સ્વરૂપ જોઈએ
જૈનધર્મ વાસ્તવિક દ્રષ્ટિએ કે નિશ્ચયનયની દ્રષ્ટિએ જુઓ તો નિવૃત્તિ પ્રધાન ધર્મ છે. ભગવાન મહાવીર નિવૃત્તિ ધર્મના પ્રણેતા છે. એમને નિવૃત્તિની સાધના કરી, આત્માનો અનુભવ કર્યો અને નિવૃત્તિનું દર્શન અને સાધનાનો માર્ગ જગતને આપ્યો. એમને કહ્યું કે ‘નિવૃત્તિ એ જ આત્માનો ગુણ અને સ્વરૂપ છે અને નિવૃત્તિના માર્ગ થકી જ ચૈતન્યનો સાક્ષાત્કાર થઇ શકે છે. પ્રવૃત્તિ તો વ્યવહાર ચલાવવા માટે છે. પ્રવૃત્તિ જીવનું ધ્યેય નથી અને ન હોવું જોઈએ. પ્રવૃત્તિ એ દેહથી જોડાયેલો ધર્મ છે. નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે. ભગવાન મહાવીરે નિવૃત્તિ ધર્મનું પ્રતિપાદન કરતા ત્રણ સાધનાઓ બતાવી – ઠાણેણં – શરીરની સ્થિરતા,મોણેણં વાણીનું મૌન, ઝાણેણં – ધ્યાન એટલે કે મનની સ્થિરતા. શરીરની સ્થિરતાને જૈન દર્શનમાં કાય ગુપ્તિ કહેવાય છે, વાણીના મૌનને વચન ગુપ્તિ કહેવાય છે અને મનની સ્થિરતાને મનો ગુપ્તિ કહેવાય છે. આ ત્રણ સાધના પરિપક્વ થાય એટલે આત્માનુભૂતિનો દરવાજો ખૂલે છે.
કાયગુપ્તિ : કાયા એટલે શરીર અને ગુપ્તિ એટલે ગોપન કરવું, છુપાવવું, નિયંત્રણ કરવું. કાય ગુપ્તિ એટલે શરીરની સમસ્ત ઈચ્છાપૂર્વક થતી ક્રિયાઓને સ્થિર કરી દેવી. શરીરને સ્થિર રાખવું, આમ જુઓ તો આ અઘરી સાધના છે. કેમ કે આપણે ચંચળ વાતાવરણમાં જીવી રહ્યા છીએ. મનની અતિ ચંચળતા શરીરને પણ સ્થિર રહેવા દેતી નથી. ખાનપાન પણ હાયબ્રેડ અને કેમિકલ યુક્ત થઇ ગયું હોવાના કારણે શરીરની સ્થિરતા ગુમાવી દીધી છે. શરીરની વધુ પડતી ચંચળતાના કારણે બહુમૂલ્ય શક્તિઓનો હ્રાસ થાય છે. પરિણામે ઉંમર પહેલા જ શરીરમાં ઘડપણ દેખાવા લાગે છે, લોહીનું પ્રેશર વધી જાય છે, ઊંઘ બરાબર આવતી નથી. પરિણામે સ્વભાવ પણ ચિડિયો થઇ જાય છે. આ બધી કઠિનાઈઓથી બચવું હોય અને કર્મોની નિર્જરા – શુદ્ધિ કરવી હોય તો કાય ગુપ્તિનો અભ્યાસ કરો. ધ્યાનની મુદ્રામાં બેસીને સંકલ્પ કરો કે પાંચ મિનિટ સુધી ગમે તે થાય તો પણ હું શરીરને હલાવીશ નહિ. એકવાર સ્થિરતાનો સંકલ્પ કરીને બેસશો એટલે શરીર સ્થિર થઇ જશે. પહેલા પાંચ મિનિટ બેસો અને પછી ધીરે ધીરે સમય વધારતા જાઓ. 30 કે 40 મિનિટ સુધી સ્થિર બેસી શકો એવો અભ્યાસ કરો. સંકલ્પથી જો પાંચ મિનિટ સ્થિર બેસી શકાય તો પછી અભ્યાસ કરતા કરતા 30-40 મિનિટ પણ બેસી શકાશે. શરીર સ્થિર થતા જ ઘણા ખરા વિચારો ખરી પડશે, ભીતરની શાંતિ અને સ્થિરતા અનુભવાશે.
વચન ગુપ્તિ : વચન ગુપ્તિ એટલે વાણીનું મૌન. મૌનની સાધના અદભૂત અને ચમત્કારિક સાધના છે. શબ્દ આત્માનો ગુણ નથી, શબ્દ રહિત શૂન્યતા એ આત્માનો ગુણ છે. મૌનથી મનના વિકલ્પો પણ શમવા લાગે છે. મૌનના અનેક પ્રયોગો કે સ્તર છે.પહેલા વાણીનું મૌન કરો. નિર્ધારિત સમય માટે એક પણ શબ્દ ન ઉચ્ચારવાનો સંકલ્પ કરો. એક ચોક્કસ સમય નક્કી કરી શિસ્તબદ્ધ રીતે મૌનનો અભ્યાસ કરો. પછી બીજો પ્રયોગ કરો જેમાં વાણીનું મૌન સધાય પછી, ઇસારા કરવાનું પણ ત્યાગો, શરીરથી કોઈ ઈસારો ન કરવો એવો સંકલ્પ કરો. પછી ત્રીજો પ્રયોગ કરો જેમાં કોઈની વાત સાંભળવાનું મૌન કરો એટલે કે કાનનું પણ મૌન કરો. કાનથી જેટલા શબ્દો અંદર જશે એટલું તમારું મન સક્રિય થશે, વિચારો કે શિલશિલા શરુ હો જાયેગા. ચોથો પ્રયોગ કરો – જોવાનું પણ મૌન કરો એટલે કે આંખનું મૌન કરો. તમે જેવું જોશે એટલે વિચારો ચાલુ થશે. ભગવાન બુદ્ધે આને આર્ય મૌન કહ્યું છે. આ મૌન તમને તમારા શબ્દોના માલિક બનાવશે. બોલવામાં પણ એક જાગૃતિ આવશે. અંતર્મુખતાનો વિકાસ થશે. ચેતનાનું મુખ વિભાવ તરફથી સ્વાભાવ તરફ જવા લાગશે. શરૂઆતમાં આ મૌન કરવું ખૂબ કઠિન લાગશે પણ અભ્યાસ થશે પછી બોલવું નહિ ગમે. પરિવારની શાંતિ માટે ઘરના દરેક સભ્યએ રોજ 30 મિનિટનું મૌન પાડવું જોઈએ. ભગવાન મહાવીર સ્વામી એમના સાડા બાર વર્ષની સાધનામાં પ્રાયઃ મૌન રહ્યા હતા.
મનોગુપ્તિ : મનોગુપ્તિ એટલે મનની ગુપ્તિ, મનના વિચારોનું મૌન કરવું. આ સાધના સૌથી અઘરી છે. મન સતત સક્રિય હોય છે અને હવે તો સંપર્કના સાધનો વધ્યા એટલે મન ઊંઘમાં પણ સક્રિય હોય છે. અતિ પરિચય અને સંપર્ક મનને શાંત નથી થવા દેતું. મનના વિચારોને શાંત કરવાના બે ત્રણ ઉપાયો છે. પહેલો ઉપાય છે – શ્વાસ દર્શન સાધના. જેમાં ધ્યાનમાં બેસી આવતા જતા શ્વાસને ધ્યાનથી જુઓ. શ્વાસને જોશે એટલે શરૂઆતમાં ખૂબ વિચારો આવશે કેમકે આપણી અનાદિકાળની આદત છે. પરંતુ અભ્યાસ નિયમિત ચાલુ રાખવાથી ધીરે ધીરે વિચારોનો પ્રવાહ શાંત પડવા લાગે છે. શ્વાસને જોશે એટલે થોડીવારમાં મન બહાર ભાગશે, ફરી એને શ્વાસ પાર પાછું લાઓ, ફરી થોડીવારમાં પાછું જશે, ફરી પાછું લાઓ, આમ સતત કરવાથી મન પર પ્રેમાળ રીતે કાબૂ કરી શકાય છે. બીજો ઉપાય છે – વિચારોના સાક્ષી થવાનો. જે જે વિચારો આવે તેને માત્ર સાક્ષી બનીને જુઓ, એમાં જોડાવાનો પ્રયત્ન ન કરો. વિચારોને જોશે એટલે વિચારોનું જોર ઘટી જશે. વિચારોને જોવા એ જ એનું મૃત્યુ છે. એટલે વિચારો આવે તો એને રોકો પણ નહિ અને એની સાથે જોડાવ પણ નહિ. માત્ર એના સાક્ષી બનો. માત્ર તેને જુઓ.
આ ત્રણ ગુપ્તિ સધાય એટલે આત્માનો દરવાજો ખૂલે છે. હું આત્મા છું એવું રટણ કરવાથી કંઈ મળતું નથી, કોઈ અનુભવ પણ નથી થતો. અનુભવ તો આ પ્રક્રિયામાં પસાર થવાથી થાય છે. જૈન ધર્મનો માર્ગ જ આ સાધનાનો માર્ગ છે. ભગવાન મહાવીરનો માર્ગ મંત્ર સાધના કે ક્રિયાનો માર્ગ જ નથી, એમનો માર્ગ શુદ્ધ નિવૃત્તિનો માર્ગ છે. નિવૃત્તિ વિનાની કોરી પ્રવૃત્તિ અહંકાર વધારનારી સિદ્ધ થાય છે. માટે આત્માનો અનુભવ કે આનંદની અનુભૂતિ કરવી હોય તો આ જ એક સ્થાઈ માર્ગ છે. નિવૃત્તિ સધાય જાય પછી પ્રવૃત્તિ કર્તાભાવથી મુક્ત રીતે કરી શકાય છે. એની ચર્ચા આગળ કરીશું.
ઊણોદરીથી થઇ શકે છે સંચિત્ત કર્મોથી મુક્તિ – સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
જૈન દર્શનમાં પ્રવૃત્તિ એ કર્મ નથી, પ્રવૃત્તિનું પરિણામ એ કર્મ છે. સારા કે નરસા ભાવથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, એનું જયારે પરિણામ મળે છે એ કર્મ કહેવાય છે. સારા ભાવ સાથે કરેલી પ્રવૃત્તિનું સારુંકર્મ અને ખરાબ ભાવ સાથે કરેલી પ્રવૃત્તિનું ખરાબ પરિણામ મળે છે. આ કર્મો તરત ફળ નથી આપતા, એ કેટલોક સમય સત્તામાં પડ્યા રહે છે. જ્યાં સુધી એ સત્તામાં છે, ત્યાં સુધી એ કર્મોને ભોગવ્યાવિના તોડી શકાય છે. એ તોડવાની પ્રક્રિયાને ભગવાન મહાવીરે ‘નિર્જરા’ કહી છે. નિર્જરા એટલે કર્મોને આત્મા પરથી ખંખેરી દેવાની પ્રક્રિયા. આ નિર્જરામાં આપણે ‘અનશન’ની વાત કરી. આજે કર્મતોડવાની બીજી પ્રક્રિયા ‘ ઉણોદરી’ની વાત કરીએ.
આજે આખું વિશ્વ એક મોટી સમસ્યા કે એક મોટા રોગથી ઝઝૂમી રહ્યું છે. એ રોગ છે – મોટાપો. જેને આપણે મેદસ્વિતા કહીએ છીએ. ફાસ્ટ ફૂડના આ યુગમાં આ રોગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જે ફૂડસ્વાદિષ્ટ હશે, એ સામાન્ય રીતે માણસ વધુ જ ખાશે. જે ભોજનમાં સ્વાદ હોય એમાં લગભગ સ્વાસ્થ્યના ગુણો નથી હોતા. એમાં વિરોધી આહાર અને દૂધની બનાવટોનો મોટો ભાગ હોય છે. જે ખાવાનોકંટ્રોલ ન રહેવાના કારણે મોટાપાનું કારણ બને છે. આ મોટાપો માત્ર બીમારી નથી પણ બીમારીનો બાપ છે. એ અનેક રોગોને જન્મ આપે છે. મોટાપો આવશે એટલે સુગરની બીમારીનો ખતરો વધી જાયછે. સુગરની બીમારી પછી કિડની, હૃદયને અને અનેક અંગોને નુકશાન પહોંચાડે છે. ધીરે ધીરે આખું શરીર બીમારીઓનું ઘર બને છે. માનસિક રીતે એ આળસને વધારે છે, પ્રાણશક્તિને ક્ષીણ કરે છે અનેઆયુષ્યને ઘટાડે છે. વજન વધારે છે. એકવાર વજન વધશે પછી તેને ઘટાડવું વહામું છે.
છ બાહ્ય તપમાં બીજું તપ છે – ઉણોદરી. જમવા બેસો ત્યારે તમારી પાસે બે જ વિકલ્પ છે – યા તો ભૂખ કરતા ઓછું ખાવું અથવા ભૂખ કરતા વધારે ખાવું. સામાન્ય રીતે માણસ ભૂખ કરતા વધારે ખાવાનોપ્રયત્ન કરતો હોય છે. આ ઉણોદરી ન કહેવાય, તેને પૂરોદરી કહેવાય. ઉદરને પૂરેપૂરું ભરવું એ પૂરોદરી છે. ઘણા તો પૂરું નહિ, વધારે પડતું પેટ ભરતા હોય છે. ઘણા લોકો કોઈના ઘરે કે પ્રસંગમાં જાયએટલે કહે કે, પેટ ભરાઈ ગયું પણ હજુ હૈયું નથી ભરાયું. એણે કોણ સમજાવે કે હૈયું તો પ્રભુના પ્રેમથી ભરાય, ભોજનના પ્રેમથી નહિ.
એક વ્યક્તિએ ખાવાની પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો. એમાં એક વ્યક્તિ સૌથી આગળ નીકળી ગયો અને સૌથી વધી પચાસ રોટલી ખાઈ ગયો. બધાએ કહ્યું ભાઈ તું જીતી ગયો અને અમે હારી ગયા, હવેતું ખાવાનું બંધ કર. પણ પેલો તો ખાયે જ જાય. બધાએ કહ્યું ભાઈ તું બંધ કર ને ? ત્યારે કહ્યું કે બંધ તો જ કરું જો તમે મારી પત્નીને કહો નહિ તો, કેમ કે નહી તો એ મને સાંજનું જમવાનું નહિ આપે. આમાણસ બધી જ મર્યાદા ઓળંગી ગયો છે. એક વાર તમે તમારી અંદરની અવાજને સાંભળતા નથી એટલે પછી તમે હવે હદ બહારનું ખાઈ શકો છો. આ માનસિક ભૂખ છે.
ઊણોદરીની પરિભાષા છે – ભૂખ કરતા થોડું ઓછું ખાવું. વધારે ભોજન કોણ માંગે છે – શરીર કે મન? તો પછી ઉણોદરી કરવા માટે શરીરનો કંટ્રોલ કરવો પડશે કે મનનો? ઉપવાસ કરવામાં શરીરનીશક્તિ વધુ અનુકૂળ હોવી જોઈએ અને ઊણોદરીમાં મનનો સંકલ્પ વધુ દ્રઢ હોવો જોઈએ.
ઊણોદરીના વિજ્ઞાનને જરા વિસ્તારથી સમજીએ . બે પ્રકારની ભૂખ છે – શારીરિક – બાયોલોજીકલ અને માનસિક – સાઈકોલોજિકલ. શારીરિક ભૂખ એટલે જૈવિક ભૂખ અને માનસિક ભૂખ એટલે આદતઆધારિત ભૂખ. શારીરિક ભૂખ ભીતર દબાયેલી છે. આદતની ભૂખ એના પર હાવી થઇ ગઈ. ઉણોદરી એટલે આદતની જે ભૂખ છે એનાથી ઓછું ખાવું એ નહિ, પરંતુ શારીરિક ભૂખ છે એનાથી ઓછું ખાવું.આદતની ભૂખ નકલી છે. એ ભૂખ ઘણાની આઠ દસ રોટલીની હોય, આ ભૂખ સાચી ભૂખ નથી. પહેલાથી શરીરની જરૂરત કેટલી ભૂખની છે એ જુઓ. પછી એનાથી પણ જયારે ઓછું ખાઓ છો તો એઉણોદરી છે. વાસ્તવમાં આપણે જે આખો દિવસ જેટલું ખાઈએ છીએ, એટલી શરીરને જરૂરત જ નથી. આપણે લગભગ લગભગ ત્રણ ગણું વધુ ખાઈએ છીએ. આજે પણ જૈનધર્મમાં દિગંબર સાધુ રોજેમાત્ર એકવાર જ ખાય છે, અને એ આરામથી જીવે છે, વધારે સ્વસ્થ રીતે જીવે છે. આપણે પણ ધારીએ તો આ ટેવ પાડી શકીએ. પરંતુ આપણે આદતની ભૂખના ગુલામ છીએ. ભૂખ લાગે ત્યારે ખાવું કેટાઈમ થાય ત્યારે ખાવું? ભૂખ લાગે ત્યારે ખાવું એ નિયમ એ લોકોને લાગુ પડે છે, જે રોજ નિયમિત સમયે જ ખાય છે. વચ્ચે વચ્ચે ખાવાની ટેવ વાળા માટે આ નિયમ નથી. એમને તો નિયમ કરવોજોઈએ કે ભૂખ લાગે ત્યારે જ ખાવું, એ પહેલા નહિ. આમ કરવાથી નેચરલ ભૂખને જગાવી શકીશું.
પુરુષ માટે 32 કોળિયા અને સ્ત્રી માટે 28 કોળિયા ખોરાક છે. એક કોળિયો એટલે કેટલું? પાછું મદ્રાસી વ્યક્તિ ખાય એટલે ખબર ન પડે કે કેટલા કોળિયા થયા. .એક કોળિયો એટલે લીબુંના કદ જેટલું ખાવું.ઉણોદરી આમ તો હંમેશા જ કરવી જોઇએ. બારે મહિના ઉપવાસ ન થઇ શકે પણ ઉણોદરી તો રોજ થઇ શકે ને? અમુક સમયે અને પ્રસન્ગે તો ખાસ ઉણોદરી કરવી જોઈએ. એકાસણું કરો ત્યારેખાસ ઉણોદરી પૂર્વક કરો, સ્વાદિષ્ટ વસ્તુ હોય ત્યારે ખાસ ઉણોદરી કરો, તપસ્યાનું પારણું કરો ત્યારે ખાસ ઉણોદરી કરો. સ્વાદિષ્ટ વસ્તુ ન હોય અને ખાવાનું ભાવે તેવું ન હોય ત્યારે તો સૌ કોઈ ઉણોદરીકરે, પણ એ મજબૂરી કહેવાય, ઉણોદરી નહિ. ઉણોદરી કરવાનો સ્વભાવ થઇ જવો જોઈએ.
ઉણોદરી કરવાના ઘણા બધા લાભ છે. ઉણોદરી કરનાર લાબું જીવે છે. આવું મહાવીર સ્વામી કહે છે અને આજના હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયનું અનુસંધાન પણ એજ વાત કરે છે. ઉણોદરી કરનારની સ્ફૂર્તિ સારીરહે છે. એ ક્યારેય થાકતો નથી. આવી વ્યક્તિ આળસથી હંમેશા મુક્ત રહે છે. ઉણોદરી કરનારના ચહેરા ઉપર એક પ્રકારનું તેજ હોય છે. આવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ તેજ હોય છે. વજનવધવાના પ્રોબ્લેમ ક્યારેય થતા નથી. પાચન તંત્ર સ્વસ્થ રહે છે. અનેક રોગો આવતા સહજ રીતે અટકી જાય છે.
વડિલો ઉપેક્ષિત કેમ છે ? સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
આજના વડિલો પરિવારથી ઉપેક્ષિત હોય એવું દેખાય છે. શું કારણ હશે? જરૂર આજની વ્યસ્ત જીવનશૈલી એક કારણ છે, પરંતુ આ મૂળ કારણ નથી. મૂળ કારણ છે વડિલોનો પોતાનો જ સ્વભાવ જે વડિલો સમય પ્રમાણે સ્વભાવને સાચવી શકે છે એવા વડિલો પરિવારમાં સૌનો પ્રેમ પામે છે. જે વડિલો પોતાનો સ્વભાવ સમય પ્રમાણે બદલતા નથી એ લોકો ઉપેક્ષા અને દુઃખનો ભોગ બને છે. ઘણા વડિલોને રહેવું હોય છે પરિવાર સાથે પણ પોતાનો વિચિત્ર સ્વભાવ બદલતા નથી. એટલે એ સૌ કોઈને ખારા લાગે છે. ઘણા વડિલો, એમાંય મોટી ઉંમરના સાસુ, બા કે દાદીઓ પરિવારની દરેક વાતમાં માથું મારતા હોય છે. ઘરમાં કોણ આવ્યું’તું? આટલો બધો ખર્ચ કેમ કરો છો? નોકર-ચાકર ઘરમાં આટલું બધું કેમ ખાય-પીવે છે?,મને ક્યાંય બહાર લઇ કેમ નથી જતા? હું ઘરમાં મોટી છું, મેં બધા માટે આખી જિંદગી ઘસી નાખી, તોય કેમ મારી કોઈને કંઈ પડી નથી? આવા અનેક નકામા પ્રશ્નોથી તેઓ મુક્ત થઇ શકતા નથી. પરિણામે એ પોતાનું સન્માન ગુમાવે છે.
અને બીજું બાજુ તેઓ ખૂબ ધર્મ કરશે, ખૂબ નિયમો પાડશે. ઘણી વાર તો એમના નિયમોથી ઘરમાં અશાંતિ આવતી હોય છે. આવો ધર્મ માત્ર ખોટું આશ્વાસન છે. આનાથી આત્માની શુદ્ધિ નથી થતી.સાચો ધર્મ તો પહેલા સ્વભાવ સુધારવામાં છે. દરેક વડીલો ઘરના સભ્યોમાં માથું મારવાનું છોડી દે, બધાને સ્નેહ અને પ્રેમ આપવાનું શીખી લે, અને ઘરના લોકો જે કરે એમાં મોઢું પ્રસન્ન રાખી શકે તો આવા વડીલો ક્યારેય ઘરમાં બીજાને ભારભૂત નહિ લાગે. વડીલો તો આશીર્વાદ રૂપ હોવા જોઈએ, પૂજનીય હોવા જોઈએ, પરંતુ પોતાના ખરાબ અને કચકચિયા સ્વભાવને લીધે તેઓ સન્માન પામવાની યોગ્યતા ગુમાવે છે.
આજની પીઢિને પણ થોડું સમજવું જોઈએ. એ લોકોની ઉમર થઇ છે. થોડો સ્વભાવ ચીડિયો થાય પણ ખરો. એમના વિચિત્ર સ્વભાવ પછી પણ તમારો વિનયભાવ અને સેવાભાવ ઓછો ન થવો જોઈએ. વડિલો બાળક જેવા થઇ જાય છે. એમને પણ પ્રેમથી સમજાવો જો સાંજે તો સારું છે, પરંતુ એમની ઉગ્રતાનો જવાબ તમે તમારા ભાવ બગાડીને ન આપો. મારુ કોઈક એમની સાથે કર્મનો હિસાબ, કર્મનું ઋણાનુબંધ બાકી હશે, એ પૂરું કરવાનું છે. સમભાવથી થાય એટલી સેવા કરીને તેને પૂરું કરો. આ જ તો સાચી સમજણ છે અને આનાથી મોટો ધર્મ કયો હોય શકે?
ઉપવાસનું વિજ્ઞાન અને સમાધિ મરણનું મનોવિજ્ઞાન – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
જીવની આહાર સંજ્ઞા પ્રબળ છે અને અનાદિની છે. આ આહાર સંજ્ઞાને તોડવા માટે ભગવાન મહાવીરે અનશન તપ બતાવ્યું છે. શરીર અને આત્માને જોડનાર સેતુ ભોજન છે. પેટ ભરેલું હોય તો આત્માનું સ્મરણ નહિ થાય. શરીરને ભોજન ન આપો અને દ્રષ્ટિ જાગૃત હોય તો એ ક્ષણનો ઉપયોગ આત્માને જાણવામાં કરી શકાય છે. આમ અનશન એક નિમિત્ત બને છે આત્માને જાણવા માટેનું. અનશન સાચા અર્થમાં તો જ થયું કહેવાય જયારે એ ઉપવાસમાં પરિણમે. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા રહેવું તે નહિ. ઉપવાસ એટલે આત્માના ગહન અનુભવમાં ખાવાનું ભુલાઈ જાય. ઉપવાસ આત્મ ભાવમાં રહેવાનું નામ છે. ભગવાન મહાવીર ઉપવાસ કરતા ત્યારે એમને શરીર અને ભોજનનું ભાન જ ન રહેતું. એમનો ઉપવાસ એ આત્માની ગહન અનુભૂતિનું પરિણામ હતું. ઉપવાસથી જો આ આત્મ દશાનો અનુભવ ન થાય અને માત્ર ભોજન છોડી દીધું તો એ માત્ર લંઘન છે. જૈન શાસ્ત્રની ભાષામાં એ બાલ તપ એટલે કે અજ્ઞાનીનું તપ છે.મહાવીરના દરેક અનશન ઉપવાસ હતા અને આપણા દરેક અનશન યા તો લંઘન છે અને પ્રદર્શનનું કારણ છે. ઉપવાસ આત્મભાવમાં જવા માટે છે. અનશનમાં આત્માનો સ્પર્શ થાય, અનુભવ થાય તો જ એ ઉપવાસ કહેવાય.
ઉપવાસનું વિજ્ઞાન સમજવા જેવું છે. આપણામાં બે શક્તિઓ રહેલી છે. એક છે ભોજનની સામાન્ય પ્રક્રિયા, જેમાં આપણે ભોજન લીધું હોય એ જઠરાગ્નિ પચાવે. એમાંથી લોહી બને, ઉર્જા બને – આ એક પ્રક્રિયા છે. ફરી પાછી ત્રણેક કલાકમાં ભૂખ લાગે, ફરી ભોજન લઈએ અને જઠરાગ્નિ તેને પચાવે. આ એક સામાન્ય બાયોલોજીકલ ક્રમ છે. બીજી શક્તિ છે – આધ્યાત્મિક. શરીરને ઉપવાસમાં જયારે ભોજન ન મળે એટલે એ બે એક દિવસમાં પોતાની ગેયર બદલે છે. શારીરિક ભૂખની ગેયરમાંથી એ હવે ઉપવાસની ગેયરમાં આવે છે. ઠીક આ ક્ષણે તમે ધ્યાનસ્થ બની એના પર ધ્યાન કરો તો તમે આત્મા ભણી ગતિ કરી શકો છો. કેમ કે આવા સમયે આપણું ચિત્ત સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે. જે શક્તિ ભોજન કરવામાં અને પચાવામાં વપરાતી એ હવે કર્મ તોડવામાં વપરાશે. આ બદલાતી ગેયરને જોઈ શકવી એનું જ નામ છે ઉપવાસ. મહાવીર સ્વામી આ પ્રયોગો કરતા હતા. આ સાધના કરવા માટે શરીરની પણ એવી શક્તિ જોઈએ.
જૈન ધર્મમાં અનશનનો એક અર્થ સમાધિ મરણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. જેને સંથારો કહેવાય છે. વાસ્તવમાં સંથારાનો સંબંધ અનશન સાથે કે ભોજન છોડી દેવા સાથે છે જ નહિ. સંથારો એટલે પથારી. જયારે સાધક સમાધિ મરણની દશામાં હોય છે ત્યારે એનું શરીર સંપૂર્ણ વિશ્રામ દશામાં હોય છે અને ભીતરથી આત્મા પૂર્ણ જાગૃત અવસ્થામાં હોય છે. આવી સ્થિતિને સમાધિ મરણ પણ કહેવામાં આવે છે. સમાધિ મરણની ગહન દશામાં ભોજન છૂટી જાય એ વાત જુદી છે, પરંતુ ભોજન છોડી દેવું એટલું જ સમાધિ મરણ નથી. ભોજન છોડીને પણ અસમાધિ પૂર્વક મરી શકાય છે જો જીવ જાગૃત ન હોય તો, અને ભોજન કરતા કરતા પણ સમાધિ મરણનું વરણ કરી શકાય છે. લગભગ ઘણા લોકોના સંથારામાં એવું જોવા મળે છે કે એ ભોજનનો ત્યાગ કરી દે છે પણ મૃત્યુની અંતિમ દશામાં આત્મ જાગ્રતિ રહેતી હોતી નથી. ઘણીવાર તો ભોજન કરવાના ભાવમાં જ શરીર છૂટતું હોય છે. આ અનશન નથી કે સંથારો નથી, સમાધિ મરણ તો ઘણું દૂર છે.
સમાધિ મરણ એ જાગ્રત દશામાં મરવાની પ્રક્રિયા છે. આ જાગૃત દશા જાળવી રાખવામાં ભોજનનો ત્યાગ સહયોગી બની શકે છે, ન પણ બને. આ બધું નિર્ભર કરે છે વ્યક્તિની જાગૃતિ, આત્મ દશા અને અનાશક્તિ પર. આવો સંથારો કે સમાધિ મરણ સ્વીકારવું એ ગુરુની આજ્ઞા વિના સંભવ નથી. ગુરુ પણ એને જ આજ્ઞા આપશે જેની આવી ભાવ દશા હોય. આ સંથારો નાની વયે લેવાની શાસ્ત્રની આજ્ઞા નથી. જયારે આ શરીરથી ધર્મ દ્વારા આત્માનું કર્તવ્ય ન થતું હોય અને શરીર માત્ર બીજા માટે ભારભૂત હોય તો પોતાના વિવેકથી અને ગુરુ આજ્ઞાથી સંથારો કરવાની પરાવગી મળતી હોય છે. એટલે જ સંથારો અને આપઘાત બંને ભિન્ન પ્રક્રિયા છે. આપઘાત કોઈ ઈચ્છાની પૂર્તિ ન થવાના કારણે થતો હોય છે, જયારે સંથારો હવે કોઈ જ ઈચ્છા બાકી નથી રહી એટલે થતો હોય છે. આપઘાતમાં જીવનું મન અસન્તુષ્ટ હોય છે, સંથારામાં સાધકનું મન પૂર્ણ સંતુષ્ઠ હોય છે. આપઘાતમાં દ્વેષ અને આશક્તિ જીવતા હોય છે. સંથારામાં નથી કોઈના પ્રત્યે દ્વેષ રહેતો કે નથી કોઈ બાબતની અશક્તિ રહેતી. આપઘાતમાં ક્ષણિક આવેશ અને મૂર્ખતા હોય છે જયારે સંથારામાં પૂર્ણ વિવેક અને સમજણ હોય છે. આપઘાત કોઈને કોઈ ભૌતિક કારણે થતો હોય છે જયારે સંથારો ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્યે થતો હોય છે. આપઘાત કોઈની પણ સહમતી લીધા વિના થાય છે, સંથારામાં પરિવારની, ગુરુની સહમતી લીધા પછી જ થાય છે. આપઘાતની કોઈ ચોક્કસ જગ્યા નથી હોતી અને તેની કોઈને જાણ પણ નથી હોતી, સંથારાની જગ્યા અને તેની લોકોને પૂરી જાણકારી હોય છે. આમ, સંથારો એ આપઘાત નથી પરંતુ જાગૃત રીતે મૃત્યુને પામવાની આધ્યાત્મિક રીત છે.
આ સાધના કરવા માટે શરીરની પણ એવી શક્તિ જોઈએ. બધા જીવો ઉપવાસ ન કરી શકે. એન આપણાથી થાય તો પૂરો પ્રયાસ સંકલ્પ સાથે કરવો જોઈએ. પરંતુ ઉપવાસ ન જ થાય તો એ કરવાની જીદ્દ છોડી દેવી જોઈએ. ભગવાન મહાવીરથી આ થયું પણ બુદ્ધથી ન થયું. બુદ્ધે ખૂબ ઉપવાસો કર્યા, આખું શરીર કૃશ કરી નાખ્યું, કમજોરી એવી આવી કે વિચરણ ન કરી શકે. અંતે એમને એ માર્ગ છોડી દીધો અને ધ્યાનનો માર્ગ અપનાવ્યો. આપણે પણ પ્રયોગ કરીએ અને ઉપવાસ થાય તો ખૂબ સારું પણ ન થાય તો ખોટું દમન કરી શરીરને નષ્ટ કરવામા કોઈ સાર નથી. બીજા પણ માર્ગો પ્રભુ મહાવીરે બતાવ્યા છે, તેની ચર્ચા હવે પછી કરીશું.
પર્યુષણનો સંદેશ – સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
હજારોં મહેફિલે હો,લાખ મેલે હો।
પર જબ તક ખુદ સે ન મિલો, અકેલે હો।।
2016નું પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. તેનો સંદેશ છે – સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને ભૂલી જાય છે. પોતાને ભૂલનાર સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખાવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને ઓળખાવી એટલે મહત્વની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ટ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે એ શોધવાની હવે શરૂઆત ,પણ આપણા પાસે તો સદીઓથી છે. આપણે જો એ જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ કહેવાઈએ. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયાને મળો તો એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ બહારથી ડિસ કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વ નિમિત્તે શુભ કામના।
Part- 1: સંચિત્ત કર્મોથી મુક્ત કેમ થવું? સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
જીવનનું પરમ ધ્યેય છે – સિદ્ધિ. સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિ. સિદ્ધિ એટલે જન્મ મરણથી સદા માટેનો છુટકારો. સિદ્ધિ એટલે સમસ્ત કર્મોથી સદાને માટે મુક્તિ. સિદ્ધિ એટલે આત્મજ્ઞાનનું પ્રાગટ્ય થઇ જવું. આવી સિદ્ધિ પામવા માટે શુદ્ધિ જોઈએ. શુદ્ધિ વગર સિદ્ધિ નથી. શુદ્ધિ એટલે ઇન્દ્રિય અને મનના માલિક થવું. શુદ્ધિ એટલે સંચિત્ત કર્મોથી મુક્ત થવું. શુદ્ધિ એટલે આવેગો, વિકારો અને સંવેગોથી છુટકારો મેળવવો. આવી શુદ્ધિ મેળવવા માટે સાધના કરવી પડે. સાધના વગર શુદ્ધિ નથી. સાધના એટલે મન અને ભાવોને કેળવવાનો પ્રયોગાત્મક ઉપક્રમ. સાધના એટલે આત્માને જાણવાની આરાધના. સાધના એટલે પોતાનામાં સ્થિર થઇ પોતાને પામવાનો ધ્યાનનો સઘન પુરુષાર્થ કરવો. સાધના એટલે સંચિત્ત કર્મોથી મુક્ત થવાની પ્રાયોગિક પ્રક્રિયામાં પસાર થવું. આમ, સિદ્ધિ માટે શુદ્ધિ જોઈએ અને શુદ્ધિ માટે સાધના જોઈએ.
દરેક ધર્મ પરંપરામાં આવી સાધનાઓ બતાવી છે. સાધના જ ધર્મને પ્રાણવાન બનાવે છે. જે ધર્મમાં સાધના નથી એ ધર્મનું અસ્તિત્વ જોખમમાં છે. માત્ર ભક્તિ કે જડ ક્રિયાકાંડોથી ધર્મ પ્રાણવાન બનતો નથી. જૈન ધર્મમાં ભગવાન મહાવીરે આવી સાધના ઉપર સૌથી વધુ બળ આપ્યું છે. ભગવાન મહાવીરે સંચિત્ત કર્મોથી મુક્તિ માટેની બાર સાધનાઓ બતાવી છે. જૈન ધર્મમાં સંચિત્ત કર્મોને મુક્ત થવાને ‘નિર્જરા’ કહેવામાં આવે છે. આ સાધનામાં પ્રવેશ કરતા પહેલા આ નિર્જરા બાબત કે સંચિત્ત કર્મોની એક સામાન્ય સમજ મેળવી લઈએ. જૈન ધર્મમાં બે પ્રકારની નિર્જરા કહેવાય છે – સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા એટલે પોતાના સમયે જે કરેલા કર્મો ઉદયમાં આવે અને સારું નરસું ફળ આપે તેને સવિપાક નિર્જરા કહેવાય અને સલક્ષ્ય સાધના કરીને પ્રયત્ન પૂર્વક, કર્મ ઉદયમાં આવે તે પહેલા જે કર્મોની નિર્જરા કરવામાં આવે તેને અવિપાક નિર્જરા કહેવાય. સત્તામાં પડેલા પૂર્વ કર્મોને પોતાની સમજ અને આવડતથી એ ફળ આપે તે પહેલા જ તેને ભોગવી લેવા તે અવિપાક નિર્જરા છે.
જ્ઞાનીઓ સાધના દ્વારા અવિપાક નિર્જરા કરે છે અને અજ્ઞાનીઓ સવિપાક નિર્જરા કરે છે અને એ સવિપાક નિર્જરામાં જો સમતા ન રહે તો પાછા નવા અશુભ કર્મોનો બંધ થાય છે. મારા સંચિત્ત કર્મોના પરિપાક રૂપે મને કોઈ બીમારી આવી અને એ વખતે હું જો શાંત રહીને સમતા રાખું તો સવિપાક નિર્જરા થાય છે અને નવા કર્મો બંધાતા નથી પરંતુ જો એ વખતે સમતા ન રહે અને જો હું આર્ત્ત ધ્યાન કરું તો અનેક નવા અશુભ કર્મોનો બંધ થાય છે. એટલે કર્મોના ફળ વખતે સમતા રાખવી એ જ કર્મો ભોગવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અવિપાક નિર્જરા એટલે કર્મ ઉદયમાં આવે એ પહેલા સાધના દ્વારા પહેલેથી જ કર્મોને ઉદયમાં લાવી દેવા. ધ્યાન-સ્વાધ્યાય, ઉપવાસ, પ્રાયઃશ્ચિત્ત વગેરે સાધનાઓથી કર્મોને ભોગવ્યા વિના ઉદયમાં લાવી શકાય છે. ભગવાન મહાવીરે આવી અવિપાક નિર્જરા કરવાની બાર સાધનાઓ બતાવી છે. જેને બાર પ્રકારના તપ પણ કહેવાય છે.
સંચિત્ત કર્મોથી મુક્તિ માટેની પહેલી સાધના કે પહેલું તપ ‘અનશન’ છે. આ અનશન જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. અશન એટલે ભોજન અને અનશન એટલે ભોજનનો અભાવ, જેને ઉપવાસ પણ કહી શકાય. જૈનધર્મમાં એક અનશનમાં છત્રીસ કલાક એટલે કે બે રાત અને એક દિવસ સુધી ભોજનનો ત્યાગ કરવામાં આવે છે, ઘણા લોકો પાણીનો પણ ત્યાગ કરે છે. આ અનશન એક દિવસ માટે કે એકથી વધુ દિવસ માટે પણ કરી શકાય અને જીવનભર માટે પણ કરી શકાય. અનશન જો જીવનભર માટે થાય તો તેને સમાધિ મરણ કે સંથારો કહેવામાં આવે છે. એ શબ્દોનો ભાવ પણ સમજીશું પણ અત્યારે આપણે સામાન્ય અનશનના અર્થને સમજીએ.
અનશનમાં ચાર પ્રકારના ભોજનનો ત્યાગ થાય છે. એક – અશન એટલે કે એવું ભોજન જે ભૂખને ભાંગે. અંગ્રેજીમાં ડી.બી.આર.એસ. કહેવાય. એનો અર્થ થાય – દાળ, ભાત,રોટલી અને શાક. બે – પાન, પાન એટલે પાણી, ત્રણ – ખાદ્યમ એટલે ફળ અને સૂકો મેવો – ટ્રાયફ્રૂટ. ચાર – સ્વાદ્યમ એટલે મુખવાસ,ચટણી,એલચી, લવિંગ વગેરે. અનશનમાં આ ચારેયનો ત્યાગ કરવામાં આવે છે. આવું અનશન જયારે કર્મોથી મુક્તિના કે આત્મ શુદ્ધિના લક્ષ્યે થાય તો એ તપ કહેવાય છે. એમ ન થાય અને માત્ર આરોગ્યના હેતુથી ભૂખ્યું રહેવાય તો તેને લંઘન કહેવાય. નેચરોપેથીમાં આવું લંઘન કરવામાં આવે છે. ભૂખ્યા તો ભિખારીઓ પણ રહે છે, પરંતુ તે તપ નથી કેમ કે એમાં મજબૂરી છે, ભોજનનું મમત્વ પણ છે અને આત્મ શુદ્ધિનું લક્ષ્ય પણ નથી. આવું લંઘન તે તપ નથી. અનશન તે તપ છે અને આવું અનશન આત્મસ્થ ભાવથી થાય તો તે ઉપવાસ છે. અનશનમાં હજુ ધ્યાન ભોજન પર છે અને ઉપવાસમાં ધ્યાન આત્માભણી છે.
ભગવાન મહાવીરે પહેલું તપ કે સંચિત્ત કર્મોથી મુક્તિનું સાધન ‘અનશન’ બતાવ્યું. એ એટલા માટે કે જીવની પ્રબળ સંજ્ઞા આહારની છે. આ આહારની સંજ્ઞા જીવને આત્મસ્થ થવા દેતી નથી. માણસના મનના વિકલ્પમાં મોટા ભાગના વિકલ્પો તો આહાર સંબંધીના હોય છે. જમતા પહેલા આહારના અનેક વિકલ્પો, જમતી વખતે આહારના વિકલ્પો, અને જમ્યા પછી પણ ભોજનના પ્રતિભાવ રૂપે આહારના અનેક વિકલ્પો ચાલતા હોય છે. શરીરની જરૂરીયાત માટે જમવું તે આહાર છે અને આ આહાર અને એના મમત્વના વિચારો એ જ આહાર સંજ્ઞા છે. આ આહારની સંજ્ઞાને તોડવા માટે અનશન તપ છે. સામાન્ય રીતે જયારે ભોજન કરીએ છીએ ત્યારે જઠરાગ્નિ ભોજનને પચાવે છે. અનશનમાં જયારે જઠરાગ્નિને ભોજન નથી મળતું ત્યારે તે ચરબી અને દોષોને પચાવે છે. આવા સમયે જયારે હું તે ભૂખની વેદનાએ સમતા ભાવે અનુભવું છું ત્યારે ઉપવાસમાં પ્રવેશ થાય છે. અનશનમાં ભોજન છોડ્યું એ ભાવ હોય છે અને ઉપવાસમાં આત્મ અનુભવનો ભાવ હોય છે. અનશનથી કર્મ નિર્જરા થાય છે અને એ અનશન જયારે ઉપવાસમાં પરિણમે ત્યારે આત્મસ્થિરતા આવે છે.
કંટાળાનું આધ્યાત્મિક વિજ્ઞાન – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
કંટાળો એ માનવ જીવનની એક અદ્દભૂત અને આધ્યાત્મિક ઘટના છે. માત્ર માણસ પાસે કંટાળવાની ક્ષમતા છે, અન્ય કોઈ જીવ પાસે આવી ક્ષમતા નથી. કંટાળો માત્ર એટલું જ દર્શાવે છે કે તમે જીવનની વ્યર્થતા પ્રત્યે સભાન છો, જીવન માત્ર પરિવર્તનનું નિરંતર ચક્ર છે અને એ ચક્ર પ્રત્યે તમે સજાગ છો. તમે જીવનમાં કરવા અને ન કરવા યોગ્ય બધું જ કરી લીધું, પરંતુ કંઈ જ વળ્યું નહિ. તમે જીવનની બધી જ યાત્રાઓ કરી લીધી, પરંતુ એનાથી હાથમાં કશું જ નથી આવ્યું. કંટાળો એ જીવનમાં, જીવનની વ્યર્થતા અને અર્થ હિનતાની સમજણનો સૂર્યોદય થયો છે તેની પહેલી નિશાની છે.
આ કંટાળાના ભાવ પ્રત્યે બે પ્રકારે વર્તી શકાય. પહેલો પ્રકાર તો જે સામાન્ય માણસો કરે છે તે છે, જેમાં વ્યક્તિ કંટાળાથી પલાયન કરે છે,કંટાળાથી બચવાની કોશિશ કરે છે, એનાથી ભાગવાની, તેને દબાવાની કોશિશ કરે છે અથવા તેના પ્રત્યે આંખો મીંચી લેવાની કોશિશ કરે છે. જેથી કંટાળાની અનુભૂતિનો સામનો ન કરવો પડે. એટલા માટે જ ઘણા માણસો પોતાની જાતને એટલા વ્યસ્ત રાખે છે કે કંટાળો અનુભવાય નહિ. ઘણા લોકો દારૂમાં કે ડ્રગમાં ડૂબી કંટાળાના ફીલિંગને ભૂલી જવા માંગે છે. આ બધા માર્ગો છે કંટાળાથી દૂર જવાના, પરંતુ તમે ગમે એટલી કોશિશ કરો કંટાળાથી ભાગવાની, એનાથી ભાગી શકાતું નથી. તમે કંટાળાથી ક્ષણિક વાર માટે દૂર રહી શકો, પણ તેનાથી બચી તો ન જ શકો. તમે સિનેમા થિયેટરમાં બેસો કે મ્યુઝિક પાર્ટીઓ યોજો કે ધર્મ યાત્રાઓ કરો કે લાબું વેકેશન લ્યો પરંતુ વારંવાર કંટાળો એની હાજરી પૂરાવ્યા કરે છે અને એનો અવાજ વધુ ને વધુ ઊંચો થતો જાય છે. કંટાળો એક એવો ભાવ છે કે એનાથી કોઈ બચી શકતું નથી, બચવું જોઈએ પણ નહિ, કેમ કે આ માનવીના વિકાસનું એક અંગ છે, માટે તેનો સાહસથી સામનો કરવો જોઈએ.
કંટાળા પ્રત્યેનો બીજો પ્રતિભાવ છે કે એનો સામનો કરો. એના પર ધ્યાન કરો, એની સાથે રહો, એમાં મગન રહો. ભગવાન બુદ્ઘ એ જ તો કરતા હતા બોધી વૃક્ષની નીચે બેસીને અને ભગવાન મહાવીર એ જ કરતા હતા અશોક વૃક્ષની નીચે બેસીને. ઝેન ફકીરો અને સૂફી સંતો પણ આ જ તો કરતા હતા. વાસ્તવિકતાની નજરે જુઓ તો ધ્યાન શું છે? ધ્યાન છે કંટાળાનો સામનો કરવાની યૌગિક વિધિ. ધ્યાની ધ્યાન કરતી વખતે શું કરે છે? શાંત બેસે છે, મૌનમાં હોય છે અને આવતા જતા શ્વાસને જુએ છે. શું તમને એમ લાગે છે કે એમાં તેને આનંદ આવે છે? ના, વાસ્તવમાં એને એમાં કંટાળો આવે છે. અને કંટાળાથી બચવા ઘણા ધ્યાનમાં ઊંઘી જાય છે. એટલે ઝેન માસ્ટર પોતાની પાસે દંડો રાખે છે. કેમ કે ઘણા લોકો ધ્યાનમાં કંટાળો આવવાના કારણે ઊંઘી જાય છે. આ પણ એક માર્ગ છે કંટાળાથી બચવાનો. ઝેન માસ્ટર દંડો રાખે છે અને જેવો કોઈ સાધક કંટાળાથી બચવા ઊંઘ લે કે તરત એ તેની પીઠ પર દંડો મારે છે.
તમે જો આ કંટાળાના ભાવનો સામનો કરી શકો, તેનો સાક્ષાત્કાર કરી શકો તો અંદરની શાંતિનો અનુભવ થાય છે, અંદરની શૂન્યતાનો અનુભવ થાય છે અને પરિણામે ભીતરની શક્તિઓનો વિસ્ફોટ થાય છે. જે માણસ કંટાળાથી ભાગે છે એ પોતાની જાતથી ભાગે છે. કંટાળાનું સ્વાગત કરતા શીખો, તેને સ્વીકારતા શીખો.ધ્યાન કરવાનો સમગ્ર મર્મ આ જ છે. ઝેન આશ્રમોમાં આ જ શીખવવામાં આવે છે. સવારે વહેલા ઉઠવાનું, ન્હાવાનું, એ જ આસનમાં ધ્યાનમાં બેસવાનું, એ જ ચાય પીવાની, એ જ જમવાનું, એ જ માસ્ટર હાથમાં દંડો લઈને ફરતા જોવા મળે, અને વર્ષો સુધી આ એકનું એક રૂટિન ચાલ્યા કરે, સાધક કંટાળી જાય, પણ આ બધું કંટાળવા માટે જ છે. આ કંટાળાથી સાધક બચી ના શકે, બચવાનો કોઈ ઉપાય જ નથી. તમે સિનેમા જોવા ન જઈ શકો, ટેલિવિઝન ન જોઈ શકો, કંટાળાથી બચવાનો કોઈ ઉપાય જ ત્યાં નથી. આ બહુ મોટી હિંમતનું કામ છે. આ મૃત્યુ કરતા પણ મોટી ઘટના છે. મૃત્યુમાં તો તમે બેહોશ થઇ જાઓ છો. આમા તો હોશમાં રહેવાનું છે. પરંતુ આ કંટાળા પ્રત્યેનું અંતિમ હોશ જ પરિવર્તન, જાગૃતિ, આત્મ જ્ઞાન, સમાધિ અને સતોરીનું કારણ બને છે. આવું બને પછી કોઈ કંટાળો રહેતો નથી.
આ કંટાળો એક આધ્યાત્મિક ઘટના છે. એટલે કોઈ પશુને કંટાળો નથી આવતો. એ સંપૂર્ણ રીતે જે છે એનાથી સંતુષ્ટ છે. માનવ અને એમાં પણ જે બુદ્ધિશાળી છે,પ્રતિભાવાન છે, એ જ કંટાળી શકે છે. તમે અનુભવ કર્યો હશે અને જોયું હશે કે જે બાળક વધારે બુદ્ધિશાળી છે એ બહુ જલ્દી કંટાળે છે. એ ક્યારેય શાંતિથી રિલેસ્ડ બેસી શકશે નહિ, તરત કહેશે કે હવે આગળ છું. મેં અમેરિકામાં જોયું છે બાળકોને જરાક નવરા પાડો એટલે એ કંટાળવા લાગે છે. એને વ્યસ્ત રાખવાના પ્રોગ્રામો કરવા પડે છે. મહાવીર અને બુદ્ધ એમની યુવાનીમાં જ ભયંકર રીતે કંટાળી ગયા હતા, એ જ રાજ્ય, એ જ રાણીઓ,એ જ ધન,એ જ મહેલ અને આ બધું એમને બેચૈન કરી મૂકતું હતું. એ બેચૈની વૈરાગ્યનું કારણ બન્યું અને સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. મૂર્ખ માણસો ક્યારેય કંટાળતા નથી. એ નોકરી કરીને, ધંધો કરીને, બેન્ક બેલેન્સ બનાવીને, છોકરાઓને મોટા કરવામાં જ સંતુષ્ટ છે. એ નવી કાર ખરીદશે, નવા મકાનો ખરીદશે, નવા ધંધાઓ કરશે, બહારથી વિષયો બદલ્યા કરશે, જેથી એને કંટાળો ના આવે. પરંતુ આ બધું ક્યાં સુધી? આ પલાયન વૃત્તિ છે. એનામાં અને પશુઓમાં કોઈ ગુણાત્મક ફરક નથી, માત્ર થોડો માત્રા ભેદ છે. માણસનું માણસ બનવાનું ગૌરવ ત્યારે જ છે કે એને કંટાળાની અનુભૂતિ થાય છે.
આ વળાંક ઉપર જ અધ્યાત્મનો માર્ગ ખુલે છે. કંટાળાની ફીલિંગથી મુક્ત થવું હોય તો કેટલાક ઉપાયો સૂચવી શકાય. એક – વર્તમાનમાં જીવો, ભૂત ભવિષ્યની વ્યર્થ કલ્પનાઓ કરવાનું છોડો. બે – ચહેરા પરના અને ચિત્ત પરના બધા મોહરા ઉતારી નાખો. ખૂબ અઘરું છે આમ કરવું પરંતુ બીજો કોઈ જ વિકલ્પ નથી. કમસે કમ જેવા બહાર દેખાવ છો એવા તો અંદરથી હોવાનો પ્રયાસ કરો. ત્રણ – કંટાળાથી ભાગો નહિ, કંટાળાના અંતિમ બિંદુ સુધી પહોંચો. ભૌતિકતાની વ્યર્થતા આત્મ જ્ઞાનનો દ્વાર ખોલશે. ચાર – જે કરો તેમાં પૂરેપૂરા ડૂબી જાઓ. પ્રવૃત્તિ અને તમે બંને એકમેક થઇ જાઓ, એ પ્રવૃત્તિને જ ધ્યાન બનાવી લ્યો. જે કરો એ પહેલીવાર કરતા હોય એ મનોવૃત્તિથી, એ ભાવથી કરો. બહેનો એકને એક ઘર કામ, રસોઈ કરે છે અને કંટાળી જાય છે, પરંતુ એ પ્રવૃત્તિમાં જાગૃતિ રહેશે અને નવાપણાનો ભાવ રહેશે તો કંટાળો નહિ આવે. આ જ છે કંટાળાનું આધ્યાત્મિક વિજ્ઞાન.
What Exactly is Boredom?
Feb 20, 2019
A great spiritual phenomenon. That’s why buffaloes are not bored; they look perfectly happy and enjoying. Only man is bored. And in man, also, only the people who are very talented, intelligent, they are bored. The stupid people are not bored. They are perfectly happy doing their jobs, earning money, making a bigger bank balance, raising their children, reproducing, eating, sitting in the movie, going to the hotel, participating in this and that. They are enjoying! They are not bored. They are the lowest types; they really belong to the world of buffaloes. They are not yet human.
A man becomes human when he starts feeling bored. You can see it: the most intelligent child will be the most bored child – because nothing can keep his interest for long. Sooner or later he stumbles upon the fact and asks, “Now what? What next? This is finished. I have seen this toy, I have looked into it, I have opened it, I have analyzed it, now I am finished – what is next?” SOON he starts finishing things. By the time he becomes young, he is already bored.
Buddha was utterly bored. He left his kingdom when he was only twenty-nine, at the peak of his youth. He was utterly bored – with women, with wine, with wealth, with kingdom, with everything.
He had seen all, he had seen through and through. He was bored. He renounced the world NOT because the world is wrong, remember. Traditionally it is said he renounced the world because the world is bad – that is absolute nonsense. He renounced the world because he became so BORED with it.
It is not bad, neither is it good. If you are intelligent, it is boredom. If you are stupid, you can go on. Then it is a merry-go-round; then you move from one sensation to another. You are interested in trivia and you go on repeating and you are not conscious enough to see the repetition – that yesterday also you had been doing this, and today also you are doing, and again you are imagining tomorrow to do the same thing again. You must be really unintelligent. How can intelligence avoid boredom? It is impossible. Intelligence means seeing things as they are.
Buddha left the world out of boredom; utterly bored, he ran away from the world. And what was he doing them for six years sitting in those forests? He was getting more and more bored. What can you do, sitting in a forest? – watching your breath, looking at your navel, day in, day out, year in, year out. He created that boredom to its ultimate peak, and one night it disappeared. It disappears of its own accord.
If you reach to the peak… the turn comes. It comes! And with that turn of the tide, light enters into your being – you disappear, only light remains. And with light comes delight You are full of joy – you ARE NOT, but full of joy – for no reason at all. Joy simply bubbles up in your being.
The ordinary person is joyous for a reason – he has fallen in love with a new woman or a new man and he is joyous. His joy is momentary. Tomorrow he will be fed up with this woman and he will start looking for another. The ordinary man is joyous because he has got a new car; tomorrow he will have to look for another car. It goes on and on… and he never sees the point of it, that always, finally, you are bored. Do whatsoever – finally you are bored. Every act brings boredom.
How to deal with Boredom?
Feb 20, 2019
BOREDOM IS ONE OF THE MOST IMPORTANT THINGS IN HUMAN LIFE. Only man is capable of boredom; no other animal is capable of being bored. Boredom simply shows that you are becoming aware of the futility of life, its constant repetitive wheel. You have done all those things before – nothing happens. You have been into all those trips before – nothing comes out of it. Boredom is the first indication that a great understanding is arising in you about the futility, meaninglessness, of life and its ways.
Now, you can respond to boredom in two ways. one is what is ordinarily done: escape from it, avoid it, don’t look eye to eye into it, don’t encounter it. Keep it at your back; and run away; run into things which can occupy you, which can become obsessions; which take you so far away from the realities of life that you never see boredom arising again .
That’s why people have invented alcohol, drugs. They are ways to escape from boredom. But you cannot really escape; you can only avoid for a while. Again and again the boredom will be coming, and again and again it will be more and more loud. You can escape in sex, in eating too much, in music – in a thousand and one kinds of things you can escape. But again and again the boredom will arise. It is not something that can be avoided; it is part of human growth. It has to be faced.
The other response is to face it, to meditate on it, to be with it, to be it. That’s what Buddha was doing under the Bodhi Tree – that’s what all Zen people have been doing down the ages. What exactly is meditation? Facing boredom is meditation. What does a meditator go on doing? Sitting silently, looking at his own navel, or watching his breathing, do you think he is being entertained by these things? He is utterly bored! That’s why the Zen master moves with a stick in his hand – because those bored people are bound to fall asleep. There is no other escape, so only one escape is left: at Least they can fall asleep.
If you go on looking into boredom without escaping the explosion comes. One day, suddenly, looking deep into boredom, you penetrate your own nothingness. Boredom is just the cover, the container in which is contained your inner nothingness. If you escape from boredom, you are escaping from your own nothingness. If you don’t escape from boredom, if you start living with it, if you start accepting it, welcoming it…. That’s what meditation is all about: welcoming boredom, going into it on one’s own; not waiting for it to come but searching for it.
હે ભગવાન ! મારી સાથે જ આવું કેમ ? – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
અમેરિકામાં એક ભારતીય બહેન મારી પાસે આવી. એને શરીરમાં અનેક જગ્યાએ સફેદ દાગ હતા અને એનાથી એ ખૂબ પરેશાન હતી. ધરમ બરમમાં પહેલાં ખૂબ માનતી હતી પણ જ્યારથી આ દાગની બીમારી થઇ ત્યારથી ધર્મ સાથે છેડો ફાડી નાખ્યો હતો. સમાજમાં પણ આવવા જવાનું લાજ શરમના કારણે બંધ કરી દીધું હતું. મેં એને મળવાનો સમય આપ્યો અને મારી પાસે આવે છે. મેં એને પૂછ્યું કે બોલો. તો મને કે સમણ્જી ! ભગવાને આવું મારી સાથે જ કેમ કર્યું? તમે તો ભગવાનની નજીક છો, એટલે સાચું કહેજો. મારો એવો શું વાંક કે મારી સાથે આવો અન્યાય થાય છે? બહેનનું મન ભારે અસ્થિર હતું અને ચહેરા ઉપર ભારે ચિન્તા વર્તાતી હતી. મેં બહેનને પૂરા ધ્યાનથી સાંભળ્યા કેમ કે મગજમાં ફરિયાદોનું ભૂત સવાર હતું. જયારે એનો મનનો કચરો બહાર નીકળી ગયો એટલે મેં એને કેટલીક વાતો સમજાવી.
મેં કહ્યું કે ‘ આવું બને એટલે સ્વાભાવિક છે કે દરેકને દુઃખ તો થાય જ. કેમકે ન ધારેલું થાય એટલે આપણે તેને સ્વીકારી ન શકીએ. તમને પણ દુઃખ થાય એ હું સમજી શકું છું. તમને નહિ, મને પણ આવું થાય તો એકવાર તો હું પણ અંદરથી હલી જાઉં. પરંતુ માણસે જો આવા દુઃખમાંથી મુક્ત થવું હોય તો સાચી સમજ કેળવવી પડે. સમજ એ કેળવવી પડે કે ‘ ઘટના સાથે લડવાથી કોઈ લાભ નથી થવાનો, ઘટનાએ સ્વીકારતા આવડવું જોઈએ. શારીરિક મુશ્કેલીના દુઃખ કરતા એને ન સ્વીકારવાનું માનસિક દુઃખ વધુ ભયાનક હોય છે. આવી સ્થિતિમાં સ્વીકાર એ જ સાચું સમાધાન છે. જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી એના માટે ચિંતામાં દિવસો બગાડવા અને નવા દુઃખો ઉભા કરવા એના કરતા એને મનથી સ્વીકારવાની સમજ કેળવવી જ જોઈએ. પરંતુ આવી સમજ દરેકમાં હોતી નથી. જેનામાં હોય છે એ આનંદમાં જીવે છે અને આવી સમજ નથી હોતી એ વ્યર્થના જીવનભર દુઃખી રહે છે.
બીજી વાત મેં એમને કહી કે આમાં વચ્ચે ભગવાનને લાવવાની જરૂર નથી. માણસની એક એવી વિચિત્ર ટેવ હોય છે કે, ‘ કંઈક પણ ખરાબ થાય એટલે ભગવાને મારી સાથે આવું કેમ કર્યું?’ પોતાનું દુઃખ ભગવાન ઉપર નાખી દેવાથી ભગવાનને કશો ફરક નથી પડતો પરંતુ આપણે જીવનભર અંધારામાં ભટકીએ છીએ. કર્મો મારા ખરાબ હોય એમાં ભગવાન શું કરે? માણસનો સ્વભાવ હોય છે કે એને દુઃખની જવાબદારી પોતાના પર નથી લેવી હોતી, એટલે એ બધો અપયશનો ભાર ભગવાનના માથે ચઢાવે છે. આ નર્યું અજ્ઞાન છે. મારા ખરાબ કર્મોની જવાબદારી મારી છે, મારા સુખ દુઃખ મારા કર્મોથી મળે છે, એ ભગવાન નથી આપતો. મેં એ બહેનની પૂરી વિનમ્રતા સાથે કહ્યું કે, ‘ માત્ર આ સફેદ દાગની જ નહિ, જીવનમાં જે પણ દુઃખ આવે છે, એના માટે માત્ર અને માત્ર હું જ પોતે જવાબદાર છું, અન્ય કોઈ નહિ. પરિપક્વ માણસ એ છે જે પોતાના દુઃખ માટે અન્ય કોઈને પણ કારણ નથી માનતો. આ મારા જ કોઈ અશુભ કર્મોનું ફળ છે અને તે સૂરવીરતા પૂર્વક ભોગવવાનું છે. પોતાની જાતને પણ લાચાર અને દુર્ભાગી સમજવાની જરૂર નથી.
ત્રીજી વાત મેં એમને સમજાવી કે ‘ તું કહે છે ને કે મારી સાથે જ કેમ થયું ?’ મેં કહ્યું કે તું ઈચ્છે છે કે આવું બીજા સાથે પણ થાય? શું બીજાને થવાથી તારું દુઃખ ઓછું થઇ જશે? અને મેં કહ્યું કે ‘ તારા જેવા સફેદ દાગની સમસ્યા તો હજારોને છે, તું એકલી જ નથી. અને બીજાને હોય કે ન હોય એમાં તને શું ફરક પડશે? તું જયારે એમ કહે છે કે મને જ કેમ – એ તારું અજ્ઞાન અને તારો અહંકાર છે. પ્રાર્થના તો એ કરવી જોઈએ કે જે મને થયું છે એવું કોઈને ન થાઓ. ઉલટું વિચારવું જોઈએ કે ‘ આ મારા જ કર્મોનું ફળ છે, અને સારું થયું આ માનવભવમાં જ કર્મો આ કર્મ ભોગવી લીધું. હસતા મોઢે સ્વીકારી લેશો તો સંચિત્ત કર્મોથી મુક્તિ મળી જશે, નહીંતર પાછું બીજા ભવમાં પણ આ કર્મો કૅરી ફોરવર્ડ થશે.
મેં એને ચોથી વાત સમજાવી કે ‘ આપણા જીવનમાં ઘણું બધું સારું પણ થાય છે, ત્યારે આપણે કેમ નથી કહેતા કે મારી સાથે જ કેમ?’ મેં આ વાત સમજાવતા એક ઉદાહરણ આપ્યું. એક પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર થઇ ગયો જેનું નામ – અર્થર એશ. દુનિયાનો આ પહેલો બ્લેક ટેનિસ પ્લેયર હતો. જે 1975 માં વિમ્બલ્ડન જીત્યો હતો. ટેનિસની દુનિયાની આ એક અનહોની ઘટના છે. એ ખૂબ પ્રસિદ્ધ થયો. ખૂબ નામના મેળવી. સ્વભાવે પણ ખૂબ મજાનો માણસ હતો. પણ વિધિનું કરવું કે ‘ અચાનક એને એઇડ્સ નીકળ્યો. જો કે એમાં સીધો વાંક એનો નહોતો. એને કાંઈ ખોટું પણ નહોતું કર્યું. બ્લડ ટ્રાન્સફયુશન કરવામાં એઇડ્સના રોગે હુમલો કર્યો. અનેક લોકો અને એના ચાહકો દુઃખી થયા.
આવા સમયે એનો એક જીગરી મિત્ર હતો એને આ ન ગમ્યું. એને એના મિત્રને કહ્યું કે, ‘ ભગવાને તારી સાથે આવું કરીને અન્યાય કર્યો છે. તારી સાથે જે થયું તે યોગ્ય નથી થયું? ત્યારે બ્લેક ટેનિસ પ્લેયર અર્થર એશ ખૂબ સુંદર જવાબ આપે છે. એ કહે છે : ‘આખી દુનિયામાં પચાસ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરુ કરે છે.એમાં પચાસ લાખ ટેનિસ રમવાનું શીખી લે છે. એમાંય પાંચ લાખ લોકો ટેનિસને પોતાનું પ્રોફેશન બનાવે છે. એમાંથી પચાસ હજાર ટેનિસ પ્લેયર સર્કિટ સુધી પહોંચે છે. એમાંથી પાંચ હજાર ગ્રાન્ડ સ્લામ સુધી પહોંચે છે અને ખૂબ મુશ્કેલીથી માત્ર પચાસ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી ચાર સેમી ફાઇનલમાં અને માત્ર બે ફાઇનલમાં પહોંચે છે.અને એ બેમાં જયારે હું એક જ એવો છું જેના હાથમાં ટેનિસની દુનિયાનો શ્રેષ્ઠ પુરસ્કાર કપ છે. અને ‘ આઈ નેવર આસ્ક્ડ ગોડ – ‘વાય મી’? મેં ભગવાનને ક્યારેય નથી કહ્યું કે ભગવાન પચાસ કરોડ ટેનિસ પ્લેયરમાંથી એક મારા જ હાથમાં આ કપ કેમ? આ સફળતાનો શ્રેય મને જ કેમ? અને આજે જયારે હું આ દર્દમાં છું તો હું કેવી રીતે ભગવાનને ફરિયાદ કરી શકું કે મને જ કેમ? કોઈ પહોંચેલો ધાર્મિક માણસ પણ જે સંદેશ ન આપી શકે એવો એક અદ્ભૂત સંદેશ દુનિયાને આ વ્યક્તિએ આપ્યો છે.
આપણે સુખમાં નથી કહેતા કે ભગવાન આ સુખ મને જ કેમ? આપણે સફળતાનાં ટોચે પહોંચીએ તો પણ નથી કહેતા કે આ સફળતા મને જ કેમ? જીવનમાં હજારો ઘટનાઓ સારી બને છે ત્યારે કેમ નથી કહેતા કે ભગવાન આવું મારી સાથે જ કેમ? અને જરાક અમથું દુઃખ આવે એમાં તો ભાંગી પડીયે છીએ.આવા સમયે આપણી કૃતજ્ઞતા અને સમજણ ક્યાં સૂઈ જાય છે? રામને ચૌદ વરસનો વનવાસ થયો ત્યારે એમને કે ન કહ્યું કે મારી સાથે જ કેમ? મહાવીરના કાનમાં કિલા ભોંકાયા ત્યારે એમને કેમ ન કહ્યું કે મને જ આ કેમ? ગાંધીજીને જેલમાં નાખવામાં આવે છે ત્યારે એ કેમ નથી કહેતા કે મારી સાથે ભગવાન આ તું શું કરે છે? ભગવાન ઈસુને જયારે સુળી પર લટકાવે છે ત્યારે એ કેમ એમ નથી કહેતા કે ‘ મારી સાથે આ અન્યાય કેમ?’ અને આપણે આ મહાપુરુષની પૂજા અને અર્ચના કરીએ છીએ અને આશીર્વાદ માંગીએ છીએ. એમણે જે કર્યું એ નથી કરવું અને મફતમાં આશીર્વાદ લઈને સદા સુખી રહેવાનું વરદાન જોઈએ છે. આપણે એમના જીવનમાંથી શીખવું જોઈએ અને એ જે પંથે ગયા એ પંથ ઉપર બે ચાર ડગલાં માંડવા જોઈએ.આજથી સંકલ્પ કરીયે કે ક્યારેય એવો પ્રશ્ન અને ફરિયાદ નહિ કરીયે કે મારી સાથે જ કેમ? મારી સાથે જે થાય છે, એમાં પણ મારુ કંઈક હિત જ હશે.જે મળ્યું છે એનો આભાર માનવાનો છે, નથી મળ્યું એની ફરિયાદ નથી કરવાની. આપણે સુખમાં ક્યારે નથી કહેતા કે મારી સાથે કેમ તો દુઃખમાં શા માટે ફરિયાદ કરવી કે મારી સાથે જ કેમ?
વિગન ધર્મ – સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
ગઈ કાલે હું ફ્લોરિડાના ટેમ્પા શહેરથી સાઉથ વેસ્ટ ફલાઈટમાં મેમફીસ આવતો હતો. મારી બાજુની સીટમાં કોઈ અમેરિકન ભાઈ હતા. ખૂબ હસમુખ સ્વભાવના હતા. એણે કૉફીનો ઓર્ડર આપ્યો પણ કહ્યું કે ‘દૂધ ન નાખતા. મેં પૂછ્યું કે આપ વિગન છો?’ મને કે પ્રયત્ન કરું છું. પછી બધી વાત કરતા એણે મને કહ્યું કે ,’ મારી 16 વર્ષની દીકરી વિગન છે.’ મેં કહ્યું કેમ વિગન? તો કે ત્રણ કારણ મારી દીકરી મને આપે છે – આરોગ્યના કારણે, ગાયો સાથેની ક્રુરતાના કારણે અને પર્યાવરણની રક્ષા માટે. મને એ ભાઈ કહે કે, મારી દીકરી મધ પણ નથી વાપરતી. મને પણ નવાઈ લાગી. એ ભાઈએ મને કહ્યું કે, એનો આગ્રહ હોય છે કે એ ઘરમાં અઠવાડિયામાં બે દિવસ એ અમારા બધા માટે ભોજન બનાવે. મેં પૂછ્યું આવું કેમ? તો કે એટલા માટે કે એ બહાને અમે પણ બે દિવસ વિગન ધર્મ પાળીએને એટલે. પછી મેં જૈન ધર્મની વાત કરી અને કહ્યું કે અમે તો કાંદા,બટાકા અને લસણ પણ નથી ખાતા. આ સાંભળી એની આંખો પહોળી થઇ ગઈ. મને કે are you kidding? મેં કહ્યું ના, આ હકીકત છે. અમે લેધર વાળી વસ્તુઓ પણ નથી વાપરતા. મને એ હાથ જોડીને પ્રણામ કરવા લાગ્યા અને કહે – great. હું મારી દીકરીને જઈને તમારી વાત કરીશ. અને છેલ્લે જતા જતા એણે મારી પાસેથી જૈનધર્મની site માંગી અને અમે બંને એકબીજાથી છુટા પડ્યા.
—
Thank you
ભૂલ આપણી જ હતી.
Feb 20, 2019
એક યુવતીની આ વાત છે. બહારગામ જવા માટે એ એરપોર્ટ પર પહોંચી. ફ્લાઇટને હજુ વાર હતી. તેને ભૂખ લાગી હતી. એરપોર્ટ પરની ફૂડ શોપમાંથી તેણે કૂકીઝનું એક પેકેટ લીધું. ટાઇમ પાસ કરવા એક ન્યૂઝપેપર ખરીદ્યુ. એક ટેબલ સાથેની ચેર પર એ બેઠી અને ન્યૂઝપેપર વાંચવા લાગી. થોડા જ સમયમાં બાજુની ચેર પર એક યુવાન આવીને બેઠો. યુવતીએ જોયું તો એ યુવાન ટેબલ પર કૂકીઝનું પેકેટ ખોલીને ખાવા લાગ્યો. યુવતીને થયું કે જબરો બદતમીઝ માણસ છે. મેનર્સ જેવું તો કંઈ છે જ નહીં. મારી કૂકીઝ ખાવા લાગ્યો અને મને પૂછતો પણ નથી. આવા માણસને જરાયે વતાવાય નહીં. યુવતીને થયું કે હવે હું તો કૂકીઝ ખાઉં, નહીંતર આ માણસ બધી જ કૂકીઝ ખાઈ જશે. તેણે પેકેટમાંથી એક કૂકી લીધી. પેલા માણસે પણ એક લીધી. યુવતીએ પણ બીજી કૂકી લીધી. બંને વારાફરતી ખાતાં રહ્યાં. છેલ્લે એક કૂકી વધી. પેલા યુવાને એ કૂકી લઈ લીધી. એટલું જ નહીં, કૂકી અડધી કરીને યુવતીને આપી. યુવતીને થઈ ગયું કે નક્કી આ માણસ બદમાશ છે. તેણે અડધી કૂકી લઈ તો લીધી પણ એક શબ્દેય પેલા યુવાનને ન કહ્યો. થોડી વાર પછી પેલો યુવાન ઊભો થઈને ચાલ્યો ગયો. યુવતીને થયું કે હાશ એક જોખમ ટળ્યું. ફ્લાઇટનો ટાઇમ થાય ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહી.
એક યુવતીની આ વાત છે. બહારગામ જવા માટે એ એરપોર્ટ પર પહોંચી. ફ્લાઇટને હજુ વાર હતી. તેને ભૂખ લાગી હતી. એરપોર્ટ પરની ફૂડ શોપમાંથી તેણે કૂકીઝનું એક પેકેટ લીધું. ટાઇમ પાસ કરવા એક ન્યૂઝપેપર ખરીદ્યુ. એક ટેબલ સાથેની ચેર પર એ બેઠી અને ન્યૂઝપેપર વાંચવા લાગી. થોડા જ સમયમાં બાજુની ચેર પર એક યુવાન આવીને બેઠો. યુવતીએ જોયું તો એ યુવાન ટેબલ પર કૂકીઝનું પેકેટ ખોલીને ખાવા લાગ્યો. યુવતીને થયું કે જબરો બદતમીઝ માણસ છે. મેનર્સ જેવું તો કંઈ છે જ નહીં. મારી કૂકીઝ ખાવા લાગ્યો અને મને પૂછતો પણ નથી. આવા માણસને જરાયે વતાવાય નહીં. યુવતીને થયું કે હવે હું તો કૂકીઝ ખાઉં, નહીંતર આ માણસ બધી જ કૂકીઝ ખાઈ જશે. તેણે પેકેટમાંથી એક કૂકી લીધી. પેલા માણસે પણ એક લીધી. યુવતીએ પણ બીજી કૂકી લીધી. બંને વારાફરતી ખાતાં રહ્યાં. છેલ્લે એક કૂકી વધી. પેલા યુવાને એ કૂકી લઈ લીધી. એટલું જ નહીં, કૂકી અડધી કરીને યુવતીને આપી. યુવતીને થઈ ગયું કે નક્કી આ માણસ બદમાશ છે. તેણે અડધી કૂકી લઈ તો લીધી પણ એક શબ્દેય પેલા યુવાનને ન કહ્યો. થોડી વાર પછી પેલો યુવાન ઊભો થઈને ચાલ્યો ગયો. યુવતીને થયું કે હાશ એક જોખમ ટળ્યું. ફ્લાઇટનો ટાઇમ થાય ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહી.
ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું એટલે એ યુવતી ઊભી થઈ. ન્યૂઝપેપરની ઘડી કરીને એ પોતાના પર્સમાં મૂકવા ગઈ. પર્સમાં જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ. એનું કૂકીઝનું પેકેટ તો પર્સમાં જ હતું! એને સમજાયું કે પેલો યુવાન મારી કૂકીઝ નહોતો ખાતો પણ હું જ એની કૂકીઝ ખાતી હતી. એ બિચારો તો કંઈ જ ન બોલ્યો અને હું તેના વિશે કેવું કેવું ખરાબ વિચારતી હતી! છેલ્લે તો એણે મને અડધી કૂકી પણ આપી. એ દોડીને એને શોધવા ગઈ પણ પેલો યુવાન ક્યાંય ન મળ્યો! યુવતીએ આ વાત તેની ફ્રેન્ડને કરી. તેની ફ્રેન્ડે કહ્યું કે, તને જ્યારે લાગ્યું કે એ તારી કૂકીઝ ખાઈ રહ્યો છે ત્યારે જ તેં કેમ કંઈ વાત ન કરી? આપણો પ્રોબ્લેમ એ જ હોય છે કે જ્યારે જે કરવું જોઈએ એ કરતાં નથી. ઘણું બધું માની લઈએ છીએ. ધારી લઈએ છીએ. બીજી બાજુનો વિચાર જ નથી કરતા. છેલ્લે આપણને થાય છે કે ભૂલ આપણી જ હતી.
સમ્યક દર્શનનું સમ્યક દર્શન – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
એક ધનવાને આલીશાન મકાન ખરીદ્યુ. ખૂબ સુખ અને ખુશીનો અનુભવ થયો. થોડા સમયમાં એ મકાનમાં આગ લાગી. એ ધનવાનની આંખોની સામે મકાન બળવા લાગ્યું. ધનવાન જોર જોરથી રોવા લાગ્યો. એટલામાં મોટો દીકરો આવે છે અને પૂછે છે કે પાપા આપ કેમ રોવો છો? તો કે રોવું નહિ તો શું કરું, દેખાતું નથી તને કે આપણું મકાન બળી રહ્યું છે. દીકરાએ કહ્યું પણ પાપા આ મકાન બળતા પહેલા જ વેંચી દીધું છે. બાપ કહે હૈ, શું વાત કરે છે? હા પાપા આ મકાન હવે આપણું નથી. બાપનું દુઃખ અચાનક ચાલ્યું ગયું અને વિચારે છે કે તો તો મકાન ભલે બડે, કંઈ વાંધો નહિ. મકાન હજુ પણ આંખોની સામે બળી રહ્યું છે પણ હવે દુઃખ નથી થતું, ઉલ્ટાનું સુખ લાગે છે. એટલામાં બીજો દીકરો આવ્યો અને કહે છે પાપા મકાન વેંચી દીધું એ વાત સાચી પણ હજુ સોદો પાકો નથી થયો, માત્ર મૌખિક વાત જ થઇ હતી, આટલું સાંભળતા ફરી પાછું જોર જોરથી રોવાનું ચાલુ થયું. હવે તો મકાન વધુ બળી ગયું હતું અને કોઈ હવે બાપાને ચૂપ રાખનાર નથી.
એટલામાં ત્રીજો દીકરો આવે છે ને કહે છે પાપા કેમ રોવો છો, આ મકાન તો વેંચાઈ ગયું છે અને મારી પાસે જુઓ આ ચેક પણ આવી ગયો છે. બાપા કે શું વાત કરે છે? અચાનક આંખોમાં સુખની ચમક આવી ગઈ અને રોવાનું બંધ થઇ ગયું. એટલામાં ચોથા નંબરનો દીકરો આવ્યો અને કહ્યું પાપા આપણું મકાન બળી રહ્યું છે અને તમને કંઈ નથી થતું? બાપા કે થતું હતું પણ આ મકાન વેંચી દીધું છે એટલે એ હવે આપણી માલિકીનું નથી રહ્યું અને આપણી પાસે ચેક પણ આવી ગયો છે. અને બાપા એને ચેક બતાવે છે. ચેક જોઈને દીકરો કહે છે પણ પાપા આ ચેક તો જૂની તારીખનો છે. આ ચેક હવે વટાવી નહિ શકાય. આટલું સાંભળતા જ પાછું રોવાનું ચાલુ. શું થયું હકીકતમાં? જયારે જયારે બાપાએ માન્યું કે મકાન મારુ છે ત્યારે ત્યારે દુઃખી થયા અને જયારે માન્યુ કે મકાન મારુ નથી ત્યારે દુઃખ મુક્ત થયા.
કોઈ પણ વસ્તુને મારી માનવી અને એમાં દુઃખી થવું એ મિથ્યાત્વ છે અને એ ઘટનાને પોતાનાથી અન્ય માનવી અને એમાં તટસ્થ રહેવું એ સમ્યક્ત્વ છે. આજે આ સમ્યક દર્શનના સમ્યક દર્શન પર વિચાર કરીએ. આ વિષય ખૂબ ગહન છે પરંતુ અનિવાર્ય છે. ભગવાન મહાવીર અને બુદ્ધની સાધના પદ્ધતિનો આ પારિભાષિક શબ્દ છે. જેમ એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી એમ અધ્યાત્મના જગતમાં સમ્યક દર્શન વિનાની કોઈ પણ શુભ ક્રિયાની કોઈ કિંમત નથી. જૈન શાસ્ત્ર શંખનાદ કરે છે આપણે આપણે અનંત જન્મોમાં અનેકવાર શુભ ક્રિયાઓ કરી પણ આ બધું જ આત્મ ભાવના લક્ષ્ય વિના કર્યું એટલે કામ ના થયું. આપણે પહેલા સમજી લઈએ કે આધ્યાત્મિક જીવનનું ધ્યેય શું છે? મુક્તિ એ દરેક ભાવિક જીવનું ધ્યેય છે. જેને આપણે મોક્ષ કહીએ છીએ. મોક્ષ એટલે આત્માની અત્યંત શુદ્ધ દશાનો અનુભવ કરવો. મોક્ષનો સંબંધ એકાંતે સિદ્ધશિલા સાથે નથી. કેમ કે ત્યાં નિગોદના જીવો પણ છે, સિદ્ધશીલા સ્વયં પૃથ્વીકાયના જીવોની બનેલી છે. આ જીવો સિદ્ધશિલામાં હોવા છતાં દુઃખી છે અને એ જ સિદ્ધશિલામાં બિરાજેલા સિદ્ધ ભગવાન સુખી છે. એનો અર્થ થયો મોક્ષ એ સિદ્ધશિલા જેવા ભૌગોલિક સ્થાનનું નામ માત્ર નથી, મોક્ષ આત્માની પૂર્ણ અને શુદ્ધ દશાનું નામ છે. આ પૂર્ણ શુદ્ધ દશા માટે આત્માનું નિર્મલ પરિણમન હોવું જોઈએ. એ જ સમ્યક દર્શન છે.
હવે એ વિચારીએ કે સમ્યક દર્શન શું નથી? આત્માને ભૂલીને તમે કંઈ પણ કરો એ સમ્યક દર્શન નથી. ગમે એટલી ઉત્કૃષ્ઠ આરાધના કરો, ગમે એટલા ઉગ્ર તપ – જપ કરો, ગમે એટલા કષ્ટ સહન કરો, ગમે એટલા દાન-પુણ્ય કરે કે ગમે એટલા સદ્કાર્યો કરે, અરે તમને કોઈ બાળી નાખે છતાં તમે લેશ માત્ર ક્રોધ ન કરો તો પણ એ સમકિત નથી. કેમ કે આ બધામાં આત્માનો અનુભવ નથી, બોધ નથી. આત્માના બોધ કે નિર્મળ દશા વગર આવું કરવું એ મિથ્યા દર્શન જ છે. કેમ કે આવા કષ્ટો કોઈ પણ સહન કરી શકે. મનોબળથી કે અન્ય કષાયના પોષણ માટે તમે અમુક કષાયને દબાવી શકો, એ મોક્ષ માર્ગ નથી. આ બધું તો અભવી જીવ પણ કરી શકે. એનો અર્થ એ થયો કે અભવી જીવ જે ન કરી શકે એવું કંઈક સમ્યક દર્શન માટે હોવું જોઈએ. આત્માની રુચિ એ અભવી જીવ પાસે નથી, એ હોય તો સમ્યક દર્શનની યાત્રા થઇ શકે. પુણ્યની રુચિ એ સમ્યક દર્શન નથી, આત્માની રુચિ સમ્યક દર્શન માટે જરૂરી છે. પુણ્યની રુચિ તો જડની રુચિ છે. પુણ્યથી શું મળશે – સ્વર્ગ અને ભૌતિક સુખ અને એ સુખ કરાવશે ભયંકર અશુભ કર્મ બંધન. માટે આત્મભાવ વિનાની શુભ પ્રવૃત્તિ પણ શું કામની? અનેકોવાર સાધુપણું લીધું પણ તોય આરો કે કિનારો ના આવ્યો કેમ કે બધું જ માત્ર બાહ્ય ઉપચાર સમજીને કર્યું. શુભ ક્રિયા કરવી ખોટી નથી, પણ આત્માના લક્ષ્ય વગર માત્ર શુભ ક્રિયા કરવી અર્થહીન છે. એ તો રોબોર્ટ આપણા કરતા વધુ સારી રીતે કરી શકે તેમ છે.
સમ્યક દર્શન એટલે નવ તત્વોની સાચી સમજણ. જીવ એટલે જેનામાં સંવેદના કરવાની શક્તિ છે, અજીવ એટલે જે નાશમાન ચીજો છે તે, પુણ્ય જે શુભ ક્રિયાનું પરિણામ છે, પાપ જે અશુભ ક્રિયાનું પરિણામ છે,આશ્રવ જે કર્મોને આવવાનો દ્વાર છે, સંવર જે કર્મોને રોકનાર છે, નિર્જરા એટલે સંચિત કર્મોને બહાર કાઢવાની વિધિ છે, બંધ એટલે આત્માનું કર્મોથી બંધાવું અને મોક્ષ એટલે આત્માનો અનુભવ કરીને મોહથી સદા માટે મુક્ત થવું તે છે. આત્માની અનુભૂતિ થાય એટલે જીવને શરીર અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. શરીર અને આત્મા જુદા છે એવો બોધ થાય છે. જીવની આશક્તિ છૂટી જાય છે. આ નવ તત્વોની સમજણ આવે એટલે જીવ બધું જ કરતો હોવા છતાં આત્મ ભાવ પ્રત્યે જાગૃત રહેશે.
એકવાર આવું સમ્યક દર્શન થઇ જાય એટલે અનંતભવોનું પરિભ્રમણ બંધ થઇ જાય છે, પછી રહે છે વધુમાં વધુ માત્ર પંદર ભવ. આ છે સમ્યક દર્શનની તાકાત જે અનંત ભવને પંદર ભવમાં ફેરવી નાખે છે. એક વાર સમ્યક દર્શન થાય એટલે પછી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવનો જન્મ માત્ર ઊંચ ગતિમાં જ થાય છે. નરક અને તિર્યંચ ગતિનો પછી બંધ પડતો નથી.આવું સમ્યક દર્શન કરવી રીતે પ્રાપ્ત કરવું એ જરા વિચારીએ. સમ્યક દર્શન માટે પહેલી સાધના અંગ્રેજીનાં આઈ અને માઈને સમજી લેવાની છે. આઈ એટલે હું અને માઈ એટલે મારુ. હું શુદ્ધ બુધ અને ચૈતન્યધન છું, સર્વે ઉપાધિઓથી મુક્ત છું. મારો આઈ – હુંનો માલિક હું છું.મારો હું સ્વતંત્ર છે. માઈ એટલે જે મારુ છે તે. મારાનુ ક્ષેત્ર મોટું છે. મારુ મકાન, મારી ગાડી,મારો પરિવાર,મારી બેંક બેલેન્સ,મારી પ્રોપર્ટી – આ બધું મારુ છે. આ જે મારુ છે એ મારા કંટ્રોલમાં નથી, એ પુણ્ય પાપને આધીન છે. હવે સમ્યક દર્શન માટે એક કામ કરવાનું છે કે આ મારા માનેલામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય ત્યારે મારો હું અપસેટ ન થવો જોઈએ. એનો અર્થ એ થયો કે બહારમાં ગમે તેવા ફેરફાર થાય પણ મારી અંદર એનું જરા પણ દુઃખ ન થાય તો સમજી લેવાનું કે તમે સમ્યક દર્શનની નજીક છો.
માણસ નાની નાની બાબતોમાં અપસેટ અને ડિસ્ટર્બ થઇ જાય છે. એનો અર્થ થયો આપણે એ પરિસ્થિતિ કે વ્યક્તિ સાથે જોડાઈ જઈએ છીએ. સમ્યક દર્શનની સાધના માટે જરૂરી છે કે હું મારી જાતને બહારના પ્રભાવોથી મુક્ત રાખું. નાની નાની બાબતોમાં તમે ખિન્ન થઇ જાઓ તો તમારી કિંમત શું? બીજો એક અભ્યાસ કરો કે ‘ મારા સુખ દુઃખનું કારણ હું છું, અન્ય કોઈ નહિ.’ બીજા લોકોને કે બહારી પરિસ્થિતિને દુઃખનું કારણ માનવું એ મિથ્યાત્વ છે. એકવાર બીજાને તમે તમારા દુઃખનું કારણ માનશો એટલે પછી એના પર આરોપ અને પ્રત્યારોપ કરશો. બીજાએ શું કરવું એ બીજાના હાથમાં છે, મારે એ સ્થિતિમાં કેવો પ્રતિભાવ આપવો એ મારા પોતાના હાથમાં છે. આ છે સમ્યક દર્શનનું સમ્યક દર્શન. પોતાના દુઃખ માટે બીજાને આરોપી ઠેરવવો એ અજ્ઞાન છે. સમ્યક દર્શન જેનું પ્રગટ્યું છે એની માન્યતા સ્પષ્ટ હોય છે કે હું જ છું મારા સુખ દુઃખનો કર્તા અને હું જ છું તેનો ભોક્તા, અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ માત્ર નિમિત્ત બની શકે છે, કારણ નહિ. આવું સમ્યક દર્શન ન આવે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન પણ અજ્ઞાન- મિથ્યા છે અને આવા જીવનું ચરિત્ર પણ મિથ્યા છે. સમ્યક દર્શન એટલે સાચું દર્શન, જે વસ્તુ જેવી છે એને એના એ સ્વરૂપમાં જ જોવી. આવું દર્શન ઉઘડ્યા પછી બધા ભ્રમો નાશ પામે છે. જીવ બંધનથી મુક્તિના માર્ગે ગતિ કરે છે.
Man is a beautiful Machine – George Gurdjieff
Feb 20, 2019
One of the most important things to be understood about man is that man is asleep. Even while he thinks he is awake, he is not. You sleep in the night, you sleep in the day; from birth to death you go on changing your patterns of sleep, but you never really awake. Just by opening the eyes don’t be fool yourself that you are awake. Unless the inner eyes open, unless your inside becomes full of light, unless you can see yourself, who you are, don’t think that you are awake. That is the greatest illusion man lives in. And once you accept that you are already awake, then there is no question of making any effort to be awake. The first thing to sink deep in your heart is that you are asleep, utterly asleep.
All the buddhas have insisted on only one thing: Awake! Continuously, for centuries, their whole teaching can be contained in a single word: Be awake! The sleep has been so long, it has reached to the very core of your being; you are soaked in it. Each cell of your body and each fiber of your mind has become full of sleep. It is not a small phenomenon. Hence great effort is needed to be alert, to be attentive, to be watchful, to become a witness. If on any one single theme all the buddhas of the world agree, this is the theme: that man as he is is asleep, and man as he should be should be awake. Wakefulness is the goal, and wakefulness is the taste of all their teachings. Zarathustra, Lao Tzu, Jesus, Buddha, Bahauddin, Kabir, Nanak — all the awakened ones have been teaching one single theme, in different languages, in different metaphors, but their song is the same.
It is said about a Buddhist enlightened master who was sitting by the side of the river one evening, enjoying the sound of the water, the sound of the wind passing through the trees…. A man came and asked him, “Can you tell me in a single word the essence of your religion?” The master remained silent, utterly silent, as if he had not heard the question. The questioner said, “Are you deaf or something?” The master said, “I have heard your question, and I have answered it too! Silence is the answer. I remained silent — that pause, that interval, was my answer.” The man said, “I cannot understand such a mysterious answer. Can’t you be a little more clear?”
So the master wrote on the sand “meditation,” in small letters with his finger. The man said, “I can read now. It is a little better than at first. At least I have got a word to ponder over. But can’t you make it a little more clear?” The master wrote again “MEDITATION.” Of course this time he wrote in bigger letters. The man was feeling a little embarrassed, puzzled, offended, angry. He said, “Again you write meditation? Can’t you be a little clear for me?” And the master wrote in very big letters, capital letters, “M E D I T A T I O N.” The man said, “You seem to be mad.” The master said, “I have already come down very much. The first answer was the right answer, the second was not so right, the third even more wrong, the fourth has gone very wrong” — because when you write “MEDITATION” with capital letters you have made a god out of it. The master said, “I have already committed a sin.” He erased all those words he had written, and he said, “Please listen to my first answer — only then I am true.”
Silence is the space in which one awakens, and the noisy mind is the space in which one remains asleep. If your mind continues chattering, you are asleep. Sitting silently, if the mind disappears and you can hear the chattering birds and no mind inside, a silence…this whistle of the bird, the chirping, and no mind functioning in your head, utter silence…then awareness wells up in you. It does not come from the outside, it arises in you, it grows in you.
Yes, we have become very efficient in doing things. What we are doing, we have become so efficient in doing that we don’t need any awareness to do it. It has become mechanical, automatic. We function like robots. We are not men yet; we are machines. That’s what George Gurdjieff used to say again and again, that man as he exists is a machine. He offended many people, because nobody likes to be called a machine. Machines like to be called gods; then they feel very happy, puffed up. Gurdjieff used to call people machines, and he was right. If you watch yourself you will know how mechanically you behave.
The Russian psychologist Pavlov, and the American psychologist Skinner, are ninety nine point nine percent right about man: they believe that man is a beautiful machine, that’s all. There is no soul in him. I say ninety-nine point nine percent they are right; they only miss by a very small margin. In that small margin are the buddhas, the awakened ones. But they can be forgiven, because Pavlov never came across a buddha – – he came across millions of people like you. These few awakened people are the real men. And buddhas will agree with him about the so-called normal humanity: the normal humanity is utterly asleep.
Even animals are not so asleep. Have you seen a deer in the jungle — how alert he looks, how watchfully he walks? Have you seen a bird sitting on the tree — how intelligently he goes on watching what is happening all around? You move towards the bird — there is a certain space he allows; beyond that, one step more, and he flies away. He has a certain alertness about his territory. If somebody enters into that territory then it is dangerous. If you look around you will be surprised: man seems to be the most asleep animal on the earth. Innocent villagers are far more alert and awake than the professors in the universities and the pundits in the temples. – just minds and no consciousness. People who work with nature — farmers, gardeners, woodcutters, carpenters, painters — they are far more alert. Because when you work with nature, nature is alert, trees are alert; their form of alertness is certainly different, but they are very alert.
Now there are scientific proofs of their alertness. If the woodcutter comes with an axe in his hand and with the deliberate desire to cut the tree, all the trees that see him coming tremble. Now there are scientific proofs about it; I am not talking poetry, I am talking science when I say this. Now there are instruments to measure whether the tree is happy or unhappy, afraid or unafraid, sad or ecstatic. When the woodcutter comes, all the trees that see him start trembling. They become aware that death is close by. And the woodcutter has not cut any tree yet — just his coming…. And one thing more, far more strange: if the woodcutter is simply passing by there with no deliberate idea to cut a tree, then no tree becomes afraid. It is the same woodcutter, with the same axe. It seems that his intention to cut a tree affects the trees. It means that his intention is being understood; it means the very vibe is being decoded by the trees.
And one more significant fact has been observed scientifically: that if you go into the forest and kill an animal, it is not only the animal kingdom around that becomes shaken, but trees also. If you kill a deer, all the deer that are around feel the vibe of murder, become sad; a great trembling arises in them. Suddenly they are afraid for no particular reason at all. They may not have seen the deer being killed, but somehow, in a subtle way, they are affected — instinctively, intuitively. But it is not only the deer which are affected — the trees are affected, the parrots are affected, the tigers are affected, the eagles are affected, the grass leaves are affected. Murder has happened, destruction has happened, death has happened — everything that is around is affected.
reaction vs response
Feb 20, 2019
Buddha was passing through a village and the people came and they insulted him. And they used all the insulting words that they could use – all the bad words that they knew.
Buddha stood there, listened silently, very attentively, and then said, ‘Thank you for coming to me, but I am in a hurry.
I have to reach the next village, people will be waiting for me there. I cannot devote more time to you today, but tomorrow coming back I will have more time. You can gather again, and tomorrow if something is left which you wanted to say and have not been able to say, you can say it to me. But today, excuse me.’
Those people could not believe their ears, their eyes: this man has remained utterly unaffected, undistracted. One of them asked, ‘Have you not heard us? We have been abusing you like anything, and you have not even answered!’
Buddha said, ‘If you wanted an answer then you have come too late. You should have come ten years ago, then I would have answered you. But for these ten years I have stopped being manipulated by others. I am no longer a slave, I am my own master. I act according to myself, not according to anybody else. I act according to my inner need. You cannot force me to do anything. It’s perfectly good:you wanted to abuse me, you abused me! Feel fulfilled. You have done your work perfectly well. But as far as I am concerned, I don’t take your insults, and unless I take them, they are meaningless.’
When somebody insults you, you have to become a receiver, you have to accept what he says; only then can you react. But if you don’t accept, if you simply remain detached, if you keep the distance, if you remain cool, what can he do?
Buddha said, ‘Somebody can throw a burning torch into the river. It will remain alight till it reaches the river. The moment it falls into the river, all fire is gone – the river cools it.
I have become a river. You throw abuses at me. They are fire when you throw them, but the moment they reach me, in my coolness, their fire is lost. They no longer hurt. You throw thorns – falling in my silence they become flowers. I act out of my own intrinsic nature.’
plucking Flowers is violent act – Saman Shrutpragya
Feb 20, 2019
The flowers are beautiful, but your plucking them was not a beautiful act.
For whom beauty is equivalent to Love, it is impossible to sever the flowers from their plants. The plucking of flowers hastens their death; and nothing is uglier than taking life, even of a flower. Non-violence is the acme of beauty; violence is the nadir of ugliness.
“If you love a flower, don’t pick it up.Because if you pick it up it dies and it ceases to be what you love.So if you love a flower, let it be.Love is not about possession. Love is about appreciation.”
સંપૂર્ણ વિશ્રામપૂર્ણ દશાનો અનુભવ
Feb 20, 2019
વિશ્રામ આત્માનો મૂળ સ્વભાવ છે. માણસ આ સ્વભાવથી છૂટો પડી ગયો છે અને એટલે જ એ દુઃખી છે. પૂર્ણ વિશ્રામની દશામાં પહોંચવું સાધના માંગી લે છે. એ સાધનાના પહેલા નાના-નાના ચરણોમાં અભ્યાસ કરી શકાય. પહેલું ચરણ છે – શરીરને શિથિલ ( Relax ) કરો. ઘણા લોકોનું શરીર જો જો, એકદમ તણાવયુક્ત( Tense ) દશામાં હશે. શરીરને શિથિલ કરવા માટે, તેને પ્રેમપૂર્ણ સૂચન (auto Suggestion) આપો કે એ શિથિલ થઈ જાય. ખાસ કરીને ચહેરાને,ગર્દનને, કમરને અને પગને વિશ્રામપૂર્ણ દશામાં રાખતા શીખી જાઓ. શરીર આપણા પ્રેમની ભાષા સમજે છે. તમે દરેક ક્રિયા કરતી વખતે શરીરને વિશ્રામ દશામાં રાખો. તમે ચાલો ત્યારે સહજ અને રીલેક્સ રહો, બહુ તેજ ગતિએ ન ચાલો. જમો ત્યારે સહજ અને રીલેક્સ રહો, અને સૂઓ ત્યારે પણ સહજ અને રિલેક્સ રહો. સૂતી વખતે વિચારોની ભીડ લઈને ન સૂઓ. સૂતી વખતે મગજની સ્વીચ બંધ કરતા શીખી જાઓ. એ બંધ કરવાની ચાવી એ છે કે સૂતી વખતે મગજને કહો ‘આજનું કામ પતી ગયું છે, કાલ ઉગશે ત્યારે કાલનું કામ કરીશ.’
બીજું ચરણ છે – વાણીનું વિશ્રામપણું. બોલતી વખતે ઉત્તેજિત ન થાઓ, બોલતી વખતે આક્રામક ન બનો, ભાષામાં મધુરતા રાખો. બોલતી વખતે પણ ભાષામાં રિધમ જાળવી રાખો. ચાલાકી છોડીને જે કહેવું છે એ સહજતાથી અને નિર્દોષતાથી કહો.
ત્રીજું ચરણ છે – મનનું વિશ્રામપણું. મનને વ્યર્થના વિચારોથી મુક્ત રાખો. કોઈ પણ કામ કરો ત્યારે એમાં સો ટકા ફોકસ રાખો. ચિંતા નહીં-ચિંતન કરો,વ્યથા નહીં, વ્યવસ્થા કરો. દરેક કાર્યમાં મનની પૂરેપૂરી હાજરી રાખો. મનને ઉતાવળથી મુક્ત રાખો, ભય અને નિરાશાથી મુક્ત રાખો.
ચોથું ચરણ છે – ભાવોનું વિશ્રામપણું. કોઈ પણ વ્યવહાર અને વ્યવસાયમાં ભોવોને વિકૃત ન થવા દો, સ્વભાવમાં શાંતિ અને પ્રેમભાવ જાળવી રાખો. ક્રિયાની સામે પ્રતિક્રિયા ન કરો પણ વિચારીને પ્રતિભાવ આપો. હૃદયને ક્રોધ,ઈર્ષ્યા,માન-પાન, માયા અને લોભના ભાવથી મુક્ત રાખો. આમ અભ્યાસ કરતા-કરતા આત્માની વિશ્રામપૂર્ણ દશામાં પહોંચી શકાય છે. કોઈ પણ કામ કરતી વખતે દ્રષ્ટિ ભીતર તરફ જોડાયેલી રહે એ છે આત્માનું વિશ્રામપણું.
What is happiness?
Feb 20, 2019
It depends. It depends on you, on your state of consciousness or unconsciousness, whether you are asleep or awake. Happiness will depend on where you are in your consciousness. If you are asleep, then pleasure is happiness. Pleasure means sensation, trying to achieve something through the body which is not possible to achieve through the body, forcing the body to achieve something it is not capable of.
People are trying, in every possible way, to achieve happiness through the body. The body can give you only momentary pleasures, and each pleasure is balanced by pain in the same amount, in the same degree. Each pleasure is followed by its opposite. It is a vicious circle. Your pleasure will be followed by pain, your pain will be followed by pleasure. But you will never be at ease. When you will be in a state of pleasure you will be afraid that you are going to lose it, and that fear will poison it. And when you will be lost in pain, of course, you will be in suffering, and you will try every possible effort to get out of it – just to fall again back into it. He lives from one pleasure to another pleasure. He is just rushing from one sensation to another sensation. He lives for small thrills. His life is very superficial; it has no depth, it has no quality. He lives in the world of quantity. The non-meditator sleeps, dreams; the meditator starts moving away from his sleep towards awakening.
Then happiness has a totally different meaning: it becomes more of a quality, less of a quantity; it is more psychological, less physiological. He enjoys music more, he enjoys poetry more, he enjoys creating something. He enjoys nature, its beauty. He enjoys what he had never enjoyed before, and this is far more lasting. Even if the music stops, something goes on lingering in you. And it is not a relief.
But this is also not the ultimate. The ultimate happens only when you are fully awake, when you are a buddha, when all sleep is gone and all dreaming is gone, when your whole being is full of light, when there is no darkness within you. All darkness has disappeared and with that darkness, the ego is gone. All tensions have disappeared, all anguish, all anxiety. You are in a state of total contentment. You live in the present; no past, no future anymore. You are utterly here and now.
Pleasure is animal, happiness is human, bliss is divine. Pleasure binds you, it is a bondage, it chains you. Happiness gives you a little more rope, a little bit of freedom, but only a little bit. Bliss is absolute freedom. You start moving upwards; it gives you wings. You are no more part of the gross earth; you become part of the sky. You become light, you become joy.
Pleasure is dependent on others. Happiness is not so dependent on others, but still it is separate from you. Bliss is not dependent, is not separate either; it is your very being, it is your very nature. To attain it is to attain nirvana.
ઋણાનુબંધ – સમણ શ્રુતપ્રજ્ઞ
Feb 20, 2019
સંબંધોની દુનિયાનો એક મહત્વનો સિદ્ધાંત છે – ઋણાનુબંધ. એક વ્યક્તિનો અનેકો સાથે શુભ અશુભ ઋણાનુબંધ હોય છે. કોઈ વ્યક્તિ તમારી સાથે ગંદુ વર્તન કરે તો સમજવું કે તમારું એની સાથેનું ઋણાનુબંધ અશુભ છે. એમાં એનો કોઈ વાંક નથી. ખરાબ વર્તન કરનાર સાથે તમે પણ ખરાબ વર્તન કરશો તો આ અશુભ ઋણાનુબંધનો અંત નહીં આવે, એની એક પરંપરા ઉભી થશે. એનું દુષ્પરિણામ અનેકો ભવ સુધી ભોગવવું પડે. માટે ખરાબ વ્યક્તિ સાથે પણ શુભ ભાવ રાખી એનું પણ શુભ ઇચ્છવું એ અશુભ ઋણાનુબંધનો હિસાબ ક્લિયર કરે છે અને શુભ ઋણાનુબંધનો બંધ કરે છે. આપણી અપેક્ષાઓ જખ્મી થવાના કારણે આપણને એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ જાગે છે, એ વ્યક્તિ ખરાબ ન પણ હોય, માત્ર એક બીજાના ઋણાનુબંધના કારણે એ ખરાબ લાગે છે. આ અશુભ ઋણનું એકાઉન્ટ શુભમાં બદલવું હોય તો એ વ્યક્તિમાં પણ સારું જોઈ સદ્ભાવ કેળવો.
વિરોધી આહાર એટલે શું? – શ્રુતપ્રજ્ઞ સ્વામી
Feb 20, 2019
હમણા એક યુવાન બહેને મને પૂછ્યું કે ‘ મને એસિડીટી છે એના માટે શું કરવું?’ મેં એને શું ખાવું અને શું ન ખાવું એની સલાહ આપી અને અમુક પ્રાણાયામ કરવાનું કહ્યું, તો મને કે, ‘આ પ્રાણાયામ વગેરે કરવું એ આપણું કામ નહિ અને ખાવાનો કંટ્રોલ વળી આ જુવાન વયે થોડો કરાય, આ તો ખાવા – પીવાની ઉંમર છે.’ તો મેં પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે, ‘બીમાર પડવાની પણ આ ઉંમર થોડી છે! બીમારી તો વૃદ્ધાવસ્થામાં આવે તો બરાબર, યુવાનીમાં તો સ્વસ્થ જ રહેવું જોઈએ.’ પણ મને લાગ્યું કે આ વાત એને જરાય ગમી નહિ. ખાવાનો સંયમ રાખવો અને યોગ-પ્રાણાયામ યુવાનીમાં કોને કરવા ગમે? પરિણામે આજની પેઢી વધુને વધુ બીમાર અને કમજોર બનતી જાય છે. એક તો ખાવાનું અસલી અને પ્રાકૃતિક ન રહ્યું અને બીજું ભોજન બનાવવાની પદ્ધતિ સ્વાસ્થ્ય વિરોધી બની ગઈ. આજના લોકોનો ભોજન પ્રત્યે એક જ દ્રષ્ટિકોણ હોય છે કે બસ દેખાવમાં સારું લાગવું જોઈએ અને ખાવામાં સ્વાદિષ્ઠ લાગવું જોઈએ. હમણા જ કાજલ ઓઝાનો લેખ ફૂલછાબમાં વાંચ્યો, એમને જે વાત કરી એનો ભાવ ખૂબ સરસ હતો. એમનો ભાવ હતો – ‘આજના માનવીનું ધ્યાન શું ભાવે અને શું ન ભાવે એના ઉપર વધારે ટકેલું હોય છે અને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એની તેને કશી પડી જ નથી હોતી’. આ મનોવૃત્તિ એના આરોગ્યની લાપરવાહી છતી કરે છે. ભોજનમાં સૌથી મોટી ભૂલ એ થઇ કે ખાવામાં વિરોધી આહારનું પ્રમાણ ખૂબ વધી ગયું.
ઘણા બધા રોગોનું એક મહત્વનું કારણ આ વિરોધી આહાર છે. આગળના એક સૂત્રમાં આયુર્વેદના આચાર્ય વાગ્ભટ્ટ જી કહે છે કે જેના ગુણ અને પ્રકૃતિ એક બીજાથી વિપરીત હોય એવો વિરોધી આહાર એક સાથે નહિ ખાવો જોઈએ. આયુર્વેદમાં આવી 103 વસ્તુઓનું લાંબુ લિસ્ટ છે જે વિરોધી આહારની શ્રેણીમાં આવે છે. કેટલીક અતિ મહત્વની વસ્તુઓ વિષે વિચારીએ. ઘણી બધી વસ્તુઓ દૂધ સાથે ન લેવી જોઈએ. દૂધ સાથે એટલે એમાં ચાય પણ સમજી લેવાની કેમ કે એમાં પણ દૂધ તો આવે જ ને ! એટલે હું દૂધ કહું એટલે સાથે સાથે ચાય પણ સમજી લેવાની. દૂધ સાથે પ્યાજ એટલે કે લસણ ના ખાવું જોઈએ. એ વિરોધી આહાર છે. પૌવા કે ઉપમા કે પરોઠામાં જો પ્યાજ નાખ્યું હોય અને એ વસ્તુ દૂધ સાથે ખાઓ તો એ વિરોધી આહાર છે અને એનું સેવન કરવું એ ભયંકર ભૂલ છે. તમે જો જો લગભગ દરેક પંજાબી ભોજનમાં કાંદા અને ક્રીમ એક સાથે જોવા મળે છે. એનાથી સલક્ષ્ય બચવું જોઈએ. દૂધ સાથે દહીંની બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ, જેમ કે ઘણી વાર દહીંમાં વઘારેલો ભાત આપણે દૂધ કે ચાય સાથે લઈએ છીએ, આ યોગ્ય નથી. એવી રીતે કોઈ પણ દહીયુક્ત વસ્તુ દૂધ કે દૂધવાળી વસ્તુ સાથે ન ખાવી જોઈએ. આપણે ઘણીવાર હાંડવો અને દૂધ સાથે જ ખાતા હોઈએ છીએ જે ન ખવાય. દૂધ સાથે સોલ્ટ એટલે કે નિમક પણ વિરોધી વસ્તુ છે. આપણે ઘણી વાર નમકીનવાળી વસ્તુઓ દૂધ સાથે લેતા હોઈએ છીએ, જેમ કે ગાંઠિયા, અથવા કોઈ પણ નિમકવાળું નમકીન દૂધ સાથે ખતરનાક છે. દુધ સાથે તેલ કે તેલમાં તળેલી વસ્તુઓ પણ વિરોધી આહારમાં આવે છે. દૂધ સાથે રીંગણ પણ ન ખાવા જોઈએ. આથેલી વસ્તુઓ અને દૂધ પણ સાથે ન ખવાય. ઘણીવાર આપણે આથેલાં ઢોકળા કે ઈડલી સવારે નાસ્તામાં દુધ સાથે કે ચાય સાથે લઈએ છીએ જે ભારે નુકસાન કરે છે.
એવી રીતે મૂળા, કાચું સલાડ, દાડમ, નીંબુ, નાળીયેર અને અડદની વસ્તુઓ અને કોઈ પણ જાતના ખાટા પદાર્થો દૂધ સાથે ઝેર સમાન છે. કેમ કે એ દૂધ સાથે વિરોધી આહાર છે. દૂધ સાથે ભૂલથી પણ ખાટા ફળ કે ફ્રુટ નહિ ખાઓ. ફ્રુટસલાદ એ આયુર્વેદની દ્રષ્ટિએ અનેક રોગોને આમંત્રે છે કેમ કે એમાં દૂધ સાથે ખાટા અને મીઠા ફ્રુટ એક સાથે લેવામાં આવે છે. હા, માત્ર એક ફલ – આંવલા દૂધ સાથે લઇ શકાય છે. એવી જ રીતે દહીં સાથે ન ખાવાની વસ્તુઓ વિષે જોઈએ તો દહીં સાથે પનીર વિરોધી આહાર છે. દહીં સાથે અડદની દાળ ભૂલે ચૂકે ન ખાવી જોઈએ. આ દહીંવડાં આરોગ્ય માટે શત્રુ છે એમ કહીએ તો પણ ઓછું છે. કેમ કે એમાં દહીં અને અડદ સાથે ભળે છે. ત્રણ ચાર દિવસ ખાઈને પ્રયોગ કરી જુઓ, ચોક્કસ તમારું પ્રેસર વધી જશે. દહીં વડા ખાવા જ હોય તો મગની દાળના ખાઈ શકાય. દહીં સાથે કાંદા ક્યારેય ન ખવાય. એવી રીતે ખીર, ગરમ પદાર્થ અને પાણી વાળા ફળ પણ વિરોધી આહારમાં આવે છે. ઘણીવાર આપણે જમવામાં ખીર લઈએ છીએ અને જમ્યા પછી છાછ પીએ છીએ – આ વિરોધી આહાર છે. એવી રીતે ઘી સાથે સમાન માત્રામાં મધ કે ઠંડુ પાણી ન લેવું.
એવી રીતે પાણી સાથે તરબુચ કાકડી, શક્કરટેટી , મગફળી, ઘી.અને તેલયુક્ત વસ્તુ ન વાપરવી. એવી રીતે કેળા સાથે છાછ અને લસ્સી પણ ન લેવાય. તમે રેસ્ટોરંટ કે લગ્ન સમારોહમાં જો જો, આ બધા જ નિયમોથી સાવ ઉલટું જ ભોજન પીરસવામાં આવે છે. આયુર્વેદ કહે છે ગરમ ભોજન કર્યા પછી ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ ત્યાં આપણે જમ્યા પછી આઈસક્રિમ ખવડાવીને સત્યાનાશ કરી નાખીએ છીએ. લગ્ન અને પાર્ટી વગેરેમાં તેલ, દૂધ, દહીં, પ્યાજ – આવી બધી જ વિરોધી વસ્તુઓ એક સાથે પીરસવામાં આવે છે અને જેને આ બધું જ્ઞાન છે એ પણ અજ્ઞાની સાથે બેસીને વિરોધી આહારનો સ્વાદ માણવા બેસી જાય છે.
આ વિરોધી આહારનું સેવન કેટલું નુકશાન કરે છે એ જો સમજી લઈએ તો મને લાગે છે કે આપણે આ બધા સ્વાસ્થ્યવર્ધક શત્રુઓથી બચી શકીશું. શરીરમાં મહત્વનું તત્વ છે ખૂન. એ ખૂન બગડ્યું એટલે હજારો રોગો થવાના. આ વિરોધી આહાર ખૂનને વિકૃત કરે છે. ખૂન વિકૃત થયું એટલે ચામડીના ભયંકર રોગો જન્મ લે છે. સોરાઈસીસ અને એક્ઝીમા એ આ વિરોધી આહારના લીધે જ થાય છે. શરીરમાં કોઢ થવામાં પણ આ વિરોધી આહાર જ જવાબદાર છે. આ વિરોધી આહારથી સૌન્દર્યની પાડ પીટાઈ જાય છે અને એવા રોગો થાય છે કે જે લાખ ઉપાય કરો તો પણ મટતા નથી. વિરોધી આહારથી બ્લડ પ્રેશર વધી જાય છે, ખાવાનું પચતું નથી અને શરીરના મુખ્ય ત્રણેય દોષો – વાત પિત્ત અને કફનું સંતુલન ગડબડાવા લાગે છે. આજના આધુનિક માનવીને જો સ્વસ્થ રહેવું હશે અને ખતરનાક અસાધ્ય અને ક્રોનિક રોગોથી બચવું હશે તો આયુર્વેદિક આહાર પદ્ધતિ અપનાવવા સિવાય છૂટકો નથી. માત્ર થોડિક સેકંડોના સ્વાદ માટે જીવનભર સ્વાસ્થ્યનું જોખમ, બીમારીઓની સજા અને રોગની પીડા ભોગવવી શું સમજદારી કહેવાય? શું વિરોધી આહારના નિયમોનું ધ્યાન રાખીને સ્વાદિષ્ટ વસ્તુઓ ન બનાવી શકાય? અને સ્વાદ વસ્તુઓમાં ક્યાં છે, એ તો સ્વાદ લેનારના મનમાં હોય છે. તણાવગ્રસ્ત અને ચિંતાતુર માનવી ક્યાં કોઈ વસ્તુનો આનંદ માણી શકે છે? માણસ જેવી આદત પાડે, એને પછી એમાં જ સ્વાદનો અનુભવ થવા લાગે છે. મેં જોયું છે જે જૈન વિધિથી આયંબિલ કરે છે તેને પછી એમાં જ સ્વાદ આવવા લાગે છે અને પછી મસાલાવાળું ભોજન તેને ખારું ઝેર લાગે છે. મસાલા અને વિરોધી આહાર ખવડાવી ખવડાવીને આપણે આપણી જીભને એટલી જડ અને સંવેદનહિન બનાવી દીધી છે કે હવે અત્યંત તીવ્ર સ્પાઈસી ભોજન સિવાય આપણને ચૈન પડતું નથી.
આજે ટી.વી. ચેનલોમાં જે કૂકિંગ વિશેની રેસેપી આપવામાં આવે છે એમાં માત્ર સ્વાદને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે અને વિરોધી આહારના નિયમોનો પૂરેપૂરો ભંગ કરવામાં આવે છે. સ્વાદ કેન્દ્રિત આવો આહાર સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. યુગની હવા એવી ચાલી છે કે કોઈને આ વિષે જરાય વિચારવું જ નથી, અને વિચારવાનો સમય પણ નથી. આયુર્વેદ પછી, જૈન શાસ્ત્રમાં જેટલું ભોજનનું વિજ્ઞાન મહાવીરે આપ્યું છે આજ સુધી કોઈએ એવું આપ્યું હોય એ મારા ધ્યાનમાં નથી. ભોજનની નાનામા નાની બાબતોનું સુક્ષ્મ જ્ઞાન તમને ત્યાં જોવા મળશે, જેની વાત આપણે ક્યારેક કરીશું. મારી દ્રષ્ટિ તો એવી છે કે દરેક બહેનોને અને દરેક રેસ્ટોરંટનાં રસોઈયાને આયુર્વેદિક ભોજનની વિશેષ ટ્રેઈનીંગ આપવી જોઈએ, જેથી ભોજન બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કરીને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ઠ ભોજન બનાવી શકે અને પરિણામે દરેક વ્યક્તિના ભાગ્યમાં નીરોગી આહાર પ્રાપ્ત થઇ શકે.
ધ્યાનનું સમ્યક દર્શન : સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
એક માણસ તેના મિત્રો પાસે બેઠો હતો. એ બહુ જ બેચેન અને પરેશાન હતો અને એવું દેખાતું હતું કે તેની અંદર ઘણું જ દુ:ખ છે, કોક પીડાને તે દબાવી રહ્યો હોય એવું લાગતું હતું. અંતે એક મિત્રએ તેને પૂછ્યું કે: ‘આટલો બધો પરેશાન કેમ છે? શું માથું દુ:ખેછે? શું પેટમાં દર્દ છે?’ તે માણસે કહ્યું: નથી માથુ દુ:ખતું કે નથી પેટમાં દુ:ખતું પરંતુ મને ચપ્પલ ડંખી રહ્યા છે, ચપ્પલ બહુ જ ફીટ છે.’ તે મિત્રે કહ્યું: ‘તો પછી ચપ્પલ કાઢી નાખ અને આટલા ફીટ ચપ્પલ હોય અને આટલા હેરાન કરતાં હોય તો બીજા ઢીલા ચપ્પલ ખરીદી લે.‘
તે માણસે કહ્યું: ‘નહીં, તે ન બની શકે, આમ પણ હું ઘણી જ મુસીબતમાં છું. મારી પત્ની બીમાર છે, અને મારી દીકરીએ ન કરવા યોગ્ય છોકરા સાથે લગ્ન કરી લીધા છે, છોકરો શરાબી છે, જુગારી છે અને મારી હાલત દેવાળું ફૂંકવાની નજીક છે. નહીં, હું આમ પણખૂબ જ દુ:ખમાં છે. તે મિત્રએ કહ્યુ, ‘તું પણ પાગલ છે? આમ પણ દુ:ખી છે તો આ ચપ્પલને તો બદલી નાખ. તે માણસે કહ્યું, ‘આ ચપ્પલથી જ મને એક સુખ મળે છે. ત્યારે તે બહુ જ ચક્તિ થયો અને કહ્યું: ‘એ સુખ કેવું છે?’ તે માણસે કહ્યું: ‘હું આટલીમુશ્કેલીમાં છું, દિવસભર આ ચપ્પલ ડંખે છે, સાંજે જ્યારે આ ચપ્પલ ઘરે જઈને ઉતારું છું તો ઘણી રાહત, ઘણું સુખ મળે છે. બસ, આ એક જ સુખ મારી પાસે છે અને બીજા બધા તો દુ:ખ જ દુ:ખ છે. આ ચપ્પલ હું બદલી ન શકું.’
જેને આપણે સુખ કહીએ છીએ તે ડંખતા ચપ્પલથી વધુ કશું જ નથી. આપણા સુખો થોડી ક્ષણોની રાહતથી વધુ નથી. આપણે જેને સુખ કહીએ છીએ તે કોઈ તનાવથી થોડીવાર માટેની મુક્તિ છે. આ સુખ નકારાત્મક છે, નેગેટિવ છે. આપણે જેને સુખ કહીએ છીએ, ધર્મ તેને સુખ નથી કહેતું અને છે પણ નહીં તે આપણે સારી રીતે જાણીએ છીએ. એક વ્યક્તિથોડીક વાર માટે દારૂ પીવે છે તે માને છે કે તે સુખી છે! એક માણસ થોડીક વાર સેક્સ ભોગવે છે અને માને છે કે તે સુખી છે. એક વ્યક્તિ થોડીક વાર માટે સંગીત સાંભળે છે તો વિચારે છે કે તે સુખી છે! એક વ્યક્તિ બેઠા – બેઠા ગપ્પા મારે છે, હસી મજાક કરે છે,હસે છે અને વિચારે છે કે સુખી છે!
આ બધા સુખો સાંજના ડંખતા ચપ્પલ કાઢીએ તેનાથી જરા પણ જુદા નથી. આને સુખ સાથે કોઈ સંબંધ નથી. સુક એક પોઝિટિવ, એક હકારાત્મક સ્થિતિ છે – નકારાત્મક નહીં, સુખ છીંક જેવી વસ્તુ નથી – કે છીંક આવે અને પાછળ થોડીક રાહત મળી જાય છે!કારણ કે છીંક હેરાન કરતી હતી. સુખ એક નકારાત્મક વસ્તુ નથી કે એક બોજ મનમાંથી જતો રહે છે અને પાછળ સારું લાગે છે. સુખ હકારાત્મક અનુભવ છે, પરંતુ આવા સુખનો અનુભવ થાય કઈ રીતે? ધ્યાન વગર આવા હકારાત્મક સુખનો કોઈને અનુભવ નથીથતો અને જેમ જેમ માણસ સભ્ય અને શિક્ષિત બન્યો છે. તેમ તેમ ધ્યાનથી દૂર જતો રહ્યો છે. આપણું બધું જ શિક્ષણ, આપણી સભ્યતા – માણસને બીજા સાથે કઈ રીતે સંબંધિત થવું તે જ શીખડાવે છે, પરંતુ પોતાની સાથે કઈ રીતે સંબંધિત થવું, તે નથીશીખડાવતી. સમાજને કંઈ મતલબ નથી કે તમે તમારી જાત સાથે સંલગ્ન થાવ કે ન થાઓ. સમાજ ઈચ્છે છે તમે બીજા સાથે સંલગ્ન બનો કુશળતાથી અને તમે કુશળતાથી કામ કરો, વાત ખતમ થઈ ગઈ.
સમાજ તમને એક હિસ્સાથી વધુ કઈ નથી માનતો, તમે સારા દુકાનદાર, સારા નોકર, સારા પતિ, સારી મા, સારી પત્ની હો એટલે બસ વાત પૂરી થઈ ગઈ. તમારી સાથે સમાજને કંઈ લેવા – દેવા નથી. સમાજનું બધું શિક્ષણ ઉપયોગિતા પર છે. સમાજ તમને શિક્ષણએવું દે છે, જેનાથી કંઈક પેદા થતું હોય, આનંદમાંથી કંઈ પણ પેદા થતું દેખાતું નથી. આનંદ કોઈ કોમોડિટી નથી કે બજારમાં વેચાઈ શકે. આનંદ કોઈ એવી ચીજ નથી કે જે રૂપિયામાં મંગાવી શકાય. આનંદ કોઈ એવી ચીજ નથી કે જેને બેન્ક – બેલેન્સમાં જમાકરાય. આનંદ કોઈ એવી ચીજ નથી કે જેની કોઈ બજારમાં કિંમત હોય. તેથી સમાજને આનંદ સાથે કોઈ મતલબ નથી અને મુશ્કેલી એ છે કે આનંદ જ એક એવી ચીજ છે, જે વ્યક્તિ માટે મૂલ્યવાન છે; બાકી કંઈ પણ મૂલ્યવાન નથી, પરંતુ જેમ જેમ મનુષ્ય સભ્યથતો જાય છે. યુટિલિટેરિયન બને છે અને બધી જ વસ્તુની ઉપયોગિતા હોવી જોઈએ એવું માનતો થાય છે.
મારી પાસે લોકો આવે છે અને કહે છે, “ધ્યાનથી શું મળશે? કદાચ તેઓ વિચારતા હશે… “રૂપિયા મળશે, મકાન મળશે, કોઈ પદ મળશે… ધ્યાનથી ન પદ મળશે કે ન રૂપિયા મળશે, નહીં મકાન મળે, ધ્યાનની કોઈ ઉપયોગિતા નથી. પરંતુ જે માણસ ફક્તઉપયોગી વસ્તુની શોધમાં ઘુમે છે તે માણસ ફક્ત મૃત્યુની શોધમાં ફરી રહ્યો છે. જીવનની પણ કોઈ ઉપયોગિતા નથી, જીવનમાં જે પણ મહત્ત્વપૂર્ણ છે તે પરપઝલેસ છે. જીવનમાં જે મહત્ત્વપૂર્ણ છે, તેની બજારમાં કોઈ કિંમત નથી. પ્રેમની કોઈ કિંમત બજારમાં નથી.આનંદની કોઈ કિંમત કિંમત નથી. ધ્યાનની, પરમાત્માની કોઈ કિંમત નથી. પરંતુ જેની જિંદગીમાં અનુપયોગી, નોન-યુટિલિટેરિયનનું મહત્વ નથી, તેની જિંદગી તારાની ચમકની માફક ખોવાઈ જાય છે.
ધ્યાન આપણી જિંદગીમાં એ ડાયમેન્શન, એ આયામની એક શોધ છે, જ્યાં આપણે પ્રયોજન વગર ફક્ત હોવાથી જસ્ટ ટૂ બી – હોવા માત્રથી આનંદિત થઈએ છીએ અને જ્યારે પણ આપણા જીવનમાં ક્યાંયથી પણ સુખનું કોઈ કિરણ ઊતરે છે, તો તે જ ક્ષણ હોય છે,જ્યારે આપણે ખાલી કામ વગર સમુદ્ર તટ પર, કે કોઈ પર્વતની ટોચ પર કે રાતના આકાશના તારાની નીચે કે પછી સવારના ઊગતા સૂર્યની સાથે, કે પછી આકાશમાં ઊડતા પક્ષીઓની પાછળ કે ખીલતા ફૂલોની પાસે, બિલકુલ બેકાર, એકદમ વ્યર્થ ક્ષણમાં હોઈએછીએ, ત્યારે આપણા જીવનમાં સુખની થોડીક ધ્વાનિ ઊતરે છે.
મારા મતે ધ્યાનથી વધુ કિંમતી ચીજ કોઈ નથી અને ધ્યાનથી વધુ બહુમૂલ્ય પણ કોઈ વસ્તુ નથી. અને આશ્ચર્યની વાત એ છે કે આ જે ધ્યાન, પ્રાર્થના કે આપણે જે કંઈ નામ દઈએ, તે લોકો વિચારે છે એટલી કઠીન વાત નથી. મુશ્કેલી અપરિચિતની છે. મુશ્કેલીઅજાણ હોવા સિવાય બીજી કોઈ નથી જેમ કે આપણાં ઘરના આંગણામાં ફૂલ ખીલ્યું હોય અને આપણે બારી ખોલી ન હોય, જેમ કે બહાર સૂરજ ઊગ્યો હોય અને આપણા દ્વાર બંધ હોય. ખજાનો સામે પડ્યો હોય અને આપણે આંખ બંધ કરીને બેઠા હોય – આવીમુશ્કેલી છે. આપણા હાથે જ અપરિચિતતાને કારણે કંઈક ખોયું છે. ધ્યાન દરેક વ્યક્તિની ક્ષમતા છે. ક્ષમતા જ નહીં, દરેક વ્યક્તિનો અધિકાર પણ છે. પરમાત્મા જે દિવસે વ્યક્તિને જન્મ દે છે, ધ્યાનની સાથે જ જન્મ દે છે. ધ્યાન આપણો સ્વભાવ છે તેને આપણેજન્મની સાથે લઈને જન્મીએ છીએ. તેથી ધ્યાન સાથે પરિચિત થવું મુશ્કેલ નથી. દરેક વ્યક્તિ ધ્યાનમાં પ્રવેશી શકે છે.
જૈનધર્મમાં ચાર પ્રકારના ધ્યાન : સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
એક વ્યક્તિ રોજ દસથી બાર વખત દાઢી કરે છે છતાં એની દાઢી વધેલી જ હોય છે. તમને એનું કારણ શું લાગે છે? કારણ કે એ નાઈ છે, એ બીજાની જ દાઢી કરે છે, પોતાની નહીં. પોતાની દાઢી સાફ કરવી હોય તો કામ પોતાના પર કરવું પડે. એમ પોતાની જાતને સુધારવી હોય તો અંદર પોતાની સાથે કામ થવું જોઈએ. ધ્યાન એ પોતાની સાથે કામ કરવાનો પ્રાયોગિક માર્ગ છે. ધ્યાન વિના પોતાની અંદરની શક્તિઓ જાગતી નથી. જો કે દરેક મનુષ્યને ધ્યાન કરવાની શકિત પ્રાપ્ત છે અને થોડીક બુદ્ધિ વિક્સિત થાય પછી દરેક વ્યક્તિ ધ્યાન કરે છે. પૈસા ગણતી વખતે માણસનું મન ધ્યાનમાં હોય છે. બંદૂક ચલાવતી વખતે આતંકવાદીનું મન ધ્યાનમય હોય છે, કોઈ આપણું અપમાન કરે તો પણ આપણું મન એના શબ્દોના ધ્યાનમાં ડૂબી જાય છે. આ બધું જ ધ્યાન છે, પણ ધ્યાન કરવા કરવામાં ઘણો ફરક છે. ધ્યાન કરવું હંમેશા સારું જ ફળ આપે એવું નથી. એ માટે ધ્યાનના સમ્યક દર્શનને સમજવું પડશે. ધ્યાનનું સમ્યક દર્શન એ છે કે ધ્યાન હંમેશા સ્વ-કેન્દ્રિત હોવું જોઈએ અને સ્વયંની શુદ્ધિ કરાવનારું હોવું જોઈએ.
ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર થઈ ગયા. એમને સરસ વાત કરી. એમને કહ્યુ કે ધ્યાન ચાર પ્રકારના છે. એ ચાર ધ્યાનને ધ્યાનથી સમજી લઈએ તો ધ્યાનનું સમ્યક દર્શન શું છે એ ખ્યાલ આવી શકે. પહેલું ધ્યાન છે – આર્ત ધ્યાન – આર્ત એટલે દુઃખ અને ધ્યાન એટલે એમાં થતી એકાગ્રતા. એવા વિચારો જે મનને દુઃખી કરે છે, એ આર્ત ધ્યાન કહેવાય છે. કોઈ પ્રિય વ્યક્તિનો વિયોગ થાય કે કોઈ ગમતી વસ્તુ ગુમાવી બેસીએ ત્યારે જે ધ્યાન થાય છે એ આર્ત ધ્યાન છે અથવા અપ્રિય વ્યક્તિ મારા જીવનમાં કોઈ રીતે પણ આવી ન જાય કે અપ્રિય ઘટના કે પ્રસંગ મારા જીવનમાં બને નહીં, આવા વિષયોમાં ચિત્તની એકાગ્રતા તે આર્ત ધ્યાન છે. શરીરમાં બીમારી આવી જશે તો શું કરીશ આવું ચિંતન પણ આર્ત ધ્યાન છે અને પોતાની પ્રાપ્ત શક્તિઓનો બદલો લેવામાં ઉપયોગ કરવો અને એનો પ્લાન કરવો એ પણ આર્ત ધ્યાન છે. આવું આર્ત ધ્યાન કરવામાં ખૂબ એકાગ્ર થવું પડે છે અને બહુ સજાક રહેવું પડે છે પરંતુ આમાં કેન્દ્રમાં સ્વ-ચેતના નથી અને આત્મશુદ્ધિનો તો પ્રશ્ન જ નથી એટલે આવું ધ્યાન કરવું એ દુર્ગતિનું કારણ છે અને વર્તમાનમાં પણ એ વ્યક્તિને ભયભીત,ડિપ્રેસ્ટ અને અશાંત કરે છે. એટલે આવું ધ્યાન કરવું પોતાના કે અન્યના હિતમાં નથી પરંતુ અહિતમાં છે એટલે સમજુ વ્યક્તિએ આવા અશુભ અને અપ્રશસ્ત ધ્યાનથી બચવું જોઈએ.આવું ધ્યાન કરનાર મરીને પશુ-પક્ષીની યોનિમાં જન્મ લે છે.
બીજું ધ્યાન છે – રૌદ્ર ધ્યાન – શબ્દથી જ સ્પષ્ટ છે કે આ ધ્યાનમાં ઉગ્રતા, આક્રમકતા વધુ છે. આર્ત ધ્યાનમાં વ્યક્તિ જડવત અને શારીરિક રીતે નિષ્ક્રિય હોય છે પરંતુ રૌદ્ર ધ્યાનમાં વ્યક્તિની શરીર અને મન બંને અતિ સક્રિય થઈ ઉઠે છે. રૌદ્ર ધ્યાન ચાર પ્રકારે થઈ શકે છે. પહેલું તો હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન એટલે કે આવી વ્યક્તિ અન્યની હિંસા કરવા લાગે છે. સમસ્ત આતંકવાદના મૂળમાં આ રૌદ્ર ધ્યાન છે.આવી વ્યક્તિ કોઈના અંગ વિચ્છેદ કરવામાં પણ હિચકિચાતી નથી, આવી વ્યક્તિ દયાથી શૂન્ય હોય છે. રૌદ્ર ધ્યાન ધ્યાન એટલા માટે છે કે એમાં બહુ એકાગ્ર થવું પડે છે. પરંતુ આવી એકાગ્રતા ભયંકર અશુભ કર્મોનો બંધ કરાવે છે. બીજું છે – મૃષાનુંબંધી રૌદ્ર ધ્યાન. આ ધ્યાનમાં વ્યક્તિ જૂઠું બોલે છે, કપટ કરે છે. એના માટે ખૂબ આયોજન કરવું પડે છે. ખોટું કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, ખબર ન પડી જાય એવી રીતે ખોટું બોલવું અને ખબર પડે જાય તો શું દલીલ કરીશ કે પકડાઈ ના જાઉં, આ બધામાં ખૂબ સાવધાન રહેવું પડે છે, આ સાવધાની જ રૌદ્ર ધ્યાન છે. એમાં ત્રીજું છે – ચોર્યાનુબંધી રૌદ્ર ધ્યાન. આમાં વ્યક્તિ ચોરીના આયોજનો કરે છે. ચોથું છે – સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. માણસ પૈસા બચાવા માટે કેટલું કરે છે? પૈસાના વિકલ્પો કર્યા કરવા એ પણ રૌદ્ર ધ્યાન છે. દુનિયાના નેવું ટકા લોકો આ સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન કરે છે. પૈસાનું સુરક્ષાની ચિન્તા એ પણ ભગવાન મહાવીર કહે છે કે ધ્યાન તો છે જ, પણ આવું ધ્યાન ખોટી દિશામાં છે. આનાથી જીવને લાભ જરા પણ નથી અને નુકશાન પુષ્કળ છે. આ પૈસાના સંરક્ષણ માટે તો ઘણા સુઈ પણ નથી શકતા, સતત એના જ વિચારો મગજમાં ઘૂંટ્યા કરતા હોય છે. મારી નજરમાં મને એવું જણાયું છે કે માણસના વિચારો વધુ પડતા બે જ બાબતના હોય છે, એક સેક્સ અને બીજું પૈસા. આ વિચારો માણસને અશાંત અને અંદરથી કમજોર કરી મૂકે છે. માણસને જો એની આ ઈચ્છા પૂરી ન થાય તો એ હિંસક પણ બની જાય છે. આવું ધ્યાન કરનાર નરક જેવું જીવન જીવે છે અને મરીને પણ નરકમાં જ જાય છે, જ્યાં લાંબા સમય સુધી ભારે દુઃખ ભોગવે છે.
ત્રીજું ધ્યાન છે – ધર્મ ધ્યાન – ધર્મ ધ્યાન એટલે સ્વભાવમાં સ્થિર થવાનો અભ્યાસ. આવા ધ્યાન જૈનધર્મમાં ચાર પ્રકારના જણાવ્યા છે. પહેલું ધર્મ ધ્યાન છે – આજ્ઞા વિચય. આજ્ઞા વિચાય એટલે વીતરાગ તીર્થંકરો એ આપેલી આજ્ઞા પર ઊંડાણથી વિચારવું અને એ પ્રમાણે જીવન જીવવું એ આજ્ઞા વિચય છે. વીતરાગની આજ્ઞા છે કે રાતના ન જમવું, દારૂ કે શરાબ ન પીવો, હિસંક વ્યવસાય ન કરવો. આ આજ્ઞાઓ પર વિચાર કરી આચરણ કરવું એ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. બીજું ધર્મ ધ્યાન છે – અપાય વિચય, અપાય એટલે સમસ્યા. જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાના મૂળમાં જઈ વિચારવું અને સમસ્યાના પ્રમુખ કારણની શોધ કરવી. આપણે લોકો સમસ્યાના કારણો બહાર શોધીએ છીએ, હકીકતમાં એ આપણામાં જ હોય છે. હું બીમાર કેમ પડ્યો? મને ગુસ્સો કેમ આવે છે? હું આળસ કેમ કરું છું? પોતાની કમજોરીઓના મૂળ કારણની શોધ કરી ત્યાં ઉપચાર કરવો એ છે અપાય વિચય. ત્રીજું ધર્મ ધ્યાન છે – વિપાક વિચય એટલે કે આ સમસ્યા, આ કર્મનું ફળ શું મળશે? એમ કર્મના ફળનો વિચાર કરવો એ ત્રીજું ધર્મ ધ્યાન છે. ચોથું ધર્મ ધ્યાન છે – સંસ્થાન વિચય. સંસ્થાન એટલે આકાર અને આકારનો એક અર્થ છે આ બ્રહ્માંડ. આ વિશાળ બ્રહ્માંડમાં હું કેટલી વાર જન્મ્યો અને મર્યો, એના વિચાર કરવા એ ચોથું ધર્મ ધ્યાન છે. આવું ધ્યાન કરનાર પવિત્ર અને શ્રેષ્ઠ જીવન જીવે છે અને માર્યા પછી પણ શ્રેષ્ઠ મનુષ્ય ગતિ કે દેવ ગતિ પામે છે.
ચોથું ધ્યાન છે – શુક્લ ધ્યાન. આ ધ્યાન આજના આ પંચમ કાળમાં કોઈ કરી શકે એ સંભવ નથી. શુક્લ ધ્યાનમાં મૂળ નિર્વિચાર દશાનું પ્રાધાન્ય છે. એના ચાર પ્રકાર છે. પહેલું છે – પૃથક્ત્વ વિતર્ક સવિચાર – જેમાં જીવ એકમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા તત્ત્વ પર જઈ ભેદ જ્ઞાન કરે છે. બીજું છે – એકત્વ વિતર્ક વિચાર – જેમાં જીવ માત્ર એક જ તત્વમાં સ્થિર થાય છે, ભગવાન મહાવીર એક પુદગલ કે પરમાણુ પર આવું ધ્યાન કરતા હતા. ત્રીજું છે – સૂક્ષ્મ ક્રિયા પ્રતિપત્તિ – જેમાં માત્ર શરીરનો બોધ શેષ રહે છે અને બાકી બધું જ વિસરાઈ જાય છે અને ચોથું છે સમુચિન્ન ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન, આ ધ્યાનમાં સમસ્ત કર્મો છૂટી જાય છે, જીવને આત્મ તત્વનું જ્ઞાન થાય છે, જેને જૈન શાસ્ત્રમાં કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાની જીવનો નવો જન્મ નથી હોતો, એ સીધા જ મુક્તિને પામે છે.
આમ ધ્યાનનું સમ્યક દર્શન એ છે કે જે ધ્યાન સ્વની શુદ્ધિ કરે અને સ્વમાં સ્થિર કરે એ જ સાચું ધ્યાન છે, બાકી ખોટા વિષયમાં અને ખાતા ભાવથી થતી એકાગ્રતા એ અશુભ ધ્યાન છે. અધ્યાત્મ માર્ગમાં એવા ધ્યાનને કોઈ સ્થાન નથી. ધ્યાન કરવા માટે જીવન વ્યવહાર શુદ્ધ અને સાત્વિક જોઈએ, ખાન-પાન અને આચાર વિચાર નિર્મળ જોઈએ અને અંતર્મુખી વૃત્તિ જોઈએ. ધ્યાન કરવું અઘરું નથી. આપણું મન અઘરું છે. મનને સીધું અને સ્પષ્ટ કરવા માટે ધ્યાન છે અને મનથી પણ પરે જવા માટે ધ્યાન છે.
ધ્યાનથી જાગૃતિ આવે છે, જાગૃતિથી પ્રવૃત્તિઓમા આવતી વિકૃત્તિઓ દૂર થાય છે. ધ્યાનથી અંતરની શક્તિઓ જાગે છે અને બહારની પ્રવૃત્તિઓ પ્રત્યે જીવ સભાન બને છે. એ સભાનતાના કારણે રોજિંદા જીવનમાં જાગતી પ્રતિક્રિયાઓ શાંત થાય છે, ક્રોધ વિરામ પામે છે અને ચિત્તમાં શાંતિ અને ચહેરામાં કાંતિ આવવા લાગે છે. ધ્યાનથી વ્યક્તિની ચારેય બાજુ રહેલી ઓરા શુદ્ધ અને સકારાત્મક બને છે. ધ્યાન જ જીવનને નવો અર્થ આપે છે. સહજતાથી આંખ બંધ કરીને અનુકૂળ આસનમાં બેસો. શરીરને શિથિલ અને મનને શાંત થવા દો. ત્યાર બાદ ચિત્તને નાકની પાસે સ્થિર કરી આવ જાવ કરતા શ્વાસને શાંત ભાવે જોયા કરો. શ્વાસને જોવાથી જાગૃતિ વધશે અને જેથી મનના વિચારો શાંત થવા લાગશે, એક દિવ્ય શાંતિ અંદર બહાર પ્રતિ ઘ્વનિત થવા લાગશે. ધ્યાનને કાળ ઉપર ડાળો નહીં, આજે અને અત્યારે જ અભ્યાસ શરૂ કરો.
ધ્યાન જીવનને અર્થ આપે છે : સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
ધ્યાન કરવું અઘરું નથી. આપણું મન અઘરું છે. મનને સીધું અને સ્પષ્ટ કરવા માટે ધ્યાન છે અને મનથી પણ પરે જવા માટે ધ્યાન છે. ધ્યાનથી જાગૃતિ આવે છે, જાગૃતિથી પ્રવૃત્તિઓમા આવતી વિકૃત્તિઓ દૂર થાય છે. ધ્યાનથી અંતરની શક્તિઓ જાગે છે અને બહારની પ્રવૃત્તિઓ પ્રત્યે જીવ સભાન બને છે. એ સભાનતાના કારણે રોજિંદા જીવનમાં જાગતી પ્રતિક્રિયાઓ શાંત થાય છે, ક્રોધ વિરામ પામે છે અને ચિત્તમાં શાંતિ અને ચહેરામાં કાંતિ આવવા લાગે છે. ધ્યાનથી વ્યક્તિની ચારેય બાજુ રહેલી ઓરા શુદ્ધ અને સકારાત્મક બને છે. ધ્યાન જ જીવનને નવો અર્થ આપે છે. સહજતાથી આંખ બંધ કરીને અનુકૂળ આસનમાં બેસો. શરીરને શિથિલ અને મનને શાંત થવા દો. ત્યાર બાદ ચિત્તને નાકની પાસે સ્થિર કરી આવ જાવ કરતા શ્વાસને શાંત ભાવે જોયા કરો. શ્વાસને જોવાથી જાગૃતિ વધશે અને જેથી મનના વિચારો શાંત થવા લાગશે, એક દિવ્ય શાંતિ અંદર બહાર પ્રતિ ઘ્વનિત થવા લાગશે. ધ્યાનને કાળ ઉપર ડાળો નહીં, આજે અને અત્યારે જ અભ્યાસ શરૂ કરો.
ક્રોધ કર્યા વગર જીવી શકાય છે : સમણ શ્રુતપ્રજ્ઞજી
Feb 20, 2019
અમેરિકાની યાત્રામાં એક યુવાન મને મળ્યો. મેં પૂછ્યું આપ શું કરો છો? મને કહ્યું કે એક કંપની ચલાવું છું. મેં પૂછ્યું : તો તો કર્મચારી પાસેથી કામ કઢાવવામાં ઘણીવાર ગુસ્સે પણ થવું પડતું હશે ને? મને કે સમણ જી , આપને સાચું કહું તો જીવનના આ 30 વર્ષમાં કોઈના પર પણ ક્યારેય ગુસ્સો આવ્યો નથી કે કર્યો નથી. મેં પૂછ્યું : આ કેવી રીતે બની શકે? મને કે ‘મેં એક વસ્તુ સમજી લીધી છે કે ગુસ્સે થવામાં કોઈને પણ લાભ નથી અને નુકસાન બેય બાજુ છે. આ ખોટનો ધંધો છે. શા માટે ક્રોધે થવું? એના વિના જ બધું જ બરાબર ચાલે છે. અને એ પણ વિચાર આવે કે બાહ્ય નુકસાન કરતા ક્રોધનું નુકસાન વધુ ભયાનક છે. ક્રોધ કરવો એ માત્ર ખોટી માન્યતા અને પૂર્વ સંસ્કારોનું પરિણામ છે. વ્યક્તિ સંકલ્પ કરે તો પૂર્વ સંસ્કારને વશ કરી શકાય છે અને ખોટી માન્યતા પળ વારમા બદલી શકાય છે. ક્રોધ કરીને જેટલું નુકસાન થાત એના કરતા ક્રોધ ન કરીને ઘણો લાભ થયો છે.’ ક્રોધ આવે છે એવા લોકો પહેલા પોતાની ઉંધી માન્યતા બદલે કે ક્રોધ કરીયે તો જ કામ થાય, તો જ છોકરા કહ્યું મને, તો જ કર્મચારી બરાબર કામ કરે. આ ખોટી માન્યતા છે. શાંત ચિત્તે બધું જ કાર્ય થઈ શકે છે અને શાંતિથી અને પ્રેમથી લોકો જલ્દી સમજે છે.ક્રોધ કરીને કામ કરાવવાની આદત ખતરનાક છે. કેમ કે પછી તમારે જ્યારે કોઈ પાસે કામ કરાવવું હશે ત્યારે ક્રોધ કરવો પડશે અને પછી તમે કારણ વગર પણ ક્રોધ કરવા લાગશો.
પ્રવૃત્તિનો ઘાતક રોગ
Mar 2, 2019
'અતિ પ્રવૃત્તિ એ આધુનિક માણસનો રોગ છે. સાધુ હોય કે ગૃહસ્થ પ્રવૃત્તિનો રોગ કોઈને છોડતો નથી. શું છે આ પ્રવૃત્તિ પાછળનું ચાલાક બળ? સાધુ પોતાના નામના અહંકારમાં પ્રવૃત્તિમાં ડૂબેલો રહે છે અને ગૃહસ્થ પૈસાના લોભના કારણે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ગૃહસ્થ માટે જરૂરી હોય અને સંતુલિત પ્રવૃત્તિ કરવી પડે એ માન્ય છે પણ કારણ વગર માત્ર આદત અને વૃત્તિઓના પોષણ માટે એ કરવું અને કરતા જ રહેવું એ ઘાતક છે. સાધુ આત્માનુભૂતિ કરે અને એના પરિપાક રૂપે કરુણાવશ સેવાભાવે પ્રવૃત્તિ થાય એ અધ્યાત્મ જગતમાં માન્ય છે. લોકેષણા માટે પ્રવૃત્તિ કરવી સાધુનું અંતિમ બંધન કહી શકાય. આ માનવ ભવ નિવૃત્તિની સાધના માટે છે. નિવૃત્તિની ક્ષણોમાં જ જીવ ચૈતન્યનો સાક્ષાત્કાર કરી શકે છે. એમાં જ જીવને સાચી તૃપ્તિ મળે છે. જે દિવસે આપણે આવી સાધનામાં લાગી જશું એ દિવસે સમજવાનું કે સાચા અર્થમાં પરમાત્માનો આપણા પર અનુગ્રહ થયો છે. આ ભાવો ધ્યાનમાં બેઠાં પછી મારા પોતાના માટે કરેલું આત્મ નિરીક્ષણનું પરિણામ છે. મારી વિચારધારા દ્રઢ થઇ રહી છે કે પ્રવૃત્તિઓ ઓછી કરવી અને પોતાની સાધનામાં મસ્ત રહી આત્માનંદનો અનુભવ કરવો."
સમણ શ્રુતપ્રજ્ઞજી
सेवा का भी इंफेक्शन लगना चाहिए
Mar 15, 2019
अभी कुछ दिन पहले माधापर - राजकोट गांव मुझे चिराग ठक्कर नाम का एक युवान मिला। वह गली के बहुत सारे कुत्तो को दूध पिला रहा था। मैं वॉक करने निकला था। मैंने उनको पूछा आप क्या कर रहे हो ? उसने कहा कुत्तो को दूध पिला रहा हूँ। मैंने पूछा कब से यह सेवा कार्य कर रहे हो? उसने कहा : दो - तीन साल से - जब से पता चला कि यहाँ बहुत सारे कुत्ते भूखे है, तब से मैं रोज आता हूँ ओर यह सेवा कार्य करता हूँ। मैंने पूछा - क्या काम करते हो? उसने कहा बस यही सेवा काम। मैंने पूछा पैसे कहा से आते है ? कहा - पापा का चाय का धंधा है, अच्छा कमाते है, मैं भी सुबह दो घंटे में धंधा देख लेता हूँ, फिर सारा दिन यही काम करता हूँ। मैंने कहा बहुत उत्तम काम है - इतनी युवानी में सेवा की भावना अच्छी बात है। मुझे कहा - यदि मैं व्यसन का शिकार होता और गर्ल फ्रेंड के पीछे भागता तो रोज के १००० - १२०० रूपया उड़ा देता और शरीर को बर्बाद करता वो बात अलग। वो पैसे मैं व्यसन और विकार में न फंस के इस सेवा में लगाता हूँ। मुझे उस युवान की श्रेष्ठ भावना पर गौरव महसूस हुआ। बहुत सारे अच्छे युवान आज भी है जो चुप चाप सेवा का काम करते है। मुझे मन ही मन उनको प्रणाम करने का मन हुआ और तब से मैंने भी मेरे आदमी को बोल दिया कि अपनी गली के कुत्तो रो रोज दूध पिला दो और हिसाब संस्था को दे देना। सेवा का भी इंफेक्शन लगना चाहिए।
મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે
Mar 16, 2019
ગંગાસતી સૌરાષ્ટ્રનું એક અદભૂત પાત્ર છે. આધ્યાત્મિક વિકાસ કરવા ઝંખતા માનવી માટે એમના પદો ટોનિક સમાન છે. એમના પદો ગુજરાતના ઘરે ઘરે ગવાય છે. આ પદોને ધ્યાનથી સાંભળી એના પર આત્મ ચિંતન કરીએ તો અદભૂત રત્નો મળે અને જીવનની દિશા બદલાયા વિના રહે નહિ. કેમ કે એમની વાણીમાં આત્મજ્ઞાનની ગંધ છે.
એમનું એક પદ છે - મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે - અદભૂત ભજન છે. એ કહે છે સાચો હરિભક્ત કોણ છે? વિપદ પડે પણ વણસે નહિ ઈ તો હરિજનના પરમાણ રે - ગમે એટલી વિપત્તિ આવે છતાં જે વિચલિત ન થાય એ સાચો હરિભક્ત છે. આપણે સામાન્ય મુશ્કેલી આવે એટલે સંકલ્પ અને અધ્યાત્મ માર્ગથી હલી જતા હોઈએ છીએ. ગમે એટલી મુશ્કેલી આવે સ્વીકારેલા માર્ગથી વિચલિત ન થવું એમાં જ સાચું શાણપણ છે.
આગળ એ કહે છે - ભાઈ રે નિત્ય રહેવું સત્સંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે, - માનવીને કુસંગની જન્મો જન્મની આદત છે, સત્સંગની આદત પાડવી પડે છે. સત્સંગમાં રહેશો તો આઠે પહોર આનંદમાં રહી શકશો. માણસ દુઃખમાં ભગવાનને ભજે છે. દુઃખમાં ભજનમાં સ્થિરતા રહેવી અઘરી છે. સુખમાં પ્રભુને ભજો, આત્માનું ધ્યાન ધરો તો દુઃખમાં દુઃખી નહિ થાઓ.
गंगासती का आध्यात्मिक संदेश
Mar 16, 2019
गंगासती सौराष्ट्र की एक अद्भूत ज्ञानी संत हुई। आध्यात्मिक विकास की कामना करने वाले मानव के लिए उनके पद टॉनिक के समान है। उनके पद गुजरात के हर घर में गूँजते है। इन पदों को ध्यान से सुनकर उन पर आत्म चिंतन किया जाए तो अद्भूत रत्न मिल सकते है एवं जीवन की दिशा अवश्य बदलेगी, क्योंकि उनकी वाणी में आत्म ज्ञान की गंध है।
उनका एक पद है - मेरु तो डगे पण जेना मन न डगे रे - अद्भूत भजन है। वे कहते है - सच्चा हरिभक्त कौन है ? विपत्ति पड़ने पर भी जो विचलित न हो वही सच्चा हरी का भक्त है। अपन लोग सामान्य सी मुश्केली में भी हिल जाते है। ऐसे समय में हम लोग संकल्प को तोड़ देते है एवं अध्यात्म मार्ग से चलित हो जाते है। चाहे कितनी भी मुश्किलें आये फिर भी स्वीकृत मार्ग से हिले नहीं वही साधक होने का प्रमाण है।
आगे कहते है - भाई रे, नित्य रहेवुं सत्संग मा ने जेने आठे पहोर आनंद रे, - ऐसा व्यक्ति नित्य सत्संग में मस्त रहेता है और कारण वो दिन रात आनंद में झूलता रहता है। मानवी को कुसंग की जन्मो जन्म की आदत है, सत्संग आदत डालनी पड़ती है। सत्संग ही आनंद का आधार है और कुसंग ही दुखी होने का धंधा है। आदमी दुःख में भगवान का भजन करता है , दुःख के समय भजन में स्थिरता रहनी मुश्किल है। सुख में प्रभु को भजो - आत्मा का ध्यान धरो तो दुःख के समय भी आनंद छूटेगा नहीं।
બોલવાની કળા
Mar 16, 2019
કોઈએ સરસ કહ્યું છે - " જયારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ન બોલવો કારણકે મૂડ સુધારવા લોકો મળી જશે પણ શબ્દો સુધારવા મોકો નહિ મળે". આ જીવનની એક વાસ્તવિકતા છે. માણસનો મૂડ બગડેલ હોય છે ત્યારે એ બોલ્યા વગર રહી શકતો નથી, અંદર એટલી આંટી ઘૂંટી ચાલે છે કે બોલી નાખે ત્યારે જ એ જીવને શાંતિ લાગે છે પણ આવી શાંતિ એની પોતાની જ શાંતિ ભંગ કરી નાખે છે. અશાંતિની નવી પરંપરા ઉભી કરે છે.
બગેડેલા મૂડમાં એ જે બોલશે એ શબ્દો સામલાને તીરની જેમ ચૂભે છે. બોલ્યા પછી માણસને પછતાવો પણ થાય પણ એવા પસ્તાવાનો કોઈ અર્થ નથી. માણસને મૂડમાં લાવવા લોકો મળી જશે પણ તમારા દ્વારા બોલાયેલા શબ્દોને કોઈ નહિ સુધારી શકે. જાગૃત માણસ એ છે જે બોલતા પહેલા સારી પેઠે વિચારી લે કે હું જે કઈ બોલીશ એનાથી મારી કે અન્યની અશાંતિ તો ઉભી નહિ થાય ને ! બોલવા પછી પછતાવો કરવા કરતાં બોલ્યા પહેલા વિચારી લેવું વધુ સારું અને લાભનું કારણ છે.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
તા.16 માર્ચ 2019
मैं अपनी इबादत खुद ही कर लूँ तो क्या बुरा है
Mar 18, 2019
"मैं अपनी इबादत खुद ही कर लूँ तो क्या बुरा है, किसी फ़क़ीर से सुना था मुझ में ही खुदा रहता है।"
आदमी विचित्र है। उनकी विचित्रता यह है कि वो सुखी होने के लिए जिंदगीभर दुखी होता है। सुख भीतर है, आदमी को यह सत्य मालूम है फिर भी वो सुख के लिए सारी दुनिया घूमेगा लेकिन भीतर नहीं झांकेगा। शांति की खोज भी अब नई अशांति का कारण बन गई है। अब इबादत भी धंधा और दिखावा बन गई। बहार शांति का वातावरण मिलेगा, शांति नहीं। शांति की खोज भीतर करनी पड़ेगी। अपनी सच्ची इबादत करनी है तो भीतर के खुदा से मुलाकात करो।
अनुभवी फ़क़ीर सदा यही कहेगा कि 'खुद के भीतर ही खुदा रहता है।' उस खुदा का मुलाकात का तरीक़ा एक मात्र ध्यान है। आँख बंद करो, शरीर को स्थिर एवं सीधा रखो, आते जाते श्वास को थोड़ी देर देखो, मन को शांत करो। उसके बाद शांत मन से भीतरी तत्व का अनुभव करे, विचार आये तो उसके साक्षी मात्र रहे, विचारो से लड़े नहीं, सिर्फ उसे देखें। विचार शांत होंगे तब भीतरी शांति और प्रकाश का अनुभव होगा।
- समण श्रुतप्रज्ञजी
१८ मार्च २०१९
बड़ा हुआ तब से मैं कभी अकेला नहीं रहा
Mar 18, 2019
"उम्मीदें ... ख्वाहिशें .... जरूरतें .... जिम्मेदारियां .... , बड़ा हुआ तब से मैं कभी अकेला नहीं रहा "
संसारी अकेला रह नहीं सकता और संन्यासी भीड़ में रह नहीं सकता। एकांत अध्यात्म है, भीड़ संसार है। संसारी जीव के तीन लक्षण है। पहला लक्षण है - उम्मीदें - आशा का बंधन पहेला बंधन है। आज सुख नहीं मिला, शायद कल मिल जायेगा, आज यह चीज नहीं मिली, शायद कल मिल जाएगी। उम्मीदें जीवनभर दौड़ाती रहती है, तड़पाती रहती है।
दूसरा लक्षण है - ख्वाहिशें .... इच्छाए अनंत है। इच्छा समाप्त हो सकती है, पूरी कभी नहीं होती। पूरी होना उनका स्वभाव नहीं है। संसारी जीव इच्छा के जाल में मकड़े की तरह फंसता चला जाता है। भाग्यशाली है वो जिनकी इच्छाए अल्पतम है।
तीसरा लक्षण है - जरुरतें - इस भौतिक माहौल में आदमी की जरूरतें बढ़ गई। अमीर सुखी नहीं है, सुखी वह है जिनकी जरूरतें कम से कम है। मन की शांति भंग हो, उतना परिग्रह और संग्रह मत करो, संग्रह की भी एक आदत पड़ जाती है। यह आदत आदमी को गिराती है।
चौथा लक्षण है - जिम्मेदारियां - पदार्थ का मोह छूटता है तो जिम्मेदारियां का बंधन आदमी ओढ़ लेता है। ओर वह इसी लिए की आदमी के भीतर फिर नाम की भूख उघड़ती है। अपने नाम के लिए आदमी बहुत साडी संस्थाओ से जुड़ जाता है। भाग्यशाली वो है जिनके सर पर ६० की उम्र के बाद कोई जिम्मेदारियां नहीं है। सेवा करो, मदद करो, लेकिन ६० के बाद इस बंधन में मत पड़ो - अन्यथा तुम साधना - आराधना नहीं कर पाओगे। बड़ा हुआ तब तक नहीं, मौत की घडी तक आदमी अकेला नहीं हो पाता। सौभाग्यशाली है वो जिनको अकेला रहने का और अपनी आत्म साधना करने का मौका मिल पाता है। ज्ञानी कहते है इन चार बंधनो से खूब सावधान रहो।
- समण श्रुतप्रज्ञजी
मार्च २०, २०१९
त्याग - भोग और आत्म ज्ञान
Mar 19, 2019
त्याग - भोग और आत्म ज्ञान
जीवन में आसक्ति को मिटाने के लिए कोई प्रयास करने की आवश्यकता नहीं है। क्योकि यह प्रयास निषेध से लड़ने का प्रयास है। निषेध से लड़ने से वो और अधिक प्राणवान बन जाती है। निषेध को मिटने का एक ही मार्ग है कि विधेयात्मक को प्राणवान बना दे। अंधकार से लड़ने का या उसे मिटाने का प्रयास मत करो, प्रकाश की व्यवस्था करो। आसक्ति अंधकार के समान है। आत्मज्ञान का दिया जले तो आसक्ति का अंधकार मिट सकता है।
अधिकतम लोग आसक्ति से लड़ते है और उसके कारण वे विरक्त हो जाते है। विरक्ति आसक्ति का ही उल्टा पहलू है। एक आसक्त व्यक्ति जिससे आसक्त होता है, एक विरक्त व्यक्ति उसी से विरक्त होता है। एक के मन में राग भाव है, दूसरी के मन में द्वेष भाव है। आसक्ति भी नहीं, विरक्ति भी नहीं, अनासक्ति चाहिए। यह अनासक्ति आत्मज्ञान का परिणाम है।
घर का त्यागी विरक्त है, इसलिए वह आश्रम बना कर नई आसक्ति खड़ी कर लेगा। धन को छोड़ने वाला त्याग में आसक्त हो जाएगा। गृहस्थ जीवन का त्याग करने वाला परिवार का त्याग कर देता है, लेकिन नये शिष्यों का मोह उन्हें नए बंधन में फंसा देता है।
अनासक्ति के लिए किसे पाना या किसे छोड़ना अनिवार्य नहि है। व्यक्ति जहाँ है वही रह कर व्यक्ति और वस्तु का उपयोग करते हुए उनके प्रति अनासक्त रह सकता है। भीतर से तृप्त साधक सब कुछ करते हुए भीतर से द्रष्टा बनकर, कमल की तरह निर्लिप्त रह सकता है।
- समण श्रुतप्रज्ञजी
27 March 2019
આયુર્યોગ - પ્રયોગ : 1: કમળો ( Jaundice) જોન્ડિસ:
Mar 27, 2019
ઔષધિ પ્રયોગ: ભૂમિ આવલાં - ભોય આંબલી( હિન્દી નામ ) ના પાંચ અંગોનો રસ કાઢવો.અડધો કપ ગાળીને સૂર્યોદય પહેલાં અને અડધો કપ સૂર્યાસ્ત પછી બે દિવસ સુધી લેવો - ચાર ડોઝ લ્યો એટલે કમળો મટી જાય છે.
એકયુપ્રેશર: જમણા પગમાં લીવરના પોઇન્ટ દબાવવા
યોગાસન: શશાંકાસન - 3 વાર કરવું - બે - બે મિનિટ રોકાવું
પ્રાણાયામ: અનુલોમ - વિલોમ: 5 મિનિટ કરવું - ખાલી પેટે
ધ્યાન પ્રયોગ: લીવર પર ચમકતા બ્લૂ કલરનું ધ્યાન કરવું - 3 મિનિટ
Saman Shrutpragyaji
28 March 2019
Rajkot
એક્યુપ્રેશર એટલે શું?
Mar 28, 2019
એક્યુપ્રેશર એટલે શું?
Acu - લેટિન શબ્દ છે. એનો અર્થ થાય છે - needle - સોય અને Pressure - પ્રેશર એટલે દબાણ. સોય દ્વારા કે આંગળીઓ કે અંગૂઠા દ્વારા શરીરના ભાગોમાં દબાણ આપવું. દબાણ આપવું એક માનવીય મનોવૃત્તિ છે. સુશ્રુતમાં મર્મ સ્થાન કહે છે. કહેવાય છે કે આ પદ્ધતિ બૌદ્ધ સાધુઓ ચીનમાં લઇ ગયા અને આજે પણ ચીનના દરેક ઘરમાં એક વ્યક્તિ આ જ્ઞાન ધરાવે છે.
"પગના તળિયામાં, હાથની હથેળીમાં અને શરીરના અન્ય ભાગોમાં આવેલા ચોક્કસ દાબબિદુંઓ પર ચોક્કસ પ્રકારનું, ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ સમય સુધી તીવ્ર અને તીક્ષ્ણ દબાણ આપીને રોગોને અટકાવવાની કે મટાડવાની અથવા કેટલાક અસાધ્ય રોગોમાં થતી પીડા કે વેદનામાં રાહત પહોંચાડવાની પદ્ધતિને એકયુપ્રેશર કહેવાય છે."
આ પદ્ધતિની વિશેષતા છે -
1. એક પણ પૈસાનો ખર્ચ નથી.
2.સીધી - સાદી અને સરળ છે.
3.આડઅસર નથી.
4. નુકશાન નથી.
5. સાધનોની જરૂર નથી.
6.જાતે જ સાજા થઇ શકાય છે.
7. સમય અને જગ્યાની મર્યાદા નથી.
8. શરીરના તત્ત્વોની વધ-ઘટને સમાન કરે છે.
9. સર્વાંગીણ આરોગ્ય સુધારે છે.
Saman Shrutpragyaji
29 March 2019
Rajkot
આયુર્યોગ પ્રયોગ - 2 ( હિસ્ટીરિયાનો ઉપાય )
Mar 28, 2019
એકયુપ્રેશર : ( ચિત્ર મુજબ ) છાતીની વચ્ચેનો પોઇન્ટ
આયુર્યોગ: ભોંય રીંગણી ( જેમાં કાંટાવાળા પાન હોય છે )એનું ફળ( જે નીચે જમીન પર પડે છે, એ ફળ જે પીળા લોટ જેવા રંગનું હોય છે ) લેવું, એમાંથી રસ કાઢવો અને એમાં એટલું જ પાણી નાખી - સવારે અને સાંજે બે બે ટીંપા નાકમાં નાખવાં. આમ કરવાથી સાત દિવસમાં હિસ્ટીરિયા કે ફીટ મટી જાય છે.
યોગાસન: રોજ 5 મિનિટ શવાસન કરવું.( સાજાં હોય ત્યારે )
પ્રાણાયામ: રોજ 5 મિનિટ અનુલોમ વિલોમ કરવું ( સાજાં હોય ત્યારે )
મંત્ર: રોજ 3 મિનિટ પેડૂ પર ધ્યાન એકાગ્ર કરી ' વં ' મંત્રનો બોલીને જાપ કરવો.
મુદ્રા: જ્ઞાન મુદ્રા - રોજ 10 મિનિટ કરવી
Saman Shrutpragyaji
30/3/2019
Rajkot
આયુર્યોગ પ્રયોગ : 3 ( શારીરિક વેદના )
Apr 2, 2019
દર્દ આપવાથી દર્દ મટે છે એ એક્યુપ્રેશરની જાણીતી બાબત છે. પેટમાં ગડબડ, માથાનો દુઃખાવો, ચેસ્ટ પેઈન - આ બધી આજના સમયની કોમન મુશ્કેલીઓ છે. એના માટે શું કરવું?
પ્રાણ યોગ ધ્યાન: રોજ પાંચ મિનિટ શ્વાસ દર્શન સાધના કરવી.
પ્રાણાયામ: જે નાકથી શ્વાસ ચાલતો હોય તેને બંધ કરી, જે નાક બંધ છે એનાથી 11 વખત શ્વાસ લ્યો અને છોડો.
આહાર યોગ: એક કપ દૂધ એક ચમચી ખસખસના દાણા - ઉકાળીને દિવસમાં એકવાર પી જવા ( ત્રણ દિવસ સુધી કરવાથી શરીરનું કોઈ પણ દર્દ કે દુઃખાવો માટે છે. આહારમાં મેંદાવાળી વસ્તુઓ પર અવશ્ય સંયમ રાખવો.
એક્યુપ્રેશર પોઇન્ટ: હથેળીથી લગભગ 2 આંગળી નીચે કાંડા પર ચિત્ર પ્રમાણે 5 - 5 સેકન્ડ 3 થી 5 વાર દબાવવાથી બેચેની, મોશન સિકનેસ, વોમિટિંગ, પેટમાં ગડબડ, માથાનો દુઃખાવો, ચેસ્ટ પેઈન અને હાથના દર્દમાં રાહત થાય છે.
વૅકેશનમાં શું કરશો?
Apr 2, 2019
હવે વૅકેશનનો સમય શરુ થઇ ગયો છે, અને કેટલાક માટે વૅકેશન પડવાની તૈયારીમાં છે. આજના બાળકો વૅકેશનની રાહ જોતાં હોય છે. પણ મોસ્ટલી બાળકોને એ ખ્યાલ નથી હોતો કે વેકેશનમાં શું કરવું અને વેકેશન કેવી રીતે ગાળવું? મોટા ભાગે બાળકો મિત્રો સાથે ફરવા જાય છે. મૂવી જોવા જાય છે, ટી.વી. જોવાનું પસંદ કરે છે. આ બધું કરીને પાછાં એ જલ્દી કંટાળી જાય છે. આ બધી વસ્તુ જ એવી છે કે અમુક સમય પછી કંટાળો ઉપજાવે.
વેકેશનનો મૂળ હેતુ છે - રિલેક્સ થવું - મનને આરામ આપવો. એના માટે સાચી રીત છે કે એ સારા પુસ્તકો વાંચે, સારા લોકોને મળે, ક્યાંક જઈને સેવા કરે, પ્રકૃતિની ગોદમાં થોડીવાર તેને માણે, ઘરમાં બેસીને થોડી વાર ધ્યાન કરે, પરિવારના સ્વજનો સાથે સમય પસાર કરી, એમની પાસેથી પણ કંઈક નવું શીખે, જેનો શોખ હોય એ માટે સમય કાઢે અથવા એના ક્લાસ જોઈન કરે અથવા મનગમતી કે જ્ઞાનવર્ધક કોઈ શિબિર યોજાય તો એમાં ભાગ લે. આમ કરવાથી સમયનો સદુપયોગ થશે, કંટાળો નહિ આવે, નવું શીખવાનું મળશે અને સારી રીતે વેકેશન માણ્યાનો આનંદ અનુભવાશે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
રાજકોટ
2/4/2019
આયંબિલની ઓળી: નવપદજીની આરાધના
Apr 4, 2019
નવપદજીની આરાધના:
અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી. એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના.
જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.
જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.
જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આયંબીલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે.
શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?:
આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં... જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે... ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં... જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે... આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.
આયંબિલમાં શું ખવાય? અને શું ખવાય?:
દ્યઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.
બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.
મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે.
દ્યી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.
પૂર્વે કોણે કરી આ મહાન આરાધના:
* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
નવપદજીની શાસ્વતી ઓળી એટલે:
*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.
આ તપ કરવાથી -
1. શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. શરીરને ડિટોકિસફાય કરે છે.
2. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે.
3. તપ એ કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે.
4. આયંબીલ તપ કરવાથી રસેન્દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.
5. ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્ત છે.
6. આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે. ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્વ બતાવતા અનેક પ્રેરક દૃષ્ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે.
પ્રભુ પરમાત્માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓમાંથી શ્રેષ્ઠ તપસ્વી કોણ? ત્યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્ના અણગાર કે જે જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્નો… ધન્નો અણગાર.
તપસ્વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.
ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો:
1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
4. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
5. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
6. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
Saman Shrutpragyaji
Date: April 4, 2019
Mumbai
આયંબિલનું મહત્વ
Apr 10, 2019
આયંબિલ ઓળી: પૂર્વ સંધ્યાએ સમણ શ્રુતપ્રજ્ઞજીનું પ્રવચન
આયંબિલનું મહત્વ :
વર્ષ દરમિયાન 6 ઓળી આવે છે: 2 ઓળી ચૈત્ર અને આસોની
ચોમાસાની 3 ઓળી - કારતક, ફાગણ અને અષાઢ
પર્યુષણની 1 ઓળી - ભાદરવા મહિનામાં
આયંબિલ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. મૂળ સંસ્કૃત શબ્દ છે - આચામલિકા અથવા આચામલ. એનો અર્થ થાય છે - ફિક્કુ - મોરૂ અને બેસ્વાદવાળું ભોજન. એ આચામલ સંસ્કૃત શબ્દ પરથી 'આયંબિલ' પ્રાકૃત ભાષાનો શબ્દ આવ્યો.
ઓળી એટલે પંક્તિ - શ્રેણી - શ્રુંખલા. આજે પણ અમદાવાદના માણેકચોકમાં કંદોઈ ઓળ, ચાલ્લાં ઓળ પ્રસિદ્ધ છે. એ ઓળ એટલે જ ઓળી.
આ છ ઓળીમાં પર્યુષણ માત્ર ભરત ક્ષેત્રમાં ઉજવાય છે જયારે આયંબિલ મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઉજવાય છે. 45 લાખ યોજનના મનુષ્ય ક્ષેત્રમાં એક સાથે કોઈ અનુષ્ઠાન આરાધના થતી હોય તો તે નવપદજીની આરાધના છે. આ આરાધના શાશ્વતી છે - અનાદિ અનંત છે.
આ સમયે જ ઓળી કેમ ? કેમકે આ અયનસંધિના દિવસો છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન વચ્ચેનો આ સંધિ કાળ છે. એ સંધિ કાળનો વિશેષ પ્રભાવ છે.
આજે આપણી પાસે ચોથા આરા જેવી ભક્તિ નથી, ભાવ નથી, સંયમ ણથી, ચારિત્ર નથી, આરાધના નથી પણ છતાં ચોથા આરામાં હતું એવી ત્રણ વસ્તુઓ આજે છે -
1. મંત્ર - નવકાર મંત્ર છે.
2. તીર્થ - શત્રુંજય જેવા શાશ્વત તીર્થ છે.
3. શાશ્વત પર્વ - આયંબિલ જેવું શાશ્વત પર્વ છે.
તીર્થ અને પર્વમાં ફર્ક છે. તીર્થ સ્થાનને બંધાયેલું છે અને પર્વ સમયને બંધાયેલું છે. તીર્થમાં આપણે સામેથી ચાલીને જઈએ છીએ જયારે પર્વ આપણી પાસે સામે ચાલીને આવે છે. અને એટલે તીર્થ સહજ રીતે આપણને ધર્મમય અનેપાપમુક્ત કરે છે. જયારે પર્વમાં ધર્મમય અને પાપમુક્ત બનવા માટે સત્ત્વ ફોરવવું પડે છે. ખૂબ અલ્પ પુરુષાર્થ લખલૂટ કર્મનિર્જરા તીર્થ યાત્રાથી થાય તો ખૂબ અલ્પ સમયે લખલૂટ કર્મનિર્જરા પર્વ આરાધનાથી થાય છે.
આયંબીલથી થતાં લાભો:
1. આત્મશુદ્ધિ: - નવપદની ભાવથી આરાધના કરીએ એટલે આત્મ શુદ્ધિ થાય અને કર્મ નિર્જરા થાય છે. આ તપ સીધું જ રાગ ઉપર ઍટેક કરે છે.
2. અંતરાય ક્ષય: જીવન નિર્વિઘ્ન બને છે. આ માંગલિક તપ કહેવાય છે. જીવનમાં આવતાં કોઈ પણ વિઘ્નો - બાધાઓ આયંબિલના પ્રભાવે ક્ષય થાય છે. ગામમાં પંચ મહાજન દ્વારા પ્રાચીન સમયમાં વ્યવસ્થા હતી - ગામમાં કોઈ એક ઘરે નિરંતર તપ ચાલુ રહેવું જોઈએ. લાલ વસ્ત્રમાં શ્રીફળ લઈને ગુરુ ભગવન્ત મંત્રોચ્ચારથી તેને ભાવિત કરી ક્રમવાર અલગ અલગ ઘરે લઇ જવાતું અને આયંબિલ તપ ચાલુ રહેતું.
3. સ્વસ્થ શરીર: આરોગ્ય સારું રહે છે: શરીરને ડિટોક્સિફાય કરે છે. ત્રિદોષને નિવારે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, કેન્સર જેવા અસાધ્ય રોગોમાં રાહત આપે છે.
ઉદાહરણો:
1. ભગવાન કૃષ્ણ અને દ્વારિકા નગરીનો દ્વેપાલન ઋષિ દ્રારા નાશ - નેમનાથ ભગવાન આયંબિલની પ્રેરણા આપે છે.
2. માનદેવસૂરિ : જૈન સમાજના કંઠે સદાય ગૂંજતા લઘુશાંતિના રચનાકાર - રાજસ્થાનના નાડોલ ગામનો પ્રસંગ, ગુરુભગવન્ત આચાર્ય પદ આપવાનું નક્કી કરે છે. કાર્યક્રમ ફાઇનલ છે. મંડપ રચાણો છે. સૂરિજી વંદન કરવા નમે છે ત્યાં ગુરુ ભગવન્ત માનદેવસૂરિના ખભા પર સાક્ષાત સરસ્વતી અને લક્ષ્મીજી બિરાજમાન હતા. ગુરુ ચાદર ઓઢાવતા અટકી ગયા, આખોય પ્રસંગ રોચક છે.
3. શ્રીચંદ્ર કેવલી - 800 ચોવીસી સુધી જેમનું નામ ગુંજતું રહેશે.
આધુનિક ઉદાહરણો: ઓળી માટે:
ઓળી એટલે : એક આયંબિલ અને ઉપવાસ, બે આયંબિલ અને ઉપવાસ, ત્રણ આયંબિલ અને ઉપવાસ - આમ 100 આયંબિલ અને ઉપવાસ કરે ત્યારે 100 ઓળી થઇ કહેવાય.
1. હેમવલ્લભસૂરીજી - 48 વર્ષની વય છે. સાડા આઠ હજાર સળંગ આયંબિલ - આયંબિલમાં ગિરનારજીની યાત્રા
2. રવિશેખરસૂરિજી મહારાજ - 62 વર્ષની વય છે. 18 વર્ષથી આયંબિલ
10 વાગે સૂવાનું - 2.30 વાગે ઉઠવાનું
1008 ખમાસમણા આપવાના
301 લોગસ્સનુ ધ્યાન કરવાનું
આયંબિલ ઠામ ચૌવિહાર પૂર્વક
3. સાઘ્વીજી હંસકીર્તિજી મહારાજ - 9 વર્ષે દીક્ષા, 13 વર્ષે ઓળી ચાલુ - હાલે ઉમર - 73 વર્ષ છે. 340 ઓળી પૂરી કરી છે. 50 વર્ષથી ઓળી કરે છે.
4. શ્રાવક : જામનગરમાં રતિકાકા - 209 ઓળી છે.
તા.10/4/2019
કુઆલા લમ્પુર, મલેશિયા
साक्षी की साधना
Apr 24, 2019
साधना का प्रथम दिन: अरिहंत सार्वजनिक साधना केंद्र - महाबलिपूरम - चेन्नई से ६० KM दूर है। यहाँ ध्यान योगी मुनि श्री जशराजजी महाराज साधनारत है। गहन साधना में वे लगे हुए है। तीन एकड में रमणीय जगह है। ध्यान करने की सुन्दर व्यवस्था है। भोजन आदि की भी व्यवस्था अच्छी है। सब कुछ निःशुल्क है। बस, साधना की रूचि चाहिए। यहाँ आज २३ एप्रिल को एक सप्ताह के लिए आया हूँ। आज दूसरा दिन है। मुनिश्री का प्रवचन हुआ - सक्षिप्त सार यहाँ है -
साक्षी की साधना:
साधना मार्ग कठिन है, जब तक रूचि प्रबल न हो । मन का भागना हर एक व्यक्ति का अनुभव है। ध्यान साधना मन को स्थिर करने की साधना नहीं है। मन की जहा रूचि हो वहा मन एकरूप हो जाता है। पांच इन्द्रियों के विषयो में रूचि है हे तो वहाँ घंटो तक एकाग्र रहता है। आप देखे कि आर्त्त और रौद्र ध्यान में मन की अवस्था क्या है? वह भी ध्यान है न! लेकिन उनकी कोई शिविर नहीं, कोई ट्रेनिंग नहीं है। मन वाले सरे जीवो का आर्त्त एवं रौद्र ध्यान चलता है। यह जन्म जन्म के संस्कार है एवं जन्मोजन्म की बेहोशी है। सब आदतें बेहोशी में चलती है। खाने पीने की आदत तो स्थूल है। क्रोध - मान, माया, लोभ - जन्मोजन्म की आदत है। लोग कहते है कि क्रोध तो हो जाता है। कैसे होता है? क्योकि बेहोशी है। दूसरी मान्यता है कि निमित्त से क्रोध होता है। निमित्त से क्रोध नहीं होता है, जाग्रति नहीं है इसलिए निमित्त हमारे पर हावी हो जाता है। जागृति है तो साक्षीभाव आ जाता है। कषाय से आपका रक्षण कौन करेगा? बॉडीगार्ड नहीं करेगा, स्वजन, परिजन भी नहीं करेगा। अपने भाव प्राण - ज्ञान, दर्शन, आनंद और वीर्य का रक्षण करेगा - साक्षीभाव।
घर के सभी मेम्बर भी मरण धर्मा है। शरीर को कोई नहीं बचा सकता। मेरा शरीर भी और ज्ञानी का भी शरीर मरण धर्मा है। पांचो पांच शरीर मरण धर्मा है। साक्षीभाव का अनुभव हो जाय तो उसे किसी का भय लगता नहीं है। शरीर को साक्षीभाव से देखो तो शरीर मरण धर्मा है वो देख पाओगे। हर शरीर प्रतिक्षण मर रहा है। हर समय असंख्याता पुदगल अपने शरीर की आकृति के अनुरूप बहार निकलता है। हमें मालूम भी नहीं पड़ता है। सब सारे पुदगल निकल जाते है तो कार्टून को फेंक देता है। माल नहीं है, मॉल निकाल लिया तो कार्टून को निकाल दो। कार्टून फेंक दे उसके पहले माल को निकालना सीख लो। ध्यान अपने शरीर के भीतर जो माल है ज्ञान - दर्शन- आनंद एवं वीर्य का उसे पा लेने माँ मार्ग है। फिर खोखा त्यागना पड़ेगा तो उसका डर नहीं लगेगा। आध्यात्मिक क्षेत्र में बेहोशी बहोत है। अपने आपको देखने का अभ्यास नहीं है, तब तक संसार सत्य लगता है। साक्षी भाव आया संसार स्वप्न लगने लगेगा। एक बंध आँखों का स्वप्न है, दूसरा खुली आँखों का स्वप्न है। साक्षी भाव आते ही सब क्रिया सम्यक होने लगेगी, पूरी दिनचर्या साधना हो जायेगी।
ध्यान में रूचि चाहिए, मात्र ध्यान में बैठने से कुछ नहीं होता है। मन बैठने ही नहीं देगा। मन ध्यान विरोधी है। ध्यान में मन की मत सुनना। मन को हटाते जाओ - साक्षी को लाते जाओ - तब काम होगा। कषाय मंद होगा, पुण्य अपने आप होने लगेगा। पुण्य दो प्रकार का है - आरंभी पुण्य एवं अनारंभी पुण्य। जिसमे खाना - पीना कराओ - हिंसा होती है। साक्षीभाव में किसी की भी हिंसा नहीं है, भीतर में भाव प्राण की सुरक्षा होने लगेगी। कोई भी पुण्य व्यवस्था मात्रा है, उसमे धर्म नहीं है। ध्यान में बैठने से इतनी आत्म शुद्धि होती है कि अपने आप अनारम्भी पुण्य हो जाता है। जब तक आर्त्त रौद्र ध्यान रहेगा, किसी को आराम नहीं मिल सकता है, शाता नहीं मिल सकती है। अनारम्भी पुण्य जीव को परमात्मा तक पहोंचा देता है। श्वास के प्रति पहले साक्षी बनो - कुछ महीनो तक इसका अभ्यास करो। फिर शरीर की संवेदना को देखो और उसके बाद विचारो को साक्षीभाव से देखो।
- समण श्रुतप्रज्ञजी
ज्ञानी के वचनो में दृढ आश्रय
Apr 25, 2019
ज्ञानी के वचनो में दृढ आश्रय
आज साधना का दूसरा दिन है। मुनिश्री ने साधको को प्रवचन दिया उसका सार इस प्रकार है -
ज्ञानी के वचनो में दृढ आश्रय जिसे हो उन्हें सर्व साधन सुलभ होता है। ज्ञानी वो है जिसे सम्यक दर्शन प्राप्त है। जिसे सम्यक दर्शन हो गया उनकी बातो में आश्रय करके उसके बताये मार्ग पर चले तो कल्याण निश्चित्त है। अज्ञानी को श्रद्धा मिथ्यात्वी की बातो में होती है। शब्दों में व्यक्ति को कितना अनुराग होता है। नजदीक की व्यक्ति के शब्दों से सुख भी ज्यादा होता है और दुःख भी ज्यादा होता है। दूर का व्यक्ति बोले तो उपेक्षा कर सकते है। उपेक्षा में द्वेष है , अपेक्षा में राग है। जब अपेक्षा तूटेगी तो उपेक्षा होगी। योग की दो ही क्रिया होती है - शुभ और अशुभ। वह शुद्ध कभी हो ही नहीं सकती है। हमें उनसे बहार आना है। विकल्प शून्य होने से योग समाप्त - शुभ और अशुभ दोनों योग समाप्त होते है। व्रत नियम जीव को अशुभ से शुभ में ले जाता है। ध्यान जीव को शुद्ध में ले जाता है। अज्ञानी के वचनो में दृढ़ता होती है, क्योकि हमारे भीतर उन जैसे राग द्वेष है। ज्ञानी के वचन वीतरागता की और इशारा करता है - उसमे क्षयोपशम भाव है। जिसमे वीतरागता का भाव है उन्हें ज्ञानी के वचनो में दृढ़ता होगी। उन्हें मालूम है कि यह वचन मेरे लिए है, मेरे दुःख इसी से मिटने वाले है। फिर उन्हें कर्मो का उदय संयोग कुछ नहीं कर सकता है।उदय संयोग सब भूत भावी है। वर्तमान क्षण में आये तो दुःख समाप्त हो जाता है।
पंचम आरे में शुक्ल ध्यान नहीं हो सकता - ऐसी मान्यता है। पंचम आरे में अशुद्ध ध्यान हो सकता तो शुद्ध ध्यान क्यों नहीं हो सकता ? पंचम आरे में शुक्ल ध्यान की प्रारम्भिक दशा को छूआ जा सकता है। सम्यक दर्शन पंचम आरे में संभव है तो कैसे संभव है ? ध्यान में निर्विकल्प दशा नहीं आएगी तो सम्यक दर्शन कैसे होगा? मनुष्य जन्म सुलभ, श्रवण उससे भी दुर्लभ है। श्रद्धा उससे भी दुर्लभ एवं समय तथा शक्ति को साधना में लगाना इससे भी दुर्लभ है। श्रवण सम्यक नहीं होता, क्योकि हमारी मान्यता के विरुद्ध कुछ बोले तो हम सुन नहीं पाते। मान्यता एवं प्रमाद - साधक के दो बड़े दुश्मन है। मान्यता हमारे दिमाग में किसी ने डाली है। उस मान्यता के लिए हम कुछ भी पाप कर सकते है। बिना मान्यता के ज्ञानी को सुनना कल्याण का मार्ग है।
आनंद श्रावक की समृद्धि कितनी? आज ऐसी समृद्धि किसी के पास नहीं। एक बार भगवान की बात सुनी - यह श्रवण है। हाथ जोड़ कर बैठ गया - शब्द की चोट हुई की दृष्टि खुल गई। हमें चोट लगती है लेकिन ज्ञानी की नहीं, अज्ञानी की। दृष्टि कभी नहीं खुलती। आनंद कहता है - प्रभु आपके निर्ग्रन्थ प्रवचन ही सत्य है। जिसकी सब ग्रंथिया खुल गई वो निर्ग्रन्थ है। प्रभु मैं देश विरति श्रावक बनाना चाहता हूँ - वही का वही श्रावक बन गया। ज्ञानी पुरुषों के वचनो में दृढ श्रद्धा क्यों नहीं है ? क्योंकि हमें लगता है - सुख दुःख वस्तु एवं व्यक्ति में है। कौन तुम्हे सुखी करता है - पांच इन्द्रियों के विषय सुख देता है - भ्रान्ति है। अमुक व्यक्ति सुख देता है - महाभ्रांति है। आदमी बड़ी भ्रान्तिओ में जीता है। सुख दुःख भीतर है। ज्ञानी के ऐसे वचन पर दृढ श्रद्धा रखोगे तो तुम्हे हर साधन साध्य तक ले जायेगा। दृष्टि गलत है तो साधन सही दिशा में नहीं ले जायेगा।
ज्ञानी के वचनो में दृढ आश्रय से सब साधन सुलभ हो जाते है
Apr 26, 2019
"ज्ञानी के वचनो में दृढ आश्रय से सब साधन सुलभ हो जाते है।"
इस विषय पर आज २६ एप्रिल को तीसरा प्रवचन पूज्य जशराजजी महाराज ने दिया - इसका सार इस प्रकार है -
अपनी साधना के अनुरूप साधनो की खोज है या अपनी इच्छा के अनुरूप साधन चाहिए? साधनो की बहुत विविधता है। हम कौन से साधन चुनते है ? साधन हमें मुक्ति की और ले जाते है या बंधन की और ? हम साधनो का उपयोग किस दिशा में करते है ? हम जो साधन चुनते है, उस पर ज्ञानी की महौर होनी चाहिए। साधन जो हमारे पास है वो ही साधन दुसरे - तीसरे और चौथे आरे में भी थे। पहले तो पूछो कि ज्ञानी के वचनो में दृढ श्रद्धा है? वीतरागी पर श्रद्धा है? श्रद्धा होगी तो वो साधन हमें बचा लेंगे। श्रद्धा नहीं होगी तो हम विपरीत चलेंगे - गिरेंगे।
हमें मानव भव मिला है, दस प्राण मिले है। वे साधन है। भगवान ने कहा चार साधन है - मनुष्यत्वं, श्रवण, श्रद्धा, साधना में समय और शक्ति का नियोजन। मनुष्य भव का उपयोग ज्ञानी के वचनो के अनुसार करते है? मानव देह पाप के लिए है या शुद्धि के लिए? ज्ञानी की दृष्टि के अनुसार साधना करो - स्वयं की इच्छा से नहीं, स्वयं की इच्छा से करना अहम ही बढ़ाएगा। कितने साल साधना करो - आज्ञानुसार नहीं है तो गति नहीं होगी। क्रिया करो, जप करो, तप करो, ध्यान करो, सेवा करो, दान करो - अपनी मति से करोगे तो भटकोगे। दवा डॉकटर के कहे अनुसार लोगे तो काम होगा, अन्यथा नुकसान भी हो सकता है। बेंगलोर जाना है और रास्ता मालूम नहीं है तो किसी जानने वाले को पूछना पड़ेगा। अन्यथा भटकते रहोगे।
आज कल लोग साधना बहुत कर रहे है लेकिन जिसने वो मार्ग देखा है, उनसे कन्फर्म करो कि यह मार्ग पहुचायेगा न!! मान्यता से मत जीओ - रूटीन से मत जीओ। मान्यता व्यक्ति को जड़ बनाती है - मान्यता कैसी भी हो - जड़ बनाती है। मान्यता का बंधन साधक को साधना से दूर ले जाता है। कमल कीचड़ में उगता है - गंदे से गन्दा पानी है - दुर्गन्ध आती है। मनुष्य कमल होने के लिए जन्मा है। संसार और राग द्वेष कीचड़ है - ऊपर उठने की साधना करो - कमल बन जाओगे। प्रकृति संज्ञा प्रधान है - प्रकृति का सब काम संज्ञा से हो रहा है। हम मनुष्य है हमारा काम सज्ञा से नहीं, आज्ञा से होना चाहिए। ज्ञानी पुरुष कीचड़ थे - कमल हो गए। हम उनकी बात माने।
प्रतिमा को फूल चढ़ाते है - क्यों? यदि हम पूछे कहा गए थे सुबह सुबह, सेवा और पूजा करने गए थे। सेवा और पूजा हुई ? व्यक्ति व्यक्ति रहता है और वीतराग वीतराग। क्या हम वीतरागता की और आगे बढे? फिर पूजा क्या की? सेवा क्या की? भगवान भगवान कैसे बने पूरी प्रक्रिया जानो और उस अनुसार करो - यह भगवान् की भाव पूजा है। मनुष्यत्व का सदुपयोग करो। श्रवण का साद उपयोग करो - ज्ञानी को सुनो - उस अनुसार चलो। हम सबको सुनेंगे लेकिन ज्ञानी को नहीं सुनेंगे।
आज तो शायद कोी वीतराग नहीं है , लेकिन वीतराग के शास्त्र तो है न, उनको समझो और उस अनुसार जीने की कोशिश करो। श्रद्धा भी ज्ञानी पर रखो, हमारी श्रद्धा तो रागी पर है तो वो भटकायेगा। भगवान ने जो कहा है, उस मार्ग पर जो ईमानदारी से चल रहे है - उनकी तो सुनो। अपने अहंकार को चोट लगती है। अरे यार किसी की न सुनो तो अपने भीतर आत्मा की आवाज तो सुनो। भीतर भी एक ज्ञानी बैठा है - आत्मा ज्ञान है, आत्मा गुरु है। आत्मा की सुनो और उस पर श्रद्धा करो तो भी पहोच जाएंगे। पुरुषार्थ साधना में करना - शक्ति एवं समय का नियोजन सम्यक साधना में करना। साधना वो है जो आपको भीतर से बदले और आत्मानीभूति तक ले जाए वो साधना सम्यक है।
26 April 2019
માર્ગાનુસારી: પહેલો ગુણ: ન્યાય સંપન્ન વિભવ:
Apr 26, 2019
રશિયન વિચારક ગોર્કી અમેરિકા ગયા, ત્યાંના ગાઈડે અમેરિકાના વધુમાં વધુ મનોરંજનના સ્થળો બતાવ્યાં .. સ્વદેશ જતાં ગાઈડે ગોર્કીને પૂછ્યું, આ બધા સ્થળો જોઈને આપનો અમેરિકા માટેનો અભિપ્રાય શું? પ્રશ્ન સાંભળતા ગોર્કીની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું - ' જે દેશને મનોરંજન માટે આટલાં બધાં સ્થળોની, સાધનોની જરૂર પડતી હશે તે દેશ હકીકતમાં કેટલો દુઃખી હશે !
બહારના સાધનોની પ્રચુરતા એ અંદરની નિર્ધનતાની નિશાની છે. જીવન સંજ્ઞા પ્રધાન કે કષાય પ્રધાન ન હોવું જોઈએ, ગુણ પ્રધાન હોવું જોઈએ. સુંદર ગુણોથી સુંદર ભવ પરંપરા ઉભી થાય છે, ઇહલોક અને પરલોક બંને સુધારે છે, સમ્યક દર્શનને નજીક લાવે છે.
માર્ગાનુસારીના 21 ગુણોમાંનો પહેલો ગુણ છે - ન્યાય સંપન્ન વિભવ:
- પૈસાથી - વિષય પોષણ અને એનાથી કષાયને ઉત્તેજન મળે છે.
- પૈસા સાધન છે , સાધ્ય નથી. સાધ્ય બને એટલે ક્રૂરતા અને પાપો શરુ થાય છે.
- કામવાસના કરતા પણ અર્થ વાસના વધુ ખતરનાક છે. કેમકે આ 24 કલાક માથા પર સવાર રહે છે.
- લોકોમાં એક ભ્રમ છે - સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે - બધા ગુણો પૈસામાં રહ્યા છે.
- પૈસા ન હોય ત્યારે અસુરક્ષાનો ભય અને આવ્યા પછી સલામતીનો ભય રહે છે.
- પૈસા કમાવામાં અને વાપરવામાં પ્રામાણિક અને નૈતિક રહેવું સુખની નીંદ સૂવા બરાબર છે.
માર્ગાનુસારીનો બીજો ગુણ છે: ઉચિત વ્યય
Apr 26, 2019
બીજો ગુણ છે - ઉચિત વ્યય: ખર્ચ આવક પ્રમાણે રાખવો. મોટાઈ બતાવવા કે દેખાદેખી કરવા ખર્ચ ન કરો. પૈસાનો અનુચિત વ્યય કરવાથી અનેક અનર્થો સર્જાય છે. પૈસાનો યોગ્ય સદ્ વ્યય કરવાથી અનેક લાભ થાય છે, જેમ કે:
* જીવનમાં શાંતિ રહે છે,
* અન્યાય માર્ગે જવાનું મન થતું નથી,
* કુટુંબ માટે ભવિષ્યની સલામતી રહે છે.
* ધર્મ ક્રિયામાં મન ચોંટે છે.
આજે મોટા ભાગે આ ગુણ પાલનમાં દેવાળું નીકળી ગયું છે. રાતોરાત આમિર થવાના અભરખા, એશોઆરામની જિંદગી જીવવાની લાલસાના કારણે ગામના ઉધાર પૈસા લઇ ધંધો કરવાની વૃત્તિ ખતરનાક છે. નીતિકારોએ કહ્યું છે - મૂડીનો ચોથો ભાગ વેપારમાં રોકો,ચોથો ભાગ વાપરવામાં રોકો,ચોથો ભાગ સુરક્ષિત રાખો - ભવિષ્યમાં જરૂર પડે તો, અને ચોથો ભાગ ધર્મ કાર્યમાં ખર્ચો. એક કહેવત છે - 'જે જાતમાં પહોળો તે પરોપકારમાં સાંકડો એને જે જાતમાં સાંકડો તે પરોપકારમાં પહોળો !! '
માર્ગાનુસારીના ત્રણ ગુણો ( 3-4 and 5 )
Apr 27, 2019
માર્ગાનુસારીનો ત્રીજો ગુણ છે - ઉચિત વેશ:
વસ્ત્રો છેલ્લી ઢબના ન હોય, જાતીય વૃત્તિ ઉત્તેજિત ન થાય એવા મર્યાદા યુક્ત વસ્ત્રો હોય. નિમિત્તોનો આપણા અનાદિ કુસંસ્કારો ઉપર અસર થાય જ છે. નિમિત્તોથી બચવું પાપથી બચવા માટે અનિવાર્ય છે. આજે લોકો વસ્ત્રોની બધી જ મર્યાદા ઓળંગી ચૂક્યા છે, એના કારણે કેટલાય યુવાનો અને મોટા પણ જીવનની બરબાદી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. સૌંદર્ય હલકટ વસ્ત્રો પહેરવામાં નથી, પરંતુ શાલીન અને મર્યાદાપૂર્વકના વસ્ત્રો પહેરવામાં છે.
માર્ગાનુસારીનો ચોથો ગુણ છે - ઉચિત ઘર:
ઘર કેવું હોવું જોઈએ અને ક્યાં હોવું જોઈએ? બારી બારણાં યોગ્ય પ્રમાણમાં હોય, ઘર સારા પાડોશવાળું હોવું જોઈએ, ધાર્મિક સ્થળ નજીક હોય એવું ઘર હોય, કલ્યાણ મિત્રોનો યોગ હોય અને સંતોનો લાભ મળે એવું ઘર હોય એ જરૂરી છે.
માર્ગાનુસારીનો પાંચમો ગુણ છે - ઉચિત વિવાહ:
ભિન્ન ગોત્ર હોય અને સમાન કુળ અને શીલ હોય. વ્યક્તિ સાથે બંધાતા સંબંધથી ઘરમાં માત્ર વ્યક્તિ જ નથી આવતી, વ્યક્તિના જીવનમાં રહેલા તમામ સંસ્કારો અને એની સાથે જોડાયેલ દરેક વ્યક્તિના સંસ્કારો અને આદતો સાથે આવે છે.
માર્ગાનુસારીના છથી અગિયાર ગુણો
Apr 27, 2019
માર્ગાનુસારીનો છઠ્ઠો ગુણ છે: અજીર્ણે ભોજન ત્યાગ
પૂર્વનું ખાધેલું બરાબર પચ્યું ન હોય ત્યાં સુધી નવું ન ખાવું, જે ભોજન પચે નહિ તે અજીર્ણ થાય છે. અજીર્ણ ભોજન બધા રોગોના મૂળમાં છે. સર્વે રોગા અજીર્ણપ્રભવાઃ - જીવન ટકાવા માટે ખાવાનું હતું એના બદલે ખાવા માટે જ જાણે જીવન ટકાવી રાખ્યું હોય એવું લાગે છે.
માર્ગાનુસારીનો સાતમો ગુણ છે: કાળે સામ્યવાળું ભોજન:
ખાધેલું પચી ગયા પછી પણ ભોજન નિયમિત કાળે કરવું જોઈએ, જેવું અન્ન તેવું મન -
કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કૌરવ પક્ષે મહાપરાક્રમી ભીષ્મ પિતામહ સેનાપતિ તરીકે લડતા હતા, છતાં મન મૂકીને લડતા ન હતા . .. આ જોઈને વ્યથિત દૂર્યોધન સંધ્યાકાળે યુદ્ધ વિરામ પછી સત્યવાદી યુધિષ્ઠિર પાસે ગયા અને આ ફરિયાદ કરી.
દૂર્યોધન ! તેનું કારણ છે કે તેમના પેટમાં જતો આહાર બિલકુલ પવિત્ર છે. એટલે માટે તેઓ અસત્યના પક્ષે રહેવા છતાં સત્યના પક્ષે રહેલા અમારી સેનાનો કચ્ચરઘાણ કાઢતા નથી.
આનો કોઈ ઉપાય? હા, એક છે, એના પેટમાં કોઈ પાપીનું ભોજન જાય તો નિચ્ચિત ભીષ્મ પિતામહની બુદ્ધિ બગડે, પછી તેઓ અમારી ખબર લીધા વિના નહિ રહે,
એવો પાપી કોણ છે? દૂર્યોધન તારા જેવો બીજો કોણ પાપી હશે. તારા ભોજનનો એક કણિયો જ ભીષ્મની બુદ્ધિ બગાડવા પર્યાપ્ત છે. ખરેખર બીજા દિવસે એને એવું જ કર્યું અને ભીષ્મએ પછી પાંડવસેનાનો અભૂતપૂર્વ સામનો કર્યો.
માર્ગાનુસારીનો આઠમો ગુણ છે: માતા - પિતાની પૂજા:
એ ઉપકારી છે.એના આશીર્વાદ લેજો - સાંભળજો
ફૂલો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પાર,
એ રાહબરના રાહ પર,કંટક કદી બનશો નહિ,
એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
માર્ગાનુસારીનો નવમો ગુણ છે: પોષ્ય પોષણ :
જેમનું ભારણ પોષણ કરવાનું પોતાનું કર્તવ્ય છે, એવા સંબંધી અને નિરાધાર કાકી, ફાઇને સાચવજો।
માર્ગાનુસારીનો દસમોં ગુણ છે: અતિથિ સાધુ -દીનની પ્રતિપત્તિ
જે સદા ધર્મ કરે છે એવા સાધુ, અતિથિ અને ગરીબ - આ ત્રણેયની યોગ્ય સરભરા કરવી
માર્ગાનુસારીનો અગિયારમો ગુણ છે: જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રપાત્રની સેવા:
પુષ્પશાલ પુત્ર, પુણિયો શ્રાવક,મહાશતક શ્રાવક,સુલસા શ્રાવિકા,ઝાંઝરીયા ઋષિ વગેરે પુણ્યાત્મા એક એક ગુણને વળગી રહ્યા તો એ પામી ગયા,. અને મહામુનિ નંદીષેણ, અરણિક મુનિવર, અષાઢાઅભૂતિ,સિંહગુફાવાસી મુનિવર,જમાલી એકાદ ગુણના પાલનમાં બેદરકાર તો ચુકી ગયા.
એવરી મેન કેન નોટ બી ગ્રેટ મેન બેટ એવરી મેન કેન બી અ ગુડ મેન
સોપારીના શોખીન સૂફી ફકીર - દુકાનેથી સોપારી ખરીદી - ડબ્બીમાં મૂકી,ખોલી તો અંદર એક કીડી - પરિવારથી છૂટી પડી ગઈ લાગે છે - 50 કિલોમીટર ચાલીને કીડીઓની લાઈનમાં એ કીડીને મૂકી દીધી હર્ષના આંસૂ આવી ગયા, એક જીવ બચ્યો - આ કોમળતા.
मूल्य सामायिक का
Apr 27, 2019
जैन धर्म की आराधना का एक अंग है - सामायिक। सामायिक जैन दर्शन का एक पारिभाषिक शब्द है। जिसके हृदय में जैन धर्म के प्रति थोड़ी भी आस्था है या अपनी आध्यात्मिक गति करना चाहते है उनके जीवन में सामायिक की आराधना अवश्य होगी। सामायिक करना एक परम्परा का निर्वहन भी हो सकता है यदि बिना समझे सामयिक करे तो। सामायिक भगवान महावीर द्वारा प्रदत्त बहुत गहरी एवं बहुत आध्यात्मिक साधना है।
सामायिक का अर्थ है - समय में ठहरना। समय का अर्थ है - आत्मा। आत्मा में ठहरना सामायिक है। यही अर्थ ध्यान का है। ध्यान यानि आत्मा में ठहरना। आत्मा को समय क्यों कहा? समय यानि वर्तमान क्षण। क्षण भी समय से बहुत बड़ी है। आँख के एक पलकारे में असंख्यात समय बीत जाते है। समय यानी वर्तमान क्षण। जब साधक का चित्त वर्तमान में रहता है तो यही सामायिक है और यही ध्यान है। वर्तमान में रहना यानि भूत भविष्य से मुक्त हो जाना। वर्तमान में रहने का अर्थ है विचारो से मुक्त हो जाना, मन से मुक्त हो जाना। यही ध्यान का रहस्य है।
इस वर्तमान क्षण में सामान्य साधक ज्यादा देर रह नहीं सकता। निर्विकल्प दशा में साधक कुछ क्षण भी रह जाए तो प्रचुर कर्म क्षय हो जाते है। कहा है - एक तरफ अनंत काल के शुभ कर्म का फल और दूसरी तरफ एक क्षण की निर्विकल्प दशा का फल - इन दोनों की तुलना करे तो एक क्षण निर्विकल्प दशा का फल अनंत काल के शुभ कर्म के फल से ज्यादा है। अब सोचो ध्यान करना कितना आवश्यक है। कहते है न कि ज्ञानी एक श्वासोश्वास में अनंत कर्मो को निर्जरा करता है। यानी क्षण भर की ध्यान में प्राप्त निर्विकल्प दशा में अनंत कर्मो की निर्जरा होती है। इसी निर्विकल्प दशा में सम्यक दर्शन का स्वाद लग जाता है और साधक का काम हो जाता है।
पुणिया श्रावक की सामायिक ऐसी ही तो रही होगी। भगवान ने श्रेणिक को ऐसी सामायिक खरीदने को कहा था। ऐसी सामायिक में नरक गति टालने का सामर्थ्य है। जरा गौर करे और देखे कि हमारी सामयिक कैसी है? द्रव्य सामायिक से संस्कार जरूर बनते है। लेकिन द्रव्य सामायिक भाव दशा में जाने के लिए होनी चाहिए। कहीं श्रावक बहुत सारे वर्षो तक ऐसी परंपरा से सीखी हुई सामायिक करते आ रहे है। सोचो इससे लाभ कितना हुआ। आत्मानुभूति कितनी हुई? समता कितनी आई? प्रतिकूल क्षणों में हम कितने सम रह पाते है? उत्तर शायद संतोषप्रद नहीं मिलेगा।
सामायिक भाव दशा में ले जाने वाला हो तो काम बने। भाव दशा वो है कि जिसमे मन न भूतकाल में जाए, न भविष्य काल में जाए - मात्र वर्तमान में रहे - यही समता का रहस्य है। ऐसी समता वर्तमान क्षण में ही संभव है। भूत भविष्य राग द्वेष के जन्मदाता है, वर्तमान क्षण समत्व भाव का जन्म दाता है। यही सामयिक ध्यान है। सामायिक में क्रिया करना शुभ योग हो सकता है, सामायिक नहीं। सामयिक तो वर्तमान आत्म दशा में रहने से ही होगी और वो ध्यान से ही संभव है।
कैसे करे ऐसी सामायिक? ५० मिनिट के लिए समय निकाल कर ध्यान में बैठे। ध्यान में बैठ कर शरीर को स्थिर कर ले। जहा तक हो हिले डूले नहीं। आँखे बंद कर ले। चित्त को श्वास पर या फिर विचारो पर केंद्रित करे और जो श्वास चल रहा है उसे साक्षी भाव से देखे। या विचारो को साक्षीभाव से देखे। विचारो से गभराये नहीं - विचार आएंगे, उसे देखते रहे। कुछ दिनों में ऐसी स्थिति बनेगी कि आप विचारो को देख पाएंगे। विचारो को देखने से विचार आना कम हो जाएगा, जागृति - होश बढ़ता जायेगा। धीरे धीरे आप आत्मानुभूति तक पहोंच सकते हो। ऐसा रोज नियमित रूप से ५० मिनिट का अभ्यास करे तो सामयिक तुम्हे सम्यक दर्शन की झलक दिखा सकता है।
समण श्रुतप्रज्ञजी
चेन्नई, भारत
२७ एप्रिल २०१९
कर्म और धर्म
Apr 28, 2019
आज ता. २७ को मुनिश्री जशराजजी महाराज साहेब का प्रवचन - सार
वर्तमान में अपनी अवस्था कैसी चल रही है? उदय योग संयोग की अवस्था, अपना भाव, अपना परिणाम, मन वचन काया का योग यह उदय है एवं सांयोगिक है। उसकी क्या स्थिति है? शरीर के साथ व्यक्ति कैसे जीता है? वाणी की चंचलता कितनी है? अप्रयोजनभूत कितना बोलते है? प्रयोजनभूत कम और अनावश्यक ज्यादा बोलते है। भूत -भविष्य की बाते और विचार तो प्रयोजनशून्य है न ? फिर क्यों चलता है? क्योकि व्यक्ति बेहोश है। कितना समय एवं शक्ति का खर्च हम इसमें करते है ? यह समय की बर्बादी कोई माफ़ नहीं करेगा।
हमें हमेशा निमित्त के बीच ही रहना है और बच के रहना है। आपको लगेगा शरीर को सब कुछ ठीक होना चाहिए। बहुत लोगो का शरीर ठीक है साडी अनुकूलता है। शरीर शाता में है। बहार से सब अनुकूलता है। फिर भी आपका मन क्यों शांत नहीं है? तो फिर मन कब ठीक रहेगा? अनुकूलता में भी मन ठीक नहीं है, प्रतिकूलता में भी मन ठीक नहीं तो फिर क्या करे? १४ राजलोक में मन कही भी जाए, सब की यही दशा है। देवलोक और नरक लोक में भी यही स्थिति है।
हमने कभी इसके लिए प्रयत्न नहीं किया। मनुष्य जन्म एक मौका है। इस चक्र से बहार निकल सकते है। यह चक्र चल रहा है, इसमें मनुष्य पीसा जा रहा है। एक जन्म से नहीं अनंत जन्म से पीसा जा रहा है। जब व्यक्ति के शरीर का निर्माण हुआ वह कौन करता है? एक गति में से जिव दूसरी गति में जाता है - कर्म साथ में ही होते है। हमने अमुक माँ बाप ही क्यों चूना? हम तो बेहोश थे। कितना बड़ा विश्व है। ८४ लाख जिवायोनि - कर्म के आयोजन से सब कुछ होता है।
तीन ग्रन्थ एवं एक आगम है कर्म के बारे मे जिसे अभ्यास करना हो तो - कर्म ग्रन्थ( ६ भाग ), पंच संग्रह, कम्म पयेडी एवं नंदी सूत्र। जिसकी रूचि है - पढ़े - रस आएगा तो डूब जायेगा इसमें। लेकिन बहुत गहरा है। समज़ने के लिए कोई भोमिया चाहिए। जीवन की गुणवत्ता बदल जायेगी।
कर्म कैसा है? आप कुछ भी करो कर्म तो होगा ही। बेहोशी में कर्म करते है वो पाप है। जाग्रति से कर्म करो वो पुण्य है। हम तो साधन को धर्म मानते है। साधन धर्म नहीं है। साधन सब के एक समान लेकिन भाव सबके अलग अलग है। शरीर सुन्दर मिला है - शुभ नाम कर्म के उदय से, फिर भी मन शांत क्यों नहीं है? क्योकि हम बेहोश है। शरीर का जन्म माँ बाप से होता है, सम्यक दर्शन का जन्म ध्यान से होता है।
सम्यक दर्शन दुर्लभ है। सम्यक श्रवण हो तो इसी से घटना घट जाती है। लेकिन टेंशन - डिप्रेशन में हम सुन ही नहीं पाते। मनुष्य जन्म में श्रवण होता है। महावीर के समवसरण में बारह प्रकार की परिषद् सुनती है, फिर भी घटना क्यों नहीं घटती है? केवलज्ञानी की देशना है। फिर भी जागृति नहीं आती है। रूटीन से सुनते है। रूटीन धर्म नहीं है, होश धर्म है। लाखो में से एकाध व्यक्ति को ही सम्यक दर्शन होता है - ऐसा क्यों? पंचम आरा बाधा नहीं है। समय के साथ आत्मा का सम्बन्ध नहीं है, आत्मा का सम्बन्ध होश के साथ है। सम्यक दर्शन होने पर ही आत्मा की यात्रा चालू होती है। बाकि सब पुण्य पाप का खेल चलता रहेगा। हम सब संयोग के आधिन है। होश आ गया तो कर्म के उदय की हर स्थिति का सहज स्वीकार हो जाता है। स्वीकार हुआ तो राग द्वेष बंद - यही धर्म है। मजबूरी से नहीं, समझदारी से स्वीकार हो।
वर्तमान अशाता का उदय चल रहा है। शांत स्वीकार हुआ तो मन हिलेगा नहीं। ऐसा स्वीकार हो गया तो क्या होता है? कर्म जो बेलेंस में पड़ा है उसका उद्वर्तना,अपवर्तना, - स्वीकार से हो जाता है। शरीर के लिए सावधान है, समाज के लिए सावधान है। अपने लिए सावधान नहीं है। अपनी हमेशा बादबाकी करते है। हम अपने लिए जीते ही नहीं। स्वयं के लिए जीना वर्तमान में जीना है।
हम मासखमण कर लेते है लेकिन स्वीकार नहीं करते है। स्वीकार भाव आया तो जीव स्व में रहता है, अन्यथा पर में रहता है। हमारे पास कर्मो का कितना बेलेंस है? मनुष्य जन्म मिला किसके लिए?
यह जन्म साधन है। मेरे लिए क्या उपयोग किया ? आठ कर्म है। एक एक कर्म की स्थिति है। ज्ञानावरणीय, दर्शनावरणीय एवं अंतराय कर्म की सत्ता है जघन्य अंतर्मूर्हत एवं उत्कृष्ट ३० क्रोड़ाक्रोड़ सागरोपम है। मोहनीय में - दर्शन मोहनीय की उत्कृष्ट 70 क्रोड़ाक्रोड़ और चारित्र मोहनीय की ४० क्रोड़ाक्रोड़ सागरोपम की स्थिति है। ४००० वर्ष अबाधाकाल की स्थिति है। यह हुकम का कार्ड है। क्यों रोता है तू ? कर्म महान नहीं है, आत्मा महान है। लेकिन पुरुषार्थ करना ही नहीं है। अशाता वेदनीय की स्थिति १५,००० क्रोड़ाक्रोड़ की है और अबाधा काल १५०० वर्ष का है। अशाता का समग्रता से - योग और उपयोग से स्वीकार हुआ तो अशाता का कर्म शाता में कन्वर्ट हो जाता है। अपने तो डॉक्टर ही भगवान है। पैसा भी देना, समय भी बिगाड़ना, दुखी भी होना और आर्त्त और रौद्र ध्यान भी करना। अपने को दर्द को देखने की क्षमता क्यों नहीं है? अगर देखने की क्षमता हो तो उस स्थिति में जीव को भेद ज्ञान हो जाता है। स्वीकार न हो तो अनंत काल तक भोगना पड़ेगा।
सफाई करनी है तो कितना ध्यान रखते है। भीतर कर्मो का पोता लगाया। अनुभाग - रस से कर्मो के बंध की मात्रा काम ज्यादा होती है। आटे में जितना तेल या घी डालो उतना चिकना होता है। सिर्फ रुक्ष से बंध नहीं होता है। रुक्ष रुक्ष का बंध नहीं। स्निग्ध स्निग्ध का बंध नहीं। दो रुक्ष के परमाणु एक स्निगध के परमाणु तो बंध होता है। आटे में कितना पानी डालना यह होश रखना पड़ता है। यह होश है लेकिन परलक्षी है। इतना होश आत्मा में क्यों नहीं? जितना चिकनापन ज्यादा उतना बंध सॉलिड होता है। जागृत बने। स्वरुप लक्ष्य से काम करे - साधना करे तो अवश्य जागृति आएगी। यह जागृति कर्म बंध से बचाएगी।
मृत्यु समझो
May 1, 2019
मृत्य बहुत कुछ लिखा गया है, बोला गया है। फिर भी मृत्यु एक रहस्य है। मेरी सोच ऐसी है कि मृत्यु के बारे में ज्यादा सोचने से कुछ लाभ नहीं, बहुत बार नुकशान होता है। लाभ इसलिए नहीं है कि हम मृत्यु को कंट्रोल नहीं कर सकते। उसका जब समय आएगा तब वह आएगी। मृत्यु की चर्चा करने से नुकशान यह है कि जितना समय उसके बारे में सोचने में गवाया उतने समय में जीवन को खूबसूरत बनाया जा सकता है। जीवन को उसकी परिपूर्णता में जीना ही मृत्यु के डर से बाहर निकलने का उपाय है।
आदमी अगर इतना समझ ले कि मुझे और मेरे साथ जुड़ा हुआ हर इन्सान एकदिन शरीर छोड़ेगा। शरीर की आसक्ति न रखते हुए जीवन को अनासक्त भाव से आत्मा की अनुभूति के साथ जीया जाय तो क्यों मरने से डरना। मृत्यु के पहले यह बात दृढ हो जानी चाहिए कि देह एक दिन छूटेगा। ज्ञानी कहते है कि एक दिन नहीं, जब से जन्म हुआ है मरना शरू हो जाता है। हम इस ज्ञान को इतना दृढ कर ले कि मौत शरीर और सम्बन्धो की होती है। आत्मा की कोई मोत नहीं है। आत्मा अपने कर्मो के अनुसार नया देह धारण कर लेता है। कोई मर जाने के कारण हम नहीं रट है, उस जीव के साथ अपनी आसक्ति का बंधन था इस लिए रोते है। ज्ञानी किसी की मृत्यु पर रोता नहीं, हँसता है। वो जानता है एक सम्बन्ध पूरा हुआ और दूसरा सम्बन्ध शरू हुआ। ज्ञानी लोग इसी लिए मृत्यु का शोक नहीं करते, उसका उत्सव मनाते है।
अभी मलेशिया के एक प्रवचन में मैंने कहा था -
हमारा धर्म मृत्यु का महोत्सव मनाने की प्रेरणा देता है। आज का व्याख्यान सुनने के बाद तो आपको इस पर गहराई से सोचना चाहिए। हम ऐसा क्यों न करे कि किसी का मृत्यु हो तो आनंद के साथ, शुभ मंत्रो का उच्चार करते करते उस आत्मा को विदाई दे। क्योकि मृत्यु एक महोत्सव है। मृत्यु एक यात्रा है - तीर्थ यात्रा एवं श्मशान यात्रा। यात्रा मतलब यह एक जर्नी है, एन्ड नहीं है। वो जीव मर नहीं गया है, यहाँ ७०-८० साल तक एक स्टेशन लिया था, फिर आगे की यात्रा पर निकल गया। उसमे रोने की क्या जरुरत है? उत्साह से उस प्रसंग को मनाओ। हम कोशिश करे इस सत्य को जीने की। अरे, कोई ७०-८० साल की उम्र में गुजर जाए, जिसकी अब घर में किसी को कोई जरुरत नहीं थी, उसके लिए क्यों रोना धोना ? अब आनंद मानव कि बिचारा शांति से मुक्त हुआ। कितने परेशान हो रहे थे, पीड़ा भोग रहे थे - गये शांति से।
हमारा पारिवारिक मिथ्या मोह और समाज जी गलत इज्जत के कारण उस जीव को हम विदा नहीं देते है। डालो उसको नलियों पर, आर्टिफिशयल सपोर्ट पर। मै सोचता हूँ क्या करना अब उसे और जीला कर? बहुत लोग तो बिचारे विल में लिखते है कि मुझे मत चढ़ाना नलिओं पर, मुझे जाने देना शांति से, यहाँ रहने तो नहीं दिया शांति से अब जाने तो दो शांति से, फिर भी नलिओं पर चढ़ाते है। एक उम्र के बाद आप समझ कर संसार छोडो अन्यथा कुदरत आपको छूडायेगा। मरते समय कुछ साथ नहीं आता है, सिर्फ तीन चीजे साथ में आएगी - आत्मा - कर्म और संस्कार। जीवन भर विचारो, आदतों और प्रवृतिओ से जो संस्कार कर्मो के रूप में एकत्रित हुए है वह अगले जन्म में आत्मा के साथ जायेगा।
આવો દ્રષ્ટિકોણને બદલીએ
Jul 15, 2019
બહારના વ્યવહારથી આની ખબર નહિ પડે. વ્યવહારના ઉપરી લક્ષણોને ન જુઓ. એ વ્યવહારની પાછળ તેનો હેતુ શું હતો, ભાવ અને સંસ્કાર શું હતા - એ જૂઓ. આપણે બીજાને ખૂબ ઊંડી દ્રષ્ટિએ જોઈએ છીએ અને બીજાને આલોચકની દ્રષ્ટિએ પારખીએ છીએ પણ પોતાને એ રીતે જોતા નથી. જો તમે તમારી જાતને જોઈ શકશો તો તમારો રિસ્પોન્સ બદલાઈ જશે. તમે શું કરો છો અને વિચારો છો એ પણ જુઓ, બીજા શું કરે છે એ જોવું સરળ છે. જોવાની દિશા અંદર તરફ કરો, પોતાની તરફ કરો. બીજાને જોવાથી અને પારખવાથી તમને શું લાભ? તમે એને ચેન્જ નથી કરી શકવાના ને? આપણે દરેક વખતે બહાર કોઈ ખરાબ કરે એટલે એને બદલવાની કોશિશ કરીએ છીએ. એમાં આપણી શક્તિ ખર્ચ કરીએ છીએ. બીજા મને ખોટી રીતે ટ્રીટ કરે છે એવું જ માનીએ છીએ પણ એમ કેમ નથી વિચારતા કે હું તો મારી જાતને સારી રીતે ટ્રીટ કરું ને ! હું કેમ અપસેટ થઇ ગયો.?
આપણે પોતે જયારે ક્રોધમાં હોઈએ છીએ ત્યારે પોતાની જાતને ચેન્જ કરીએ તો કેવું? એને જે પણ કર્યું તે ભલે કર્યું, મારે શું કરવાનું છે. હું કોણ છું? એ વિચારો અને એ માટે ભીતર ફોકસ કરો. આપણે આપણી જાતનું શું કર્યું એ મહત્વનું છે. એને સારી રીતે ટ્રીટ ન કર્યું એના કરતા, એમ વિચારીને મેં મારી જાતને વધુ ખરાબ ટ્રીટ કરી. બીજાએ મારી સાથે બરાબર વર્તન નથી કર્યું એનો ક્રોધ, એની ચિંતા, એ પરેશાની મારી જાતને વધુ હેરાન કરે છે. કોઈની સાથે થયેલો કડવો અનુભવ આપણે ભૂલી શકતા નથી. એના કારણે આપણે કારણે લેટ ગો પણ કરી શકતા નથી. પરિણામે આપણે આપણું વર્તમાન બગાડીએ છીએ. બીજાનું જસ્ટિફિકિશેન મત કરો. પોતે પોતાની નજરમાં પોતાના માટે સારા હોઈએ એ વધુ મહત્વનું છે. આવું સોચવાથી આત્માની શક્તિમાં વધારો થાય છે અને આમ ન કરવાથી અને માત્ર બીજા ઉપર દ્રષ્ટિ રાખવાથી આત્મશક્તિ ક્ષીણ થાય છે.
July 10, 2019
The first duty of Payushan
Jul 15, 2019
I would like to teell you one anecdote
Once, Lord Krishna and Satyabhama were taking a morning walk. Suddenly, Bhamasa got curious about why Lord Krishna keeps on praising Arjuna. Why is it that you always speak his name? What has he got that you don't get tired of praising him? Arjuna may be a great warrior, but he does not need to be praised that much! Satyabhama felt that he is so close to Krishna that no one else should be as close to him. Lord Krishna only smiles back, without responding to his question. It so happens after a few days that Krishna and Satyabhama were sitting alone, whilst a few feet away, Arjuna was sleeping. But Arjuna's hair was scraping the floor. Krishna could not bear to see this, so he asks Satyabhama to go and lift his hair and put it on the bed. But he asks him to make sure Arjuna does not wake up.
Satyabhama goes and slowly lifts his hair and puts it on the bed. And suddenly, Satyabhama just freezes there for ten minutes. When he returns to Krishna, the Lord asks him the reason for his delay. Satyabhama exclaims that "Lord, your leela is unparalleled. Whilst I was lifting Arjuna's hair, I could hear the words 'Shri Krishna', 'Shri Krishna', 'Shri Krishna' in his hair. You are ever so present in my heart, but you are absorbed into every every cell of Arjuna's body. And now I understand why you talk about him and praise him so much."
When such a bhakti rises in the heart of a devotee, even God has to acknowledge and salute him. If you have the eyes, you can see God in a rock, and if you don't, even when God is in front of you, you will be oblivious to it. We should live such a life, and have such a devotion that a mahapurush will be compelled to remember you in his prayers. So what do we need to do to achieve such a life?
In the Kalpasutra, Bhagwan talks about five essential duties that one must perform during Payushan.
The first one is - Amaari Pravartana - Amaari = non-violence. Pravartana = to establish. To establish a non-violence attitude in your thought, actions, deeds and words. History is a witness that most wars that have been fought in the name of dharma have sacrificed more innocent lives than atheists have ever done. Swamiji implores that everyone should teach their children at least to eat vegetarian food, if nothing else. He defines vegetarianism, according to Jain dharma, as "no meat, no sea food, no eggs." - adopt a principle of non-violence in food as well. He also requests everyone to visit the website www.meat.org - a website that will be an eye opener for all those that eat meat.
Think about this - all animals that are peaceful and useful to society are all vegetarian; Elephants, horses, cows. All that are dangerous are non-vegetarian; Lions, tigers, cheetahs. All vegetarian animals drink water with their mouth. All non-vegetarian animals drink with their tongue. By human nature, we are meant to be vegetarians. We also have a large intestine which is designed for a vegetarian diet.
According to Jain dharma, one should not eat stale food, or left over food. All food that is left over creates a breeding ground for small organisms and life forms. All food that one eats should be saatvik and cooked fresh. This creates positive vibrations and energy in your body. When cooking, one should listen to spiritual music or stavans to create positive energy. This is all part of developing an "amaari" attitude in one's life.
A big aspect of "amaari pravartana" is Jeev Daya. The foundation of Jain dharma is jeev daya. Jain dharma states that if you feed grass to a cow, all your unfavourable planets become favourable for you. If you feed the birds, your family experiences more happiness and bliss. If you feed "rotla" to a dog, your enemies look favourably on you. If you feed flour to ants under a tree, all your debts start to clear off. If you help any fellow human being, your wealth and fortune increases. These are various aspects of jeev daya mentioned in Jain dharma; whilst difficult to establish according to scientific facts, there is still a deep science and spiritual connection behind it.
July 1, 2019
Second Duty of Paryushan
Jul 15, 2019
Sadharmik Vatsalya - This does not just mean feeding people at a big occasion, which is still very good. But Jain dharma goes further to state that you should feed five poor people anonymously; "gupt daan". We all share a connection with each other. Before you got married to your husband or wife, his/her parents did not mean anything to you. After you got married, you developed a connection; not only with the parents, but the extended family. Similarly, anyone who builds a connection with Mahavir Swami, inturn builds a connection with the entire community; the Jain praivaar. If anyone within the community is suffering, another should make the necessary arrangements to satisfy their needs. Anonymously. This is Sadharmik Vatsalya.
I would like to state a few things we should never forget in our life:
Maatru bhumi - your birth place. Never forget the land where you were born because you are indebted to this land.
Maatru data - mother, or more appropriately, your parents. You are indebted to your parents for the life you have, the values you have. Their blessings are essential to the success of your life. Even Lord Krishna used to remember his mother first thing every day.
Maatru bhasha - mother tongue - Whatever Jain dharma scriptures and material exists today is all in Gujarati and Hindi. At least one much make an effort to understand and speak Gujarati, even if they cannot read and write. The magic of any language can only be understood in that language. Otherwise it gets lost in translation.
In the times of Mahavir and latter years, there was a provision for four types of daans that were a part of every shraavak and shraavika's life:
a) - Anna Daan - Feed the hungry and poor with your own hands
b) - Aushad Daan - Provide medicine to the ailing and needy
c) - Gyaan Daan - Provide scholarship and education to needy students
d) - Abhay Daan - Tell all your friends that because of you, there will never be any difficulty for any of them. Regardless of whether you remain friends or not, they can rest assured that you will not be trouble for them. They can be fearless.
July 2, 2019
Three more duties of Paryushan
Jul 15, 2019
3 - Kshamapna - Forgiveness - Through the eight days of Payushan, forgiveness is the epitome of the celebration. One should reach a state of forgiveness where after Samvatsari Pratikraman, one should go to each of their enemies (or those family members who are not on good terms), and clear out all misunderstandings and problems. Even if you don't ask for forgiveness from the 84,00,000 life forms, it is fine. But you must forgive your near and dear ones, and resolve any disputes.
4 - Attham Tap - When and where possible, one should do at least three upvaas (fasts). It doesn't matter when you do it, but it is imperative that during Payushan, one should do it. There is a divine connection with the three upvaas. When you do these upvaas, the devtaas provide support to fulfill your wish and make your "tap" fruitful.
5 - Chaitya paripati - Every day during Payushan, one should bow down and pray to Jineshwar Bhagwan. If you are a Sthanakvasi, you can at least remember Jineshwar Bhagwan through great devotion and feeling. Chaitya = mandir, Jin Bhagwan. Paripati = tradition. So you have to establish the tradition of remembering and praying to Jineshwar Bhagwan during the eight days.
If one follows these five duties during Payushan, one can lead a pure, devoted life that pleases Bhagwan and HIS grace then shines upon you.
July 3, 2019
Bhagwan Mahavir's life inspiration
Jul 15, 2019
It was the fifth day of Payushan - a Sunday, and a beautiful day. A mother, alongwith her eight year old son, goes to listen to a talk by a Saadhu on Mahavir Janam Kalyan. The Saadhu talks a lot about Bhagwan Mahavir's life and his qualities. The child thinks that on this auspicious day, there are so many people who do tap in the form of upvaas, athai, and other taps. Something stirs in him, and In his mind, he creates a resolve to do upvaas for the day.
When they get home, the mother asks her son to have lunch. But the boy refuses by saying that he doesn't feel like eating right now. Later that evening, the mother, wanting to test his resolve, asks him to have dinner. But the boy again refuses and says that he wants to continue with his upvaas. Just before sunset, the boy asks his mother to give him "chauvyaar na pachkhaan". Night falls, and his father returns home from a night out with friends, drinking away. The boy is unable to sleep and keeps tossing and turning as he's hungry and thirsty, but his resolve is strong to continue with his pachkhaan. When the father sees him unsettled, he asks the boy the reason, to which the boy replies that it's nothing - just one of those nights. The mother tells the father about his upvaas resolve, and the events of the day.
The father sits by the bedside and reads a story to the boy, pressing his legs and stroking him, and the boy falls asleep. The next morning, both parents are eager to give the boy the first morsel of food. But the boy refuses and says that whoever fulfills my wish can offer me the first morsel of food. The father is very eager to do it, and asks him what he likes. The boy falls at his fathers feet, and asks him to take a resolve that he will never drink in his life. And if he does this, then he can offer him the first morsel of food. The father's eyes are watering away, and the next day, he goes to the Saadhu. He tells the Saadhu that your four months of lectures have not had the effect that my eight year old child has had on me in one day. And from today, I have taken a resolve that I will never drink in my life.
Samanji implores everyone to give up drinking as it has no benefit for anyone. If everyone is following Paryushan truly from their heart, then they should give up drinking. That will be his Guru dakshina.
A true shraavak of Bhagwan Mahavir should be victorious over seven vices:
Not eating non-vegetarian food
No consumption of alcohol
No gambling
No hunting
No adultery
No prostitution
No addiction
One should always remember the words of Bhagwan Mahavir because without HIS words, we would have the values and culture that we have today. And if you are a true Shraavak of Bhagwan Mahavir, then you must stick to your culture and values, and not sell them for another. Absorb good values from everyone, and discard negative values and attitudes.
One should read the life history of Mahavir Swami. When Bhagwan was in the womb of Mother Trishala, he was moving around. And because of that, his mother would feel pain. Vardhaman realised this, and he immediately stopped his movement. Two days later, Mother felt pain again because there was no movement in the womb, and Vardhaman realised this again, and started his movement. Vardhaman realised that because of him, his mother felt a lot of pain, and in that moment, he created a resolve that until his parents are ailve, he will not take diksha.
The humility of Vardhaman is illustrated beautifully through one of his life stories. When Vardhaman was eight years old, he starts his first day of school with a Pundit. Just imagine, a keval-gyaani getting gyaan from a agyaani, and yet he does not say a word - that was his humility. The Gods realised that there was some unusual happening on earth, and God descends taking a human form to ask the gyaani (Pundit) a question. The gyaani does not know the answer to the question, and so God turns to the students and asks if any of them know the answer. Vardhaman knew the answer, and put his hand up, saying "If my Guru permits, I am willing to give the answer." Such humility in the face of enlightened knowledge. He gave full respect to his Guru, and asked his permission before he even divulged the answer. When the Guru permitted him, he gave the answer, and the Guru gave up his seat and asked Vardhaman to take over. Such amazing humility.
When he grows older, there occurs an incident where Bhagwan's ears are nailed by "gowariyaon". Bhagwan was in meditation, and realises that it is his past karmic account that is now being cleared. Moksha has to be achieved in this life only, and these karmic debts have to be cleared. Another great virtue of Bhagwan, which we have to learn from - we always blame others for our misfortune. But in reality, it is our karmic account that is the real cause. Others are the "nimit" and we are the cause.
Another incident happens in Bhagwan's life when Gautam Swami is going for Gochari at a house asking for Bhiksha. The householder looks at Gautam Swami's aura and is taken aback. He asks Gautam Swami whether he can carry Swami's Gochari, to which Swami refuses by saying that only one who has taken diksha can carry this Gochari. The householder is immediately taken in and asks Gautam Swami to give him diksha. Gautam Swami explains to him that only his Guru can give diksha - not him. So he will have to come with him to the Guru. Whilst on their way, the man is so taken with Gautam Swami's aura, and meditates on the thought that if Swami is so radiating, how radiant would the Guru be? And so thinking, on the way, he reaches the highest elevated state.
When they reach the Samosaran, keval-gyaani's seat was empty, and the man not knowing the rules and arrangements, moves on to sit on his seat. Gautam Swami immediately stops him by saying that it is not his place, and he should sit at the back. Keval gyaani walks in, and stops Gautam by saying "Let him sit there Gautam. Whilst on your way here, this man has achieved keval-gyaan, and you are still to attain it. So you please sit at the back, and let him sit here." Such is the quality of Bhagwan that he has no raag dwesh against or for anyone.
Such was the kingdom of Bhagwan Mahavir, and it still reigns today. The difference is, we have let it lapse. We are very fortunate to have been given access to this kingdom. Let's make the best use of our time here.
July 4, 2019
ઈચ્છાના પાંચ પ્રકાર
Sep 17, 2019
ઈચ્છાના પાંચ પ્રકાર
1. ઇચ્છા પૂરી કરવા જેવી જ નથી. માણસના ખોડીયે રાક્ષસ બનાવે - પ્રતિષ્ઠા ખતમ થાય તો પણ આવા કામની ઇચ્છા કરતા નહિ.
2. અમુક ઇચ્છા મનમાં પૈદા થાય છે પણ પૂરી કરવા લાયક નથી.
પૂરી કરવાનું પાપ ન કરતા. ઇચ્છા ઉભી થાય છે, પણ પૂરી કરવા લાયક નથી. નુકશાન થયું - મનનું સંતુલન ગુમાવ્યું - જીવન ખતમ કરી દઉં - એવું થાય. ખૂન કરવાની ઇચ્છા - રેપ કરવાની - સંયોગ અનુકૂળ પણ હોય છતાં આવી ઇચ્છા પૂરી ન કરતા. દરેક વૃક્ષ પર પાનખર આવે પણ કોઈ પક્ષી આપઘાત નથી કરતુ આપઘાત કરનાર કમજોર છે, મજબૂત નહિ, આટલી ગાયો સ્લોટર હાઉસમાં મરવા જાય છે - એને ખબર છે કે હું કપાવાની છું છતાં બચવાની કોશિશ કરે છે. આપણને મનુષ્ય તરીકે શું થયું છે? આવા હલકા વિચારોથી બચજો. એવી રીતે શિષ્ટ પુરુષની નિંદા કરવાનું મન થાય - તો પણ નહિ કરતા. કેટલીક ઈચ્છા પૂરી કરવા જેવી જ નથી - ડીલીટ કરો. સજ્જન તરીકે આ ઇચ્છા કરાય જ નહિ - ભાઈ સાથે કેસ કરું - ક્રિયાનો તો નિષેધ જ છે, ઈચ્છાનો પણ નિષેધ છે.
3. ઇચ્છા પૂરી ન થાય તો પણ કરવા લાયક છે ( ભાવના )
દરેક ભગવાનની ઈચ્છા - સવી જીવ કરું શાસન રસી - લાખોમાં એક તીર્થંકર થાય છે - તો પણ આવી ઇચ્છા કરો. રાણકપુર ગયા? તીર્થ જો જો - આ તાકાત મારામાં ક્યારે આવશે. મંદિરને જોઈને આંખમાં આંસુ, ભગવાન આવી શક્તિ મારામાં ક્યારે આવશે ? 32 સાલનો યુવાન - 1444 સ્થંભ - 84 ભોંયરા - સપનું - ચાર શિલ્પી - એ શિલ્પીને પણ એ જ સ્વપ્ન આવ્યું હતું. એની કોસ્ટ મંદિર બનવું જોઈએ. ખર્ચ કેટલો - ખબર છે? ધરના શાહ કહે છે - કામ તારું - નામ પરમાત્માનું - દામ મારા - 1444 થાંભલામાંથી ગમે ત્યાં ઉભા રહો - દર્શન થાય.
પવિત્ર મુનિને જોઈને - આ તાકાત ક્યારે આવે. બીજ વાવી દો જમીનમાં. આ તાકાત ક્યારે આવશે ક્યારે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરીશ, ક્યારે થઈશું નિર્ગંથ જો.
4. અમુક ઇચ્છાઓ પૂરી કરવા જેવી છે, પૂરી થઇ શકે છે, પૂરી કરીને રહો
- આયંબિલ કરી શકો છો
- રોજ 100 રૂપિયાનું ડોનેશન થઇ શકે છે.
- અઠવાડિયામાં એક દિવસ પૂજા
- રોજ 10 મિનિટ સ્વાધ્યાય
5. અમુક ઇચ્છા પૂરી થાય તેવી પણ નથી - કરવા જેવી પણ નથી.
- આખી દુનિયાની સંપત્તિ મારી ક્યારે થઇ - શાલિભદ્રની માફક 99 પેટી ઉતરે તો - અહીં રહેશો કે મેન્ટલ હોસ્પિટલમાં ?
ઇચ્છાની નિષ્ફળતા ના ત્રણ કારણો - પરિબળો
1. પુરુષાર્થ ઓછો પડે
2. પુણ્ય ઓછું પડે
3. સામેનાની પાત્રતા ઓછી પડે - જમાલીની સામે ભગવાન કઈ ન કરી શક્યા, પાત્રતાને ચેલેન્જ ક્યારેય નહિ કરતા.
એક સમય હતો જયારે ભૂલ કરતા દીકરો બાપથી ડરતો હતો - આજે એ સમય છે કે પુત્રની ભૂલ કાઢતા બાપ ડરે છે, વિદ્યાર્થીની ભૂલ કાઢતા શિક્ષક ડરે છે - શિષ્યની ભૂલ કાઢતા - ગુરુ ડરે છે.
કલયુગ - જિસ સમય દુર્જન જ્યાદા - સજ્જન કમ ઔર સજ્જન કભી ભી દુર્જન બની જાય
સતયુગ - જિસ સમય સજ્જન જ્યાદા - દુર્જન કમ ઔર દુર્જન કભી ભી સજ્જન બન જાય
------------------------------
1. ઇચ્છાની સફળતા - શાંતિ - સાતમી નરક મેં જા સકતા હૈ
2. ઇચ્છાની નિષ્ફળતા - અશાંતિ - આપઘાત કરી શકે છે
3. ઇચ્છાની નિર્મળતા એ ક્રાંતિ છે. - મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
------------------------------------------
વાસક્ષેપ નખાવો તો - એક દિન બ્રહ્મચર્ય પાલો
ધંધામાં આશીર્વાદ લ્યો તો બેઈમાની નહિ કરીએ નક્કી કરો
ઘરમાં પગલાં કરાવો તો આ ઘરમાં ગુસ્સો નહિ કરીએ - નક્કી કરો
માંગલિક સાંભળો તો હવે અમંગળ થાય એવું કામ નહિ કરીએ - નક્કી કરો
-----------------------------------------------------------
- ઘણા લોકો પ્રાર્થના કરતા જ નહિ હોય
- ઘણાની પ્રાર્થના બીજાને પરચો મળે એવી હોય
- ઘણાની પ્રાર્થના - મારી ઇચ્છા સફળ કરી દો એવી હોય
- ઘણાની પ્રાર્થના બીજાની શુભ ઇચ્છા પૂરી કરો એવી હોય
- ઘણાની પ્રાર્થના - મારા માટેની તમારી જે ઇચ્છા હોય એ બધી સફળ કરો
- મારા માટેની ગુરુજી આપણી જે ઇચ્છા હોય એ સફળ થાઓ
----------------------------------------------------------
1.સામાન્ય ઇચ્છા - પરિવર્તન હો તો અચ્છા
2. તીવ્ર - બર્નિંગ ઇચ્છા - પરિવર્તન હોના હી ચાહિયે - કરકે હી રહૂંગા। પર્યુષણ સફળ કરવું છે. ટ્રેન માં પાણી - શેઠ તરસ નથી લાગી - ઈન એની કોસ્ટ - સિકંદર - આધા રાજ્ય - પાણી લાઓ - બધા હીરા આપવા પડશે, કિસી કે પાસ પેમેન્ટ લેના હૈ - સામાન્ય ઇચ્છા કે તીવ્ર ઇચ્છા ?
પેમેન્ટ કે લિયે બર્નિંગ ડિઝાયર - પરિવર્તન કે લિયે કયો નહિ ?
-------------------------------------------------------------------------
ડુ ઓર ડાઇ - ઇચ્છા
ડુ બીફોર યુ ડાઇ - બર્નિંગ ડિઝાયર
યાત્રા પેન્સિલ કી
Sep 18, 2019
પેન્સિલ કે પાંચ માઈલ સ્ટોન
1. કિસી કે હાથ મેં સમર્પિત હોના અનિવાર્ય હૈ - અપને આપ ચલ નહિ પાયેગી. પથ્થર - શિલ્પી કે હાથ મેં - ભગવાન કી પ્રતિમા. પેન્સિલ મેં તાકાત હૈ લેકિન કિસી કે હાથ મેં જાના જરૂરી હૈ। લકડે કો - કાગજ કો - બીજ કો કિસી કે હાથ મેં જાના જરૂરી હૈ। આપ ચલના ચાહતે હો, સમર્પિત હોના ચાહતે હો ક્યાં? શિષ્ય ગુરુ કે હાથ મેં - આપ ? કમજોર થી તબ ભી કિસી કે હાથ મેં - આજ ભી કિસી કે હાથ મેં. પતંગ કિતની ભી તાકતવર હો - દોરી કે હાથ મેં હૈ - દોરી કિસી કે હાથ મેં - વો હી બચાતા હૈ। અબ સોપ દિયા ઇસ જીવન કો સબ ભાર તુમ્હારે ચરણો મેં।
તમે કોઈના હાથમાં છો? આવું એડ્રેસ ક્યાંથી શોધવું? શોધો - જુઓ - મળી જશે
પોતાના હાથે ટીવીની સ્વિચ ચાલુ કરવી નહિ - જીવન ભર બંધ ટીવી - 20 વર્ષથી ટીવી બંધ
પેન્સિલને જો ચાલવું છે, પોતાનામાં રહેલી તાકાત બહાર લાવવી છે, પોતાના વ્યક્તિત્વને વિકસાવવું છે, અસ્તિત્વને સાર્થક કરવું છે, પોતાના દ્વારા ઉપકારો કરવા છે તો કોઈકના હાથમાં સમર્પિત થવું અનિવાર્ય છે.
2. પેન્સિલ કી તાકાત અંદરનું સત્વ છે - લીડ્સ કહીયે છીએ, અણી કહેવાય, પેન્સિલની તાકાત કદ નથી, કલર નહિ, લાકડું પણ નહિ, સાઈઝ પણ નહિ - લીડ્સ મહત્વની છે. તમારી તાકાત તમારો કોન્ફિડેન્સ છે. તો જ ગુરુ ઉઠાયેગા - વિવેકાનંદની અંદરની તાકાત હતી, નીંદમાં હતા, નૂપુરનો અવાજ આવ્યો - લડકી દેખી - બેન ક્યાંથી ? છોકરી હંસી - રાહ જોતી હતી - સમજી ગયા - લડકીને કહા : તમારે બેટેની મા બનવું છે, વિવેકાનંદને કહા: પ્રસૃતિની પીડા ભોગવવા કરતા તું મને જ બેટા બના લે - હું જ તારો બેટો છું સમજી લે - ગુબ્બારે કી તાકત - અંદરની હવા છે. તમારી તાકત છું છે - જરામાં હલી જાઓ છો - મનથી ઠીલા છો - શરીર ગમે એટલું તાકાતવર છે. વ્યસન - ભ્રષ્ટાચાર - વાઈન નહિ, હિંસા નહિ -
વ્યસનનો ત્યાગ - વાઈન નહિ પીઓ નક્કી કરી શકો છો? ગુરુ દક્ષિણા આપો - પ્યાલી આખા પરિવારને ખલાસ કરી નાખશે. જોઈને થાય આકર્ષણ - જાણીને થાય એ પ્રેમ
"ફુગ્ગાની સાચી તાકાત અંદરમાં રહેલી હવા છે, પેન્સિલની ખરી તાકાત અન્ડરમાં રહેલું સત્વ છે, જીવનની સાચી તાકાત આત્મ વિશ્વાસ છે, પવિત્રતા છે, પ્રલોભનોને ના પાડવાની તાકત છે. પ્રસન્નતા છે."
3. સહન કરવાની તૈયારી - પેન્સિલને ઘસારો પહોંચશે - બુઠ્ઠી થઇ શકે છે. છોલાવવાની તૈયારી છે?
આઈ લવ પેઈન - બોલો
શિલ્પી - ટાંકણાનો માર સહે છે ને ? લાકડું કપાય પછી ફર્નિચર બને
અમુક વિષય ભણવા ગમતા નથી તો પણ 35 ટકા લાવવા પડે ને?
અમૃત પ્રીતમ
જબ હમ ગુલાબ તોડને ગયે
લોગો ને કહા જરા સંભલ કે કાંટે ચૂભ જાયેંગે
મગર હમ ગુલાબ તક પહુંચ હી ગયે
હર કાંટે ફૂલ બન ગયે
હર પીડા પુરુષકાર બન ગઈ
દવા - બિના પૈન ડીલેવરી - દવા આઉટ કરની પડી - માં કા પ્યાર નહિ બેટે પર
ચા ગરમ જોઈએ તો ગુરુ ઠંડા કયો જોઈએ ?
જૈન ભગવાન : સહન કર્યા વગર કોઈ મોક્ષમાં ન જય શકે
આપણે મોટા કે મહાન બનવા માંગતા હોઈએ તો પીડાને પ્રસન્નતા પૂર્વક સ્વીકારવી તૈયારી રાખવી જોઈએ - આગ્નિની પીડા સહીને જ સોનુ શુદ્ધ - ઘડો મજબૂત, પાણી વરાળ બનીને ઉપર જાય છે, તેમ સમજણ પૂર્વક પીડા સહીને આત્માનું ઉર્ધવગમાં સફળ બને છે.
4. બોલપેન સે લિખને કે બાદ ભૂલ સુધાર નહિ સકતે હૈ - પેન્સિલ સે સુધાર સકતે હો - રિવર્સ ગેર - ભૂલ થઇ ગઈ - ખબર છે - ભૂલનો બચાવ કરવાનું મન કે સુધારવાનું મન ?
ગાડી મેં રિવર્સ ગૈર હોવી જોઈએ કે નહિ - જીવનમાં પણ
પેન્સિલના લખાણમાં ભૂલ થઇ જાય તો સુધારી લેવાની ક્ષમતા છે તેમ આપણા જીવનમાં પણ જાણતા કે અજાણતા ભૂલ થઇ જાય તો સુધારી લેવાની હિંમત આપણે કેળવવી જોઈએ। 1. આ જગતમાં બીજાને સંભળાવનાર જૉવોની સંખ્યા મોટી છે, 2. સાંભળનારા જીવોની સંખ્યા ઓછી - 3. સમજનારા એથી પણ ઓછા - 4. સ્વીકારનાર એથી પણ ઓછો અને 5. સુધારનારા એથી પણ ઓછા છે. આપણે આપણા જીવનને જો ઉરધવગામી કરવા માંગીએ છીએ તો પાંચમા નંબરના જીવોમાં આપનો નંબર આવવો જોઈએ
5. પેન્સિલ કો હર સ્થિતિ મેં અપને કર્તવ્ય કો નિભાને કે લિયે તૈયાર રહના પડતા હૈ - જબ ભી ઉઠાયા તૈયાર રહના પડે ચલને કે લિયે
પરિસ્થિતિ કોઈ પણ હોય પેન્સિલને તૈયાર રહેવું જ પડે છે, તેમ વિપરીત પરિસ્થતિ વચ્ચે પણ જેને પોતાના જીવનને શિખર સ્પર્સી બનાવવું છે તેને કર્તવ્યનું પાલન કરવું પડે છે. બે વિકલ્પ - 1. ક્યારેય સજ્જ બનવું પડે કર્તવ્ય માટે અને ક્યારેક સજ્જ રહેવું પડે - પરીક્ષા માટે વિદ્યાર્થીને સજ્જ થવાનો સમય મળે છે પણ યુદ્ધના મેદાનમાં જવા માટે સૈનિકે સજ્જ રહેવું જ પડે છે. લાંબા ગાળાના કર્તવ્યના પાલનમાં ભલે આપણે સજ્જ થતા રહીયે પણ અચાનક આવનારા કર્તવ્યના પાલનમાં તો આપણે સજ્જ રહેવું જ પડે.
The Spiritual Journey of Life
Sep 18, 2019
The Spiritual Journey of Life: Saman Shrutpragyaji 9/8/2019 at Memphis, TN
After we listen to lectures and do satsang, there must be inner transformation.
2 types of transformation:
- Physical change - change that stays for a short time and then we return to our normal routine/ baseline. example - heat water up → stays warm for 15-20 minutes → cools back down
- Chemical change - once the change happens, you do not go back to the prior state . example - heat milk up → add yogurt starter → becomes yogurt → can’t go back to milk
Need chemical change for inner transformation and must maintain with commitment and consistency
5 phases (KAL) of life-
1. PRAVRUTTI KAL - relates to the present, what you are doing now
changes all the time i.e. 1 hour of exercise then 6 hours of work then 2 hours of cooking
When you are doing work or activity , doesn’t necessarily mean there is an impact on spirituality because you may doing out of necessity or by nasha or because it’s your hobby
2. APRAVRUTTI KAL - time between 2 pragrutis
For example - 5 hours of shivir then BREAK then eating - what you do during the break in the activities shows what is your interest i.e. if you discuss what you learned versus what you are going to eat for dinner
If you talk and think about your prior pravrutti, then that shows your interest and will decide your destiny
3. NIVRUTI KAL Retirement time.
Activities where responsibility ends - not obligated to earn money, kids are grown up and set
Doing with no tension.
Approximately from 60 year onward, You can do miracles in this time.
Do activities with enjoyment - can be your best time
In English it means “re-tired – means I got tired again.”
Do work for soul ( atma). Learn to enjoy your own company - be alone for some time.
In Nivrutti Kal , body is active and it is capable. There is energy in the body. Then develop such an activity and hobby so there is no opportunity to think or speak or do negative things. If you do not have a good activity then it can ruin your time. It can damage your life.
If we do not have a good hobby then we will go into depression due to loneliness. The ego is also a problem because before people listened to me or reported to me and now no one listens to me. Example a 70 year old man worked all the time. For one month needed to be in hospital. He had no hobby unable to pass time and thinks of suicide.
We should practice for Nivrutii time. Can you live alone for 4 hours. Enjoy the company of being with oneself. Practice a few hours a day on oneness – ekanta – it is when one is alone. Newton and Einstein did great discoverie in solitude.
If you do not have an activity then what happens:
1. Complain: person complains all the time. eg. The tea is not right, the bill is not paid…
2. Criticize: The begin to criticize
3. Time Waste: Will waste time will unnecessary useless things like being on phone, on whatsapp. Example, someone asked - Samanji if we delete the photo of God do we get Pap? – Don’t go in such unnecessary thinking. Technology is not our life. But it is part of our life. Turn off the internet at night. Avoid unnecessary radiation. Story of a husband having dinnner with the phone on and says to wife cooking is terrible this kaddi doesn’t taste right, when you cook food you should not be on Whatt’sApp. She replied. “This is not the problem. When you eat food you put your wattsapp - this is not kaddi it is chhacha - buttermilk.
4. People Neglect you: Kids may ignore the parents. If you lower the expectation from others then you will not feel ignored. We do not feel content because we have expectations. eg I have given you my life and now you neglect me. If you say “I did this for you and I did that for you.” Kids will say “Why did you do this in the first place.”
The fourth stage in Life’s Journey is:
4. ASHAKTI KAL – physical weakness, body is not capable, need sahara
accept it with a smile or sadness . After age 80years.
The physical body will deteriorate slowly. We need support we need a wheelchair. Accept it and be happy. You need not be depressed, it is the reality of life. Understand the reality of life. Before people use to die before ashakti kal. Ashakti kal the body does not work but the mind is still active and can stay positive. The body has to ask let me retire too. This is ashakti kal for the body but not of the mind. Accept the ashakti The thought and planning of ashakti is more painful than the actual ashakti kal itself. Story- One sage studied until age 80 – then eyes got worse. Tried to improve his eyes and said I am sorry your eyes cannot come back. Saint says – “when I had eyes I use to do gyan ki aradhana now I will do dhyana ki aradhana.” Live so that you will not regret anything. Tip – in the process of planning for the future we miss the present. Physically be where you are and try to live there mentally and you will enjoy each and every moment. Example: a father dies at age 40. He enjoyed life of 40 years. He enjoyed every step of yatra in life. Often 5 people are sitting we are talking to other person living in India. Enjoy the quality time of where you are not where you are not. Family members will help so far yet there is a limit. There are some parents who are so lucky that their children will accompany them until their lasting days.
5. ANT KAL - end of life
Maranam Magalam Yasya - Safalam Tasya Jivanam: Jiska maran mangalmay he uska jivan safal he - when ones death is with mangal, it says that your life was successful People get upset at the time of death because they recall all their past mistakes/ regrets, feel alone, still have attachment to people/ money, all enemies come to mind Death itself is not painful, death should be considered a celebration. Shav yatra - journey not an end
Live each day as if you died today, you would not have any regrets - live physically and mentally in the moment
5 things you can do to make your life’s end good -
- Samay -Time- use your time effectively, don’t waste it on useless activities
- Swastha -Health- maintain your health - physically and mentally
- Santati -Progeny - maintain good family relations, raise good kids. Spend time with your kids and teach them good sanskar
- Sampatti -Wealth- manage your money/ assets
- Samadhi - be a solution oriented person, don’t have conflicts/ problems at the end
Wish that my death is :
Anayasen - happens unexpectedly, harte/ firte
Without deenta - without dependence, kuch mangna na pade
At the time of death, feel the hand of the protector i.e. atma/ divine power
I can feel the body is dying, I am not - I am eternal
People do not know we had two strengths – first is power of desire and the second is power of action. Each person has this. Desire is endless while Action strength has limitation. My desire is great and many things and we want to be active until the end. We want the desire to be alive until the end. You will not be able to complete all the action due to desire. If you want me to do things – then there will be break. Before the body forces us to put a break in our desires, why not make the break yourself.
I have made a vow for my own life. We balance pravrutti and nivrutti. Every three months, I do 10 days complete silent no activity. I went to spiritual Ashram for 10 days to recharge my battery. I go to holy place to live by my self. If you stay by yourself for 10 days it is hard we think we are wasting our time. Because atma is nivrutti and Mind is pravutti nature. Body says I want rest. Story in Texas met a man plummer at age 80. What is the secret to your health. Whenever I am tired I just lie down for 10 minutes – and my energy is re balanced.
By active – 24 hours physician activity.
Preparing for death is like, I am moving into a new house. With age the present house has gotten old and need is for a new house. When we leave the house we wonder What type of house will I get? It depends on the investment. It depends on the punya you do.
Who is ready to die. One who is fulfilled Ramkrishna said death is only going from one hut to another. No one fears death, but the things we have to do before death. I have to leave everything.
Let’s look at Why does one fear death:
- I will have to leave kids – and I will be alone. No one will come with me.
2. All the effort I did to gain money – I will have to leave.
3. We remember all the karma of the present lifetime and it upsets. The book of life comes in front of us.
4. Whoever I have done (raag dwesh) attachment and aversion with they come in front of our eyes otherwise death is a celebration. We should go dancing to the funeral. Now if person dies we should celebrate. When I die no sadness there. It is yatra – journey – spiritual journey. Death is not E-N-D but it is A-N-D.
One woman said he died early. How old was he I asked. He was 85 years old. Why early because of regret that he did not complete his expectations. So put it in your will how you want to die. The death for someone is good then the entire life is good. How to make a good end to our life. Be mindful of and follow the 5 S’s.
a. Samaya- Time – person who has used time for the better. The end will be good. 1 Lac rupees can buy material but cannot buy one second. Don’t become compulsive or a robot about time but be mindful of time. At parties, when meeting people – the quality of conversation is so low and cheap it turns into gossip and small talk and it destroys the hours of spiritual learning we do. A group is important for spiritual journey.
b. Swasthya -Health - what will be your health at the time of the ending of our life. It will impact your thought process. It may be due to your karma. Even unfavorable circumstances will determine the end.
c. Santiti – generation – how will be the next generations impact on you. If the kids’ sanskar is good and we are proud of them, then the parents will die peacefully else we will regret. How you raise the kids is very important. We will have no fear because they are mature. Parents’ responsibility is to raise kids – only two things time and sanskar is what you can do with your kids. We need to train children then they can come on track. Every child, every student is reflection of parent and teacher. From your end give time and sanskar. They have brought their own destiny.
d. Sampati – wealth – manage wealth properly it can corrupt or correct generations. Be transparent about your wealth. Otherwise at the end moment the desire of money will destroy you -
e. Samadhi – At the time of death no disturbance at the time of death. Solution oriented time – So there is no conflict at the end time.
If you manage you will never have to worry about the end. Remember the mantra at death. We need gratitude. If we do not keep gratitude how do we expect a poor child to keep gratitude. We have received more than we have given. Think of how hard a laborer works in India and how much money he makes. You have received more than our effort. We have not digested what we have – and then why do people still go to temple and disturb God with complaints.
Story - One man was dying drowning – God save me I will feed 1000 people – a wave comes and washes his ashore. Then confident brushes off the sand and says – what type of porridge? Another wave come take him drowning – I mean to sweet or savory.
Three Shlokas for end of dying.
1. “ Oh god may my death be anayasen (without any effort or any planning) ” May my death be unplanned. There is no prayer. Prayer is fortunate are those people who die unplanned.
2.Don’t ask for anything - How to die Vinadanyan jivnam – my life be free from lachari – be far from need- Why keep it lachari – There is no need to beg. Please give me respect. Respect is not a thing to ask it is a thing that is received. Everything in purna - Full - Complete.
3. Dehante tav sanidhye – At the time of death – may I feel there is protection of someone some divine power – at the time of death – Grace is something protecting – it’s divine protection. Word is Krupa – I feel that energy as much as I surrender unconditionally.
4. Dahime parveshvram. The body is dying – I am not dying. I am eternal. If I am eternal then what is the fear.
Even the body does not die. The body is eternal. Body – is made with 5 elements – earth, water, air , fire, .. Energy and matter are not destroyed. Then who died. No one dies but the connection of the body and soul has separation. They are now in a different form – and learn to see them in a different form.
Attachment – expectations – mohaa – makes us unhappy.This message about the Journey has been deliver to all of you, But to digest the message it will take 1 year or 10 or 20 years. If you have conviction it will happen. Some people die every moment and other are living eternally even after dying. If we depart this way – and just leave some contribution to others.
How to see people from different perspectives and evaluate our own status
Sep 18, 2019
Talk September 5, 2019 Saman Shrutpragyaji – Memphis TN at Satish and Dipika Verma’s House.
Three words – science – religion – and spirituality. All three have different characteristics, different approach, different perspective.
Science begins with doubts/question. Ask why or how? Where there is doubt there is use of brain, mind and logic. We can only doubt what we can measure and see cause and effect. With science, there is a question, then experimentation and analysis. Once you prove your hypothesis, then you have faith.
Religion: Dharma- Religion’s first step is faith (shraddha). A way to see what is invisible i.e. soul/ karma/God is faith. Where this eye cannot see the faith eye can see thousands of miles. Here we use our emotional heart .
Ayurved – has physical heart and an emotional heart. You may call is God, parmatha, karma, etc. If you have faith then you are religious.
Spirituality: means where science and religion come together – there is logic and faith and confidence in the self.
Many circumstances come in life and science cannot answer these questions. If events happen and cannot be explained then it is beyond scientific logic power and there we need the help of religion.
Four types of people in the world. What should be our perspective to see these 4 types of people. You cannot see all these people from same perspective.
- Happy –Sukhi – Simple People: - people who believe they are happy due to karma or due to effort. We are fortunate. If we are doing well, we are doing well due to some grace. Good health, security, family, and spiritual awareness ( scriptures and meditation). 80% of the people in the world cannot even dream of this happiness. Should we see the present or past or future of the happy person? You should look at the past of the sukhi person to learn what good deeds they did to get here.
If you look at their present, you may become jealous of what they have.
If you said you have earned it with your effort then there are people who have worked much harder yet have not earned as much. You don’t always get something from just effort or intelligence – you also need previous good karmas and blessing from other past soul or grace (krupa). To feel grace you need to empty the mind. People need to feel there is someone there who is protecting me. Only way to feel the Grace – through our humbleness. It is the condition of divine grace. Do not get in ego that is it due to your intelligence or your effort. Know blessing and know past karma. You are enjoying your punya (good karma) now. At the time of good situation put the seeds of furture karma. If I take others in part of my happiness then the happiness will multiply.
2. Paapi Person – one who does sin. The word itself is depressive. Paapi means one who does violence and gives others a hard time, Self frustrated and frustrates others. Difference between punya and paap: punya – debit card and paap -credit card. Credit – is enjoy first and pay later. Debit is pay first and build a balance and enjoy later. Punya you do meditation ,tap and then reap the benefit. Pap is you are enjoying now then you will pay later. What should we see the present or past for future? See the future of paapi and see what they will have to pay for the present enjoyment. If you see the present, you may be tempted to follow the wrong path because you see them enjoying now. Paapi’s current experience is good and future result is bad. Always remember there is a quota - Fate has given a limit of everything – limit of intelligence, limit age… etc. limit of how much sugar you can eat example – I don’t eat sweet now because then I can eat in the future. There is a quota for emotion or anger. Ego has a quota. Brain power also has a quota.
3. Dukhi – sad person . ( opposite of happy) – physically and mentally not complete – don’t have what they need/ obstacles in life. Scriptures says to see the present of the dukhi person then you will have compassion. If you see theie past you will blame them for the bad they have done and not help them. See what you can do for them now. You can see the daan, compassion for them. Example should one donate your eye or not.
4. Dharmic person – religious/spiritual person – see all three – past present and future. Their past, present and future will be bright (ujjwal). Religious person takes the ups and downs of karma with emotional control (samta).
What should be my perspective.
If I am Sukhi /happy then ask what is my future? How should I invest in good now so my future will also be good.
A Paapi person should think what was my past like? What bad did I do and how can I change my destiny by effort ( purusharth) now.
A Dukhi person must see their present . I am here due to my own karmas – don’t blame others for your current situation.
A Dharmic person must keep an eye on the future. Past and present are already good, how can I make my future bright so that will be progress of self.
This for the self and for others. No other way to understand this but faith.
Scriptures say when there is talk of soul and karma – do not use logic ,use faith. Logic will not lead to answer any time. You will have more questions and you will need faith. Doubt to faith is science. Faith to doubt is religion and spirituality.
POWER OF FORGIVENESS
Sep 18, 2019
September 6, 2019 Saman Shrutpragyaji – Memphis TN
FORGIVENESS Everyone cannot practice forgiveness. We need some basic characteristics.
1. Self Introspection - One who does self introspection can forgive and ask for forgiveness. One must be able to recognize and accept that I made a mistake and then humbly be able to acknowledge the mistake to someone and ask for forgiveness.
2. Self catharsis or Repenting - After one realizes that one has made a mistake – they need to try to amend or lighten their load of negative feelings. Do ruthaadic. Humans can cry. Men need to learn to be emotional and learn to cry like women. Crying is not a sign of weakness but a way to release one’s emotions. Example on the door to the operating room at Apollo Hospital a statement says “If you had opened your heart to your wife or your friend then your heart would not have to be opened here.” If you share your private feelings with someone then the heart is lighter.
3. Remove knots of Misunderstanding : whatever misunderstanding there are or grudgess you hold, they are like knots in our emotions and we have we need to remove them. Before the knots of cancer develop in the body, it has been developed in the mind. Just as thread with a knot will not go in needle, just as knot in sugarcane will give no juice, same way a knot in life will not allow for happiness or forgiveness.
4. Learn to forget: We need to learn how to forget easily. We have the capacity to remember and the capacity to forget. If you forget negative things quickly then the relevant stuff, you can remember. If someone has done wrong to me I will forget. We remember what we have an interest in and we forget what we don’t have an interest in. If someone has done fault and they come to me to ask for forgiveness. Can Iforgive them? Why can we not forgive them. We feel that if I can forgive them then the other one will be free or be absolved of their mistake. This is big misunderstanding - By forgiving others, it is not the person who has done the mistake who is becoming free but its the one who has been holding the grudge for all the time.
The advantage of Forgiveness is:
1. There is more room in the mind for other positive things.
2. By giving forgiveness ones own heart becomes lighter.
3. In the entire world of 7 billion people, we only need to forgive 10-12 people who are close to us and with whom we have most tension in relationships.
4. In our ruined relationships forgiveness will help
5. Majority of forgiveness only towards 5-7 people and most live with us.
One decision to do today: Apply this knowledge. By just listening, our knowledge is greater but without application, it is not useful.
Commit today that if one person comes to ask for forgiveness then I will forgive. My focus is on the application. The damage has already been done –now you are suffocating from the situation.
Greatest donation, even greater than charitity of money, is charity of forgiveness – one is physical other is emotional. If I had done a mistake – can I ask for forgiveness. Will I be able to beg for forgiveness.
When asking for forgiveness do not say “if or but” – we create condition.
We are so cautious not to slip and break our bone yet we do not watch the slip of tongue which breaks others bones.
ANGER: Opposite of forgiveness is anger.
Can we control anger? Example: for 20 years after diksha I use to have anger. If someone comes late to lecture, if the cell phone goes off. Now I have changed my thinking. Every person has their own journey due to past karma and it will not change in 2 lectures.
I can’t change another unless they want to change. I cannot change their circumstances or the incident. Everyone has their own journey. Why should I be upset by trying to change the other person’s journey. Master key to end one’s anger – not by practice but by understanding. What is the understanding – each person has their own journey and we can eliminate the anger. Tea takes 5-7 minutes to boil. That is how long it should take time to get mad. It takes 5-7 min to cool and it take 5 years to cool down our anger.
Do not get angry at these times
1. When you wake up – not anger for 30 min
2. When leaving the house do not leave with anger.
3. When we sit to eat food do not get angry
4. At time of going to sleep.
5. When entering the house.
6. Don’t get angry at any person who you cannot see. Do not get angry or emotional on phone, because we cannot read the body language.
7. Don't get angry at respectfull people - like Mother, Father or elderly people.
If you get mad at anyone give them $501 gift. You will not do it more than 4 times – it is price tax for anger.
Word in scriptures – Jiv matri and Jin Bakti - without jiv matri cannot get jin bakti.
How Seniors Can Recalibrate their Life: If you are nearing 60 – incorporate these ideas in your life.
1. No expectation with anyone. –If someone helps then it is my good karma. Where there is expectation then there is distancing. Where there is expectation there is no happiness( anand)
2. Don’t be stobborn / rigid - I will not push my ego or my view – (agrha) – Ego pushes the stubbornness to go forward. The more stubborn than more ego there is. Learn to LET GO
Types of stubborness:
Athagraha - for objects - i.e. I won’t give property
Duragraha - for thoughts - i.e. Your thoughts or beliefs are wrong
Purvagraha - for people - i.e. having a prior judgement or labeling people
3. No Chasing Money After 60 or 65 don’t do too high ho about money. Don’t ruin relationships or health over the money. Don’t have regret. Do now because there will be no tomorrow.
4. Love all others - As long as I live – I will love all others. Even if they are enemy or friend or all.
5. Forget the Past - Now I will not recall my and others past. I will let that go. Like a computer use the delete button if bad memory and save if good memory
So I will die as clean as I came. I will die with least amount of scratches.
જિનશાસનનું મેનેજમેન્ટ
Sep 20, 2019
1. સમયનો ધર્મ : સમય ઔચિત્ય - એ સમયે એ કરી લો જે પછી નહિ થાય - કોઈનું મૃત્યુ થયું - એ જ સમયે જવાનું - 5 દિવસ પછી જાઓ તો, શાર્પ માઈન્ડ જોઈએ સમયને ઓળખી શકે - કાળ ધર્મ - સમયને પોતાનો ધર્મ બજાવ્યો - પર્યુષણમાં મારે આ જ કરવાનું છે. ક્યારેક પૂજા પણ છોડી શકાય - પરમાત્માની પૂજાનો સમય - 12 વાગે - હરિભદ્રસૂરિ - પંચાશકમાં પણ
- વૃત્તિ અવિરોધીની પૂજા - બજારનો સમય ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે પૂજાનો સમય છે. પરિવારની સમાધિની જવાબદારી છે.
મોક્ષ મેં જલ્દી જાને વાલા કોણ - સાધુ - ગુરુ - લેખક - તપસ્વી - હરિભદ્રસૂરિને પૂછ્યું
ઔચિત્ય કા પાલન કરને વાળા - ઔચિત્ય પાલનં આસન્ન સિદ્ધહે જીવસ્ય લક્ષણં
જે સમયે જે ઉચિત્ત છે તેને પ્રધાનતા આપે તે -
સાધુ ગોચરી જઈને આવ્યો - ગુરુને બતાવવાની વ્યવસ્થા છે. થાકેલો છે- એ સમયે ગુરુ આદેશ નહિ આપે
પુરુષ સાંજે સીધો ઘરે જાય - પત્ની તરત આ લાવ્યા કે નહિ - આ ઉચિત નથી.
30 વર્ષનો યુવાન - સાધ્વીજી બેન - પૂજા કેમ નથી કરતો - સમજાવ્યું - વાત સાચી - પણ નહિ થાય? યુવાન પૂછે છે - તમને આપના ગુરુની સેવામાં કેટલી મજા આવતી હશે ને? એટલી સેવા હું મારા માબાપની કરું છું.
લાભ -
પ્રિયત્વ - સામ વાળા માટે પ્રિય
પ્રસન્નતા - પોતાને માટે
2. સ્થાન ધર્મ - જે સ્થાને બેઠા છો એનો ધર્મ છે.
ગર્ભ ગ્રહ પહેલા - 1. નિસ્સિહી - પહેલી અને બીજી નિસસહીની વચ્ચે આપકો પૂરા મંદિરનું અવલોકન કરવાનું છે. ક્યાંક થાળી, કટોરી - કળશ - દર્પણ - આડું અવળું હોય તો - બધું ઠીક કરીને જવું - આ કામ પૂજારીનું નહિ - તમારું કામ છે.
બીજી નિસહી - સ્તુતિ કરતા પહેલા
ત્રીજી નાસહિ - ચૈત્ય વંદન કરતા પહેલા
ઉપાશ્રયમાં આવ્યા છો - સાધુને કોઈ સેવા હોય તો પૂછો.
દેરાસરમાં સંસારની વાત ન જ કરવી - સ્થાન ધર્મ છે.
3. કર્તવ્ય ધર્મ - પિતાજી સાંજે સુતા છે - પગ દબાવવા - 100 રૂપિયા આપીને સાબુ લીધો - કર્તવ્ય નથી કર્યો - વ્યાપારી અને ગ્રાહક ધર્મ નિભાવ્યો માત્ર.
ઘરમાં વડીલ હોય એ કામ કરે અને નાના લોકો બેઠા હોય એ કર્તવ્ય ધર્મની ભ્રષ્ટતા છે.
દરેક માણસ મહાન ન બની શકે પણ સજ્જન બની શકે છે.
વસ્તુપાળને મઝઝીદનું નિર્માણ કર્યું - એક નહિ અનેક - આજે તમે ન કરતા - સંઘથી બહાર
છોટે દાયરે મેં સોચતે હૈ। એટલા માટે કે મંદિર તૂટતાં હતા - કરોડના - મંદિરની સુરક્ષા માટે - તમે નમાજ અહીં પઢો - હમે પૂજા કરને દો।
બધાનો કર્તવ્ય ધર્મ અલગ હોય
જેના પાસે સ્થાન છે એ પણ ચુકે છે.
પરમાત્માની પ્રતિષ્ઠા પછી પૂજારીને 5000 પગાર ન આપી શકો?- લગભગ બધેય બધા પૂજારીને રડતા જોયા છે. પૂજારીની અશાતના એ પરમાત્માની આશાતના છે,.હરિભદ્રસૂરિ સોળસટમાં લખ્યું છે. 24 ઘંટા પરમાત્માની નજીક એની પ્રસન્નતા ન રહે તો પરમાત્માની આશાતના છે. કોની જવાબદારી - ટ્રસ્ટીઓની - સંઘના સભ્યોની નહિ. ઓફિસમાં દસ કામ કરે - બોનસ આપો ને - પૂજારીને બોનસ આપ્યું?
રાણકપૂર 99 કરોડનું મંદિર - 7-8 પીઠી સુધી - ભંડારે કી બધી રકમ પૂજારીને જતી હતી,
લાખ રૂપિયા નાખો બધા પુજારીને -
સાધુ બીમાર હોય એ સમયે સ્વાધ્યાય કરે તો જ્ઞાનાવરણીય કર્મ બંધ થાય છે.
4. સ્વરૂપ ધર્મ - સ્વભાવ ધર્મ :
આત્માની નજીક આવવાનો ધર્મ છે. ત્રણને ઓવરટેક કરીને તમે ન જઈ શકો
પાંચથી બચો
Sep 20, 2019
પાંચથી બચો
1. અહંકાર - 5
રાજ રોગ - ડાયાબિટીસ - પૃથ્વી કા કાર્ય ક્ષેત્ર લિમિટેડ છે. પૃથ્વી - પાણી - હર જગહ નહિ - અહંકાર હર જગહ। ગલત કા ભી અહંકાર - અચ્છે કા ભી - સચ્ચે કા ભી - જૂઠ કા ભી અહંકાર। હું એવું જૂઠ બોલું કે મને પકડી ન શકે. 14 પૂર્વી ભી અહંકાર કર સકતા હૈ।
જ્ઞાનસાર - તેરે ગુણ કો પકડ કર કઈ લોગ મોક્ષમાં - તું એ ગુણને પકડીને અહંકારમાં ડૂબી જઈશ। ઉપધાનની અનુંમોદના બધાને કરવા દો - તું નહિ કરતો - દેવ ગુરુ કૃપા બોલો ત્યારે પણ મગજ ઠીક રાખો.
2. અંધકાર સે બચો - અજ્ઞાન સે બચો : પ્રવચન સાંભળ્યા પછી બદલાવ નહિ - જ્ઞાનાવરણીય કર્મ કા બંધ।
3. અધિકાર ભાવ :
એક વય કે બાદ અધિકારનું સુખ છોડી દેજો। કષાય મેં રહતા હૈ। બિના કારણ ગુરુ શિષ્યો કો અપના કામ કરાના - નોકર કે રૂપ મેં જનમ હોતા હૈ।
4. અસહકાર : મદદ ન કરને કા ભાવ : નવપદ કી પૂજા - સહાયપણું સાધુનું લક્ષણ - સહાય કરે વો સાધુ - સ્વાર્થ ભાવ ન હો.
5. અલંકાર - સંપત્તિ કા નશા:
લાભ - 1. આવિષ્કાર - નયા નિર્માણ - અંદર છે એ બહાર આવશે : સારું કરવાની સાધના - ગલત સે મુક્ત બનો।
2. અવિકાર ભાવ: અપ્રભાવિત રહૅવાની શક્તિ - અશુભથી
જીવન યાત્રા: આરંભથી અંત સુધી
Sep 20, 2019
દબુદ્ધિ - સમાધિ - સદગતિ ટકાવી રાખવી હોય તો પાંચ કાળ સાચવી લ્યો
1. પ્રવૃત્તિ કાળ :
બજાર - મંદિર - ક્રિયા - પ્રવચન - વર્તમાન કાળ ( શરીર) - સમાધિ - સદગતિ નક્કી નહિ કરે.
2. અપ્રવૃત્તિ કાળ:
સાંભળીને ઘરે ગયા - અપ્રવૃત્તિ કાળ - પૂજા કરીને ઘરે ગયા - અપ્રવૃત્તિકાળ - ઉપધાન તપ કિયા - અબ ક્યાં? બીજી પ્રવૃત્તિ ન કરો ત્યાં સુધીના કાળને અપ્રવૃત્તિ કાળ કહેવાય છે. પિક્ચર જોયું - હવે શું વિચારો છો? પ્રવચન સાંભળ્યા પછી - ક્યાં વિચારો આવે છે? ભોજન માટે જાઓ છો - કેટલો સમય એ વિચાર ચાલે છે. ( મન ) - આ જ સાચી તાકાત છે. પ્રભાવના - ઘર તક - દો -તીન તક રહેતા હૈ।
પરમાત્મા કા વચન એક ઘંટે તક યાદ નહિ રહતા તો અગલે જન્મ તક કૈસે રહેગા?
આ સમયે જે વિચાર ચાલે છે એ તમારી રુચિ છે. એનું ડીક્લેરેશન છે. પાલીતાણા યાત્રા પછી કેટલા દિવસ એનો પ્રભાવ રહે છે? પ્રવચન પૂરું - પછી ખાલી સમય - શું કરશો।?
- શું કરવું એ તમારી પસંદ છે.
- તો પછી પ્રવૃત્તિનું ઘંમડ ન રાખતા
3. નિવૃત્તિ કાળ:
સાવ નિવૃત્તિ - 65 કે બાદ, ત્યારે તમારી પાસે શું?
સારી ચોઈસ નહિ હોય તો ડિપ્રેશનમાં જતા વાર નહિ લાગે. 21 દિન - ઓપરેશન - કઈ કામ નથી - આપઘાત કા વિચાર આવે છે.
ધંધાથી નિવૃત્તિ
શરીર કમજોર - નિવૃત્તિ - વધુ સમય કાઢવાનો છે - નિંદા - ચુગલી - કોઈ ધ્યાન નથી રાખતું - શિકાયત વધી જાય છે.
નિવૃત્તિ માટે કંઈક સ્ટોકમાં છે? સ્મૃતિ છે કોઈ?
નિવૃત્તિમાં શું કરશો?
એફ ડી કરી છે - બુઢાપે મેં - શરીર - સંસાર માટે
આત્મા માટે કોઈ એફ ડી છે? પ્રવૃત્તિ - વ્યસ્તતા કા કાળ છે - સારો છે
- રુચિ ખબર નહિ પડે - પ્રવૃત્તિકાળમા
- જયા ઇંટ્રેસ્ટ - ત્યાં ઇન્વેસ્ટમેન્ટ
- સંડે પણ પ્રોગ્રામ કરના પડતા હૈ - પ્રવૃત્તિ જ છે ને - નિવૃત્તિ નથી ગમતી એટલેન?
- વહુ - આખો દિવસ અહીં - દુકાને જાઓ - દુકાને - હજુ ધંધો ? ક્યાં જાઉં ? ધર્મ માં તો રુચિ નથી. હવે ક્યાં જાઉં - સ્મસાન બચ્યું છે.
- જીવન સમાપ્ત કરવાનું મન થશે - કઈ નહિ હોય તો?
4. અશક્તિકાળ :
શરીર ડિસ્ટર્બ થયું હવે - શરીર પણ સાથ નથી આપતું હવે- લકવા- કેન્સર - આંખ - શું કરશો? ખતરનાક - 5-10 વર્ષ પણ? બીમારી લાંબી - પરિવારનો રસ પણ ઓછો થઇ જાય છે. શરીર કોઈ નોકરને સોંપી દેશે - એનો ભાવ કેવો ? શરીર પણ તમારું માનશે નહિ.
- સાધુ કી આંખ ગઈ - કહા - અબ જ્ઞાન યોગ સે ધ્યાન યોગ મેં જાઉંગા
- હોસ્પિટલમાં જજો - વૈરાગ્ય આવશે
5. અંતકાળ:
ત્યારે શું? ક્યાં જશો? એ અહીં નક્કી થશે - 2- 5 કલાકનો ખેલ છે.
જય વિરાય સૂત્રમાં સમાધિ ની ભાવના
વિલ ની તૈયારી - આની શું તૈયારી?
મરણં મંગલં યસ્ય સફલમ તસ્ય જીવનમ - કૈસે મરા બતાઓ - જીયા કૈસે મેં બતા દૂંગા
દસ નર્સ - સાઘ્વીજી કો ગોચરી કી ભાવના
- અચ્છે કાર્ય કો સેવ કરતે ચાલો - તો અંત મેં મેમોરી મેં આયેગા।
- શક્તિ કે સમય મેં દુરુપયોગ મત કરના - અશક્તિ મેં હાલત બિગડ જાયેગી।
- બિના ધર્મ અંત સમય તક મન કો સ્વસ્થ રખના અસંભવ
- મોત તક સત્તા - સંબંધ - ધન રહેગા સમાધિ નહિ। સર ઝુકા કર - જબાન મેં મધુરતા - કમર ઝુક કર વ્યવકર કરો
અંત સમય સુધારવો કેમ?
પાંચ બાંબતો ધ્યાનમાં રાખો
1. સમ્પતિ - ડેડ લાઈન નહિ - સમ્પતિ કમ નહિ - સંપત્તિ કમ લગતી હૈ તો મોત બગડશે - મમ્મણ શેઠ - બળદ - મારી સામ્રાજય કઈ નહિ - 7 મી નરકમાં ગયા - સમાધાન છે. સંપત્તિ જરૂર પૂરતી છે, ઓછી છે કે વધુ છે? સંપત્તિ ઘણી વાર પ્રસંશા અને પ્રસિદ્ધિ માટે હોય છે.
2. સંક્લેશ - લેટ ગો - સમાધાન પૂર્વક જીઓ
3. સંતતિ બરબાદી - બાળકોને સમય આપો અને સંસ્કાર આપો - બાકી એના પર છોડી દો
4. સ્વાસ્થ્ય - સંયમથી જીઓ
5. દુર્બુધ્ધિ - સત્સંગ - પૂજા - પ્રવચન દ્વારા બુદ્ધિને નિર્મળ કરો - આ મોકો નહિ મળે
My Life Lesson: जिंदगी बहुत कुछ सिखाती है
Sep 25, 2019
दीपक रमोला कहते है : जिंदगी जो कुछ सिखाती है - ध्यान लगा कर शिखो। दुनिया के हर इन्सान के अनुभव में किसी न किसी परेशानी का हल छिपा हुआ है। हरेक को पूछो - जिंदगी ने आपको क्या शिखाया है? दुनिया की जन संख्या ७ अरब से भी ज्यादा है। इसका मतलब दुनिया में सात अरब गलतियां है जिनसे आप कुछ शिख सकते हैं, ७ अरब लाइफ लेशन है, जिनका सहारा लेकर आप हर मुश्किल का सामना क्र सकते हैं। किसी को बिना मिले आप उनकी जिंदगी बदल सकते हैं। रोज सुबह आपके आयने में आपका चहेरा आपको सरप्राइज़ कर सकता है तो आपकी जिंदगी अच्छी चल रही है। एक आयना बनाओ - देखो - चार मिनिट में २०० नई चीजे अपने चहेरे में ढूंढो जो आपको ख़ुशी दे सके। समाज के बुद्धिजीवी और अनपढ़ लोको को साथ रख कर, पढ़ा जाए तो हमारी बड़ी से बड़ी परेशानी का हल आसानी से मिल जाएगा। अपने परिवार या दोस्तों के साथ बैठे तो पूछे कि जिँदगीने उन्हें क्या शिखाया ?
- इज्जत इंसान की होनी चाहिए - काम की नहीं।
- थोड़ा आराम मानसिक शक्ति बढ़ाता है।
- अनजान चीजों से नफरत मत कीजिये।
- कोई भी दुःख मनुष्य के साहस से बड़ा नहीं है, वही हारा है, जो लड़ा नहीं।
- आपका हुन्नर आपको तोहफा के रूप में नहीं मिला है, किन्तु जिम्मेदारी के रूप में सौंपा गया है। आप उन्हें पूरे सन्मान से नहीं निभाते है तो सन्मान नहीं मिलेगा। मूड से नहीं, जिम्मेदारी से निभाए।
इस तरह जिंदगी बहुत कुछ सिखाती है। मैंने बहुत शिखा है इस जिंदगी से। एक कविता के साथ -
उम्र के सारे खेल खेल कर,
बूरे भले सब दर्द झेल कर,
डूब डूब कर उभर उभर कर,
जीत जीत कर हार हार कर,
फुरसत की दो घडियो में,
जब इस दिल ने सांस ली,
जीवन की सच्चाई सारी जान ली।
मान लिया कि खुशियाँ बन कर,
कभी लम्हो को गुद गुदाती है,
कभी गमो की बाँह पकड़ लचकाती है,
जिंदगी कितना कुछ सिखाती है।
सुनी सहमी रातो में चाहा कि दिन आबाद रहे,
कोई अपना कोई पराया दो कदम तो साथ चले,
कभी भीड़ में गुम हो जाता कभी तन्हाई का जशन मनाता
मन ही यह मन को समज़ाता।
कभी पल भर में मंज़िलो तक पहोचाती है,
कभी एक ही मोड़ सो दफा दोहराती है,
यह जिंदगी है, और जिंदगी बहुत कुछ सिखाती है,
बहुत कुछ सिखाती है।
- अपने साथ थोड़ा वक्त जरूर गुजारो, क्योकि आपसे बेहतर कोई नहीं है।
- कभी किसी से घृणा मत करो - सब से प्रेम करो - सब अच्छे है - सब प्रेम करने योग्य है - खुद से भी प्रेम करो। जो खुद को प्रेम करता है - वो सब से प्रेम कर सकता है। प्रेम का विस्तार सब प्रोब्लेम का एक समाधान है।
समण श्रुतप्रज्ञजी
Embrace Small Beginning
Sep 26, 2019
નાની શરૂઆતને પકડી રાખો : Frenzy William
Are you a fan of small beginnings? Do you relish those first, maybe awkward steps when trying something new?
Make one call to the friend who is hurting?
Offer one meal to the man who is hungry?
Find one practical need and serve wholeheartedly?
And in so doing, you can shine a little light in the darkness of this world.
What one thought, action, prayer, and person can you focus on today?
भीतर का दीप जले
Oct 28, 2019
आज दिवाली है। नया साल शरू होगा।लोग दीप जलाएंगे। बहार का दीप निमित्त मात्र है, मूल तो भीतर का दीप जले तभी अमनचैन और शांति की अनुभूति हो सकती है। आदमी बहार से विकास करने की कोशिश कर रहा है, लेकिन भीतर से समृद्ध होने का प्रयत्न हो तभी सच्चे आनंद की अनुभूति हो सकती है। परमात्मा प्रकाश है, यह शरीर परमात्मा का मंदिर है, ध्यान दीप है। जागृति, ध्यान एवं आत्म निरिक्षण का दीप जले तभी आदमी भीतर से समृद्ध होगा। जब यह होगा उसके बाद आदमी सच्चे अर्थ में धनवान होगा, फिर नहर की लोभ लालच पर अपने आप ब्रेक लगेगी। भीतर की दुनिया भी अनंत है। उस अनंत को जानने का मार्ग ध्यान है। ध्यान का नशा चढ़ना जरुरी है। उसके लिए नियमित अभ्यास जरुरी है। चलो आज से ध्यान का दीप जलाये। यह दीप किसी भी प्रकार के तुफानो में भी बुझेगा नहीं। नए साल की यही शुभेच्छा।
Saman Shrutpragyaji
27/10/2019
मित्रता का मूल्य
Nov 2, 2019
मित्रता और अच्छे लोगो का मिलना जीवन का सौभाग्य है। मित्रता के बिना जीवन अधूरा और निरस है। सुख दुःख में, समय पर सलाह लेने में, मन की भावनाएँ व्यक्त करने में और जीवन का आनंद शेर करने में ऐसे मित्र जीवन के लिए सकून साबित होते हैं। मित्रता की पहचान एवं कसौटी संकट की घडी में होती है। इसके साथ यह भी सच है कि स्वार्थ वृत्ति मित्रता को नष्ट कर देती है। अपने स्वार्थ के लिए मित्रता का कभी भी दुरूपयोग नहीं होना चाहिए। मित्रता निखालिस होनी चाहिए।
में अपनी जिंदगी में दृष्टिपात करता हूँ तो मेरे जीवन में ऐसे बहुत कम मित्र है। कुछ मित्र शिष्य जैसे है, कुछ मित्र सच में मित्र है, मैं उन्हें मित्रता दृष्टि की देखता हूँ। भारत से ज्यादा भारत के बहार के लोग मेरे से काफी नजदीकी रखते है।
“Is it Always Right to be Right?” - Saman Shrutpragyaji
Jan 3, 2020
(YouTube, animated film, narrated by Orson Wells, 8 mins.)
The message of this short film is a must-see for anyone trying to understand and apply the principles of anekantvad, namely, the understanding that truth is often seen in different ways by different people and, in this sense, is always relative. The film presents in a humorous yet thought-provoking way how humans form groups with opposing world views, ideas and philosophies, with young against old, black against white, and so on and so forth. However, the film also explores how differences can be managed to ensure that everyone is respected and can learn to live peacefully with various types of challenge brought by social, racial and political differences. It is an application of anekantvad that is thought provoking, instructive and enjoyable.
Freedom from Attachment - Saman Shrutpragyaji
Jan 3, 2020
Expectation is the root of attachment. Relationship with expectation is attachment and relationship without expectation is detachment. That attachment is inseparable from suffering is a universal truth based on logic and experience. All enlightened beings have no attachment and this is why they are blissful and beyond all suffering. Where there is less attachment there is more happiness, and vice versa. Everyone knows this truth on the mental level and in terms of their own direct experience. Other creatures apart from humans generally have little attachment and for a short period of time, either in order to survive, or to protect their young. However, when their offspring become self-sufficient, the parents usually withdraw and at the same time lose their attachment. Humans, by contrast, tend to build up numerous and often unnecessary relationships with almost anyone they meet. It is the reason also why they make many friends. But all this shows that they are empty inside, that they are unfulfilled by themselves. Yet, if a person can become detached from everyone and can live happily alone, that individual comes to have universal love and compassion for the whole of humanity as well as for all living beings without any expectation.
आदमी खुद वायरस बन चूका है (Coronavirus) - समण श्रुतप्रज्ञ
Mar 23, 2020
अति सूक्ष्म एवं न दिखने वाले कोरोना वायरस ने दुनिया को हिलाकर रख दिया है। आदमी सोच रहा था हम कुछ भी कर सकते है, हम कुदरत को दबोच सकते है। हम अपनी बुद्धि और पैसे के जोर से दुनिया को मुट्ठी में कर सकते है। इस वायरस ने आदमी के इस घमंड को तोड़ कर रख दिया है। यह छोटा वायरस हमें बहुत कुछ सिखाता है, यदि आदमी इनसे कुछ सीखे तो !!
१. यह वायरस कहता है - अपनी औकात में रहो, दुनिया में सिर्फ तुम ही नहीं रहते हो, और प्राणी जगत भी है, उनका भी ख़याला करो। इतने क्रूर मत बनो कि दूसरों की स्वतंत्रता नष्ट हो जाए। महावीर ने कहा, आपकी तरह दुसरो को भी जीने का अधिकार है। दूसरों के अस्तित्व की सुरक्षा ही तुम्हारे अस्तित्व का आधार है। आदमी हो, आदमियत दिखाओ, अपने स्वाद के लिए हमारे जैसे निर्दोष जीवो को नष्ट मत करो। हमें खाना छोडो, शाकाहारी रहो। भगवत गीता का संदेश है - करुणापूर्ण हृदय से सात्विक आहार पेट में डालो। आहार अस्तित्व टिकाने के लिए है, अस्तित्व मिटाने के लिए नहीं।
२. यह वायरस कहता है - अपनी बुद्धि और धन का घमंड मत करो। इस विराट अस्तित्व में तुम ना कुछ हो - किस बात का अहंकार करते हो। क्यों सृष्टि का संतुलन मिटाने में लगे हो? ऐसा करने से तुम्ही मिटोगे - यह मत भूलो।बुद्धि है तो सदुपयोग करो जिससे जगत को और अधिक सुन्दर रख सको, धन है तो किसी को मदद कर उसकी दुआएँ लो। यह दुआ तुम्हे शांति देंगी। हर चीज को धंधा मत बनाओ।धंधादारी वृत्ति में मानवता को मत खोओ.. इंसानियत की इज्ज़त रखो।
३. यह वायरस कहता है - लालच को पोषने में इतने मत दोड़ो की घर में रहना भूल जाओ। परिवार भी कुछ है। परिवार को प्रेम करो, इज्जत दो, समय दो, साथ में उठो बैठो, खाओ और एक दूसरो को पूरा समय दो। जिंदगी का केंद्र पैसा नहीं है, प्रेम है - यह मत भूलो।आधुनिकता के नाम पर अब रविवार भी परिवार के लिए नहीं बचा है। जरा सोचो तुम किधर भाग रहे हो? तुम्हारी ज्यादा और बेमतलब भागदौड़ पर ब्रेक लगाना जरुरी था, इसी लिए मुझे आना पड़ा।
४. यह वायरस कहता है - श्रम के साथ विश्राम जरुरी है। बहिर्मुखता के साथ अंतर्मुखता जरुरी है। भोग के साथ योग जरुरी है। पर चिंतन के साथ स्व चिंतन जरुरी है। भीड़ के साथ एकांत जरुरी है। धन के साथ ध्यान जरुरी है। इस वायरस ने हमें एकांत दिया, विश्राम दिया, वास्तविकता का बोध दिया। भीतर झांकने का मौका दिया। इस वायरस ने हमें अकेला रहना भी सिखाया है।
५. इस वायरस ने हमें प्राचीन सभ्यता और संस्कृति की याद दिलाई। यह वायरस कहता है - आधुनिकता के नाम पर तुम अपनी मूल जड़ो से उखडो मत। अपने मूल से जुड़े न रहे इसलिए में तुम्हे जगाने आया हूँ। हग करना नहीं, हाथ जोड़कर नमस्कार करने की संस्कृति ही शुभ है, गरम पानी पीना ही शुभ है, शाकाहारी रहना ही शुभ है,हाथ धो कर खाना खाना और स्वच्छता बनाये रखना ही शुभ है।
६. यह वायरस यह भी कहता है कि जैसा कर्म करोगे, वैसा ही फल मिलेगा - उस कर्म को भोगने के लिए तैयार रहना। पूरी दुनिया को काबू में कर लूंगा ऐसा घमण्ड कभी मत पालना, यह घमंड तुम्हे ही भारी पडेगा। तुम नम्र रहो ताकि दुसरो का अस्तित्व भी सुरक्षित रहे। दूसरा नहीं बचेगा तो तुम भी नहीं बचोगे -इस सत्य को अब कभी मत भूलना।
इस वायरस की आवाज है कि मैंने इसलिए अपने पाँव पसारे है क्योकि तुम सीमा के बहार जा रहे थे, तुम्हारे कारण अन्य जीवो की सुरक्षा को खतरा था। तुम ज्यादा अहंकारी बन रहे थे। तुम्हे दुसरो के दुःख की कोई चिंता नहीं थी। तुम ज्यादा ही स्वछंद हो चूके थे। तुम्हारे भीतर की संवेदना और मानवता मिटती जा रही थी। तुम अपने धन के लिए कुछ भी करने को तैयार थे। इस लिए मैंने अपना फ़र्ज़ निभाया है। इसको कुदरत की क्रूरता मत समज़ना, आशीर्वाद समझना की तुम्हे जगाया, संभाला, सावचेत और सतर्क किया।
आप लोग दो सप्ताह घर में रहे इतने में तो पूरी पृथ्वी हील होने लगी, प्राणी सृष्टि को अपनी स्वतंत्रता का अहसास हुआ। पर्यावरण खिलने लगा। वायु शुद्ध होने लगी, जल में जीवंतता और निर्मलता आने लगी। तुम्हारे एक के सीधे होने से दुनिया को कितना लाभ हुआ? तुम अब भी जाग जाओ और जागे रहोगे तो फिर हम कभी नहीं आएंगे। यदि इसमें फिर कोई भूल कि तो हमें लाचारीवश फिर आना पड़ेगा। मुझे आशा है कि अब आप मुझे आने केलिये बाध्य नहीं करोगे।तकलीफ के लिए क्षमाप्रार्थी हूँ।
Coronavirus
અનુચિન્તન : 1: આ સંકટ પરિવર્તનની તક છે : સમણ શ્રુતપ્રજ્ઞજી
May 27, 2020
વિશ્વ સંકટના આ દિવસોમાં ઘણું કહેવાઈ રહ્યું છે. સ્પષ્ટ ચિત્ર સામે આવવું મુશ્કેલ છે, તેથી આ વસ્તુ મૌન રહીને જ વધુ સારી રીતે પ્રતિબિંબિત કરી શકીશું. અવાજોની ચતુરાઈથી પ્રભાવિત થયા વગર શાંત ચિત્તે બેસીને વિચારીશું તો કેટલાક સત્યો સામે દેખાઈ શકે છે જે કોરોના સંકટ પર પ્રકાશ પ્રગટાવે છે. તમારામાંથી મોટાભાગના લોકો આ વિચારોથી પહેલેથી જ પરિચિત થઇ ચુક્યા હશે! આ સ્થિતિ આપણને શીખવે છે કે વર્તમાન પરિસ્થિતિમાંથી આપણે શું શીખી શકીએ છીએ. કોરોના પાસે એક અરીસો છે, જે આપણને શીખવે છે કે આપણો આપણી પોતાની સાથેનો સંબંધો કેવા છે ? આ પૃથ્વી સાથેનો આપણો વ્યવહાર કેવો છે? પરસ્પર એકબીજા સાથેનો આપણો નાતો કેવો છે? અને આપણે જીવીએ છીએ તે દેશોની વિશાળ સરહદો સાથેના આપણા સંબંધો કેવા છે?
ચાલો આપણે સત્યના જુદા જુદા પાસાઓને સમજવાની કોશિશ કરીએ. કોરોના વિષે આપ જે કંઈ આજુ બાજુ સાંભળો છો, જુઓ છો, ત્યાં એક બાબત કોમન છે, જેના પર આપણે સહમત થઈએ છીએ, અને તે વાત એ છે : આપણે બધા એક માનવીય કુટુંબ તરીકે, ઇતિહાસમાં પહેલીવાર એક અનન્ય ક્ષણનો સામનો કરી રહ્યા છીએ - આ ઘટના સંકટની તો છે પણ ઊંડાણથી વિચારીશું તો આ સંકટ એક મોટી ભેંટ બનીને આપણી સામે આવી છે. Crisis ( સંકટ ) શબ્દને ચાઈનામાં વેઈજી કહેવાય છે અને તેના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે ભયાનક અને બીજો અર્થ થાય છે “વળાંક અથવા પરિવર્તનની ક્ષણ કે તક. કોઈ શંકા નથી કે કોવિડ 19 એ આપણા વિશ્વ માટે એક વેઇજી પળ છે. આમાંથી કંઈક શીખીશું તો આ એક ઉપહાર છે.
અનુચિન્તન: 2 - આપણે બધા જોડાયેલા છીએ: સમણ શ્રુતપ્રજ્ઞજી
May 27, 2020
આપણે બધા જોડાયેલા છીએ - આ વાક્ય આપણે લોકોએ કેટલીય વાર કાનથી સાંભળ્યું હશે, આપણને બૌદ્ધિક રીતે એ સ્પષ્ટપણે ખબર છે કે આ વાત સાચી છે. આપણામાંથી ઘણાને આ સત્યનો અનુભવ થયો હશે કે આપણે બધા જોડાયેલા છીએ. સામાન્ય રીતે આપણી આદત અલગ અલગ અને સ્વતંત્ર રીતે રહેવાની છે, કેમકે એમાં આપણને સુખનો ભાસ થાય છે. પ્રકૃતિ આપણને આ આદતમાંથી ઘણીવાર સીધી કે આડકતરી રીતે બહાર લાવે છે અને બીજા લોકોનું કેટલું મૂલ્ય છે એ સમજાવે છે.
આ સંકટના સમયે આપણે એવા કેટલાય લોકો સાથે ફોન કરીને લાગણીશીલ થઈને વાતો કરી હશે કે જેમને આપણે કેટલાય સમયથી મળ્યા પણ નહિ હોઈએ. આવા સમયે કેમ એમનું સાન્નિધ્ય મિસ કરીએ છીએ? આનું કારણ છે કે સ્વભાવથી આપણે જોડાયેલા છીએ અને એકબીજા સાથે આપણું સુખ દુઃખ પણ જોડાયેલું છે. વર્તમાન સ્થિતિના નિમિતે 'આપણે બધા જોડાયેલા છીએ' - આ વાત નાટકીય રીતે દ્રશ્યમાન થઈને આંખોની સામે દેખાય છે.
આજે લોકડાઉનની આ સ્થિતિમાં કદાચ આપણે એકબીજાથી શારીરિક રીતે દૂર હોઈએ તો પણ આપણે વધુ સ્પષ્ટપણે જોઈ શકીયે છીએ કે બીજા મનુષ્યનું ભાગ્ય આપણા ભાગ્ય સાથે કેવી રીતે જોડાયેલું અને ગૂંથાયેલું છે. એટલું જ નહિ પ્રકૃતિનું દરેક સર્જન એકબીજા સાથે સંબંધના ગહેરા તાંતણે બંધાયેલું છે. પ્રકૃતિમાં ક્યાંય પણ એક તત્ત્વનું સંતુલન બગડે છે ત્યારે એની સાથે જોડાયેલું અન્ય તત્ત્વ એનાથી પ્રભાવિત થાય છે. આ સનાતન સત્યને ક્યારેય નજરઅંદાજ ન કરશો.
અનુચિન્તન: 3: દરેક આધ્યાત્મિક બાબતો આપણને આ ક્ષણ માટે તૈયાર કરે છે: સમણ શ્રુતપ્રજ્ઞજી
May 27, 2020
આપણી ધાર્મિક વિધિઓ, વાતાવરણ, ધ્યાન - યોગનો અભ્યાસ ,યજ્ઞ, સત્સંગ, પ્રાર્થનાઓ, મંત્રો અને તીર્થયાત્રાઓ આપણને સંકટની વચ્ચે વર્તમાન ક્ષણમાં અને સમભાવમાં રહેવા માટે તૈયાર કરે છે. આપણે આ વિધિઓ અને સાધનાની અસીમ શક્તિઓના હૃદયથી આભારી રહેવું જોઈએ કે તેમને આપણને સંકટ વચ્ચે અંદર અને બહારથી સંતુલિત રહેતા શીખવ્યું. આપણે એ સંતો અને ઋષિઓના અંતરથી કૃતજ્ઞ રહેવું ઘટે જેમને આપણને આ સંસ્કારોનો અમૂલ્ય વારસો ભેંટ આપ્યો. ધર્મની સાધના - આરાધના- ઉપાસના આપણા હૃદયને કોમળ બનાવે છે અને મનને મેરુની જેમ મજબૂત બનાવે છે.
આપણા ભારતીય લોકો માટે ઘરમાં બેસી રહેવું એ મજબૂરી નથી, એકાંતનો વૈભવ માણવાની ક્ષણ છે. આ કુદરતની સજા નથી, આત્માની બેટરી ચાર્જ કરવાની મૂલ્યવાન પળો છે. આ ધાર્મિક અભ્યાસ આપણને વિકટ સ્થિતિમાં શાંત રહેતા શીખવે છે અને આપણી સમજણના પ્રકાશને સદા ઝળહળતો રાખે છે. આવી વિકટ સ્થિતિમાં જયારે અન્ય લોકો જેઓ ધર્મના સાચા મર્મને પામ્યા નથી, ભલે સંકટના અંધકાર વિશે ફરિયાદ કરે. પરંતુ આપણે જાણીએ છીએ કે આત્મદશામાંથી ઉદ્ભવતા આ ક્ષણના દરેક વિચાર, શબ્દ અને ક્રિયા એ સમગ્ર અસ્તિત્વને પ્રભાવિત અને આંદોલિત કરે છે અને સમય જતાં એ ફરી લહેર બનીને આપણી પાસે પાછા આવે છે. કર્મ સિદ્ધાંતનો આ જ તો આધાર છે.
આપણા વિચારો સકારાત્મક હોય, આપણી વાણી આગ્રહમુક્ત અને મધુર હોય અને આપણી ક્રિયાઓ પ્રેમાળ અને સહયોગ પ્રધાન હોય. આમ કરીને આપણે આસપાસના વાતાવરણને નકારાત્મક આંદોલનોથી બચાવી, સકારાત્મક ઉર્જાથી ભરી શકીશું.
અનુચિન્તન: 4 - કોરોનાને સંકટ તરીકે નહિ, ભેંટ તરીકે જૂઓ: - સમણ શ્રુતપ્રજ્ઞજી
May 28, 2020
વર્તમાન કોરોનાના કારણે લોક ડાઉનની સ્થિતિથી લગભગ આખી દુનિયા ગુજરી રહી છે. ભારતમાં લોકો છ અઠવાડિયાથી લોકડાઉનમાં છે. આવી વિકટ સ્થિતિના કારણે અત્યારે ઘણા લોકો ચિંતા, તનાવ અને એકલાપણાનો અનુભવ કરી રહ્યા છે. આ આપણો પરિસ્થિતિ પ્રત્યે નેગેટિવ પ્રતિભાવ છે અને સામાન્ય લોકોનો પ્રત્યાઘાત આવો જ હોય છે. બીજા સકારાત્મક પાસાથી વિચારીએ તો કદાચ આ એક કુદરતે આપેલી સુંદર ભેંટ પણ હોય શકે છે. આ ભેંટની કદાચ આપણને અને આપણા જેવા અસંખ્ય માણસોને જરૂરી હોય. જરા વિચારીએ - ચિંતન કરીએ કે આ ભેંટ કઈ હોઈ શકે? પહેલી ભેટ ઊંડાણપૂર્વક કોઈને સાંભળવાની અને સમજવાની હોઈ શકે. પ્રાકૃતિક વાતાવરણને સાંભળો - માણો અને વર્તમાન પરિસ્થિતિને સાચા અર્થમાં સમજો. આ પરિસ્થિતિ આપણને શું કહેવા માંગે છે? વિચારીએ. બીજી ભેંટ આપણે જે જગ્યાએ અત્યારે છીએ તેનું મહત્વ સમજાવે છે. આજે આપણને આપણા ઘરમાં વધુ સુરક્ષા દેખાય છે. અત્યારે મને કોઈ સ્વિટ્ઝર્લેન્ડ ફરવા જવાનું કહેશે તો હું કહીશ: યાર ! ત્યાં જઈને શું મરવું છે? હું મારા ઘરે મજામાં છું. સદાય ઘરની બહાર વ્યસ્ત રહેતા માણસોને પોતાના ઘરનું અને ઘરના સભ્યોનું મહત્ત્વ કેટલું છે - એ હવે સમજાઈ રહ્યું છે. ત્રીજી ભેંટ આપણા મનોભાવોને વ્યક્ત કરવાની આ એક તક છે. આજે આખી દુનિયામાં બધા લોકો પોતાને જે કંઈ અનુભવો થઇ રહ્યા છે, અથવા આ પરિસ્થિતિમાં એમની અંતઃ પ્રજ્ઞામાં જે કાંઈ સ્ફૂરણાઓ થઇ રહી છે એ ઉદારતા પૂર્વક શૅર કરી રહ્યા છે. કેટલાંય સંતો મીડિયા દ્વારા પોતાના જિજ્ઞાસુઓને ઉદારતાથી આશીર્વાદ અને માર્ગદર્શન આપી એમનું મનોબળ વધારી રહ્યા છે. આપણા માનનીય પ્રધાનમંત્રીનું ઉદબોધન સાંભળશો તો લાગશે કે ભારતનો કોઈ ઋષિ દેશવાસીઓને પોતાના સમજીને સ્વ અને સૌની રક્ષાની સંવેદના સભર પ્રેરણા આપે છે. મીડિયા દ્વારા પણ કેટલું નવીન જ્ઞાન ઘર બેઠાં આપણે માણી શકીએ છીએ. ચોથી ભેંટ આપણને આપણી ઉર્જાને ચાર્જ કરવા માટે આપી છે. ખોટા કામોમાં અને વિચારોમાં સમય બરબાદ કરવાના બદલે નિયમિત અને વ્યવસ્થિત રીતે પ્રાણાયામ કરો, ધ્યાન કરો, સારું પુસ્તક વાંચો, સારા પ્રવચનો સાંભળો, કંઈક લખો, કંઈક નવું શીખો, પોતાની જિંદગીનો નકશાને નવેસરથી બનાવો અને પોતાની ઉર્જાને ફરી ચાર્જ કરો. આ દુર્લભ અવસર છે, મહેરબાની કરીને વેડફતા નહિ. પાંચમી ભેંટ સહયોગ કરવાની આપી છે. આ એક અવસર છે જે કોઈ પણ રીતે પણ બીજાને મદદ કરી શકાય - કરો. હમણાં હમણાં ભારતીય જનમાનસ આ સંવેદના પ્રત્યે સજાગ થયું છે. આ સંકટની સ્થિતિમાં શાસક વર્ગે, પોલીસવર્ગે, ડોક્ટરો અને નર્સોએ લોકોની જે સેવા કરી છે - અપૂર્વ અને અદ્ભૂત છે. માનનીય મોદી સાહેબની એક પ્રેરણાથી અનેક સામાજિક સંસ્થાઓ અને ધનવાન લોકોએ પોતાના ભંડાર ખોલી દીધા છે. આ માહોલ આ સંકટની ઘડીના લીધે જ થયો છે અને જેથી આપણે આપણી ઉજ્જવળ ઋષિ પરંપરાને સાર્થક કરી છે. છઠ્ઠી ભેંટ એ કે આ ઘટનાએ આપણને એકબીજા સાથે અતૂટ રીતે જોડી દીધા. પૂરો દેશ થાળી વગાડે કે દીવો કરે એ તો સાંકેતિક છે. મૂળ સંદેશ તેનો એ છે કે આપણે બધા એક બીજા સાથે જોડાયેલા છીએ. ભારતીય એકતાની આ તાકાત જોઈને દુનિયા આશ્ચર્ય પામી ગઈ છે. છેલ્લે ગાંધીજીનું વાક્ય ટાંકીને વિરામ લઉં છું - જે પરિવર્તન દુનિયામાં જોવા ઇચ્છીયે છીએ એ પહેલા ખુદમાં લાવીએ. - સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટ
અનુચિન્તન: 5: બહાર ન જઈ શકો તો અંદર જાઓ : સમણ શ્રુતપ્રજ્ઞજી
May 28, 2020
જ્યારે તમે બહાર ન જઇ શકો ત્યારે અંદર જાઓ. કોરોનાનો સંકટ આવતાની સાથે જ આપણામાંના ઘણા અનૈચ્છિક રીતે પણ એકાંતમાં સરકી પડ્યા છે. ધ્યાન, ધર્મ અને સર્જનાત્મક કાર્યો થકી પોતાની અંદર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકો પાસે હવે એક નવું પોકેટ ઈજાદ થયું છે, જેમાં એની પાસે ખૂબ સમય છે. અગાઉ આ પોકેટ વ્યસ્તતા અને વ્યવસાયથી ભરેલુ હતું. સમયની મારામારી હતી, જીવનમાં ભાગાદોડ હતી. આજે નેટફ્લિક્સ અને મીડિયા સક્રિય હોવા છતાં, કોઈ વિક્ષેપો અને બહાનાઓ નથી. હવે પોતાનાથી ભાગવું મુશ્કેલ છે. કુદરતે આપણને બરાબર રીતે અટકાવી દીધા છે, અને પોતાની જાત સાથે જીવવા બાધ્ય કરી દીધા છે. ચાલો પ્રયત્ન કરીએ આપણા જીવનને નવેસરથી જોવાનો, પોતાને ફરીથી સેટ કરવાનો . આપણે આજ સુધી બીજાને બદલવાની કોશિશ કરતા હતા હવે એમાંથી બહાર આવીને આ તકનો ઉપયોગ પોતાને બદલવામાં કરીએ તો કેટલું સારું ! આજ સુધી આપણે બહારથી બીજા લોકોને જોઈને એ પ્રમાણે જીવતા હતા, ચાલો હવે અંદરમાં જઈ, પોતાનું સત્ય શોધી એ પ્રમાણે અંદર અને બહાર પોતાની નિજતા પ્રમાણે, પોતાની રીતે જીવવાનો સંકલ્પ કરીએ. આ આપણે કરવું જ પડશે, એક મિત્રે સુંદર કહ્યું છે - “મને લાગે છે કે અત્યારે હવે કોઈ જ બહાનું નથી, અને કોઈ પ્રતિબદ્ધતાઓ નથી. હું જાણું છું કે મારે મારી જીવનયાત્રાને ફરીથી ચકાસી યોગ્ય રીતે જીવવાનો પ્રયત્ન કરવો જ રહ્યો.” અજ્ઞાની વ્યક્તિ આજે પણ ગપ્પા મારવામાં અને આખો દિવસ સમાચારો અને મીડિયામાં મગજને પરોવીને કિંમતી ક્ષણોને બરબાદ કરી રહી છે જયારે સમજુ વ્યક્તિ માટે આ સમય અતિ મૂલ્યવાન છે. એ સમયનો વધુમાં વધુ ઉપયોગ પોતાની જાતને સમજવામાં, સુધારવામાં,પોતાની ક્ષમતાઓને જગાડવામાં, કંઈક નવું કરી પોતાનામાં આત્મ સંતોષ અનુભવવામાં કરી રહ્યા છે. દુનિયા પોતાની રીતે ચાલતી રહે છે, આપણે પોતાની જાતને એનાથી અપ્રભાવિત રાખીને સારામાં સારું શું કરી શકીએ એ દિશામાં સક્રિય પ્રયત્નો કરવા જોઈએ.
-
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન- 6 : સમય અને ઉર્જાને જીવનના અનિવાર્ય કામોમાં લગાઓ - સમણ શ્રુતપ્રજ્ઞજી
May 28, 2020
આજની સ્થિતિમાં જયારે લોકોની બહારની આવન-જાવન પર બ્રેક લાગી છે ત્યારે આ નવરાશની ક્ષણમાં આપણને એક તક મળી છે એ વિચારવાની કે આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ, એમાંનું કેટલું જરૂરી અને કેટલું બિનજરૂરી છે.
* આપણી મુસાફરી કરવાની ટેવ કેટલી જરૂરી છે અને કેટલી બિન જરૂરી? શું હું મારી મુસાફરીને ઓછી ન કરી શકું? અત્યંત અનિવાર્યતા સિવાયની મુસાફરી બંધ ન કરી શકાય?
* આપણા મોજશોખ અને મનોરંજનના સાધનોમાં શું નિયંત્રણ ન કરી શકાય? મનને ખુશ રાખવા આપણે જે કંઈ સાધનો વસાવીએ છીએ અને મોજશોખ માટે જે કંઈ કરીએ છીએ શું એમાં સંયમ ન કરી શકાય? કુદરત આપણને સંયમ રાખવા મજબૂર કરે, એના કરતાં હું મારી સ્વ ઇચ્છાએ સંયમ ન કરી શકું?
* મનને ખુશ રાખવા સાધનો જોઈએ કે સાધના? મોજશોખ જોઈએ કે પરોપકારના કાર્યો?
* આપણે જે કંઈ સંગ્રહ અને પરિગ્રહ ભેગો કર્યો છે અને સતત કરતા રહીએ છીએ, શું એ બધું જીવવા માટે ખરેખર જરૂરી છે? કેટલી ઓછી વસ્તુથી જીવનનું નિર્વહન કરી શકાય છે એના પર સલક્ષ્ય વિચારી સંગ્રહની એક સીમા નક્કી ન કરી શકાય? ઘરમાં કેટલી ચીજો એવી છે જે જરાય જરૂરી નથી, જે આપણે ક્યારેય વાપરતા નથી, શું એ બધું ત્યાગીને કે બીજાને આપીને હળવા ન થઇ શકાય?
* સમય હાથથી છીનવાઈ જાય એના પહેલા દરેક ક્ષણને સાર્થક કરવાનું શિસ્ત ઉભું ન કરી શકાય? આટલા સમયમાં એક શ્રેષ્ઠ પુસ્તક વાંચી જ્ઞાનમાં અને સમજણમાં વધારો ન શકાય? ડાયરીમાં સુંદર વિચારો લખી જાતને અભિવ્યક્ત કરી ન શકાય? ઘરનું કામ જાતે કરીને પોતાનામાં એક શિસ્ત અને સ્વાવલંબનની ટેવ પાડી ન શકાય? 20-30 મિનિટ શાંત બેસી ધ્યાન કે પ્રાણાયામ કરી તન-મનને તાજું અને સ્વસ્થ ન કરી શકાય? પોતાના દિવ્યો વિચારો અને સંકલ્પોનું સંકલન કરી ભીતરની સંતુષ્ટિ મેળવી ન શકાય?
- સમણ શ્રુતપ્રજ્ઞજી
અનુચિન્તન: 7: મા ધરતીને અને પ્રકૃતિને સંતુલિત કરવા માટે લોકડાઉન અનિવાર્ય હતું
May 28, 2020
માનવતાના ફેફસાંને આઘાત લાગ્યો છે, એના મનમાં ભયના વાદળાં ઘેરાયા છે, હવે પછી શું થશે એની કાલ્પનિક ચિંતા સતત કોરી ખાય છે, પણ બીજી બાજુની સચ્ચાઈ એ છે કે પૃથ્વી શ્વાસ લઇ રહી છે, પ્રાણી સૃષ્ટિ નિર્ભય બની છે, પ્રકૃતિ ફરી પોતાની જાતને સંતુલિત કરી રહી છે અને એના થકી આપણે પણ સંતુલિત થઇ રહ્યા છીએ. આપણે સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે કે આકાશ હવે વધુ ચોખ્ખું દેખાય છે, હવા શુદ્ધ અનુભવાય છે, ગંગાનું પાણી એક પૈસાના બજેટ વગર ચોખ્ખું ચટ્ટ થઇ ગયું છે અને ડોલ્ફિન પણ હવે પોતાની કેનાલમાંથી બહાર આવી રહી છે. દુનિયાની નામી યુનિવર્સીટી - સ્ટાર્નફર્ડ યુનિવર્સીટીનું અનુસંધાન કહે છે કે 'આ કોરોનાના કારણે માત્ર એકલા ચીનમાં 77,000 લોકોની જિંદગી એક યા બીજી રીતે બચી ગઈ છે. હવાના પ્રદૂષણ અને વાહનોના ધુંવાડાના કારણે જે 77,000 લોકોની જાનને ખતરો હતો, એ આ ખતરામાંથી બહાર આવ્યા છે અને શુદ્ધ હવા લેવા સક્ષમ બન્યા છે. એથી પણ મજાનું અનુસંધાન એ કહે છે કે બે મહિનાના પ્રદુષણ નિયંત્રણના પરિણામે 5 વર્ષથી નીચેના લગભગ 4,000 બાળકો અને 70 વર્ષથી ઉપરના લગભગ 73,000 લોકોની જિંદગી બચી ગઈ છે. આવી રીતે દુનિયાના ખૂણે ખૂણે પર્યાવરણ અને પ્રાણીજગતની સ્વસ્થતા અને સુરક્ષાના શુભ સમાચારો સામે આવી રહ્યા છે. આપણી આંધળી આર્થિક દોડ અને અટક્યા વગરની અસીમ પ્રવૃત્તિઓને બ્રેક લાગે તો જ પૃથ્વી આરામ કરી શકે તેમ હતી એટલે કોઈ પણ નિમિત્તે તેને પોતાની પ્રતિભાથી આવું કર્યું છે. સામાન્ય જીવન જીવવામાં આજે પણ કોઈને તકલીફ આવે એવું લાગતું નથી. ખાવા પીવાનું અને જીવનની અનિવાર્ય જરૂરિયાત કુદરત બધાને પૂરી પાડે જ છે. હા, મોજશોખ અને એશોઆરામની જિંદગી જીવનારાઓને તકલીફ જરૂર પડશે. આ ઘટનાથી એ કેમ ન શીખી શકાય કે બહુજ ઓછી જરૂરિયાતથી જીવન વધુ સારી રીતે જીવી શકાય છે.
-
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન-8: ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી
May 28, 2020
વાયરસથી બચવું હજુ સરળ છે પરંતુ વાયરસના ભયથી બચવું બહુ જ અઘરું છે. ઓશો આ બાબતે સ્પષ્ટ કહે છે - "વાયરસથી જેટલા મરશે એના કરતાં એના ભયથી વધુ લોકો મરશે, કેમકે ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી. આ ભયને સમજો, નહિતર મૃત્યુની પહેલા જ આપણે લોકો જીવતી લાશ બની જઈશું." અત્યારે જે ભયાનક માહોલ આપણે જોઈ રહ્યા છીએ તેનો વાયરસ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ એક સામૂહિક ગાંડપણ છે. જે દરેક થોડા થોડા વર્ષે ઉભું થાય છે. આ ગાંડપણ માણસને માનસિક રોગી બનાવે છે અથવા એ આપઘાત કરવા પ્રેરે છે. વાયરસ જેવી ઘટનાઓ હજારો વર્ષોથી થતી જ આવી છે, આગળ પણ થયા કરશે. હવે યુદ્ધની પરિભાષા બદલાઈ ગઈ છે. હવેના યુદ્ધો જૈવિક યુદ્ધો હશે. છતાં એક વાત સ્પષ્ટ સમજી રાખો કે દરેક મુશ્કેલી મૂર્ખ માટે ભય છે અને જ્ઞાની માટે એક સુંદર તક છે. આ સ્થિતિ સંકટ જેવી લાગતી હોય અને તમે ઘરમાં બંધ હોવ તો કંઈક નવું સર્જન કરો. છેલ્લા એક મહિનામાં જે હું કરી શક્યો છું, એ એક વર્ષમાં પણ નથી કરી શક્યો. કોરોનાને ભૂલો, કંઈક નવું સર્જન કરીને બતાઓ. ભય અને ભીડનું એક મનોવિજ્ઞાન છે. જે બધા સમજી નથી શકતા. આ એક સામૂહિક ગાંડપણ છે, જે સોશિયલ મીડિયા દ્વારા ભીડને વેંચવામાં આવે છે. એના લીધે તમારી વ્યક્તિગત સ્વતંત્રતા લૂંટાઈ શકે છે. એવી કોઈ પણ વસ્તુ ન જુઓ, ન વાંચો જે તમારામાં ભય ઉભો કરે. કોરોનાની મહામારીથી સજાગ પૂરા રહો, ડરો જરા પણ નહિ. કોરોનાની વારંવાર વાતો કરવાનું બંધ કરો. કેમકે આ વાતો તમારા શરીરમાં રાસાયણિક બદલાવ લાવે છે. આ રાસાયણિક બદલાવ એટલું ઝેરીલુ હોય છે કે તમારી જાન પણ જઈ શકે છે. મહામારી સિવાય પણ ઘણું દુનિયામાં ઘટી રહ્યું છે - એ તરફ ધ્યાન આપો ને ! ધ્યાન-પ્રાણાયામની સાધનાથી સાધકની ચારેય બાજુ એક પ્રોટેક્ટિવ ઓરા નિર્મિત થાય છે. જેના કારણે બહારની કોઈ પણ નેગેટિવ ઉર્જા ભીતર પ્રવેશ કરી શક્તિ નથી. હાલમાં પૂરી દુનિયાની ઉર્જા નેગેટિવ બની ચૂકી છે. આવામાં કોઈ પણ ગમે ત્યારે આ 'બ્લેક હોલમાં' ગબડી શકે છે. ધ્યાન અને પ્રાણાયામની શક્તિ તમને આમાંથી બચાવી શકે છે.
-
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન- 9; કોરોનાના નિમિત્તે વાદ - વિવાદમાં ન પડો :સમણ શ્રુતપ્રજ્ઞજી
May 30, 2020
કોઈ પણ ઘટનાની બે બાજુ હોય છે. શું જોવું અને જે જુઓ છો એનું અર્થઘટન કેમ કરવું એ દરેકના પોતાના હાથમાં છે અને એ અર્થઘટનની જવાબદારી પણ તેની પોતાની છે. આપણે ઘણીવાર એ પણ સાંભળીએ છીએ કે આવી મહામારીની વિકટ સ્થિતિમાં લોકોનો અહં પણ ઘવાય છે, લોકો ક્રોધમાં પણ આવે છે, હિંસા પણ કરે છે. ઘણા લોકોને અને ખાસ કરીને તબીબી ક્ષેત્રને અને વૈજ્ઞાનિક લોકોને એવું લાગે છે કે એક નાનકડા અને નરી આંખે ન દેખાતા અચેતન વાયરસ સામે અમે હારી ગયા, તો પછી અમે આખી જિંદગી કર્યું શું? એક જાતના ચશ્માં ચઢાવીને જુઓ તો આ સાચું લાગે છે. જે પણ હોય પણ આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે. કોરોનાની આ મહામારીમાં ઘણી બધી એવી ઘટનાઓ આપણી સામે આવી છે, જેની સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતો. વધુ વાત પછી કરીશું પણ જે રીતે સેવા અને સહયોગની સરવાણી વહી છે એના પરથી કહી શકાય કે હા, સંકટના સમયે પૂરી દુનિયામાં લોકો વધુ પ્રેમાળ, સંવેદનશીલ અને કરુણામય બન્યા છે. સાવ સામાન્ય રીતે ઓછા સંસાધનોમાં જીવતા લોકો પણ નાનું મોટું કામ કરીને નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદે દોડી જાય છે અને સાચા ભાવથી સેવા કરે છે. ખાસ કરીને ભારતીય લોકોના ડીએનએ માં સનાતન સમયથી સંવેદનાના આ સંસ્કારો સુરક્ષિત ભરેલા હતા જે આવી વિકટ સ્થિતિમાં બહાર આવ્યા છે. તેનું જ આ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. મધર ટેરેસાનું એક નાનકડું અને કિંમતી વાક્ય યાદ રાખવા જેવું ખરું કે 'આપણે બધાય લોકો કદાચ શ્રેષ્ઠ ન બની શકીએ પરંતુ નાનું એવું સારું કામ પણ શ્રેષ્ઠ રીતે કરી જ શકીએ છીએ. આજથી એક સંકલ્પ કરી શકીએ કે 'હું મારી બહુમૂલ્ય ઉર્જાને ક્યારેય વિધ્વંસમાં કે વિરોધમાં, નકારાત્મક્તા કે નિરાશામાં નહિ લગાઉં. માનનીય મોદીસાહેબનો એટીટ્યૂડ જુઓ - ક્યાંય ક્યારેય વાદ - વિવાદમાં ઉલઝશે જ નહિ. ઘણાં લોકો આવા સમયે પણ કોરોનાના નિમિત્તે બાઝતા હોય છે. ઘણીવાર કોરોના કરતા લોકોનો વિરોધ અને ઉપેક્ષાનો ભોગ બનવું વધુ ખતરનાક સાબિત થાય છે. ચાલો એક સંકલ્પ કરીએ કે 'હું હંમેશા ઉર્જાને સાચી,સકારાત્મક અને સર્જનની દિશામાં લગાવીશ, ક્યારેય વાદ –વિવાદમાં ઉર્જાને બરબાદ નહિ કરું.'
-
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન- 10 : આપણે કશું જાણતા નથી આ ભાવ આપણને નમ્ર બનાવે છે: સમણ શ્રુતપ્રજ્ઞજી
May 30, 2020
આપણે કશું જાણતા નથી આ ભાવ આપણને નમ્ર બનાવે છે
નથી લાગતું કે હવે લગાતાર જાણકારીઓના ભારથી, સ્ટેટેસ્ટિકના આંકડાઓથી, જુદા જુદા મતોથી અને ભવિષ્યવાણીઓથી આપણું મગજ થાકી ગયું હોય? આપણે ધીર ધીરે એ વિનમ્ર નિર્ણય પર પહોંચ્યા છીએ કે 'આપણે કશું જ જાણતા નથી.' અજ્ઞાતના મહાસાગરમાં આપણું જ્ઞાન એક બુંદ માત્ર જ છે. કોરોનાની આ ઘટના પછી, આપણામાં હવે ધીરે ધીરે જ્ઞાન પ્રત્યેની નમ્રતા આવી છે અને એ સમજ વિકસિત થઇ છે કે જીવનની વાસ્તવિકતા શું છે અને ક્યારે શું બનશે એ વિષે આપણામાંથી કોઈ કશું જ જાણતા નથી. જ્ઞાનની ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી પણ આજના મનુષ્યની વાસ્તવિકતા તો આ જ છે.
ઊંડાણમાં જઈને વિચારીએ તો આ બાબત માનવીય મૂળભૂત સંસ્કારોને આંદોલિત કરે છે. આપણે હજુ કશું જાણતા નથી - આ સત્ય આપણામાં વ્યક્તિગત અને સામૂહિક રૂપે નમ્રતાનો ભાવ જાગૃત કરે છે. પોતાની જાતને આગળ રાખીને કે હું બધા પર વિજય મેળવી શકું છું અને બધું જાણી શકું છું - આ અહંકાર કોરોનાની આ વાસ્તવિકતા પછી છોડવા જેવો છે. દુનિયાની બધી સમસ્યાઓ અને તેના સમાધાનો પર વિચાર કરવાના બદલે, આપણે આપણી જાતને કુદરતના ચરણોમાં સમર્પિત કરતા શીખી જઇએ એ વધુ સારું અને ઉત્તમ છે. આવું કરીને અજ્ઞાતમાં ઉભા રહેતા શીખી જઈશું તો એ એક એવી ભૂમિકા તૈયાર થશે જેનાથી આપણી ભીતર તાજું, પ્રમાણિત, સત્ય સાથે જોડાયેલું સમ્યક જ્ઞાન પ્રગટ થશે.
આ પ્રકારનું જ્ઞાન ભીતરી પ્રજ્ઞાથી જાગે છે અને જેનો આધાર એકાગ્ર અને ભય મુક્ત મન છે. આ જ્ઞાન એ બંને ગ્રુપ માટે કામનું છે, એક જે કોરોના બાબતે પોતાનો મજબૂત મત ધરાવે છે અને માને છે કે અમને બધી ખબર છે, અમે કુદરતના ક્રૂર કૃત્ય પર વિજય મેળવી શકીએ છીએ અને બીજું જે જ્ઞાન બાબતે કોઈ સ્પષ્ટ મત કે આગ્રહ ધરાવતા નથી. ચાલો જ્ઞાનની બાબતમાં નમ્ર બનીએ અને અજ્ઞાતને સમજવા માટે હૃદયને કુદરતના ખોળામાં મૂકી દઈએ અને સાથોસાથ ભીતરી પ્રજ્ઞાને જાગૃત કરવાની પ્રાયોગિક સાધના વધારીએ. લાગે છે એમાં જ વ્યક્તિનું પોતાનું અને સમગ્ર માનવતાનું હિત છુપાયેલું છે.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 11: પોતાની જાત સાથે રહેવામાં કેમ કંટાળો આવે છે? સમણ શ્રુતપ્રજ્ઞજી
Jun 1, 2020
કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં માણસ લોકડાઉનના કારણે ઘરમાં બંધ છે. તમે આખો દિવસ શું કરો છો? જરા હિસાબ માંડજો. કેટલાય એવા માણસો હશે જે આખા દિવસમાં વિશેષ કાંઇ જ નહિ કરતા હોય, આવા લોકો પોતાના દિવસોને ચિલા ચાલુ કામકાજોથી પૂરો કરી દે છે. પાશ્ચાત્ય દાર્શનિક પાસ્કરનું વચન છે - આધુનિક માણસની મોટામાં મોટી મુશ્કેલી અને મોટામાં મોટું દુઃખ એ છે કે એ પોતાના રૂમના ખૂણામાં 10 મિનિટ પણ ચૂપચાપ પલાંઠી મારીને બેસી શકતો નથી.' કામનું તો જાણે એક વ્યસન થઇ ગયું છે. એક દ્રષ્ટિએ આ દારૂ કરતા પણ આ મોટું વ્યસન છે. દારૂ તો કદાચ શરીરને બરબાદ કરે છે, વ્યસ્ત રહેવાનું અને કામ કરવાનું વ્યસન તો મનને કમજોર અને આત્માને મૂર્છિત કરે છે.
માણસનો સામાન્ય રીતે એવો સ્વભાવ પડી ગયો હોય છે કે એ પોતાની જાતથી બચવા હંમેશા વ્યસ્ત રહે છે અને સતત ભીડમાં રહેવાનો પ્રયત્ન કરે છે. માણસ પોતાની જાતને હંમેશા નકારે છે, તમે તમારી જાત સાથે બેસવામાં કંટાળો છો તો વિચારો કે તમારી સાથે બેસનાર કેટલો કંટાળતો હશે ! પોતાની તો જાણે કોઈ કિંમત જ નથી. આ કારણે પોતાના માટે વિચારવાનો અને પોતાની જાતને સંવારવાનો સમય જ નથી રહેતો. જો કે સમય તો ખૂબ છે, સમય નથી એ બહાનું તો હવે નકામું થઇ ગયું છે. મોસ્ટલી ઘણાં ખરા લોકો સાવ જ નક્કામા કામોમાં પોતાની મૂલ્યવાન ઉર્જાને વેડફી નાખે છે.
પોતાની જાત સાથે માણસ બેસી શકતો નથી, કેમકે પોતાની ભીતર બેઠેલા શૈતાનની મુલાકાત કરવી બહુ મોટી સાધના અને સાહસ માંગે છે. આપણે પોતાનાથી એટલા ગભરાયેલા છીએ કે પચાસ ન કરવાના કામ કરીશું પણ પોતાની જાત સાથે બેસી આનંદની અનુભૂતિ નહિ કરીએ. કોઈએ સરસ કહ્યું છે - ' મૂર્ખ માટે એકાંત દુઃખ છે, જ્ઞાની માટે એકાંત સુખ છે.' પોતાની જાતથી ભાગીને ક્યાં જશો? અને ક્યાં સુધી ભાગશો? ક્યારેક તો પોતાની જાત સાથે રહેવાનું એપોઈન્ટમેન્ટ તો લેવું જ પડશે. અત્યારે અવસર છે આનો અભ્યાસ કરવા માટે.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન- 12: એકાંતમાં ખીલે છે જાત અને જગત સાથેના સંબંધો: સમણ શ્રુતપ્રજ્ઞજી
Jun 1, 2020
એકલા રહેવું એ એક કળા છે. આ કળા બહુ ઓછા લોકોને હાથ લાગે છે. બાકી તો આપણે બધા ભીડમાં જીવનાર અને ભીડ પ્રમાણે વર્તનાર પ્રજા છીએ. જે વ્યક્તિ દિવસભરમાં 10-15 મિનિટ પણ એકલા એકાંતમાં શાંતચિત્તે બેસી શકે તો એનામાં ગજબનું પરિવર્તન આવવા લાગે છે. આવી ક્ષણોમાં વ્યક્તિ પોતે કોણ છે, એ શું કરે છે, જે કરે છે તે યોગ્ય છે કે અયોગ્ય, જીવનમાં ખરેખર શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ કોઈને પૂછ્યા વગર તેની અંતઃપ્રજ્ઞમાંથી જ પ્રગટે છે. એકલા રહેવાની ક્ષમતા એ તમારા વિશે અને તમે કોણ છો એ બાબતે પૂરેપૂરું જાણવાની ક્ષમતા છે અને તમે જે છો અને જેવા છો એ જાણીને તમને આત્મસંતોષ થશે. આવું કરશો તો તમે અન્ય વ્યક્તિને પણ એ જેવી છે તેવી જ જાણી શકશો અને સ્વીકારી શકશો. અન્ય વ્યક્તિ તમારા જેવી જ હોવી જોઈએ એવો આગ્રહ તમે નહિ રાખો અને એવો પ્રયાસ પણ તમે નહિ કરો. કેમકે આમ કરીને તમે તમારા સ્વભાવની નાજુક સમજને સમાપ્ત કરો છો અને એ વ્યક્તિની અનન્યતાનું અપમાન કરો છો. એટલે જયારે વ્યક્તિમાં પોતે જેવી છે તેવી સ્વીકારવાની ક્ષમતા જાગે છે ત્યારે એ બધાને પણ એ જેવી છે એવી સ્વીકારી શકે છે. આમ કરીને એ પોતાની જાત સાથેના સંબંધની જેમ એ અન્ય સાથે પણ વાસ્તવિક સંબંધ રાખી શકશે. અહીં દરેક વ્યક્તિ અનન્ય અને બેજોડ છે. જે પોતાને અને અન્યને એ જેવા છે એવા ઓળખી શકતા નથી અને સ્વીકારી શકતા નથી એ જીવનમાં એકલા પડી જાય છે, કેમકે આવા લોકો સંબંધો બાંધી શકતા નથી અને બાંધે તો સાચવી શકતા નથી. આવા લોકો બીજાને માત્ર સ્પેરપાર્ટની જેમ વાપરે છે. પરિણામ સ્વરૂપ આવા લોકો અંતે એકલાપણાનો શિકાર બને છે. જે એકાંતમાં રહી શકે છે એ જ સંબન્ધોને સારી રીતે સાચવી શકે છે.
-
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન-13 સફળ બાળપણ કોને કહેવાય? સમણ શ્રુતપ્રજ્ઞજી
Jun 1, 2020
એકલા રહેવું અને એકલા રહી પોતાના એકાંતને માણવું એ જીવનનું સૌભાગ્ય છે. ઘણા લોકોને આવું સૌભાગ્ય મળતું નથી અને મળે તો એ તેને માણી શકતા નથી. એકાંતને માણવાની સાધના અને અભ્યાસ નાનપણથી કરવો જોઈએ. દરેક માબાપે થોડી વાર એકાંતમાં પોતાની જાત સાથે રહેતા શીખવું જોઈએ. પોતે એકાંતમાં રહેતા શીખશે તો બાળકોમાં પણ એકાંતમાં રહેવાના સંસ્કારો નાખી શકશે. સફળ બાળપણ કોને કહેવાય? જે ખરેખર પોતાના નિજી એકાંતને માણી શકે એ સફળ બાળપણ કહેવાય.
બાળકોને પ્રકૃતિમાં એકલા છોડી દો અને છૂટથી રમવા દો. આમ કરીને તેઓ પોતાની જાત સાથે એકલા રહેતા શીખે છે. બાળકને એકાંતમાં રહેવાની એક આ રીત છે. જો તેના બદલે, તમે તેમને બેબી બાઉન્સરમાં મૂકી દો કે જેમાં આઈપેડ અથવા આઇફોન અથવા લેપટોપ માટે સ્લોટ હોય, તો તેઓ હંમેશાં કોઈ અન્ય બહારની વસ્તુના સંપર્કમાં આવે છે, પરિણામે પોતાની જાત સાથેનો સંપર્ક ગુમાવે છે, આવું પછી હંમેશા માટેની ટેવ પડી જાય છે. બાળક જયારે પ્રકૃતિ સાથે હોય છે ત્યારે એ પોતાના મન અને કલ્પનાના સંપર્કમાં છે અને સાધનો સાથે એ બહારના સંપર્કમાં છે - આ ભેદ સમજાઈ જવો જોઈએ.
ઘણાને લાગશે એ બાળકને શું ખબર એ શું મિસ કરે છે? બાળકને બધી જ ખબર છે અને એ કાંઈ પણ મિસ કરતો નથી. પ્રકૃતિની રહસ્યાત્મક દરેક વસ્તુ એના માટે એક અર્થ ધરાવે છે. એ અન્ય કોઈ વસ્તુ પાછળ પાગલ નથી અને એને કાલની કોઈ ચિંતા નથી. એને જવું હશે તો પ્રકૃતિના અસીમ ખોળામાં જશે, જિજ્ઞાસા કરશે, એની પાસે પૂરતો સમય છે, શ્રદ્ધા છે અને એના રસ્તામાં જે આવશે એની સાથે એ મસ્તીનો અનુભવ કરશે. એ જ બાળક થોડું મોટું થાય ત્યારે પણ તેની એકાંતમાં રહેવાની આ ટેવ ચાલુ રાખો.
દરેક સ્કૂલમાં બાળકને થોડી ક્ષણ એકાંતમાં રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. એકાંતમાં રહીને એ પોતાની જાત વિષે, પોતાના ભવિષ્ય વિષે, પોતાના લેવાના નિર્ણયો વિષે ખૂબ ઊંડાણથી વિચારશે. એટલું જ નહિ, બાળકના મનમાં ભણવાને લઈને ઉભી થતી ચિંતાઓ અને પરીક્ષાના ભયથી મુક્ત રહી પોતાના મનને તનાવ મુક્ત રાખી શકશે. એકાંતમાં રહેવાથી ખરેખર તો માણસની અંદર છૂપાયેલા દિવ્ય ગુણોનું પ્રગટીકરણ થાય છે. બાળકને જો તમે આ ટેવ પડાવી દેશો તો એના માટે તમારી આ સૌથી મોટી ભેંટ ગણાશે. પછી કોરોના જેવી ગમે તેવી ભયાનક સ્થિતિ આવે એ એકલા રહેવાની મોજને માણી શકશે કેમકે એકલા રહેવું હવે આનંદ છે, આફત નથી.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
- પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 14: એકાંતના વિવિધ તબક્કાઓ: - સમણ શ્રુતપ્રજ્ઞજી
Jun 1, 2020
જો તમને એ વ્યક્તિ ગમતી હોય જેની સાથે અત્યારે તમે એકલા છો, તો તમને એકલાપણુ ક્યારેય નહિ લાગે. એકાંતમાં મૂળતઃ અન્ય માણસોથી દૂર રહેવાની વાત છે. એકાંતમાં રહેવાના અનેક તબક્કાઓ અને ભૂમિકાઓ છે. પ્રારંભમાં ભીડથી સંપૂર્ણપણે મુક્ત એકલા રહીને કોઈ સારી પ્રવૃત્તિ કરવી એ પ્રારંભિક અને પહેલા તબક્કાનું એકાંત છે. આ એકાંતમાં શરીર અને મન સક્રિય છે. પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સમય વિતાવવો એ બીજા તબક્કાનું એકાંત છે. પ્રકૃતિના દ્રશ્યો જોવા, પક્ષીઓના અવાજો સાંભળવા, પ્રકૃતિના ખોળામાં આરામ કરવો એ આ એકાંતમાં આવે છે. એકલા બેસી કોઈ સારું પુસ્તક વાંચવું કે લખવું અથવા કોઈ મૌલિક સર્જન કરવું એ ત્રીજા તબક્કાનું એકાંત છે. એકાંતમાં પુસ્તક વાંચવાનો કે લખવાનો આનંદ જ કંઈક અલગ છે. લેખકને જો એકાંત મળી જાય તો એ અદ્વિતીય લેખન દ્વારા મૌલિક સાહિત્ય સર્જન કરી શકે છે. એકલા બેસી જે વિચારો આવે એ ડાયરીમાં ઉતારી વિચારોની અભિવ્યક્તિ કરવી એ ચોથા તબક્કાનું એકાંત છે. ડાયરી લખવી એ ખૂબ સારી અને ઉપયોગી આદત છે. ડાયરી લખવાથી તન - મન સ્વસ્થ બને છે, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ બને છે. વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા વધે છે. એકલા ધ્યાનમાં બેસી વિચારોને સાક્ષી ભાવે જોતાં જોતાં અચાનક થોડીવાર માટે નિર્વિચારમાં સરી પડવું અને આનંદની અનુભૂતિ કરવી એ છેલ્લા અને પાંચમા તબક્કાનું એકાંત છે. આ એકાંતમાં યોગીઓ રહેતા હોય છે. આ એકાંત ધ્યાન અને મૌન માટે ઉત્તમ છે. એકાંતમાં ઊંઘ પણ લઇ શકાય અને એકાંતમાં મૌન પૂર્વક ધ્યાન પણ કરી શકાય. આ તબક્કો મૌન - ધ્યાન માટે છે. મૌન અને ધ્યાનમાં અદભૂત તાકાત રહેલી છે. મૌન અને ધ્યાનથી ભીતરની ઉર્જાનો વિસ્ફોટ થાય છે. આ ઉર્જાના પ્રભાવથી અનેક કલ્પનાતીત ચમત્કારો એની મેળે થવા લાગે છે. સાધક ધ્યાન દ્વારા જયારે નિર્વિચાર બને છે ત્યારે આત્મ સાક્ષાત્કારની ઘટના ઘટવા લાગે છે. હું એકવાર મારા મિત્ર સાથે યાત્રા કરતો હતો, અમે બહુ ઓછું બોલતા, અમે સાથે મળીને માત્ર શાંત હતા. જ્યાં જરૂરી હોય ત્યાં થોડા શબ્દોથી વાત થઇ જતી, બાકી બે શબ્દો વચ્ચે અમે પોત પોતાના મૌનનો આનંદ માણતા હતા. એ મૌન અને આનંદ બંને દિવ્યતાનો બોધ કરાવતા હતા. રમણ મહર્ષિ હંમેશા મૌનમાં રહેતા અને મૌનમાં રહી એ મૌન સંવાદ કરતા. એમના દિવ્ય મૌનથી અનેક ભક્તોની મુશ્કેલીઓ આપમેળે ઉકેલાઈ જતી હતી.
-
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન:15: એકલાપણુ , એકાંત અને કૈવલ્ય
Jul 9, 2020
એકલાપણુ એ મનની નકારાત્મક અવસ્થા છે. એમાં બીજાની ઉપસ્થિતિની માંગ છે કેમકે બીજાની ગેરહાજરી કંટાળો ઉપજાવે છે. બહારથી કોઈ જુએ તો એને લાગશે કે તમે એકલા છો, પરંતુ અંદરમાં ભીડ ભરેલી છે. એકલા રહેવામાં તમે રાજી નથી. પરિણામે કંટાળીને તમે કંઈક ને કંઈક ન કરવાનું કરવા લાગશો - સમાચાર પત્ર વાંચશો - ટીવી ચાલુ કરશો, કોઈકને ફોન કરવા બેસશો. જો તમને ભીડ ગમે છે તો યાદ રાખજો તમે એકલા નહિ રહી શકો. આ અભ્યાસ એક જન્મનો નથી, અનેક જન્મોનો છે. આ ભીડના સંસ્કાર તમને એકલા રહેવા નથી દેતા. આપણું મન એ ભીડનો જ એક ભાગ છે. ચેક કરજો કે મનમાં શું ચાલે છે - એ જ ચાલતું હશે જે તમને ભીડે આપ્યું છે. એકાંત એ બીજા પ્રકારનું એકલાપણુ છે. આ આત્મમુખી ભાવ દશા છે. એકલાપણાનો પૂરી સમજદારી પૂર્વકનો સ્વીકાર એ એકાંત છે. એકાંતનો અર્થ છે - હવે તમને પોતાનામાં રસ અને આનંદ આવવા લાગ્યો.એકાંતમાં પોતાની જાત સાથે હોવાની એક અલગ મજા છે. અહીં કોઈની ગેરહાજરી પજવતી નથી, પોતાનું સાનિધ્ય જ પોતાને શાંતિ આપે છે. આમાં કોઈ વ્યસ્તતા પણ નથી અને કોઈ ભીડ પણ નથી. પોતાની જાત સાથે શાંતિનો અહેસાસ છે.મનનું પંખી બસ પોતાના માળામાં આવી ગયું.આ ધ્યાનની અવસ્થા છે. ગૃહસ્થ અને સંન્યાસીમાં ફરક શું? ગૃહસ્થ એટલે એવી વ્યક્તિ જે સંબંધ બનાવીને ભીતરના એકાંતને ઢાંકવાની કોશિશ કરે અને સંન્યાસી એટલે જેને એ જાણી લીધું કે આ એકાંત એ મારો સ્વભાવ છે, તેનાથી ભાગવાની કોશિશ કરવાના બદલે તે એકાંતને ભોગવે છે. એકાંત જ એની સાચી શરણ છે. સંસારના તાપથી બચવા માટે પોતાના એકાંતમાં ઉતરી જાય એ સંન્યાસી. આવા સંન્યાસીને ખબર છે કે એકાંતમાં જ જીવનનું ફૂલ ખીલે છે. ત્રીજું એકાંત છે - કૈવલ્ય. આમાં ન પોતાનું સ્મરણ છે, ન અન્યનું, માત્ર બોધ છે, માત્ર સમાધિ છે. આ આનંદની અવસ્થા છે. આ ન નકારાત્મક દશા છે, ન સકારાત્મક, આ આત્માનો મહોત્સવ છે. એકાંતમાં ચોવીસ કલાક ન રહી શકાય, કૈવલ્ય દશામાં જ્ઞાની ચોવીસ કલાક રહે છે. આ વીતરાગની અવસ્થા છે. કૈવલ્ય એટલે હવે માત્ર આત્મા જ રહ્યો, આત્માસિવાય કોઈનું અસ્તિત્વ નથી.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 16: કોરોનાએ આપણી જીવન શૈલી સુધારી નાખી છે
Jul 9, 2020
ચોક્કસ કોરોનાના લીધે નુકશાન ઘણું થયું છે. પરંતુ નુક્શાનની સામે ફાયદાનું લિસ્ટ રાખશો તો એ લાબું હશે. અનેક ફાયદાની વાતો આપણે જોઈ ગયા છીએ. અહીં એક ફાયદાની ચર્ચા કરવી છે અને તે છે આપણું સ્વાસ્થ્ય. કોરોના પોઝેટીવથી અનેક લોકો બીમાર પડ્યા છે. પરંતુ કોરોનાના નિમિત્તે અનેક લોકોનું સ્વાસ્થ્ય આડકતરી રીતે સુધર્યું છે. કોરોનાની બીમારી સિવાય હમણાં અન્ય કોઈ બીમારીની ખાસ ચર્ચા થતી નથી, કેમકે એને દેહના દ્વાર ખટખટાવાનું જ બંધ કરી દીધું છે. કોઈએ સાંભળ્યું કે કોઈને માથું દુઃખે છે, એસીડીટી હેરાન કરે છે, શરીરમાં કળતર થાય છે, હાડકાનું ફેક્ચર થયું છે ! નહીં સાંભળ્યું હોય, કેમકે આવા નાના મોટા અનેક રોગો ક્યાંય રવાના થઇ ગયા છે. અને તેનું મૂળ કારણ આપણું ખાનપાન સુધર્યું એટલે આપણું આરોગ્ય સુધર્યું. કેટલી ખરાબ ટેવ પડી ગઈ હતી બહાર ખાવાની ! જીભને કેવું માફક આવી ગયું હતું હોટેલનું સ્વાદિષ્ટ ખાવાનું ! દરેક બે ચાર દિવસે બહારનું ખાવાનું ન મળે તો ચેન નહોતું પડતું, યુવાનોને ફાસ્ટ ફૂડનો ચસ્કો લાગી ગયો હતો. બહેનોને પાણીપૂરી વગર મજા નહોતી આવતી, બાળકોને આઈસ્ક્રીમ વગર પેટમાં નિરાંત નહોતી થતી, અને હવે હોટલો બંધ છે, ફાસ્ટફૂડ ખાવું ખતરનાક છે, પાણીપૂરીની લારીઓ અને લારી ચલાવવાવાળા ભૈયાઓ પોતાના વતન રવાના થઇ ચૂક્યા છે, આઈસ્ક્રીમ કે ઠંડા પેય પીવા આજની પરિસ્થિતિમાં હિતાવહ નથી. કોરોનાએ લોકોની જીવનશૈલીમાં એક ગજબનું શિસ્ત લાવી દીધું છે. લોકો હવે ખાવા પીવા બાબતે ખૂબ સાવધ થઇ ચૂક્યા છે. કેમકે મરવું કોઈને ગમતું નથી. હવે લોકો ત્રણેય ટાઈમ પોતાના ઘરે ખાવા લાગ્યા છે, પત્નીના હાથનું ખાવાનું હવે મીઠું લાગે છે. એટલું જ નહિ એ ભોજન વધુ સાત્વિક અને આરોગ્ય વર્ધક હોય છે. ઘણા પતિઓ પણ હવે લોકડાઉનમાં ઘરે રસોઈ કરતા થયા છે. યુવક યુવતીઓ પણ હવે મમ્મી પાસે કુકીંગ શીખે છે. આ એક ખૂબ સારી બાબત છે. આના પરિણામે લોકોનું મેડિકલ બિલ સાવ જ ઘટી ગયું છે. એક્સરે, એમ આર આઈ અને રિપોર્ટ કરાવાના ખર્ચા સાવ બંધ થઇ ગયા છે. આ ઉપરાંત લોકો ઘરમાં નવરા હોવાથી યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરતા થયા છે, આયુર્વેદિક ઉકાળો પીવાની ટેવ પડી ગઈ છે, પુસ્તકો વાંચવાની રુચિ જાગી છે, જીવનમાં કોઈ ભાગાદોડ નથી એટલે તન - મનને ખૂબ આરામ મળી રહ્યો છે, લોકોને કુદરત અને ઈશ્વર પ્રત્યે ભરોસો વધ્યો છે, થોડે મેં ગુજારા હોતા હૈ - આ વાક્ય હવે જીવનમાં વણાઈ ગયું છે. આ જીવન શૈલી જો હંમેશા માટે રહે અને ફરી પાછી કૂતરાની પૂંછડીની જેમ મનનું પૂંછડું વાંકુ ન થાય અને સીધા પાટે ચાલે તો આરોગ્યના નવા વિજ્ઞાનનો જન્મ થશે.
સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 18: કરુણા વાયરસનું સંક્રમણ સૌને થાય એ જરૂરી છે
Jul 9, 2020
સમય મુશ્કેલી ભર્યો છે. ઘણા લોકો સંઘર્ષભર્યા સમયમાંથી ગુજરી રહ્યા છે. શું થશે કંઈ જ નક્કી નથી. આ બધાના કારણે હવામાં ભયનો વાયરસ છે. વધતા તનાવના લીધે રોગપ્રતિકારક શક્તિ કમજોર થઇ રહી છે. એ આપણને વધુ ચિંતામાં મૂકી દે છે. આ ઝેરીલા દુઃષચક્રમાંથી બહાર નીકળવા માટે કરુણારૂપી વાયરસમાં પ્રવેશ કરવો પડશે. આનો ઉચ્ચાર કોરોના જેવો લાગે છે. છતાં એ કોરોનાથી પણ વધુ અર્થસભર છે. કરુણા સંસ્કૃત શબ્દ છે. સારા સમાચારોની આપ-લે કરવી, સારા વીડિયો જોઈ નાચવું, પ્રેરણાદાયક વિચારોનું ચારેય બાજુ સંક્રમણ કરવું - આ બધાને આપણે કરુણા વાયરસ કહી શકીએ. કોરોના સામે કરુણાના આવાજને સામૂહિક રૂપે બુલંદ કરવાની જરૂર છે. એવી કેટલીએ ઘટનાઓ બની રહી છે જેમાં લોકો ભયના સ્થાને પ્રેમનો અને માનવતાનો પરિચય આપી રહ્યા છે. આખી દુનિયામાં કોરોના કરતા કરુણાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે, આ ઘટનાના સદાય આપણા ચિત્તની સામે રાખવી જોઈએ અને એ જ આપણા આવતા ભવિષ્ય માટે નવી સંભાવનાઓ બનીને સામે આવશે. આપણે નવું જીવન પ્રારંભ કરવાના મધ્યમાં છીએ. કલ્પના કરી શકો કે ઇટાલિયન એરફોર્સ ગરીબોને સહાય કરી શકે, સ્પેનિશ સૈનિકો લોકોની સુરક્ષા અને હોંસલો વધારવા ગિટાર વગાડે, મહિલાઓ ઘરમાં વિપુલ પ્રમાણમાં માસ્ક બનાવી દાન કરે, ઈટાલીમાં કોરોના પીડિતોને મદદ કરવા ક્યુબા સફેદ વસ્ત્રોથી સજ્જ સેનિકો મોકલે, ભારતમાં લોકો પોલીસ અને ડોક્ટરોની સેવાના અનુમોદન માટે થાળી વગાડે, સામાજિક સંસ્થાઓ ઘરે ઘરે રાશન અને કોલેજનાં છોકરાઓ ઘરે ઘરે ટિફિન પહોંચાડે, મકાન માલિકો ભાડુઆતને ભાડાં લીધા વગર રહેવા દે, સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો માનવતાને સંકટમાંથી બહાર લાવવા કરોડોનું દાન કરે, એટલે એવું લાગે કે ઘણીવાર સંકટના સમયે પ્રતિક્રિયા રૂપે આપણી ભીતરમાં પડેલા કરુણાના સંસ્કારો જાગૃત થતા હોય છે. પોલીસ ઘરની બહાર નથી નીકળવા દેતી છતાં વૈશ્વિક સ્તરે સહકાર વધી રહ્યો છે. શોપિંગ મૉલ ખાલી છે છતાં ઘરમાં ભોજનની કોઈ અછત નથી, સામાજિક અંતર જરૂર છે છતાં પોતાની બારીમાંથી ઝૂકીને પડોસીઓ સાથે ગીતો ગાવા માટે છોકરાઓ ઝૂમી ઉઠયા છે. દેશની બોર્ડરો હજુ શિલ્ડ છે છતાં આપણી સહયોગ ભાવના સાત સમુન્દર પાર સુધી પહોંચી છે. ભયના ગુપ્તચરો ચારેય બાજુ છે છતાં વિશ્વ શાંતિની દિવ્ય પ્રાર્થનાના સ્વર ચારેય બાજુ સંભળાય છે. ફાકી અને માવા માટે કાળા બજારી જરૂર દેખાતી હશે છતાં આ બધાની વચ્ચે ઈમાનદાર લોકો ચુપચાપ બીજાનું ભલું કરી રહ્યા છે, કોરોના પોઝેટીવ આવે કે ના આવે કરુણાને ચોક્કસ હજુ વધુ પોઝેટીવ બનાવીને જ રહીશું. આ આખુંય યુદ્ધ કોરોના અને કરુણા વચ્ચેનું છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 19: પારિવારિક મોહ લઇ ન ડૂબે એ જો જો
Jul 9, 2020
અત્યારે હજુ ચારેય બાજુથી લોકો ગભરાયેલા દેખાય છે. મૃત્યુનો ભય માથા પર છે. આવા સમયે બધાને એમ થાય કે અમે પરિવાર સાથે રહીએ અને આ એક સ્વાભાવિક અને સુરક્ષિત પ્રતિભાવ છે કે બધા સાથે રહીને આ વિકટ સ્થિતિનો સામનો કરી શકીએ. એટલે વ્યક્તિ કોશિશ કરે છે પોતાના કુટુંબજનો અને મિત્રોને નજીક લાવવાની, પૂરી દુનિયામાં જ્યાં પણ આપણા લોકો રહે છે તેને પાછા વતન બોલાવી લઈએ એવા પ્રયત્નો થઇ રહ્યા છે અને સરકાર આમાં સહાય કરી રહી છે. મુશ્કેલી એ છે કે આપણે ખરેખર આવા ખતરનાક સમયમાંથી પસાર નથી થઇ રહ્યા કે કોઈએ તમારા વિરોધમાં વોરન્ટ બહાર પાડ્યું હોય, આ કોઈ એવી મુશ્કેલી નથી કે આપણે બધા મરી જવાના છીએ, આ કોઈ પરમાણુ હુમલો નથી. કોઈ એવો મોટો ભૂકંપ પણ નથી આવ્યો કે જીવનને ખતરો હોય, આ કટોકટી અલગ છે અને તેના માટે ભાવનાત્મક લાગણીથી દૂર રહી એક તટસ્થ અભિગમથી કામ લેવાની જરૂર છે. આપણે એક પેન્ડેમિક - રોગચાળાના સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આ સમયે આપણો પ્રતિભાવ પારિવારિક મોહથી વિપરીત હોવો જોઈએ. આમાં એકસાથે ન રહેવું, દૂર દૂર રહેવું અનિવાર્ય છે, ઘરમાં રહેવું , આમાં કોઈ ગડબડ ન થવી જોઈએ, તો જ આપણે બચી શકીશું.. જ્યાં આમાં ગડબડ થઇ છે, ત્યાંની શું હાલત થઇ છે આપણી સામે છે. ઇટાલી સાથે બરાબર આવું થયું હતું જ્યારે તેમની સરકારે મિલાન બંધ કરવાનું શરૂ કર્યું… દરેક વ્યક્તિ બહાર નીકળી અને રોગચાળાને આગળ વધારવા માટે ગુડબાય ઇટાલી કહી તેમના કુટુંબના વતનમાં ભાગી ગઈ. આપણે ત્યાં ભારતમાં પણ આવું જ થયું - કેટલાય લોકો બહાર નીકળી ખુલ્લે આમ ગ્રુપ એક્ટિવિટી કરવા લાગ્યા, પરિણામ પૂરા દેશને ભોગવવું પડયું. કોરોના હજુ ઠંડો નથી પડયો, ખૂબ સાવધાન રહેવાની જરૂર છે અને સાથોસાથ ભારતના ઉજ્જવળ આયુર્વેદ, યોગ અને પારંપરિક વિધિયો દ્વારા પોતાની અંદરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 20: કોરોનાનું આંતરિક સુરક્ષા કવચ
Jul 10, 2020
નિષ્ણાતો કહે છે કે કોવિડ19 ઘણા સમય સુધી આપણી સાથે જ અને આપણી આજુબાજુ જ રહેવાનો છે. એટલે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આની સામે લડવા શું કરવું જોઈએ? એક શિલ્ડનું નિર્માણ કરો. મીડિયાએ લગભગ બાહ્ય શિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ પણ જરૂરી છે કેમ કે તે વાયરસને ફેલાતો અટકાવે છે. આમાં શારીરિક દૂરી, 20 સેકન્ડ સાબુથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, અને સેનિટાઇઝર લગાતાર વાપરતા રહેવું. પરંતુ આમાં ઘણી વાર ચૂક થવી સંભવ છે. એટલે સાથોસાથ એક બીજું ભીતરી શિલ્ડ બનાવવું જરૂરી છે, જેની લગભગ આપણે અવગણના કરી છે. આ શીલ્ડનું નામ છે - રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ એ માઇક્રોસ્કોપિક આર્મી છે, જે આપણા મોઢામાં, નાકમાં, ચામડીમાં, ફેફસાંમાં, અને મળદ્વાર પાસે રહે છે. આ શક્તિને મજબૂત બનાવવી આપણા હાથમાં છે અને આ જ વાયરસ સામે લડવાનો સ્થાઈ ઉપાય છે. કેટલાક ઉપાયો – 1. પ્રાણાયામ કરો: દરેક પ્રાણાયામ ઓછામાં ઓછું 5-5 મિનિટ કરો. દિવસમાં બે વાર પણ કરી શકાય. એક - કપાલભાતિ કરો, બે - શ્વાસને નાકથી લ્યો અને મોઢાથી છોડો, ત્રણ - શ્વાસને અંદર લઇ, અંદર રોકો અને બહાર છોડી,બહાર રોકો - રોકી શકાય એટલું જ રોકો. 2. ખાલી પેટ ચાર સેટ સૂર્યનમસ્કાર કરો. 3. શરીરના કોઠા પ્રમાણે ઉકાળો પીઓ જેમાં આદુ, ફુદીનો, તુલસી,ગોળ, મરી, હળદર અને ઉપર જરાક ગાયના ઘીના ટીપા નાખી સેવન કરો. 4. દિવસમાં એકવાર કે વધુ બાફ લેવો. 5. જરા ગરમ એવા પાણીમાં અડધું લીંબુ નીચોવીને વારંવાર વાપરવું, 6. નિયમિત 10 મિનિટ ધ્યાન કે શવાસન કરવું. આ ઉપાય સરળ લાગે છે પણ સરળ હોવાનો અર્થ હંમેશા સરળ નથી હોતો. નિયમિત પ્રયોગ કરવા માટે ખૂબ જાગૃત રહેવું પડશે. જયારે આપણે આ બંને રક્ષા કવચનો ઉપયોગ કરીશું તો જાતને બચાવવાની સાથે આજુ બાજુ અને સમગ્ર રાષ્ટ્રને બચાવી શકીશું. સૌ પોતાના પ્રામાણિક પ્રયત્નથી આમાં વિજયી બને એવી પ્રાર્થના.
-સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 21: સૌ માટે સમાધાનનો સેતુ બનીએ
Jul 10, 2020
સંકટની ઘડીમાં માણસની સાચી કસોટી થાય છે, જયારે બધું બરાબર હોય છે ત્યારે આપણે સારા હોઈએ છીએ. આ સારા હોવામાં કોઈ સત્ત્વ નથી. મુશ્કેલીના સમયે માનવીનો અસલી ચહેરો ઉજાગર થાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે આપણે કોણ છીએ અને કેવા છીએ. આવા સમયે પસંદગીના બે જ રસ્તા છે - કાં તો આપણે સમસ્યાનો ભાગ બનીએ છીએ અને કાં તો સમાધાનનો ભાગ થઈએ છીએ. પોતાના જીવનના ક્રિયા કલાપો પર નજર નાખીને જો જો તો ખ્યાલ આવશે કે આપણો નંબર શે'માં આવે છે? ઘણા લોકો આજે પણ પોતાના માટે અને અન્યો માટે સમસ્યાનો એક હિસ્સો છે. સમાધાનનો ભાગ બનવું એ સ્વયંને બચાવવા માટેની સાવધાની છે અને અન્યોની જિંદગી સુરક્ષિત રાખવાની કાળજી છે. આવા સમયે જયારે આપણે ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે શું ખરેખર આપણે છ ફૂટનું અંતર જાળવીએ છીએ ખરા? આપણે માસ્ક અને હાથની સફાઈમાં સજાગ છીએ ખરા? ભારતીય લોકોમાં આ બાબતે શિસ્તનો પૂરેપૂરો અભાવ પહેલાથી જ ચાલ્યો આવે છે. બેદરકારી આપણા લોકોના ડીએનએમાં છે. એટલે લોક ડાઉનમાં જો આટલા કેસો વધી રહ્યા છે તો એ ખૂલશે પછી શું સ્થિતિ બનશે કલ્પના કરીને ઘણી વાર ઊંઘ ઉડી જાય છે. ચોક્કસ અત્યારે આપણી સ્થિતિ ઇટાલી અને અમેરિકા જેવી નથી, અને એનું કારણ છે - સમય પર આપણે જાગી ગયા અને બીજું પશ્ચિમી દેશો કરતાં આપણા લોકોની રોગપ્રતિકારક શક્તિ આયુર્વેદના પ્રભાવે અને કઠોર જીવન શૈલીના કારણે પાવરફૂલ છે. છતાં આમાં બહુ ફુલાવા જેવું નથી. કોરોના સાથે હજુ ઘણી લાંબી દૂરી તય કરવાની બાકી છે. હજુ કોરોના એ બિસ્તરા પોટલાં સમેટ્યાં નથી. કોને ખબર એના અસલી ચહેરાના દર્શન હજુ બાકી હોય. આ ડરવાની વાત નથી, સાવધાની માત્ર છે અને શિસ્તનું કડકાઈથી પાલન કરવા માટે છે. કોરોનાની ઘટનામાંથી ઘણું ઘણું શીખવાનું છે. એક મોટી વસ્તુ એ શીખવાની છે કે આપણે પોતાના માટે અને અન્ય સૌ માટે સમાધાનનો સેતુ બનીએ, સમસ્યાનો હેતુ ક્યારેય ન બનીએ.
- સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 22: પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ તો માણસ પ્રત્યે કેમ નહિ?
Jul 10, 2020
સંબંધોનું ગણિત ખૂબ વિચિત્ર અને અટપટું છે. કેટલાક સંબંધો નજીકના હોય છે અને કેટલાક દૂરના. ઘણીવાર નજીકવાળા દૂર ચાલ્યા જાય છે અને દૂરવાળા નજીક આવી જાય છે. આની પાછળ માણસના મનનું મનોવિજ્ઞાન કામ કરે છે. એ મનોવિજ્ઞાન એ છે કે આપણે માણસને એ બધી બાબતમાં પૂર્ણ હોવો જોઈએ એ રીતે જોવા ટેવાયેલા છીએ. આ ક્યારેય શક્ય જ નથી, આપણી બાબતમાં પણ આ ક્યાં શક્ય છે. આપણામાં પણ કેટ કેટલી ખામીયો છે. પરંતુ આ ગણિત આપણે આપણા માટે નથી લગાવતા, બસ, બીજો સંપૂર્ણ હોવો જોઈએ. બીજો સંપૂર્ણ હોય એની રીત પણ આપણી પાછી અનોખી છે. એ રીત એ છે કે બીજો મારી નજરમાં, મારા મત પ્રમાણે, મારી અનુસાર સંપૂર્ણ હોવો જોઈએ. આ ક્યારેય સંભવ જ નથી અને એટલે નજીકવાળા સાથે અણગમો ઉભો થાય છે. દૂરવાળા આપણી નજીક આવે છે ખરા પણ એ પણ આપણા જીવનમાં ઝાઝું ટકશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે. કેમકે એને માપવાના તરાજુ જો એ જ હશે તો એ પણ કાલે દૂર ચાલ્યા જશે. એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે, સમણજી ! મને પશુ પક્ષીઓ ખૂબ ગમે છે, પશુઓની નિર્દોષતા અને એનું ભોલાપણું મને રોમાંચિત કરી નાખે છે, પક્ષીઓનું નિઃસંગ વિહરવું, અને પક્ષીની ગોદમાં એની ચહચહાટ મનને આકર્ષિત કરે છે. આવો પ્રેમ અને એવો ભાવ મને માણસો પ્રત્યે અને ઘરના સભ્યો પ્રત્યે ક્યારેય નથી જાગતો - આનું કારણ શું? જવાબ આપતા મેં કહ્યું - કારણ ખૂબ સ્પષ્ટ છે. પક્ષીઓ અને પશુઓ તમારા ઘરમાં નથી, તમારા જીવનનો ભાગ નથી, એ દૂર છે અને એની સાથે તમારો સંબંધ માત્ર ઘડીભરનો છે, એમની કૂટેવો અને આદતોથી તમે પરિચિત નથી, એ તમારા ઈગોને હર્ટ કરવા નથી આવતા, માત્ર તમે તેના સારા પક્ષથી પરિચિત છો એટલે એ તમને વધુ ગમે છે. ઘરના લોકો સાથે આ એપ્રોચ નથી. કેમકે એ તમારા ઘરમાં છે, એ તમારાથી બિલકુલ નજીક છે, એમની સાથે તમારો સંબંધ જીવનભરનો છે, એમની બધી જ ખામીઓ અને દોષોથી તમે પરિચિત છો, એ તમારા ઈગોને પણ જાણતા કે અજાણતા હર્ટ કરે છે, પરિણામે એમના પ્રત્યે તમારા મનમાં દ્વેષ ઉપજે છે. આ જ કારણના લીધે આપણને પશુ પક્ષીઓ ગમે છે અને માણસો નથી ગમતા. જે પશુ પક્ષીઓ તમને ગમે છે એને ઘરમાં લાવીને રાખી જુઓ પછી ખબર પડશે એની સાથે કેમ રહેવાય છે. ગમે ત્યાં ટોયલેટ બાથરૂમ કરશે, ગમે ત્યાં હરશે - ફરશે અને બધું ગંદુ કરશે, સાજું માંજું થશે અને તમારી જિંદગી એની ટેક કેયર કરવામાં જ જશે પછી ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે. - સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 23: જાણવું સહેલું છે, અમલમાં મૂકવું અઘરું પડે છે
Jul 10, 2020
ટેક્નોલોજી અને મીડિયાના માહોલમાં આપણે બધા બહુ જ્ઞાની થઇ ગયા છીએ, આપણું જ્ઞાન આપણને કેટલું કામ આવે છે એના પર ચિંતન કરવું જરૂરી છે. બીજાને સમજાવવા આપણે બધા જ્ઞાની છીએ. ઘણા ખરા લોકો પોતાના વોટ્સએપના સ્ટેટસમાં સુંદર મજાના સ્લોગન મૂકે છે, પણ એ સ્લોગન બીજાને ઈમ્પ્રેસ કરવા માટે હોય છે કે પોતાના જીવનમાં ઈમ્પ્લીમેન્ટ કરવા માટે? જેટલા સુંદર અને પ્રેરણાદાયી વાક્યો આપણે શૅર કરીએ છીએ એમાંનું એકાધ વાક્ય પણ આપણે અમલમાં મૂકીએ તો કામ થઇ જાય - પણ આવું આપણે લગભગ કરતા નથી, કેમકે ખૂબ અઘરું પડે છે. હમણાં કોરોનાના વિકટ માહોલમાં કેટલી જ્ઞાનવર્ધક વાતો સાંભળવા મળે છે, બહાર ન જઈ શકો તો અંદર જાઓ - આ વાક્ય ખૂબ ઊપડ્યું, પણ કોણ અંદર જાય છે? કોણ અંદર જવાનો અર્થ પણ સમજે છે? અંદર જવું એટલે ધ્યાનમાં બેસવું આ કોને ખબર છે? કેમકે આ જ્ઞાન એક તો ઉધાર લીધેલું છે અને પ્રવૃત્તિનું જેને વ્યસન થઇ ગયું છે એના માટે ધ્યાનથી અઘરું કશું નથી. એ ધ્યાનમાં બેસી જ નહિ શકે.. બધાને હવે ખબર પડી ગઈ છે કે કોરોનાની કોઈ દવા નથી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ એનો સ્થાઈ ઉપાય છે. પ્રાણાયામ કરીને આ વધારી શકાય છે એ પણ હવે જાણી લીધું છે છતાં કેટલા લોકો પ્રાણાયામ નિયમિત કરતા હશે? કોઈ વસ્તુની ખબર જ ન હોય તો એવી વ્યક્તિને મૂર્ખ કહેવાય પણ જેને ખબર છે છતાં એ પ્રમાણે કરે નહિ તો એને શાસ્ત્રમાં મૂઢ કીધા છે. દુનિયામાં મૂર્ખ ઓછા છે, મૂઢ વધુ છે. એક પોલીસના ઘરે ચોર ઘૂસ્યા, પત્નીએ પતિને કહ્યું - જાગો, જુઓ, ચોર આવે છે. પતિ કહે મને ખબર છે તું શાંતિથી સૂઈ જા. ચોર ખરેખર ઘરમાં ઘૂસ્યો, પત્નીએ પતિને કહ્યું જુઓ ચોર અંદર આવ્યો છે, ફરી પતિએ એ જ જવાબ આપ્યો મને ખબર છે, તું ચિંતા ન કર. થોડીવારમાં ચોર કિંમતી વસ્તુ ઉપાડીને ભાગ્યો, ફરી પત્નીએ કહ્યું પણ પેલો આપણી વસ્તુઓ લઈને ભાગ્યો, હવે તો કંઈક કરો, ત્યારે પોલીસે કહ્યું - હમણાં હું ડ્યૂટી પર નથી, શાંતિ રાખ. એને શાંતિ રાખી અને ચોરે પોતાનું કામ પતાવી દીધું. બસ, કરવાની વાત આવે એટલે આ એક જ ડાયલોક બોલીયે છીએ હમણાં હું ડ્યૂટી પર નથી,
- સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અનુચિન્તન: 24: વ્યસ્તતાના વ્યસની ન બની જતા!
Jul 10, 2020
જીવનમાં એક વસ્તુ એવી છે જેના પર ક્યારેય સો ટકા વિશ્વાસ મૂકી ન શકાય અને એ વસ્તુ સમય છે. સમય ક્યારે માણસના મનસૂબા ઉથલાવી દે તે કહી શકાય નહિ. આપણે બધા સારી રીતે જાણીયે છીએ કે આપણું ધાર્યું કંઈ થતું નથી. કરવું હોય છે કંઈક અને થઇ જાય છે કંઈક. આપણે ધાર્યું ન હોય અને એવું જો થઇ જાય તો આપણે તેને ચમત્કારમાં ખપાવીએ છીએ. અને એ પ્રમાણે ન થાય તો આપણે નસીબને દોષ આપવા સિવાય કાંઈ કરતા નથી. સમયની એ ફિતરત છે કે આપણી સમજની પરે હોય એવું જ એ કરતો ફરે છે. ઘણી વાર અનુભવ્યું હશે કે રમત રમતમાં લીધેલું જોખમ અને નિર્ણય આરામથી પાર પડી જાય છે અને ક્યારેક ખૂબ વિચારીને અને યોજનાબદ્ધ રીતે ગણતરી બાંધીને લીધેલા નિર્ણયો નિષ્ફળ જાય છે. કોઈએ સપને પણ વિચાર્યું'તું કે કોરોના આપણી આ દુર્દશા કરશે? અરે ! એ કોરોના ચાઈનામાં હતો ત્યારે પણ આપણને લાગતું હતું કે એ તો ત્યાંનો પ્રોબ્લેમ છે, એ આપણા સુધી થોડો પહોંચશે અને પહોંચશે તો આટલું ભયાનક એનું રૂપ હશે એવી કોણે ધારણા બાંધી હતી? અતિ વ્યસ્ત રહેતા આપણે લોકો ઘરમાં બે મહિના સુધી બંધ રહીશું - ક્યારેય વિચાર્યું હતું? પહેલા આખી દુનિયા બીઝી હતી, ફુરસદ લક્ઝરી બની ગઈ હતી, માણસ પાસે બીજા માટે તો ક્યાં પોતાના માટે પણ સમય નહોતો, આજે સમય ક્યાં પાસ કરવો એ સમસ્યા છે, ફુરસદ સાવ સસ્તી બની ગઈ છે, હવે પોતા માટે અને સૌ માટે સમય જ સમય છે. પરંતુ ધ્યાન રાખજો લોકડાઉન ખૂલી ગયું છે અને ખૂલી રહ્યું છે. ફરી પાછા આદતવશ વ્યસ્તતાના વ્યસની ન બની જતા. મને ખબર છે આ વ્યસન છૂટવાનું નથી ! એક વાત યાદ રાખજો, સમયને ફરી જીવી શકાતો નથી. વીતેલો સમય માત્ર સ્મરણ બનીને રહી જાય છે. આજે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જે આવે તેને ખૂબ પ્રેમ આપજો, સન્માન આપજો, સમય આપજો, જે ક્ષણ જેની સાથે મળે એ મનભરીને જીવી લેજો,પોતાની વ્યક્તિ ન હોય ત્યારે માણસ અફસોસ કરતો રહે છે કે આમ કરવાનું રહી ગયું. લતા હિરાણીએ એમની કૃતિમાં સરસ લખ્યું છે - ' હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે, જેની મને ખબર નહિ પડે, તું અત્યારે જ થોડું રડ ને ! હું મૃત્યુ પામીશ પછી તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહિ કરી શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલ ને ! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહિ શકું, તું મને હમણાં જ માફ કરી દે ને ! એટલે જ કહું છું અવસરની રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણીવાર બહુ મોડું થઇ જાય છે. જો તમારી પાસે તમારા લોકો માટે સમય ન હોય તો માનજો કે તમે સૌથી વધુ ગરીબ છો !
- સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
Embrace Happiness, not Helplessness! By Saman Shrutpragyaji
Sep 21, 2020
In this world, there is probably no one who has never been helpless, hopeless, or sad. At some point in life, we all pass through extreme situations which shake us up. While sitting in a bath tub full of water, you cannot expect to be dry. You have to get up, get out, and use a towel. Similarly, one has to change their situation by doing something about it. One has to think of the solutions, and find a way to execute the right solution to solve the problem. Just like when you see an insect on your body, you immediately shake it off because you know it may harm you. Similarly, when you feel helpless, hopeless, or sad, you must quickly shake it off and move forward.
If you don’t focus on finding a solution, helplessness will persist. When it persists for a long time, it can become dangerous and lead to depression. You may feel life has become useless and it is not worth living. You may become aloof and quiet or become very angry and frustrated even to the point of harming yourself. So, it is very important to take the initiative, request help if necessary, and find a way to come out of such situations as soon as possible.
When you have issues in relationships, you may break up the relationship but you are never able to disassociate yourself completely. In today’s technology terms, instead of permanently deleting such miseries from your life forever, you continue to save them in the recycle bin. This will clog up your life and you will not be able to function properly. Please remember that all relationships pass through phases and this shall pass too. Sometimes you may give too much importance to one person and when that person moves away, you may fall apart. But remember that just like no mountain can stop a stream from flowing, you must also continue to flow and move forward. Don’t forget that your life is linked with many other individuals and you need to fulfill your responsibilities towards those relationships also.
In good times, everyone feels strong and confident. But your willpower is truly tested during tough times, and it is only when you rise from crisis that you emerge as a more successful, a more confident, and a stronger person than before. If we look into the life stories of famous people, we find that each one of them went through tough times too. However, they never gave up. It is their courage to rise above the situation that led them to become successful and famous.
Remember that we all are human beings and just as we experience moments of happiness in our lives, we will face moments of sadness too. But never let these moments make you weak. Don’t take life too seriously. Do not let stress build. Only you can deal with your stress. It is paramount that you accept life as it is. You must face the situations, and remove the obstacles for a clear path forward. Laughter and happiness are always near you, so embrace them instead and be happy!
To be happy, exercise regularly, practice meditation and pranayama, read spiritual books, keep a positive attitude, and above all smile more everyday.
લેશન: 1: પૂછો તમારી જાતને ત્રણ પ્રશ્નો : સમણ શ્રુતપ્રજ્ઞજી
Sep 21, 2020
વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો ! આપણે બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ, માનવીય મૂલ્યો વિસરાઈ રહ્યા છે. ચારેય બાજુ અંધારું છવાઈ રહ્યું છે. આશાની કિરણ બહુ જ દૂર છે. આવી સ્થિતિમાં મનથી વધુ સ્ટ્રોંગ થવાની જરૂર છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે. જૂની પેઢી અને એમાંય સફળતાની ટોચ પર બેઠેલાં લોકો માત્ર આંધળી આર્થિક દોડમાં લાગેલા છે. એ લોકો માનવતાનું ભારે નુકસાન કરવાની ફિરાકમાં છે. માટે વિદ્યાર્થીઓએ અને યુવાનોએ હવે વધુ સજાગ થવાની જરૂર છે. આવી સંકટની ઘડીમાં સમયની બરબાદી જીવનની બરબાદી છે - એમ સમજજો અને સાવધાન થઇ જીવન વિશે પુનર્વિચાર કરજો. પરિસ્થિતિ છે તે છે, એમાંથી કોઈ પણ રીતે બહાર આવી મહાજીવન તરફ આગળ વધવાનું છે. એ દિશામાં નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ હેતુથી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સ્પેશિયલ લાઈફ લેશન ચાલુ કરી રહ્યો છું. આશા છે આ આપણને ઉપયોગી થશે. સમણ શ્રુતપ્રજ્ઞજી
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
લેશન: 1: પૂછો તમારી જાતને ત્રણ પ્રશ્નો વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો કબીરજીએ કહેલી એક વાત હું ક્યારેય ભૂલતો નથી - "તારો જન્મ થયો ત્યારે રડ્યો હતો, પરંતુ દુનિયાના લોકોએ હસીને તારી ખુશી મનાવી હતી. હવે એવું જીવન જીવજે કે તું મરે ત્યારે તારા ચહેરા પર હાસ્ય હોય, પણ તારી પાછળ જગત રડતું હોય."આજે આપણે જે બહુ દૂર છે - ચંદ્ર અને મંગળ, તેની નજીક જઈ રહ્યા છીએ, આજે એકબીજા સાથે સંપર્કમાં રહી શકાય તેવા માધ્યમો - વૉટ્સઅપ અને ઇન્સટ્રાગ્રામ, ઇમેઇલ અને ફેસબુક આપણી પાસે છે અને છતાં માનવી એકબીજાથી જેટલો વિખૂટો આજે છે, આટલો વિખૂટો ક્યારેય નહતો. આપણે માનવજાત સાથેનો સ્પર્શ જ જાણે ખોઈ બેઠાં છીએ. જીવનના મૂળ ધ્યેય સાથેનો નાતો જ જાણે તૂટી ગયો છે. જે વસ્તુ જીવનમાં મહત્ત્વની છે એ જ આપણી નજર બહાર થઇ ગઈ છે. આજે ત્રણ પ્રશ્નો તમારી જાતને પૂછજો - 1. આ ગ્રહ પર તમને જીવવાનો અવસર મળ્યો છે તો તમે કેટલા લોકોના જીવનને સ્પર્શશો? 2. તમારા જીવનનો પ્રભાવ તમારી આજુબાજુના લોકો પર શું હશે? 3. જીવનના અંતિમ શ્વાસ લીધા પછી તમારી પાછળ તમે કયો વારસો મૂકીને જશો? મારા પોતાના જીવનમાંથી હું એક બોધપાઠ શીખ્યો છું: જો જીવનમાં તમે કાંઈ જ કામ નહિ કરો તો જીવન તેની આદત મુજબ તમારા પર હાવી થઇ જશે. કલાકો, દિવસો। મહિનાઓ અને વર્ષો એમને એમ સરકતા જશે અને એમ કરતા કરતા જોતજોતામાં આ બહુમૂલ્ય જીવન પૂરું થઇ જશે. પછી તમારી પાસે શું બચશે? જીવન ન જીવી શક્યાનો ભારોભાર વસવસો. - સમણ શ્રુતપ્રજ્ઞજી
Emotions are good Being emotional is not good: Samanji
May 13, 2021
Emotions are good Being emotional is not good ( Discourse given by Saman Shrutpragyaji at Memphis, USA on May 13, 2021 )
Bhav is good but Bhavukta is bad
Emotions get irritated then gets frustration and then gets anger and Dhvesh
Dhvesh(hateret) is compressed anger
Bhav is positive emotions brings 4 thing
1 compession
2 Maitry Bhav ( Friendlyhood )
3 appreciation gratitude
4 ignore negativity (not react)
Getting tooooo happy or tooo sad are negative emotions
Three ways
1 Don’t promise out of too much excitement and happiness
2 Never make decision when mental state is disturbed (instead wait, relax and then make it)
3 When you are angry then don’t say anything at that time
What happens When someone is go through unfavorable situations
1 Denial then
2 Anger then
3 Arguments then
4 depression
5 Acceptance (ultimate positive step)
️ Example when Corona came first in India
Who is weak and who is strong (emotionally )
If you want anyone to change or situation to change then you are the weak person because you think I’m prefact and I don’t make any mistake.
Strong person is the person who accept the way the other person or situation are.
What to do to balance emotions?
1 try to energize your body (yogic or sports or physical activity)
2 connect yourself with nature
3 keep your stomach and body clean (don’t eat grains all the time)
4 take charge of your own feelings and emotions (meditation helps, don’t react on small stuff, write your feelings on papers or share with only closed one, share your emotions and have someone listen to it, adapt spiritual practice such as reading or satsang)
They are all Nimitt️
Attachment (Rag, Dwesh) are the reason for all the emotions
If you want to work on balancing emotions then work on your attachments
Acceptance or (anitya bhav) teaches us that no situation is permanent. Whatever is United are going to get divided and can bring sadness
When person is emotionally disturb will have what kind of Gati at the end of life?
We have to prepare our mind to detach ?
- Whatever I have now will go away one day no matter what so that we have to accept.
- Anxiety or fear came is not a problem but how long you hold on to it is a problem. Don’t hold on to it for too long.
- Each and every Saiyog has viyog and accept it.
- Each nd everyone have to go through their own pain and suffering. No one can take it away. (Anyatva Bhavna)
Janma, jara, budhapa, mrutyoo everyone has to go through.
end the session with:
1. Have Gratitude feeling for emotional balance and peace .
2. Don’t take anything for granted. Be flexible with your attitude. Don’t be stubborn No Ego: No Hurt, be humble.
3. Whenever it’s negative situation then don’t react on the spot instead wait relax and then decide to respond.
These all will bring positive attitude to family and kids. Upbringing of kids like this can affect kids sanskar.
સ્વાસ્થ્યનો હોલિસ્ટિક એપ્રોચ: સમણ શ્રુતપ્રજ્ઞ
Sep 26, 2021
સાવધાની સ્વાસ્થ્ય પ્રત્યે:
દરેક મનુષ્યને સ્વસ્થ રહેવું ગમે છે, બીમાર રહેવું કોઈને પણ ગમતું નથી. પરંતુ માણસના મનની સચ્ચાઈ એ છે કે એ સ્વાસ્થ્ય પ્રત્યે, બીમારી આવ્યા પછી જાગે છે, પછી સાવધાન બને છે. વાસ્તવમાં વ્યક્તિએ બીમારી આવે એ પહેલા સાવધાન થઈ જવું જોઈએ. સ્વસ્થ અવસ્થામાં જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ. આજના આધુનિક યુગમાં અને આર્થિક લાલચના કારણે બીમારીઓનો આવિષ્કાર વધુ થયો છે. નિત્ય નવા રોગો વધી રહ્યા છે. એનું કારણ એ છે કે માણસ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ નથી. માણસનું આડેધડ ખાનપાન, ઉજાગરા, આળસ અને બેદરકારી જોઈને એવું લાગે છે કે પોતાના આરોગ્યની કોઈને પડી નથી. જો કે કોરાનાની ભયાનકતા જોયાં પછી ઘણા લોકો હવે જાગૃત થયા છે. આ શુભ સંકેત છે.
સ્વસ્થ શા માટે રહેવું?
૧.મનની શાંતિ માટે
૨.સુખી જીવન માટે
૩.ચિત્તની પ્રસન્નતા માટે
૪. સ્વાવલંબી જીવન જીવી શકાય તે માટે
૫. વૃદ્ધત્વ દુઃખદ ન બને તે માટે
૬. આધ્યાત્મિક ઉન્નતિ કરી શકાય તે માટે
૭. અંગ્રેજી દવાઓની આડઅસરથી દૂર રહી શકાય તે માટે
૮.ઇચ્છિત સાત્વિક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તે માટે
સ્વસ્થ કોણ?
૧. જેનું પેટ નરમ, પગ ગરમ અને માથું ઠંડું હોય તે.
૨. જે વ્યક્તિ પોતાની મસ્તીમાં અંતર્મુખ રહેતો હોય તે.
૩. જેનું ચિત્ત અંતર્મુખીહોય તે.
૪. જેનું ચિત્ત વારે વારે શરીરના અંગો ઉપર ન જાય તે.
૫. જેનું મન તનાવ મુક્ત છે તે.
સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે:
समदोषः समाग्निश्च
समधातुः मलक्रियाः ।
प्रसन्नात्मेंद्रियमना
स्वस्थ इत्यभीधियते ।।
*જેના વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષ સમ હોય
*જેની શરીરની અગ્નિ અને સાત ધાતુ સંતુલિત હોય
*જેની શૌચ અને પેશાબ ક્રિયા નિયમિત હોય
*જેની ઇન્દ્રિયો, મન અને આત્મા પ્રસન્ન હોય એ સ્વસ્થ છે.
શારીરિક સ્વાસ્થ્યના સૂત્ર:
૧. સીધા બેસવાનો અભ્યાસ રાખો ૨. ભોજન ચાવી-ચાવીને કરવાની ટેવ રાખો
૩. જેટલી ભૂખ હોય તે કરતા થોડું ઓછુ ખાવ
૪. અપાન વાયુ દૂષિત ના થાય તેનું ધ્યાન રાખો.
૫. નિયમિત 30થી 40 મિનિટ કસરત કરો અથવા ચાલવાનું રાખો અથવા પરસેવો પડે એટલો શ્રમ કરો
૬. ગાઢ નિદ્રા લ્યો અને
૭. સ્વભાવ હસમુખ રાખો
માનસિક સ્વાસ્થ્યના સૂત્રો:
૧.વર્તમાનમાં જીવવાની ટેવ રાખો
૨.ઈચ્છાઓને મર્યાદિત રાખો
૩. ક્ષમતાથી વધુ જવાબદારી માથા પર ન ઉઠાવો
૪. ઇન્દ્રિય અને મનને વશ ક્યારેય ના થાય
ભાવનાત્મક સ્વાસ્થ્યના સૂત્રો
૧. પોતાના સંવેગો અને આવેગો ઉપર વિવેક પૂર્વકનું નિયંત્રણ રાખો
૨. પોતાની લાગણીઓને કાબૂમાં રાખો
૩. બીજાની નકારાત્મક વાતોને અથવા બીજાની નકારાત્મક કોમેન્ટ્સને બહુ મહત્વના ના આપો
૪. પોતાનાથી કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા માંગી લો
૫. હંમેશા ભીતરમાં નમ્રતા ધારણ કરો અને સૌ પ્રત્યે નમ્ર વહેવાર કરો.
આધ્યાત્મિક સ્વાસ્થ્યના સૂત્રો
૧. હંમેશા આત્મ નિરીક્ષણ કરો
૨. રોજ ૨૦ મિનીટ ધ્યાન ધરો
૩. રોજ ઓછામાં ઓછું 15 મિનિટ સ્વાધ્યાય કરો અથવા કંઈક સારું સાંભળો
૪. આખા દિવસમાં થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવો.
આ બધું કરવાથી માણસ તનથી, મનથી, ભાવથી અને આત્માથી સ્વસ્થ રહી શકશે. આ ચારમાંથી કોઈ પણ એક સ્વાસ્થ્ય બગડે છે તો તેની અસર બીજા તબક્કા ઉપર થયા વિના નથી રહેતી. કારણ કે આપણું અસ્તિત્વ સમગ્રાત્મક છે, અખંડ છે અને એટલે તનની અસર મન ઉપર અને ભાવ ઉપર થાય છે. મનની અસર તન ઉપર અને ભાવ ઉપર થાય છે. ભાવોની અસર શરીર ઉપર, મન ઉપર અને આત્મા ઉપર થાય છે. ચાલો આપણે અસ્તિત્વના આ ચારેય સ્તરોને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા યત્નશીલ બનીએ, સ્વાસ્થ્યના આ સમગ્ર દૃષ્ટિકોણને આજની ભાષામાં હોલિસ્ટિક એપ્રોચ કહે છે.
હું આશા અને વિશ્વાસ કરું કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માણસે પોતાની જાત સાથે બેસીને પોતાની જાત પ્રત્યે વિચારવું પડશે, પોતાના જીવન પ્રત્યે વિચારવું પડશે, પોતાના આરોગ્ય પ્રત્યે વિચારવું પડશે અને પોતાના આત્મિક વિકાસ પ્રત્યે વિચારવું પડશે. કોરાના આક્રમણના અનુભવ પછીનો આ સમય આડેધડ જીવવાનો જરા પણ નથી. આ સમય બહુ સાવધાન રહીને, સજાગ રહીને અને યોજનાપૂર્વક, આયોજન કરીને જીવવાનો સમય છે. સત્પુરુષોનું યોગ બળ આપણને સૌને સર્વ રીતે નિરામય રહેવાની પ્રેરણા પૂરી પાડે અને આપણે એ દિશામાં જાગૃત બનીએ એવી સદભાવના સાથે વિરમું છું.
ઉજ્વળ ભવિષ્યના પાંચ સૂત્રો ( Five P ) : - સમણ શ્રુતપ્રજ્ઞ
Sep 26, 2021
જીવનને ઊજળું બનાવવું હોય અને ભવિષ્યને ચમકીલું અને સંતોષનો ઓડકાર આવે એવું બનાવવું હોય તો જીવનમાં પાંચ 'P' અપનાવી લ્યો.
પહેલો P છે: પોઝિટિવિટી:
જીવનમાં સકારાત્મક બનો. આજના લોકોના માઈન્ડ નેગેટિવ થઈ ગયા છે. એક વસ્તુ યાદ રાખજો કે જેનું મન નેગેટિવ હોય છે એનું મન કમજોર હોય છે. પોઝિટિવ મન એટલે જ પાવરફુલ મન.
અહીં પોઝિટિવિટીનો અર્થ છે: તમારી પ્રમાણિક મહેનત પછી જે કંઈ પરિણામ મળે તેને સ્વીકારવાની હિંમત. જરા પોતાના જીવનનું નિરીક્ષણ કરીએ અને જોઈએ કે છે આપણામાં આ સકારાત્મક દૃષ્ટિકોણ?
વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછું જેનો પ્રામાણિક અને યથાર્થ જવાબ આપજો: આપણે પરીક્ષા માટે ભણીએ છીએ કે જ્ઞાન માટે? પરીક્ષા માટે ને? બસ આ જ વિદ્યાર્થીઓની અને શિક્ષણ જગતની કમનસીબી છે.
વિદ્યાર્થીઓ વાંચે ત્યારે તેનું ધ્યાન વાંચવામાં હોય કે આ પરીક્ષામાં આવશે કે કેમ એની ચિંતામાં હોય? શિક્ષણનું લક્ષ્ય જ્ઞાન હોવું જોઈએ પરીક્ષા નહી.
વિદ્યાર્થીઓ માટે ભગવત ગીતા એક ટિપ્સ આપે છે: તું કર્મ કર કેમ કે એ તારા અધિકારમાં છે, ફળ પર તારો અધિકાર નથી. એટલે કે વાંચવામાં, મહેનત કરવામાં તારો અધિકાર છે, પરિણામ શું આવશે એમાં તારો અધિકાર નથી. વિદ્યાર્થીઓ એના જે અધિકારમાં નથી, એ પરિણામની ચિંતા કરે તો શું વળે? કઠોર મહેનત એ જ આપણા અધિકારમાં છે, અને એમાં જો પૂરેપૂરું ધ્યાન રાખીએ તો પરિણામ સારું જ આવશે. મહેનત કર્યા વિના પરિણામની ચિંતા કરશો તો એનું કોઈ સાર્થક પરિણામ આવવાનું નથી. જે આપણા અધિકારમાં છે એના પર ધ્યાન રાખીએ તો જે આપણા અધિકારમાં નથી એ પણ આપણા અધિકારમાં આવી જાય છે. મનમાં ચિંતા, તનાવ અને ડિપ્રેશન આવે છે પરિણામ પર ફોકસ કરવાથી. આજથી એક વસ્તુની ગાંઠ બાંધી લ્યો: જે વસ્તુમાં હવે ફેરફાર શક્ય નથી તેની હું ચિંતા નહી કરું.આ પોઝિટીવિટી છે.
એક ભાઈને જામનગરમાં યુવાનીમાં સુગરની બીમારી વળગી. મને ચિંતા થઈ અને મે કહ્યુ આ તો તકલીફ વાળુ કામ છે, નાની ઉંમરમાં સુગર, લાઇફ સ્ટાઇલ જરા ડિસ્ટર્બ થઈ જાય. એ ભાઈ પોતાના પોઝિટિવ લહેકાથી બોલ્યા કે સમણજી, સાચું કહું તો તમારા પચાસ પ્રવચનો સાંભળવાથી જે બદલાવ નથી આવ્યો એ એક માત્ર સૂગરની બીમારી આવવાથી આવી ગયો. મેં પૂછ્યું એ કેવી રીતે? તો કે આ રોગ પછી હું સમય પર ઊંઘી જાઉં છું, સમય પર ઉઠી જાઉં છું, બહારનું ખાતો નથી, કામનો ભાર માથા પર ઉઠાવતો નથી, આનંદથી જીવું છે. મને થયું વાહ આ છે સકારાત્મક વિચારની તાકાત.
બીજો P છે: પેશન્સ:
ધૈર્ય રાખો. ઉપનિષદ કહે છે: ધૈર્ય કંથાઃ એક યોગી માટે ધૈર્ય એ પથારી છે. સાધના કરનારમાં ધૈર્ય જરૂરી છે. મને આશ્ચર્ય થાય કે એક વૈજ્ઞાનિકમાં જે ધૈર્ય છે એટલું ધૈર્ય એક ધાર્મિકમાં નથી. આપણા ભારતીય લોકોમાં ધૈર્યનો અભાવ દેખાય છે.
ધૈર્યનો અર્થ કામ શરૂ જ ન કરવું એ નથી, ધૈર્યનો અર્થ છે કામ કરી લીધા પછી પરિણામની પ્રતીક્ષા કરવી તે છે. આપણે ત્યાં ઉતાવળ એ આપણા ડીએનએ માં છે. આ આદત બદલવી પડશે. આપણે ત્યાં કહેવાય છે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર.
પ્રવૃત્તિ કર્યાં પછી પરિણામ માટે પ્રતીક્ષા કરવી એ ધૈર્ય છે. હકીકત એ છે કે તમે અનંત પ્રતીક્ષા કરવા તૈયાર હોય તો ઘટના એ જ ક્ષણે ઘટી શકે છે અને આ જ ક્ષણે ઘટના ઘટવાની હોય પણ ધૈર્યના અભાવે અનંત જન્મો લાગી શકે છે.
ત્રીજો P છે: પરફેકશન:
કોઈ પણ કામ એની પરિપૂર્ણતામાં કરવું, વ્યવસ્થિત કરવું અને આનંદ પૂર્વક કરવું, કોઈ પણ કામને અડધું અધૂરું ન છોડવું. કોઈએ કહ્યું છે: ' જીના હો તો પૂરા જીના, મરના હો તો પૂરા મરના, બહુત બડા અભિશાપ જીવન મે, આધા જીના, આધા મરના.' જીવો તો પૂરે પૂરું જીવો અને મરો તો પણ શાંતિથી પૂરેપૂરા મરો. મરો ત્યારે જીવવાનો વસવસો નહી અને જીવો ત્યારે મરવાનો ભય નહી.
આપણે ધ્યાન કરીએ તો પણ એમાં પૂરેપૂરા ડૂબતા નથી. પૂજા કરીએ તો પણ અડધું ધ્યાન બીજે ભમતું હોય, સાંભળતી વખતે પણ મનમાં શબ્દોનો કોલાહલ ચાલતો હોય છે. સૂવા જઈએ ત્યારે ભૂતકાળને વાગોળતા હોઈએ છીએ અને ઉઠ્યા પછી ભવિષ્યની યોજનાઓમાં મન લીન હોય છે.
ચોથો P છે: પ્રોમિસ
વચન બદ્ધતા એ પ્રોમિસ છે.તમારી જાતને કહો આ હું કરીશ અને જે કરવાના છો તેને તમે વફાદાર રહો. ઉદાહરણ લઈએ કે હું સવારે પાંચ વાગે ઉઠીશ તો કોઈ પણ ભોગે ઊઠીને જ રહો. પોતે કરેલા સંકલ્પને વળગી રહેવું એ પ્રોમિસ છે.
તમે જ્યારે સંકલ્પ તોડો છો ત્યારે તમારું મન ઢીલું અને કમજોર પડે છે. એટલું જ નહિ પ્રોમિસ પૂરું નહી થાય એટલે તમારા મનમાં શંકાનું ભૂત સવાર થાય છે. કંઈ પણ નવું કરશો એટલે પહેલા શંકા થશે કે આ હું નહી કરી શકું તો!! માટે જે સંકલ્પ કરો તેને વળગી રહો. બીજાને પ્રોમિસ આપતા પહેલા પોતાની જાતને પ્રોમિસ કરો. સંકલ્પ કરો કે આટલું તો હું કરીશ જ. સંકલ્પ કરો કે ખાધા પછી ત્રણ કલાક નહી ખાઉં., રોજ અડધો કલાક મૌન કરીશ વગેરે. દિવસમાં ચાર વખતથી વધુ ફોન હાથમાં નહી લઉં વગેરે.
પાંચમો P છે: પ્રેયર: પ્રાર્થના
પ્રાર્થના વિના બધું જ નકામું છે. તમે બહારથી ગમે એટલા તાકાતવર હોવ પણ જો તમારા જીવનમાં પ્રાર્થના નથી તો અંદરથી તમે ખોખલા અને કમજોર છો.
ગાંધીજી આટલા વ્યસ્ત હતા છતાં રોજ પ્રાર્થના કરતા હતા. આપણે એમના કરતા પણ વ્યસ્ત છીએ ને? આપણે વ્યસ્ત નથી, અસ્ત વ્યસ્ત છીએ. આપણી પાસે જે જરૂરી નથી એવા બધા કામ કરવાનો સમય છે અને જે બહુ મહત્વના કામો છે એને કાલ પર ઠેલીએ છીએ. નિયમિત પ્રાર્થનાની ટેવ પાડો, પ્રાર્થનાથી મનોબળ મજબૂત બને છે, અંદરથી આનંદનો ઓડકાર આવે છે, પોતાના પ્રત્યે આદરનો અને આત્મ વિશ્વાસનો ભાવ જાગે છે.
આ પાંચ P ને જીવનમાં વળગી રહેજો, જીવન તમને નવા નવા આયામો સુધી તમને લઈ જશે. આ પાંચ ગુણો તમને અનેક ગુણોના માલિક બનાવશે એવી દ્રઢ નિષ્ઠા સાથે વિરમું છું.
1. આનંદનું ઉપનિષદ: આત્માનું અનુસંધાન: સમણ શ્રુતપ્રજ્ઞજી
Oct 19, 2021
આ વિષય રાખવા પાછળ સલક્ષ્ય કારણ છે. કારણ એ છે કે દીપાવલીનું પાવન પર્વ છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે માણસ બહારમાં પ્રકાશ કરે છે અને અનંત કાળ સુધી આપણે બહારમાં પ્રકાશ કરવા ટેવાયેલા છીએ. જેટલો જેટલો બહારમાં પ્રકાશ કરીએ છીએ એટલું અંદરનું અંધારું વધતું જાય છે. બહાર પ્રકાશ કરવાથી અંદરનું અંધારું દૂર ના થાય. અંદરનું અંધારું દૂર કરવું હોય તો ભીતરમાં પ્રકાશ કરવો પડે અને એનાં માટે ભીતરમાં જવું પડે અને ભીતરમાં જવા માટે આ બહાર જોતી આંખોને બંધ કરવી પડે.
આ આંખો બંધ થયા પછી પણ વૃત્તિઓ અને સંસ્કારો બહારના જ તીવ્ર હોવાના કારણે ધ્યાનમાં પણ તરત ચિત્ત સ્થિર થતું નથી. એ માટે સતત અભ્યાસ અને વૈરાગ્ય કેળવવો પડે છે. સતત વૈરાગ્ય વૃત્તિ અને અંતર્મુખતાનો અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે. એવું ક્યારેય ન બને કે અંદરની દુનિયામાં કોઈ ગયું હોય અને આનંદ ન મળ્યો હોય. એવું પણ ક્યારેય ન બને કે બહારની દુનિયામાં કોઈ મોહગ્રસ્ત હોય અને આનંદ મળ્યો હોય. બહારમાં આત્માનો આનંદ મળે તો તો ભીતર જવાની કોઈ જ જરૂર નહી રહે. આનંદનો માર્ગ ભીતર જવાથી ખૂલે છે અને સંસારનો માર્ગ બહાર જવાથી ખૂલે છે. દીવો આત્મામાં કરવાનો છે, એ જો કરી શકીએ તો પછી દિવાળી એક દિવસની રહેતી નથી, પછી સાધક માટે નિત્ય દિવાળી જ હોય છે. ધ્યાન થકી અંદર દીવો કરવાની કળા આવળી જાય પછી રોજે રોજ સાધક માટે દિવાળી છે. બહારનો દીવો કરવામાં કષ્ટ વધુ છે, કોડિયું જોઈએ, ઘી જોઈએ દિવેટ જોઈએ, માચીસ જોઈએ, હવા મુક્ત વાતાવરણ જોઈએ. અંદર જવાની યાત્રા અને ત્યાં દીવો કરવાની કળા સાવ સરળ છે. કબીરની ભાષામાં બિન બાતિ બિન તેલ આ દીવો ઝળહળે છે.
ઉપનિષદ શબ્દ પણ જાણી જોઈને વાપર્યો છે. ઉપનિષદ એટલે પોતાની નજીક બેસવું. પોતાની નજીક બેસે તેને આનંદની અનુભૂતિ થાય. અત્યાર સુધી કોની પાસે બેઠા? હંમેશા આપણી બેઠક બહાર જ રહી છે. ઉપનિષદ કહે છે: પોતાની સાથે રહો તો આનંદ મળે, બીજા સાથે રહો તો દુઃખ મળે. ઉપનિષદ કેટલા છે. હિન્દુ પરંપરામાં ૨૫૧ ઉપનિષદો છે. નામ પણ યાદ નહી રહે. ૨૫૧ માં પ્રમુખ છે ૧૦૮ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદમાં પણ દસ ઉપનિષદો પર આદિ શંકરાચાર્યજીએ ટીકા લખી છે. છાંદોગ્ય ઉપનિષદ, તૈતરિય ઉપનિષદ, નિર્વાણ ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ વગેરે. આ બધામાં આનંદનું ઉપનિષદ ક્યાંય નથી. એ ટાઇટલ મારું આપેલું છે. એ એટલા માટે કે આનંદનું ઉપનિષદ એ ૨૫૧ ઉપનિષદનો સાર છે. મને થયું કે ૨૫૧ તો કોઈ વાંચવાના નથી, એટલે મને થયું કે સાધક જો આનંદનું ઉપનિષદ સમજી લે તો એમનું કામ થઈ જાય. પછી
મેં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો અભ્યાસ કર્યો તો મારું મગજ અહોભાવથી ઝૂકી ગયું કેમ કે કોઈ વિષય એવો નથી એમના કાવ્યો અને પત્રમાં કે એમની લેખની ચાલી ન હોય. આનંદ વિષયને નજરમાં રાખીને એમના પત્રોનું અવલોકન કરતો હતો તો મને લાગ્યું કે આ વિષય પર એમને સીધું કે આડકતરી રીતે ઘણું પ્રકાશ્યું છે. એમના દરેક શબ્દોમાં સમ્યક દર્શનની ઝાંટ છે, આ માત્ર શબ્દો નથી પણ મંત્રો છે, એવું મારું માનવું છે. જ્ઞાની આત્મા સંક્ષિપ્તમાં ઘણું કહી દેતા હોય છે. આનંદના આ સંદર્ભ સાથે આપણે આ વિષયને ખોલીશું. એમનો એક પત્ર હું જોતો હતો ૮૩૨ મો પત્ર, ૧૯૫૪ માં આ લખેલો પત્ર છે. એ પત્રનો હું એક જ પેરેગ્રાફ વાંચું છું. લખ્યું છે: "દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા." આત્મા કેવો છે? દેહથી ભિન્ન. આ બુદ્ધિથી સમજીએ છીએ, આત્માના અનુભવમાં આવી જાય તો એ જ સમ્યક દર્શન છે ને? બીજું લક્ષણ આત્મા કેવો છે? સ્વ પર પ્રકાશક. આત્માનો દીવો એવો છે કે અંદર પણ અજવાળું કરે અને બહાર પણ અજવાળું કરે. ત્રીજી વાત કરી આત્મા જ્યોતિ સ્વરૂપ છે. ત્યાં બારેમાસ નહીં, અનંતકાળ સુધી પ્રકાશ જ રહે છે.
આ ત્રણેયનો અનુભવ કરવો હોય તો આગળ કૃપાળુ દેવ કહે છે: "એ આત્મામાં નિમગ્ન થાઓ." એ આત્મામાં વિશેષ રૂપે એકાગ્ર થઈ ઊંડા ઉતરો. ઉદાહરણ લઈએ તો પાણીમાં તરવું અને પાણીમાં ડૂબકી મારવી એ બંને વસ્તુ ભિન્ન છે. નિમગ્ન થવું એટલે તરવું નહીં, આત્મામાં ડૂબકી મારવી. આ ધ્યાન વિધિ છે. બીજો ઉપાય બતાવે છે: "હે આર્યજનો અંતર્મુખ થાઓ." નિમગ્ન થવા માટે અંતર્મુખ થવું અનિવાર્ય છે. ચિત્તના મોઢાને અંદરની તરફ વાળો. આ બે વસ્તુ જો કરી શકો તો કૃપાળુ દેવ કહે છે: "અનંત અપાર આનંદનો અનુભવ થશે." આનંદના બે લક્ષણો અહીં મૂક્યા: અનંત અને અપાર. અંત વગરનો આનંદ એટલે અનંત અને પાર વગરનો આનંદ એટલે અપાર. જે આનંદનો અંત આવે તો સમજવાનું એ આત્માનો આનંદ નથી. અપાર એટલે જેની કોઈ સીમા નથી. એ આનંદ ક્યારેય ઘટે નહીં એવો છે. આનંદની અનુભૂતિના બે ઉપાય છે: નિમગ્ન થાઓ અને અંતર્મુખી થાઓ.
હવે એક બીજી વસ્તુ સમજીએ કે દરેક જીવ એ પછી નિગોદનો હોય કે વ્યવહાર રાશિનો હોય, સાધક હોય કે સંસારી, લાલસામાં જીવનાર હોય કે પ્રાર્થનામાં - દરેકનું એક માત્ર લક્ષ્ય છે: આનંદની અનુભૂતિ કરવી. આપણે આ લક્ષ્ય પ્રત્યે જાગરૂક હોઇએ કે ના હોઇએ પણ દરેકનું મૂળ લક્ષ્ય આ જ છે. સંસારમાં રચ્યા પચ્યા રહેતા કોઈ પણ માણસને તમે પૂછી જો જો કે તમે જે કંઈ કરો છો એ શા માટે કરો છો, મૂળમાં જઈને કારણ ખોજશો તો એ કારણ આનંદની પ્રાપ્તિ જ જોવા મળશે. સારું ખાવું, સારું જોવું, સારું પહેરવું, આ બધું શું કામ? તમે શિબિરમાં આવ્યા શું કામ? ધર્મ કરનાર કે અધર્મ સેવનાર દરેકનું લક્ષ્ય આનંદ છે. દિશા ખોટી હોઈ શકે, લક્ષ્ય ખોટું નથી. થિયેટરમાં મૂવી જોનાર પણ એ જ આનંદ શોધે છે ,જે તમે અને હું ધ્યાનમાં શોધીએ છીએ. પ્રયોજનમાં ભેદ નથી, પ્રયત્નમાં ભેદ છે, એક બહારમાં ખોજે છે, બીજો ભીતરમાં ખોજે છે. એક ખોટી જગ્યાએ આનંદ શોધે છે, બીજો સાચી જગ્યાએ આનંદ શોધે છે. ખોટી જગ્યાએ શોધનાર પણ પાછો ક્યારેક તો અહીંયા જ આવશે, અને સાચી જગ્યાએ શોધનાર પણ ખોટી જગ્યાએ ભટકીને અહીં આવ્યો છે. તો દરેક જીવનું અંતિમ લક્ષ્ય આનંદ છે. આનંદ વગર કોઈ જીવ રહી શકે નહીં અને એટલે જ આનંદ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ વગર રહેવું એ જ પીડા અને સંતાપનું કારણ છે.
એક વસ્તુ યાદ રાખી લેવી ઘટે કે દરેક આનંદની શોધના મિશન પર છે. એટલે ખોટી જગ્યાએ શોધતો હોય એવા જીવ માટે પણ અભાવ કે દુર્ભાવ રાખવો નહીં. એ આંધળા જીવની જેમ લાકડીથી ટટોડી ટટોડીને સાચી દિશા શોધી રહ્યો છે. રસ્તો બતાવનાર યોગ્ય સુગુરુનો ભેટો થશે તો એ પણ સુપથ પર આવી જશે. પ્રયાસ તો એ પણ પૂરેપૂરો કરે છે, દિશાનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનું આવરણ પણ કાળ લબ્ધિના યોગે કે સત સમજણથી દૂર થશે. એટલે આવા જીવો પ્રત્યે દુર્ભાવ કરવા કરતા કરુણાનો ભાવ રાખજો. પાપીને પણ પાપી માનવાની ભૂલ ભૂલેચૂકે ના કરતા.
આપણે ભલે માનતા હોઈએ કે આપણને સાચી દિશા મળી ગઈ છે. સાચા માર્ગની સમજણ હોવા છતાં પણ વૃત્તિઓના કારણે અને અતીતના જૂના સંસ્કારોના કારણે આપણે પણ અંદરથી હજું ભટકેલા હોઇ શકીએ છીએ. દુનિયાની નજરે આપણે ધર્માત્મા છીએ પણ આપણી પોતાની નજરમાં જે દિવસે આપણે ધર્માત્મા થઈશું ત્યારે કલ્યાણનો માર્ગ ઊઘડશે. ધર્મનો પ્રયત્ન કર્યા પછી પણ આપણા વિચારોમાં, આચરોમાં, સંસ્કાર અને વૃત્તિઓમાં જો કોઈ ફરક ના આવે તો આપણે પણ બહુ ફૂલાવવા જેવું નથી. એટલે જ કદાચ કૃપાળુ દેવે મુમુક્ષુ વૃત્તિ વાળા જીવને કહ્યું હશે કે " વૃત્તિઓને લખતા રહેજો." વૃત્તિઓ લખવા માટે પહેલા વૃત્તિઓ દેખાવી જોઈએ, દેખવા માટે પોતાનું તટસ્થ અને સૂક્ષ્મ નિરીક્ષણ કરવું પડે. સાધક અને હલુકર્મી જીવ જ આવું કરી શકે તેમ છે.
આનંદની અલગ અલગ ભૂમિકાઓ છે. બહુ જ સ્થૂળ દૃષ્ટિએ વિચારી તો, જો તમારે અડધો કલાકનો આનંદ જોઈતો હોય તો પ્રેમથી જમો. એક કલાકનો આનંદ જોઈએ તો જમ્યા પછી રૂમમાં આવીને સૂઈ જાઓ, એક દિવસનો આનંદ જોઈએ તો પિકનિક પર જાઓ, એક અઠવડિયાનો આનંદ જોઈએ તો મિત્રો સાથે વેકેશનમાં જાઓ, એક મહિનાનો આનંદ જોઈએ તો લગ્ન કરી લ્યો, છ મહિનાનો આનંદ જોઈએ તો નવી ગાડી ખરીદો, એક વર્ષનો આનંદ જોઈએ તો બંગલો બનાઓ, દસ વીસ વર્ષનો આનંદ જોઈએ તો કોઈની સેવા કરો, જિંદગીભરનો આનંદ જોઈએ તો ઈમાનદાર રહો અને જન્મોજન્મનો આનંદ જોઈએ તો આત્માનું અનુસંધાન કરો. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું: પૂછો આ પ્રશ્નો પોતાની જાતને ! સાચો આનંદ તો આ છેલ્લો જ છે, બાકી તો ક્ષણિક આનંદ જ છે.
જો આત્માનો સ્થાઈ આનંદ અનુભવવો હોય તો પહેલાં જાણી લેવું ઘટે કે આપણે કેવા પ્રકારના માણસ છીએ? ચાર પ્રકારના માણસોની વાત કરું. પહેલો માણસ તેને કહેવાય જે શરીર કેન્દ્રિત જીવન જીવે છે. આવા માણસને સગવડ બહુ જ પસંદ હોય છે. બીજો માણસ તેને કહેવાય જે મન કેન્દ્રિત છે, આવા લોકો સુખ પ્રિય હોય છે. ત્રીજા પ્રકારના લોકો ચિત્તના સ્તરે જીવે છે, આવા લોકો પ્રસન્ન રહેવાવાળા હોય છે, અને ચોથા લોકો છે આનંદ પ્રધાન, આવા લોકો આત્માનું અનુસંધાન કરતા હોય છે. આ ચાર પ્રકારના હવે પછી વિસ્તારથી સમજીશું.
આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ
Jul 29, 2022
આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ
- સમણ શ્રુતપ્રજ્ઞજી
પર્યુષણ પર્વનો સંદેશ:
પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. આ મહાન આધ્યાત્મિક પર્વનો સંદેશ છે - સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને એ ભૂલી જાય છે. પોતાને ભૂલનાર માનવી સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને એટલે ઓળખવાની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ઠ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે જ સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે અંદરની દુનિયાને શોધવાની હવે શરૂઆત કરી છે.
આપણી પાસે તો આ જ્ઞાન અને ધ્યાન સદીઓથી છે. આપણે આ અમૂલ્ય વારસાને જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ જ કહેવાઈએ ને. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયામાં તમે અનેકોને મળો તો પણ એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ પર્વ બહારથી ડિસ-કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વમાં સાધના કરવાની છે.
આત્મ નિરીક્ષણ
પર્યુષણ પર્વની આરાધનાનો પ્રારંભ થવો જોઈએ આત્મ નિરીક્ષણથી અને પૂર્ણતા થવી જોઈએ ક્ષમાપનાથી. આ પર્વ માણસને જાત સાથે રૂબરૂ થતા શીખવે છે. જાતને જોયા વિના ભીતરી બદલાવ કોઈ સંજોગોમાં આવતો નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે: તારો મોટામાં મોટો દુશ્મન તને જે રીતે નિહાળે એ રીતે તારી જાતનું નિરીક્ષણ કરજે, અને તો જ તું તારી જાતનો મોટામાં મોટો મિત્ર બની શકીશ.
આત્મ નિરીક્ષણ એટલે પોતાના નાનામાં નાના દોષોનું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલોને જોવી. પોતાના દોષો અને ભૂલો જોવી એ ખૂબ જ અઘરું કામ છે. કેમ કે મારો ઈગો વચ્ચે આડો આવે છે. એ ઈગોને બીજાના દોષો તો દેખાય છે, પણ પોતાની ભૂલો નથી દેખાતી. આત્મ નિરીક્ષણ કર્યા વિના અધ્યાત્મની શરૂઆત થતી નથી. આત્મજ્ઞાનીઓ કહે છે: આંખોમાં આંસુ ન આવે ત્યાં સુધી પોતાની ભૂલો અને દોષો જોયા જ કરજો. પર્યુષણ પર્વમાં જો આવું કરી શકીશું તો એ ભૂખે રહ્યા વિના મોટું તપ કરવા બરાબર છે. આવું તપ કરીને આપણે વધુ ઉજળા અને ભાગ્યવાન બનીશું.
કળિયુગના પાંચ કલંક:
આ પંચમકાળના પાંચ કલંક છે. પર્યુષણના સંબંધમાં તેને સમજીએ.
1. હિંસા યુગ: કળિયુગનું પહેલું કલંક હિંસા છે. આ યુગ હિંસાનો છે. જો કે હિંસા પહેલા પણ હતી પરંતુ અત્યારે તેને ટેક્નોલોજીના માધ્યમે ખતરનાક રૂપ લીધું છે. પશ્ચિમ તો હવે ગન ક્લચર તરફ જઈ રહ્યું છે. જ્યાં ચારેય બાજુ હિંસાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની પ્રતિષ્ઠા જીવનમાં ક્યાંથી થશે? પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં શ્રાવકો માટે જે પાંચ કર્તવ્ય બતાવ્યા છે એમાં પહેલું છે - અમારી પ્રવર્તના. અમારી પ્રવર્તના એટલે જીવન વ્યવહારમાં અહિંસાની પ્રતિષ્ઠા. જૈન લોકોમાં એવા સંસ્કારો છે કે એ આઠ દિવસ બને એટલી હિંસાથી દૂર રહેશે. આઠ દિવસ જ કેમ? અહિંસાનું વધુમાં વધુ આચરણ જીવનભર થવું જોઈએ. અમારી પ્રવર્તનાના બળે જ કુમારપાળના ગુજરાતમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદથી અહિંસાની પ્રતિષ્ઠા થયેલી.
2. સ્વાર્થ યુગ: કળિયુગનું બીજું કલંક સ્વાર્થ છે. અહિયાં લગભગ દરેક વ્યક્તિ પોતાના ન્યસ્થ સ્વાર્થના કેન્દ્રમાં જીવે છે. મારું ભલું થવું જોઈએ, મને સુખ સગવડ મળવી જોઈએ, પોતાના સ્વાર્થની પૂરતી માટે માણસને જાનવર થતા થતા વાર નથી લાગતી, જાનવરોમાં પણ ઘણીવાર માનવીયતા દેખાય છે. પોતાના સ્વાર્થ માટે માણસ માનવીય મૂલ્યો, પ્રામાણિકતા અને નૈતિકતાને ભૂલી જાય છે. આ બધા સ્વાર્થમાં પૈસાનો સ્વાર્થ સૌથી મોટો જણાય છે. પૈસા માટે માણસ દાનવ થવા તૈયાર થઇ જાય છે. માણસના મન એટલા સાંકળા થઇ ગયા છે કે તેને બીજાનો વિચાર સુધ્ધા આવતો નથી. પર્વાધિરાજ પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય - જેનું નામ છે: "સાધર્મિક વાત્સ્લય", એ માણસને સ્વાર્થથી ઉપર ઉઠી પરાર્થ અને પરમાર્થ સાધવાની પ્રેરણા આપે છે.
3. ભોગ યુગ: કળિયુગનું ત્રીજું કલંક છે અનિયંત્રિત ભોગ. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનો અનિયંત્રિત ભોગ એ આજના યુગની જીવનશૈલી બની ગઈ છે. ખાઓ, પીઓ અને જલસા કરો એ મોર્ડન યુગનું જીવન સૂત્ર છે. આ બધું કર્યા પછી પણ સાચું સુખ અને શાંતિ તો મળતી નથી, ઉલટું અશાંતિ અને દુઃખ વધારવાનો હેતુ બને છે. ભર્તુહરિ કહે છે: ભોગા રોગ ભયં: ભોગમાં રોગનો ભય છુપાયેલો છે. આ કલંકથી મુક્ત થવાનો ઉપાય પર્યુષણ પર્વ બતાવે છે. "અટ્ઠમ તપ" પર્યુષણ પર્વનું ત્રીજું કર્તવ્ય છે. અટ્ઠમ તપ ભોગ પર નિયંત્રણ રાખતા શીખવે છે. અટ્ઠમ તપ એટલે ત્રણ દિવસ અને રાત માત્ર પાણી સિવાય કોઈ વસ્તુ ખાવી પીવી નહિ... એટલે કે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે.
4. નાસ્તિકતાનો યુગ: કળિયુગનું ચોથું કલંક છે: નાસ્તિકતા. નાસ્તિકતા એટલે આત્મા અને કર્મને ન માનવું. આજનો માણસ એટલો છીછરો થઇ ગયો છે કે એને આગળનું કશું વિચારવું જ નથી. આજે હું જે કંઈ કરી રહ્યો છું, એનું પરિણામ મારે જ ભોગવવું પડશે - આ સત્ય નાસ્તિક માણસ સાવ ભૂલી જાય છે. આ દુનિયામાં કર્મ જેવું પણ કંઈક છે અને માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું જ પડે છે. નાસ્તિક માણસ આત્મા, કર્મ અને પુનર્જન્મમાં માનતો નથી, પરિણામે એના પાપોને ખુલ્લો દોર મળી જાય છે. પર્યુષણનું ચોથું કર્તવ્ય છે: ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે જ્ઞાન, ચૈત્ય એટલે પરમાત્મા, ચૈત્ય એટલે પરમાત્માની ઉપાસના, આત્માની ઉપાસના. પરિપાટી એટલે પરંપરા. પર્યુષણ પર્વ આત્મા અને પરમાત્માની ઉપાસના કરવાનો સંદેશ આપે છે. સાચી શાંતિ આત્માની પરિક્રમા કરવામાં છે. આત્માની ઉપાસના કરનાર કર્મ કરવામાં સતત સજાગ રહે છે.
5. ક્લેશ યુગ: આજના યુગનું પાંચમું કલંક છે - ક્લેશ.. ક્લેશ એટલે નાની મોટી વાતમાં ઝગડવું, કારણ વગર રાઇને પહાડ બનાવવો. આજે તમે જુઓ તો ઘર ઘરમાં આ સમસ્યા છે. કોઈ કોઈને સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. લગભગ દરેક વ્યક્તિના મગજ ગરમ છે, કારણ વગર દુનિયાભરનો ભાર માથે લઈને ફરે છે. હું જ સાચો એવી મનોવૃત્તિ માણસને અહંકારી બનાવે છે અને અહંકારી માણસ કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતો. પરિણામે કુદરત પતનનો દરવાજો એમના માટે ખુલ્લો કરે છે. આ કલાકનું સમાધાન છે: ક્ષમાપના. પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે: ક્ષમાપના. ક્ષમાપના એટલે પોતાની ભૂલ બાળક બનીને ખુલ્લા દિલથી કોઈ પણ જાતનો બચાવ કર્યા વગર નિખાલસતા પૂર્વક સ્વીકારવી. હરિભદ્રસૂરિ કહે છે જે અનુષ્ઠાનમાં મૈત્રી અને ક્ષમા ભાવ નથી એ અનુષ્ઠાન જ નથી. ગળામાં ગાંઠ, દોરામાં ગાંઠ અને શેરડીમાં ગાંઠ હોય ત્યાં શું થાય છે એ કલ્પી શકો છો. એમ જ મનમાં શત્રુતાની ગાંઠ હોય તો બધી કરેલી આરાધના ફોક થઇ જાય છે. કલ્પસૂત્ર એ પણ કહે છે કે તમે ઉપશમ ભાવ નહિ રાખો તો વિરાધક બનો છો. બહારથી ક્લેશ મુક્ત થવા માટે અંદરથી સંક્લેશ મુક્ત થવું પડશે. ભગવાન મહાવીર ફરમાવે છે:
ખામેમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મેં - હું બધા જીવોનું માફી આપું છું, બધા જીવો મને પણ માફી આપો
મિત્તિમે સવ્વ ભૂએષુ વૈરં મઝઝં ન કેણઈ - મારો સૌ સાથે મૈત્રી ભાવ છે, કોઈની સાથે મારી શત્રુતા નથી.
તો, આવી રીતે આ પર્યુષણ પર્વ આત્મ નિરીક્ષણથી શરુ થાય છે અને પાંચ કર્તવ્યો દ્વારા ક્ષમાપના પર પૂર્ણતા પામે છે. આ વખતે આપણે સૌ સાચા અર્થમાં પર્યુષણમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર પદની આરાધના કરી આત્માને ઓળખીએ અને ક્ષમાપના દ્વારા જીવનને ભારમુક્ત બનાવીએ. પર્યુષણ પર્વની આરાધના માટે સૌ સાધકો પ્રત્યે મંગળ કામના ....
ધ્યાન સાધના - વવાણીયા: મોરબી: પહેલો દિવસ: 21 માર્ચ 2025
Apr 26, 2025
વવાણીયા તા. 21 એપ્રિલ 25
હું તારીખ 21 થી 27 એપ્રિલ 2025 સુધી સૌરાષ્ટ્રની સાધના ભૂમિ વવાણીયામાં છું. અહીંયા મુખ્ય ત્રણ મહાપુરુષો થઈ ગયા - એક: શ્રીમદ રાજચંદ્ર, બે: રામબાઈ માં અને ત્રણ: નીબ કરોલી બાબા. અહીંયા ત્રણે મહાપુરુષના આશ્રમ અત્યંત બાજુ બાજુમાં છે.
વવાણીયા એક તપોભૂમિ છે, સાધના અને જ્ઞાનીઓની ભૂમિ છે. અહીંયા આ મહાપુરુષોએ ખૂબ સાધના કરી, આત્મજ્ઞાન પામ્યા છે. અહીંયા સાધના કરવી જીવનનો એક અમૂલ્ય લહાવો છે.
આજે મારો સાધનાનો પહેલો દિવસ પૂરો થઈ રહ્યો છે. હું રામબાઈ માં આશ્રમમાં રોકાયેલો છું. સેવાભાવી જેસંગભાઈ મારી સાથે છે. સાધનામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે. રોજ સવારે ૫.૩૦ - ૬.૩૦ ધ્યાન, ૬.૩૦ હું ૭.૩૦ વોકિંગ, ૯ થી ૧૨ અને ૩ થી ૬ મૌન, ૭ થી ૯ ધ્યાન સાધના અલગ અલગ ધ્યાન ભૂમિઓ ઉપર..રોજ સાંજના નીબ કરોલી બાબાના મંદિરમાં જઈને પણ ધ્યાનમાં બેસવાનો લહાવો મળે છે, શ્રીમદ રાજચંદ્રજીને જ્યાં જાતિ સ્મરણ જ્ઞાન થયેલું ત્યાં પણ ધ્યાનમાં બેસવાનો અવસર મળે છે.
રામબાઈ માં આશ્રમમાં ખૂબ જ સારી વ્યવસ્થા છે, સેવકો ખૂબ જ સહયોગી છે. એમના મુખ્ય ટ્રસ્ટી જશુભાઈ રાજકોટમાં રહે છે. સાધના ના પહેલો દિવસ ખૂબ જ આનંદમય રીતે પસાર થયો..
~ સમણજી
Vavaniya
Apr 26, 2025
Vavaniya, March 21, 2025
I am in Vavaniya, the spiritual land of Saurashtra, from April 21 to April 27, 2025. Three great spiritual personalities graced this place — Shrimad Rajchandra, Rambai Maa, and Neem Karoli Baba. The ashrams of these revered souls are located very close to each other. Vavaniya is a land of penance, spiritual practice, and wisdom. These great personalities practiced deep meditation here and attained self-realization.
Engaging in spiritual practice here is a priceless experience. Today marks my first day of spiritual practice, which is now coming to an end. I am staying at Rambai Maa Ashram, accompanied by the devoted Jasangbhai. The joy of practicing meditation here is profound.
My daily schedule includes meditation from 5:30 AM to 6:30 AM, followed by a walk from 6:30 AM to 7:30 AM. Silent contemplation takes place from 9 AM to 12 PM and 3 PM to 6 PM. From 7 PM to 9 PM, I practice meditation at different spiritual spots. Every evening, I also have the privilege of meditating at the Neem Karoli Baba temple and at the very place where Shrimad Rajchandra attained his self-realization.
The facilities at Rambai Maa Ashram are excellent, and the volunteers are extremely helpful. The main trustee of the ashram, Jasubhai, resides in Rajkot. My first day of spiritual practice has been blissful and fulfilling.
~ Samanji
ध्यान की यात्रा प्रारंभ - ववाणिया - पहला दिन २१ मार्च २०२५
Apr 26, 2025
ववाणिया, 21 अप्रैल 2025
मैं 21 अप्रैल से 27 अप्रैल 2025 तक सौराष्ट्र की साधना भूमि ववाणिया में हूँ। यहाँ तीन प्रमुख महापुरुष हुए - एक: श्रीमद राजचंद्र, दो: रामबाई मां और तीन: नीब करौरी बाबा। यहाँ इन तीनों महापुरुषों के आश्रम पास-पास स्थित हैं। ववाणिया एक तपोभूमि है, साधना की भूमि है, और ज्ञानियों की भूमि है। इन महापुरुषों ने यहाँ गहरी साधना की और आत्मज्ञान प्राप्त किया।
यहाँ साधना करना जीवन का एक अमूल्य अनुभव है। आज मेरा साधना का पहला दिन है। पहला दिन पूर्ण होने को है। मैं रामबाई मां आश्रम में ठहरा हूँ। सेवाभावी जैसंगभाई मेरे साथ हैं। साधना में अत्यंत आनंद की अनुभूति हो रही है।
रोज सुबह 5:30 से 6:30 ध्यान, 6:30 से 7:30 वॉकिंग, 9 से 12 और 3 से 6 मौन, और 7 से 9 विभिन्न ध्यान स्थलों पर ध्यान साधना होती है। हर शाम को नीब करौरी बाबा के मंदिर में जाकर ध्यान में बैठने का भी सौभाग्य मिलता है। श्रीमद राजचंद्रजी को जहाँ जाति स्मरण ज्ञान प्राप्त हुआ था, वहाँ भी ध्यान में बैठने का अवसर मिलता है।
रामबाई मां आश्रम में उत्तम व्यवस्था है, सेवक अत्यंत सहयोगी हैं। आश्रम के मुख्य ट्रस्टी जशुभाई राजकोट में रहते हैं। साधना का पहला दिन बहुत ही आनंदमय रहा।
ધ્યાન સાધના - બીજો દિવસ - રામબાઈ આશ્રમ - વવાણીયા - 22 માર્ચ 2025
Apr 26, 2025
રામબાઈ મા આશ્રમ
વવાણીયા, તા. 22 માર્ચ 2025
આજે સાધનાનો બીજો દિવસ સંપન્ન થઈ રહ્યો છે. મૌન, એકાંત અને ધ્યાન સાધનાનો આ પ્રયોગ નિવૃત્તિનો અભ્યાસ છે. નિરપેક્ષ આનંદ આવી રહ્યો છે. જૈન જીવન દર્શનના અભ્યાસ પછી એટલો નિર્ણય દ્રઢ થયો છે કે મહાવીરનો માર્ગ નિવૃત્તિનો છે. ठाणेणम्, मोणेणम्, झाणेणम्, अप्पाणम् वोसिरामि: अर्थात् શરીર સ્થિર, વાણી મૌન અને મન ધ્યાનમાં લીન - આ ત્રણેય માટે આત્માને સમર્પિત કરી દેવું એ મહાવીરની સાધનાના માર્ગ છે. મહાવીરની સાધનાનો માર્ગ વ્યક્તિની ભીતરમાં ખુલે છે, બહારમાં નહીં. બહાર ભ્રમ છે, ભીતર સત્ય છે.
જાતને જોડીદાર બનાવી એકલા નીકળી પડવાનો આ માર્ગ છે. યોગ્ય સમયે અને યોગ્ય ઉમરે કરવા યોગ્ય કાર્ય કરી લેવા જોઈએ એ આશયથી આ સાધના યાત્રા ચાલુ કરી છે. "એકલા ચાલો રે" ની માનસિકતા સાથે અધ્યાત્મની યાત્રા વર્ષોથી ગતિમાન છે. હવે વધુ સમજાઈ રહ્યું છે કે ટોળા કરતાં એકાંતનો આનંદ અનેરો હોય છે.
નિરાંતે જાત નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે જે કરવાનો કશો જ અર્થ કે હેતુ નથી, એની સામે ઘણી એવી સાધનાઓ છે જે કર્યા વિના જિંદગીનો કશો હેતુ નથી. કીર્તિ, નામના અને સન્માન પામવાની મહત્વાકાંક્ષા જો થોડી ઓછી કરી શકીએ તો સંતોષ અને શાંતિ ખરેખર વધે છે. ખૂબ જ ટૂંકી આ જિંદગીમાં જાતને શોધવાનું બાકી ન રહી જવું જોઈએ. આ સાધના એ દિશામાં એક પગલું છે. આ સાધનાથી જિંદગીનો હેતુ વધુ સ્પષ્ટ થાય છે.
~ સમણજી
ध्यान साधना - दूसरा दिन - रामबाई आश्रम - ववाणिया - २२ मार्च २०२५
Apr 26, 2025
रामबाई मा आश्रम: Second Day
ववाणिया, 22 मार्च 2025
आज साधना का दूसरा दिन संपन्न हो रहा है। मौन, एकांत और ध्यान साधना का यह प्रयोग निवृत्ति का अभ्यास है। निरपेक्ष आनंद की अनुभूति हो रही है। जैन जीवन दर्शन के अध्ययन के बाद यह निर्णय दृढ़ हो गया है कि महावीर का मार्ग निवृत्ति का है।
"ठाणेणम्, मोणेणम्, झाणेणम्, अप्पाणम् वोसिरामि:"
अर्थात् शरीर को स्थिर करना, वाणी को मौन रखना और मन को ध्यान में लीन कर आत्मा को समर्पित कर देना — ये तीनों महावीर की साधना के मार्ग हैं। महावीर की साधना का मार्ग व्यक्ति के भीतर खुलता है, बाहर नहीं। बाहर भ्रम है, भीतर सत्य है।
यह मार्ग स्वयं को ही साथी बनाकर अकेले निकल पड़ने का है। सही समय और उचित उम्र में आवश्यक कार्य कर लेने चाहिए, इसी भाव से यह साधना यात्रा शुरू की है। "एकला चलो रे" की मानसिकता के साथ आध्यात्मिक यात्रा वर्षों से गतिमान है। अब और अधिक स्पष्ट हो रहा है कि भीड़ की अपेक्षा एकांत का आनंद अनुपम होता है।
यदि शांति से आत्मनिरीक्षण करें, तो पता चलता है कि कई सारी गतिविधियाँ ऐसी हैं, जिनका कोई अर्थ या उद्देश्य नहीं है, जबकि कई साधनाएँ ऐसी हैं, जिनके बिना जीवन का कोई उद्देश्य नहीं है। यदि हम कीर्ति, नाम और सम्मान पाने की महत्वाकांक्षा को थोड़ा कम कर सकें, तो संतोष और शांति वास्तव में बढ़ जाते हैं।
इस अत्यंत संक्षिप्त जीवन में स्वयं को जानने का अवसर नहीं गंवाना चाहिए। यह साधना उसी दिशा में एक कदम है। इस साधना से जीवन का उद्देश्य और अधिक स्पष्ट हो रहा है।
~ समणजी
Rambai Ma Ashram
Apr 26, 2025
Rambai Ma Ashram
Vavaniya, March 22, 2025
Today marks the completion of the second day of the spiritual practice. This experiment of silence, solitude, and meditation is an exercise in renunciation. A sense of absolute bliss is emerging. After studying Jain philosophy, the conviction has deepened that Mahavira's path is one of renunciation.
"Thāṇeṇam, Moṇeṇam, Jhāṇeṇam, Appāṇam Vosirāmi:"
This means to keep the body still, remain silent, and immerse the mind in meditation — dedicating all three to the soul. This is the path of Mahavira’s spiritual practice. The path of Mahavira unfolds within oneself, not outside. The external world is an illusion, while the inner world holds the truth.
It is a journey of walking alone, with oneself as the sole companion. With the belief that one should accomplish the right tasks at the right time and age, this spiritual endeavor has commenced. The mindset of "Ekla Chalo Re" — walking alone — has guided this spiritual journey for years. Now, it is becoming even clearer that the joy of solitude far surpasses that of the crowd.
When we observe ourselves in silence, it becomes evident that many of our activities are meaningless and purposeless. On the other hand, there are many spiritual practices that give life its true purpose. If we can reduce our desire for fame, recognition, and applause, we will undoubtedly experience greater peace and satisfaction.
In this short life, the opportunity to discover oneself should not be lost. This spiritual practice is a step in that direction. Through it, the purpose of life becomes even clearer.
~ Samanji
The Call of Silence: Returning to the Inner Self (March 23, 2025)
Apr 26, 2025
"The Call of Silence: Returning to the Inner Self (March 23, 2025)"
Date: March 23, 2025
Today marks the completion of the third day of silence, solitude, and meditation practice. Being in solitude makes self-observation easier. After spending the third day in the practice of silence, solitude, and meditation, I realized that my true nature is introverted. Due to the responsibilities of daily life, I gradually became extroverted and started to forget my introverted nature. But that is not my true self. People with an introverted nature enjoy solitude, meditation, and silence. They prefer to stay away from crowds, speak less, and remain immersed in their own inner world.
A person should learn to recognize their innate nature. An extroverted individual can excel in management because that path leads outward. On the other hand, an introverted individual can reach spiritual heights because this path leads inward. One path is of power, while the other is of peace. The path of power involves ego and conflict, whereas the path of peace embodies humility and acceptance.
~ Samanji
.
Apr 26, 2025
વવાણિયા
તા. માર્ચ 23, 2025
આજે મૌન એકાંત ધ્યાન સાધનાનો ત્રીજો દિવસ પૂરો થાય છે. એકાંતમાં રહેવાથી સ્વનું તટસ્થ નિરીક્ષણ સરળ બને છે. આજે ત્રીજા દિવસે મૌન એકાંત અને ધ્યાન પ્રયોગમાં પસાર થવાથી ખ્યાલ આવે છે કે મારો મૂળ સ્વભાવ અંતર્મુખી છે. કર્તવ્ય નિર્વાહના કારણે સહજ રીતે બહિર્મુખતા થવા લાગી અને અંતર્મુખતાને હું ભૂલવા લાગ્યો પણ એ મારો મૂળ સ્વભાવ નથી. જેનો સ્વભાવ અંતર્મુખી હોય એને એકાંત, ધ્યાન, મૌન ગમશે અને આવા લોકો ભીડથી દૂર ભાગશે, વધુ બોલવાનું ટાળશે, પોતાની મસ્તીમાં ડૂબેલા રહેશે.
માણસે એની મૂળ પ્રકૃતિ પારખતાં શીખવું જોઈએ. બહિર્મુખી મેનેજમેન્ટ સારું કરી શકશે, આ માર્ગ બહાર તરફ ખુલે છે. અંતર્મુખી અધ્યાત્મની ઊંચાઈને પકડી શકશે કેમકે આ માર્ગ ભીતર તરફ ખુલે છે. એક શક્તિનો માર્ગ છે અને બીજો શાંતિનો. શક્તિના માર્ગમાં અહંકાર અને સંઘર્ષ છે, શાંતિના માર્ગમાં નમ્રતા અને સ્વીકાર ભાવ છે.~ *સમણજી*
ववाणिया
Apr 26, 2025
ववाणिया
ता. मार्च 23, 2025
आज मौन, एकांत और ध्यान साधना का तीसरा दिन पूरा हो गया। एकांत में रहने से आत्म-निरीक्षण सरल हो जाता है। आज तीसरे दिन मौन, एकांत और ध्यान के प्रयोग में समय बिताने के बाद यह एहसास हुआ कि मेरा मूल स्वभाव अंतर्मुखी है। कर्तव्य निर्वहन के कारण मैं स्वाभाविक रूप से बहिर्मुखी होने लगा और अपने अंतर्मुखी स्वभाव को भूलने लगा, लेकिन वह मेरा असली स्वभाव नहीं है। जिनका स्वभाव अंतर्मुखी होता है, उन्हें एकांत, ध्यान और मौन अच्छा लगता है। ऐसे लोग भीड़ से दूर रहना पसंद करते हैं, कम बोलने की प्रवृत्ति रखते हैं और अपनी मस्ती में डूबे रहते हैं।
मनुष्य को अपने मूल स्वभाव को पहचानना सीखना चाहिए। बहिर्मुखी व्यक्ति प्रबंधन (मैनेजमेंट) में कुशल हो सकता है क्योंकि यह मार्ग बाहर की ओर खुलता है। वहीं, अंतर्मुखी व्यक्ति आध्यात्मिक ऊंचाइयों को छू सकता है क्योंकि यह मार्ग भीतर की ओर जाता है। एक मार्ग शक्ति का है और दूसरा शांति का। शक्ति के मार्ग में अहंकार और संघर्ष होता है, जबकि शांति के मार्ग में नम्रता और स्वीकृति की भावना होती है ।
~ समणजी
साधना में स्वास्थ्य का मूल्य: दिनांक: 24/3/25 : Vavaaniya
Apr 26, 2025
साधना में स्वास्थ्य का मूल्य: दिनांक: 24/3/25
"स्वस्थ व्यक्ति के माथे पर चमकती ऊर्जा को कोई बीमारी छू भी नहीं सकती।"
जो अपने स्वास्थ्य के लिए समय नहीं निकालता, उसे बीमारी के इलाज के लिए समय निकालना ही पड़ता है! जब तक बीमारी होती है, तब तक दुनिया को कैसे बदला जा सकता है? स्वास्थ्य बनाए रखने के लिए आज के युग में हमें अधिक सक्रिय रहना पड़ेगा। जैसे-जैसे टेक्नोलॉजी और मशीनरी बढ़ी है, वैसे-वैसे शारीरिक श्रम कम हो गया है। इसके लिए हमें अलग से प्रयास करने होंगे। दौड़ना, साइकल चलाना, दौड़-दौड़ कर योगासन करना, ऐसा कुछ न कुछ प्रतिदिन 32 मिनट तक अवश्य करना चाहिए। इस तरह के प्रयासों से शरीर के भीतर के आंतरिक तंत्रों का अच्छा संचालन होता है। आज वैज्ञानिक शोधों द्वारा यह सिद्ध हुआ है कि लगातार 32 मिनट की हार्ट रेट (हृदय गति) से चलने वाली गतिविधियों से शरीर में नये कोशिकाओं का निर्माण होता है।
आज के तेज रफ्तार वाले डिजिटल युग में मानसिक ध्यान का महत्त्व और भी बढ़ गया है। लगातार 32 मिनट तक ध्यान करना डोपामाइन तथा सिरोटोनिन नामक हार्मोन के स्राव को बढ़ाता है, जिससे चिंता, भय कम होता है, याददाश्त बढ़ती है और मानसिक स्वास्थ्य में सुधार आता है। इसलिए प्रतिदिन 32 मिनट का ध्यान स्वास्थ्य के साथ चमत्कारी परिणाम देने वाला सिद्ध हुआ है।
जो लोग नियमित साधना करते हैं, उन्हें दवाइयों की आवश्यकता कम पड़ती है, उनकी रोग प्रतिरोधक शक्ति बढ़ती है और उनके जीवन में आनंद बना रहता है। साधना के बिना, भले ही बड़ी-बड़ी सफलताएँ मिल जाएँ, परन्तु वास्तविक सुख और संतोष नहीं मिल सकता। इसलिए प्रतिदिन कम से कम 20 मिनट ध्यान अवश्य करना चाहिए। यही आज का स्वास्थ्य का संदेश है...!
સાધના માં સ્વાસ્થ્ય નું મૂલ્ય – તા. ૨૪/૩/૨૫
Apr 26, 2025
સાધના માં સ્વાસ્થ્ય નું મૂલ્ય – તા. ૨૪/૩/૨૫
"સ્વસ્થ વ્યક્તિના માથા પરની તેજસ્વી ઊર્જાને કોઈ રોગ સ્પર્શી શકે નહીં."
જે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢતો નથી, તેને બીમારીના ઈલાજ માટે સમય કાઢવો જ પડે છે! બીમારી થતાં પહેલાંજ સ્વાસ્થ્ય જાળવી લઈએ તો દુનિયામાં કેટલો મોટો બદલાવ આવી શકે? આજના યુગમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વધારે સક્રિય થવું જરૂરી છે. ટેક્નોલોજી અને મશીનરી વધતાં શારીરિક શ્રમ ઘટી ગયો છે. તેથી હવે ખાસ પ્રયત્નો કરવો જરૂરી છે. દોડવું, સાઈકલ ચલાવવી, દોડતા દોડતા યોગાસન કરવાં, એવો કોઈ ન કોઈ શારીરિક અભ્યાસ દરરોજ ઓછામાં ઓછો ૩૨ મિનિટ સુધી કરવો જરૂરી છે. આવી પ્રવૃત્તિઓથી શરીરના આંતરિક તંત્રો સારા બની રહે છે. આજના વૈજ્ઞાનિક સંશોધનોએ આ પુરવાર કર્યું છે કે ૩૨ મિનિટ સુધી સતત ધબકતી હ્રદયગતિથી થતી પ્રવૃત્તિઓએ શરીરમાં નવા કોષોની ઉત્પત્તિ થાય છે.
આજના ઝડપી અને ડિજિટલ યુગમાં મનોમન શાંત થવું અને ધ્યાન કરવું ખૂબ જ આવશ્યક બન્યું છે. સતત ૩૨ મિનિટ ધ્યાન કરવાથી "ન્યૂરોપીન" અને "સિરોટોનિન" નામના હોર્મોન્સનું સ્તર વધે છે, જેનાથી ચિંતા, ભય ઘટે છે અને યાદશક્તિ વધે છે તથા મન શાંત અને તાજું બને છે. એટલે રોજિંદા જીવનમાં ૩૨ મિનિટનું ધ્યાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી અને ચમત્કારિક સાબિત થયું છે.
જે લોકો નિયમિત સાધના કરે છે તેઓ ઓછા બીમાર પડે છે, દવાઓની જરૂરિયાત ઘટે છે અને જીવનમાં આનંદનો પ્રવાહ યથાવત રહે છે. વિના સાધના ભલે મોટી મોટી સફળતા મળે, પરંતુ સાચો સુખ અને સંતોષ ન મળે. તેથી દરરોજ ઓછામાં ઓછા ૨૦ મિનિટ ધ્યાન કરવું આવશ્યક છે. આ આજના આરોગ્યનો સેતુ સંદેશ છે...
~ Samanji
Invest in Health Before Paying for Illness: 24/3/2025: Vavaniya
Apr 26, 2025
Invest in Health Before Paying for Illness: 24/3/2025: Vavaniya
"The radiant energy shining on the forehead of a healthy individual remains untouched by any illness."
Those who do not make time for their health will eventually be forced to make time for their illness. If we prioritize our well-being from the beginning, imagine the transformation we could bring to the world! In today’s age, maintaining health demands greater awareness and active effort. As technology and machines have made life easier, physical exertion has declined. Therefore, we must consciously incorporate physical activities into our daily lives — such as running, cycling, and practicing dynamic yoga.
At least 32 minutes of such exercises each day are essential. These practices ensure the smooth functioning of the body's internal systems. Modern scientific research confirms that maintaining an elevated heart rate for 32 minutes daily stimulates the creation of new cells within the body.
In today’s fast-paced digital world, calming the mind has become as important as strengthening the body. Regular meditation for 32 minutes significantly increases the secretion of hormones like Neuropein and Serotonin, which reduce anxiety and fear, enhance memory, and improve overall mental clarity. Thus, just 32 minutes of daily meditation has been proven to work wonders for both mental and physical health.
Individuals committed to regular sadhana experience fewer illnesses, require less medication, and enjoy a lasting sense of joy and contentment. Without sadhana, even the greatest worldly successes feel hollow and unsatisfying.
Therefore, let us commit to at least 20 minutes of meditation each day — a simple yet powerful key to radiant health and true inner fulfillment.
This is today’s essential message for a vibrant and meaningful life...
~ Samanji
સાધના યાત્રા : તિરૂવનમલઈના પ્રથમ દિનની અનુભૂતિ (૧૭ એપ્રિલ, ૨૦૨૫)
Apr 26, 2025
સાધના યાત્રા | Day :1
૧૭ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૫ શ્રી રમણ મહર્ષિ આશ્રમ, તિરૂવનમલઈ
૧૬ એપ્રિલ, ૨૦૨૫
આજે હું ચેન્નઈમાં શ્રી પદમજી ચોરડિયા સાહેબના નિવાસસ્થાને પહોંચ્યો છું. અભય એરપોર્ટ લેવા આવેલ, એ માટે એમનો આભાર. સાંજે આત્મીય ભાવનાથી ભરેલો સત્સંગ યોજાયો અને બીજા દિવસે સવારે પ્રેમપૂર્વકનો સ્વાદિષ્ટ નાસ્તો લીધી. પદમજી અને સમગ્ર પરિવારનો આદરભર્યો આભાર તેમના સ્નેહ અને આત્મીય સ્વાગત માટે અને આભાર આનંદ ભાઈ ચોરડીયા માટે પણ જેમને આ આયોજન કર્યું.
*૧૭ એપ્રિલ, ૨૦૨૫*
નાસ્તા બાદ અમારી તિરૂવનમલઈ તરફની યાત્રા શરૂ થઈ. આ પવિત્ર સ્થળ ચેન્નઈ અને બેંગલોર બંનેથી લગભગ ૨૦૦ કિમી દૂર આવેલું છે. ત્યાં પહોંચીને પ્રથમ અમે અરુણાચલેશ્વર શિવ-શક્તિ મંદિરમાં દર્શન કર્યા. મંદિરના શાંત અને દિવ્ય વાતાવરણમાં ગહન આંતરિક શાંતિનો અનુભવ થયો.
સાંજના સમયે, અમે પ્રખ્યાત શ્રી રમણ મહર્ષિ આશ્રમમાં ધ્યાન કર્યું – એક હૃદયસ્પર્શી અનુભૂતિ થઈ. આશ્રમમાં એવી મૌનતા વ્યાપેલી છે કે જાણે પોતે રમણ મહર્ષિની દિવ્ય ઉપસ્થિતિ અનુભવી રહ્યા હોઈએ.
આશ્રમમાં રહેવાની પૂર્વ વ્યવસ્થા ન હોવાથી, ગણેશભાઈની વ્યસ્તતાના કારણે એ બુકિંગ કરવાનું ચૂકી ગયા.. કંઈ વાધો નહીં, થોડી તકલીફ પડી પણ એ પણ સાધના જ છે ને!
હું આશ્રમથી માત્ર ૨ મિનિટના અંતરે આવેલા શાંતિમય શ્રી શેષાદ્રી સ્વામીગળ આશ્રમમાં રોકાયો છું. દરરોજ હું રમણ આશ્રમમાં ધ્યાન કરવા જાઉં છું.
આશ્રમનું વાતાવરણ સંપૂર્ણ મૌનમાં ડૂબેલું છે. ત્યાંના કર્મચારીઓ અને સેવકો પણ મૌનમાંથી પોતાની ફરજો બજાવે છે. અહીંની આંતરિક શાંતિ ખૂબ ઊંડી છે.
મને વિશેષ રૂપે આશ્રમમાં નાસ્તો કરવાનો પણ અવસર મળ્યો – કેળાના પાન પર પીરસાયેલ સરળ પરંતુ આધ્યાત્મિકતાથી ભરેલું ઇડલી અને સાંભર. કોઈ ચમચી નહીં – પરંપરાગત રીતે પાંચ આંગળીઓથી જ ભોજન. એક મનને સ્પર્શે એવી અનુભૂતિ!
આશ્રમનું પુસ્તકાલય એ એક અધ્યાત્મિક ખજાનો છે. શ્રી રમણ મહર્ષિ પર આધારિત ઘણા પુસ્તકો જોવા મળ્યા, અને કેટલીક ગુજરાતી આવૃત્તિઓ ખરીદવાની મારો ઈરાદો છે.
---
શ્રી રમણ મહર્ષિ (૧૮૭૯ – ૧૯૫૦) વિશે થોડી માહિતી
શ્રી રમણ મહર્ષિ આધુનિક ભારતના અત્યંત પૂજનીય ઋષિ હતાં, જેઓ આત્મવિચાર (Self-Inquiry – આત્મવિચારणा) વિષેના તેમના ઊંડા શિક્ષણ માટે જાણીતા છે. તેમનો મુખ્ય સંદેશો સરળ પણ જીવન પરિવર્તન કરનાર એવો હતો: "હું કોણ છું?" તેમણે શોધકોએ પોતાના અંદર નજર ફેરવી અને અહંકારની બહાર જતી પોતાની સાચી ઓળખ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
રમણ મહર્ષિએ માત્ર ૧૬ વર્ષની વયે આત્મસાક્ષાત્કાર પામ્યા અને તેમના જીવનનો મોટો ભાગ તિરૂવનમલઈના પવિત્ર અરુણાચલ પર્વત પાસે વિતાવ્યો. આજે પણ તેમનો આશ્રમ શાંતિ, જાગૃતિ અને આંતરિક સ્થિરતાનું પાવન સ્થાન છે.
~ Samanji
---
સાધના યાત્રા : તિરૂવનમલઈના બીજાં દિવસે અંતર્મુખ યાત્રા (૧૮ એપ્રિલ, ૨૦૨૫)
Apr 26, 2025
સાધના યાત્રા: બીજો દિવસ
તીરુવન્નમલય, તામિલનાડુ
તા. 18 એપ્રિલ 2025
આજે સાધનાનો બીજો દિવસ છે. બ્રહ્મમુર્હતમાં, સવારે અને સાંજે એમ ત્રણ વાર રમણ આશ્રમમાં ધ્યાન કરવા માટે જાઉં છું. ત્યાં ખરેખર ધ્યાનના પરમાણુ અનુભવાય છે. જેટલો સમય નક્કી કર્યો હોય એનાથી વધુ બેસવાનું મન થાય છે. એક નિર્વિકલ્પ આનંદ છે.
ત્યાં એક ગહન ચુપ્પી અનુભવાય છે. ગુજરાતથી આટલું દૂર આવવું ખરેખર સાર્થક થઈ ગયું. આમેય અહીં સુધી બધા પહોંચી નથી શકતા.. કોઈક અદ્રશ્ય શક્તિનો કોલ આવે કે કૃપા થાય ત્યારે આવો ભાવ જાગતો હોય છે, એવું મને લાગે છે.
ધ્યાનમાં બેસવું અત્યંત સરલ પ્રક્રિયા છે. પરંતુ ધ્યાનની પૂર્વ ભૂમિકા નિર્મિત કરવી એ અઘરી બાબત છે. ધ્યાનની પૂર્વભૂમિકામાં કેટલીક બાબતો અનિવાર્ય છે.
1. પૂર્વ જન્મની સાધના:
પૂર્વ જન્મની ધ્યાન સાધનાનો અભ્યાસ હોય તો જ આ જન્મમાં ધ્યાન સાધના સરળ બને છે.
2. તીવ્ર સંકલ્પ:
પૂર્વ જન્મની સાધના ન હોય તો તીવ્ર સંકલ્પ કરવાથી ધ્યાન સાધનામાં પ્રવેશ થઈ શકે છે.
3. અભિરુચિ:
અભિરુચિ એટલે ધ્યાનમાં જવા માટે અંતર્મુખતા નો ભાવ હોવો જોઈએ. ભીતરી તત્વ ખોજવાની અભિપ્સા હોવી જોઈએ, તીવ્ર તડપ હોવી જોઈએ.
4. ધ્યાનની પ્રાથમિકતા:; ત્યારબાદ ચોથું અનિવાર્ય તત્વ છે - ધ્યાન અભ્યાસની પ્રાથમિકતા. ધ્યાનમાં બેસવાને પ્રાથમિકતા આપવી અને નિયમિત આદત પૂર્વક ધ્યાન કરવું. આમ.કરી શકો તો જ ધ્યાનમાં પ્રવેશ સરળ બને છે.
બાકી એ સત્ય હકીકત છે કે અબજો લોકોમાં લાખો લોકો ધર્મના માર્ગે પ્રવેશ કરે છે, પરંતુ એ લાખોમાંથી પાંચ દસ હજાર લોકો ધ્યાનમાં બેસવાની કોશિશ કરે છે. પરંતુ આ કોશિશ માત્ર એક કુતુહલતાનું પરિણામ છે. એ પાંચ દસ હજાર લોકો જે કોશિશ કરે છે એમાંથી માત્ર બસો પાંચસો લોકોને ખરેખર ધ્યાનની ઉત્કંઠા જાગી હોય છે અને એમાંથી પચાસ સો લોકો ધ્યાનમાં ઉતરી શકે છે. એમાંથી કેટલાક ખોજી હોય છે અને કેટલાક પહોંચી ગયેલા જ્ઞાની. ખોજી ધ્યાન થકી સ્વની શોધ ચાલુ રાખે છે અને જ્ઞાની ખોજ કરીને મંઝિલ સુધી પહોંચી ગયા હોય છે.
એટલે આ માર્ગ આમ જુઓ તો સરળ નથી કેમકે અંદર ઉતરવું એ સામાન્ય બાબત નથી. અંદર બેઠેલા અનાદીના અંધકારનો સામનો કરવો પડે છે. એ અંધકારને ભેદીને, વિભાવોને છેદીને, વિકલ્પોને વિરામ આપીને ભીતરમાં ઉતારવાનું હોય છે.
જે વ્યક્તિને ધ્યાનનો આવો નશો ચડી જાય તેના ઉપર પછી દુનિયાનો કોઈ નસો ચડતો નથી. આ નશો ચઢાવવા જેવો છે. ધ્યાનમાં ઉતરવા જેવું છે. ભીતરના સત્યનો સાક્ષાત્કાર કરવા જેવો છે. ધર્મની બહુ કસરતો કરવાની જરૂર નથી, એ બધા પ્રપંચો છે. ધ્યાનનો માર્ગ જ તમને તમારા સુધી લઈ જશે. એ જ જીવનનો અત્યંત ધ્યેય છે.
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
તમિલનાડુ
સાધના યાત્રા : ત્રીજો દિવસ — “હું કોણ છું?” નો આંતર પ્રવાસ (તિરુવન્નામલૈ, ૧૯ એપ્રિલ, ૨૦૨૫)
Apr 26, 2025
સાધના યાત્રા : ત્રીજો દિવસ — “હું કોણ છું?” નો આંતર પ્રવાસ (તિરુવન્નામલૈ, ૧૯ એપ્રિલ, ૨૦૨૫)
સાધના યાત્રા : ત્રીજો દિવસ
તિરુવન્નામલૈ, તમિલનાડુ
૧૯ એપ્રિલ, ૨૦૨૫
આજનો ધ્યાનનો પ્રવાહ રોજ મુજબ આગળ વધ્યો. પરંતુ અંદર કંઇક શાંત થઈ ગયું હોય એવું લાગ્યું—વિચારોની ગતિ ધીમી પડી. સ્પષ્ટ સમજાયુ કે વિચાર એ આપણી વાસ્તવિક ઓળખ નથી, માત્ર કામચલાઉં ટેકો છે. વિકલ્પો મનની ઊથલપાથલ છે, આત્માની સચ્ચાઈ નથી.
રાત્રે ઊંઘવાની પહેલા, મૌની સાધુની પુસ્તક “પરમ શાંતિના દિવસો” વાંચવાનું શરૂ કર્યું. કેટલીક પંક્તિઓ એવી હતી કે જેમાં મન અટકી ગયું —એવી લાગણી થઈ કે આ શબ્દો કોઇ પૂર્વજન્મની યાદ બનીને પાછા ફરી રહ્યા છે.
શ્રી રમણ મહર્ષિનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૭૯ના રોજ મદુરાઇ પાસેના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ વેંકટરમણ હતું—તેઓ એક તંદુરસ્ત, આકર્ષક બાળક હતા, રમતમાં રસ હતો પણ અભ્યાસમાં ખાસ રુચિ ન હતી. તેમના કુળમાં માન્યતા હતી કે દરેક પેઢીમાંથી એક પુત્ર સંન્યાસ ગ્રહણ કરશે.
પરિયાપુરાણ—૬૩ શૈવ સંતોની જીવનકથાઓ—એ બાળ રમણના હૃદયમાં તપસ્વી બનવાની આગ જગાવી. ત્યારે જ પ્રથમવાર “અરુણાચલ” નામ તેમના ચિત્તમાં પ્રવેશ્યું—જે પછી તેમના જીવનનું કેન્દ્ર બની ગયું.
એક દિવસ જ્યારે તેઓ એકલાં હતા, તેમને મૃત્યુનો અનુભવ થયો. થોડા સમય પછી તે જ શરીરમાં જીવન પાછું આવ્યું—પણ અંદરનો ચેતન સ્વરૂપ સંપૂર્ણ રીતે પરિવર્તિત થઈ ગયો. હવે તેમને ખબર પડી કે તેઓ માત્ર શરીર કે મન નથી—તેઓ તેના પારના છે.
આ પછી તેમણે મદુરાઇ છોડ્યું અને એક પત્ર લખી ગયા:
“મને શોધવા નહીં આવશો, હું એક ઉચ્ચ ધ્યેય માટે અને નેક કાર્ય માટે નીકળી રહ્યો છું.”
કેટલાક વર્ષો સુધી તેઓ ઘોર સમાધિમાં તત્પર રહ્યા—બાહ્ય વિશ્વથી દુર, આંતર યાત્રામાં લીન.
શ્રી રમણ મહર્ષિની ઉપસ્થિતિ માત્રથી આત્મામાં મૌન ઊભું થતું. ત્યાં કોઈ જાતિ, વર્ગ કે પંથનો ભેદ નહોતો—એમના સાંનિધ્યમાં દરેક સાધક એક સમાન ધ્યાનમાં લીન થઇ જતા.
તેમની સાધનાનો મંત્ર હતો:
*"હું કોણ છું?"*
આ પ્રશ્નમાં જ સમગ્ર આત્મ-અન્વેષણનું બીજ છુપાયેલું છે. એ પ્રશ્ન જ ધ્યાન બની જાય છે—અને ધ્યાન જ અંતે આત્માનું દ્વાર ખોલે છે.
ગ્રીસના પ્રાચીન મંદિરોમાં લખેલું છે: “સ્વયંને જાણો.” પ્લેટોએ કહ્યું: “જ્યારે તમે તમારું સ્વરૂપ જાણશો, ત્યારે ભગવાન અને જગતને પણ ઓળખી શકશો.”
શ્રી રમણનું આત્મઅન્વેષણ આ સિદ્ધાંતને જીવનમાં ઉતારે છે.
તેઓ કહે છે:
"તમારો પોતાનું આત્મબોધ એ સર્વોત્તમ સેવા છે, જે તમે જગતને આપી શકો છો."
જ્ઞાનીજનોએ હંમેશાં એમ જ કર્યું છે—પોતાના જ્ઞાનથી વિશ્વને પ્રકાશિત કર્યું છે.
ધર્મ, આચાર અને પુણ્ય-પાપની કલ્પનાઓ સાધકને ત્યા સુધી પૂરક હોય છે, પણ જ્યારે એક વાર આત્માની દિવ્ય ઝાંખી મળે છે, ત્યારે બાહ્ય પ્રેરણાઓ નાબૂદી પામે છે—અને પાપ તરફ વળવાનું પણ અશક્ય બની જાય છે. કારણ કે પાપ એ ક્ષણિક ‘અહં’ ની વ્યાખ્યા છે—not the awakened soul.
*મહર્ષિની બીજી અમૂલ્ય વાત:*
"તમારા માર્ગથી વિમુખ ન થાઓ. આત્માની શોધમાં સ્થિર રહો. જ્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય, ત્યાં સુધી કોઈપણ કર્મ ચોક્કસ રીતે યોગ્ય છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે."
સ્વયં પર વિશ્વાસ રાખો. તમારું સાચું સ્વરૂપ ઓળખો.
આત્મ અન્વેષણને જ તમારી સાધના બનાવો.
બાકીના બધા પાટા, પોતે જ એક બીજા સાથે સુંદર રીતે ગોઠવાઈ જશે.
~ Samanji
સાધના યાત્રા : ચોથો દિવસ —
Apr 26, 2025
સાધના યાત્રા : ચોથો દિવસ — "હું કોણ છું?" નો અંતરપ્રવાસ (તિરુવન્નામલઈ, ૨૦ એપ્રિલ, ૨૦૨૫)
સાધના યાત્રા : ચોથો દિવસ
તિરુવન્નામલઈ
તારીખ : ૨૦ એપ્રિલ, ૨૦૨૫
જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ ધ્યાનનો અભ્યાસ વધુ ઊંડો બનતો જાય છે. આજે ચિત્તની સ્થિરતા પહેલા કરતાં વધુ અનુભવાઈ. અહીં મારી ધ્યાન પદ્ધતિ એ જ છે જે શ્રી રમણ મહર્ષિએ આપી છે – "હું કોણ છું?"
રમણ મહર્ષિએ ધ્યાન માટે એક બહુ સરળ અને સીધી રીત બતાવી – પણ એ પદ્ધતિ ઊંડાણથી ભરેલી છે : "હું કોણ છું?" એનો અર્થ છે – અંદર જઈને એ શોધવી કે વિચારો કોણે પેદા કર્યા? ભાવનાઓ ક્યાંથી આવે છે? અને એ ‘હું’ કોણ છે જે આ બધું જોતો રહે છે?
અમે વારંવાર વિચારતા હોઈએ છીએ :
હું દુઃખી છું, હું ખુશ છું, મને ગુસ્સો આવ્યો...પણ શું કદી વિચાર્યું છે કે આ ‘હું’ છે કોણ? જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ અને વારંવાર એજ પ્રશ્ન ઊભો કરીએ – "હું કોણ છું?" – ત્યારે ધ્યાન ધીમે ધીમે અંદરની તરફ વળવા લાગે છે. મન વચ્ચે અનેક વિચારો લાવે છે, પણ જયારે પણ આપણે એ પ્રશ્ન પુછી લઈએ – આ વિચાર ક્યાંથી આવ્યો? કોણે તેને ઉત્પન્ન કર્યો? – ત્યારે ધીમે ધીમે વિચારો શાંત થવા લાગે છે. મન સ્થિર થવા લાગે છે.
શરીર, ભાવનાઓ અને મન – આ બધું અસ્થાયી છે. તે સતત બદલાતું રહે છે.
પણ એ આત્મા – જે બધાનું સાક્ષી છે – એ કદી બદલાતો નથી. એ આત્માની શોધ કરવી – એજ "હું કોણ છું?" નું ધ્યાન છે.
શરૂઆતમાં આ સાધના અઘરી લાગતી હોય શકે, કારણ કે મન બહુ ચંચળ છે.
પણ સતત અભ્યાસથી – એ પદ્ધતિમાં ઊંડાણ આવવા લાગે છે. જ્યારે ધ્યાનમાં બેસી એજ પ્રશ્ન પુછીએ : "હું કોણ છું?" – ત્યારે અંદરથી શાંતિ ઊભી થાય છે, અને આપણે આપણા સાચા સ્વરૂપની ઝલક મેળવવા લાગીએ છીએ.
રમણ મહર્ષિની આ પદ્ધતિને ભારતમાં અને વિદેશમાં અનેક લોકોએ અપનાવી છે. કોણ કેટલો સફળ થયો એ તો કહેવું મુશ્કેલ છે – અને એ જાણવાની જરૂર પણ નથી. મુખ્ય વાત એ છે કે રમણ મહર્ષિએ લાખો લોકોનું ધ્યાન તરફ ધ્યાન ખેંચ્યું – તેમને માર્ગ પર ચઢાવ્યા.
હું અહીં જોઈ રહ્યો છું કે વિદેશી લોકો વધુ ઊંડાઈથી ધ્યાનમાં ઊતરવાનો પ્રયાસ કરે છે. કદાચ તેમના માટે અધ્યાત્મનું મૂલ્ય વધુ ઊંડું છે. અથવા કદાચ એમ પણ કહી શકાય કે તેઓ જે કરે છે એ સંપૂર્ણ સમર્પણથી કરે છે.
મારા અનુભવ પ્રમાણે, ધ્યાન જીવનનું સર્વોચ્ચ મૂલ્ય છે. અધ્યાત્મ કહે છે – જેણે ધ્યાન નથી કર્યું, તેણે પોતાની ઓળખના બધા દ્વાર બંધ કરી દીધા છે.
સાધુ માટે ધ્યાન એ વૃક્ષનો મૂળ છે, શરીર માટે મસ્તક જેવું છે. ધ્યાન વિના સાધુતા ફક્ત દેખાવ છે – અંધારામાં ભટકવાની ભુલભુલૈયા છે.
હું આચાર્ય મહાપ્રજ્ઞજીનો ઋણી છું કે તેમની કૃપાથી મને ધ્યાનનો માર્ગ પ્રાપ્ત થયો. મને હંમેશાં એવું લાગ્યું છે કે ધ્યાન વિના જીવન પ્રકાશમાન બનતું નથી –
તેમાં neither તેજસ્વિતા હોય છે, ન શાશ્વતતાની સુગંધ. ધ્યાન એ શાશ્વત સત્યની શોધનો માર્ગ છે. જ્યારે સાધક આ માર્ગે આરૂઢ થાય છે ત્યારે બહારની ક્ષણભંગુર રમણીઓ આપમેળે છૂટી જાય છે.
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
સાધના યાત્રા : પાંચમો દિવસ — મૌનમાંથી આત્મસુખ સુધી (તિરુવન્નામલઈ, ૨૧ એપ્રિલ, ૨૦૨૫)
Apr 26, 2025
સાધના યાત્રા : પાંચમો દિવસ — મૌનમાંથી આત્મસુખ સુધી (તિરુવન્નામલઈ, ૨૧ એપ્રિલ, ૨૦૨૫)
સાધના યાત્રા: પાંચમો દિવસ
તિરુવન્નામલી, તમિલનાડુ
એપ્રિલ 21, 2025
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
આજે રમણ આશ્રમમાં ધ્યાન મૌન સાધનાનો પાંચમો દિવસ પૂરો થઈ રહ્યો છે. ઘણા વખતથી આવવાની ઇચ્છા હતી. જીવનનો એક શુભ મનોરથ પૂરો થયો. સારી અનુભૂતિ થઈ.
સ્વયંની સ્થિરતા, આત્મશાંતિ અને ધૈર્ય માટે મૌન ધ્યાન સાધના અનિવાર્ય જેવી લાગે છે. આમ તો ધ્યાન ઘણા વર્ષોથી કરું છું, પરંતુ મહર્ષિ રમણની ઓરામાં બેસવાનો એક અનુઠો અનેરો પ્રયોગ હતો.
મૌન ખરેખર ધ્યાનમાં જવા માટે ખૂબ મદદરૂપ થાય છે અને એમ પણ અનુભવાયું કે ધ્યાનમાં ઉતરો એટલે આપોઆપ બોલવાની વૃત્તિ વિરામ પામે છે.
અધ્યાત્મની દુનિયામાં ધ્યાનના અનેક પ્રયોગો પ્રચલિત છે. મહર્ષિ રમણનો આ પ્રયોગ: *હું કોણ છું?*- અતિ સરળ છે. એમાં વિશેષ કોઈ અનુશાસનની કે માર્ગદર્શન આપનાર ગાઈડની જરૂર રહેતી નથી. બસ, ધ્યાનમાં બેસો અને અંદરમાં પૂછ્યા કરો: *હું કોણ છું?* વિચારો આવે તો પણ અંદર જુઓ આ વિચાર ક્યાંથી આવે છે અને કોણ કરાવે છે? આમ કરતા કરતા વિચારો સ્વતઃ શાંત પડશે અને એક નિર્વિચાર દશા અનુભવમાં આવશે.
જેમ તમારી ચારેય બાજુ ઘણી પ્રવૃતિઓ ચાલ્યા કરતી હોય છે, એનાથી તમને કોઈ ફરક પડતો નથી, એમ ધ્યાનમાં મનના વિચારો, ભાવોની ઉથલપાથલ ચાલ્યા કરતી હોય છે, એનાથી ધ્યાન ભંગ ન થાય એ સ્થિતિ લાવવાની છે. આવું લક્ષ્ય બનાવીને ધ્યાનમાં બેસશો તો ખરેખર ધ્યાનમાં ઉદભવતા વિચારો તમને હેરાન નહીં કરે, એ એનું કામ કરશે અને તમે ધ્યાનની ગહેરાઇમાં હશો. આ સ્થિતિ આવે એટલે ધ્યાન પકડાયું એમ કહેવાય.
પતંજલિ યોગ સૂત્રમાં લખે છે કે "ચૈતન્યનો આનંદ નિર્વિચાર દશામાં જ અનુભવાય છે. નિર્વિચાર દશા એટલે મનથી પરેની આત્મિક દશા. આવી સ્થિતિમાં સાધક આત્મરતિમાં ડૂબવા લાગે છે. આ એક એવો નિરપેક્ષ આનંદ છે કે અહીંયા ભોગ ભોગવવા માટે કોઈના સાથની જરૂર રહેતી નથી.
આવો સાધક આત્મભોગમાં લીન હોય છે. આવા સાધકને પછી મૈથુન સુખની તુચ્છ આકાંક્ષા ક્યાંથી રહે? સાચું દમન રહિત બ્રહ્મચર્ય અહીં સાધકમાં પ્રગટ થાય છે. નરસિંહ મહેતા કહે છે એમ *"બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.."* આત્મા આત્મસુખનો ભોગ કરે છે.
અહીં ધ્યાનનો એક તબક્કો પૂરો થાય છે. આજે રાત્રે કોયમતૂર પાસે આવેલા કુન્નૂર શહેરમાં જાઉં છું. પાંચ દિવસનું ત્યાં ઠહેરાવ છે.
~ Samanji
સાધના યાત્રા: છઠ્ઠો દિવસ
Apr 26, 2025
સાધના યાત્રા: છઠ્ઠો દિવસ
એપ્રિલ ૨૨, ૨૦૨૫
આજે સવારે 5 વાગે કોઇમ્બતુર અને ત્યાંથી 8 વાગે કુન્નૂર પહોંચ્યો. મુંબઈથી સુરેન્દ્રજી દુગ્ગડે ગાડીની વ્યવસ્થા કરી હતી.. એમનો ભાવપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
અહીં મુકેશજી બરડીયાએ ભાવપૂર્વક સ્વાગત કર્યું. દેરાસર અને સ્થાનકની મુલાકાત લીધી. રાજસ્થાનથી અમૃતમુનિજીનો પણ ફોન આવી ગયો હતો.
આજે 10 થી 1 ધ્યાન અને મૌનમાં વિતાવ્યો તથા રાત્રે પણ 7 થી 9 ધ્યાનમાં બેસવાનો મોકો મળી ગયો. ધ્યાનની જે સઘન પ્રેક્ટિસ ચાલુ થઈ છે, એને હવે છોડવી નથી. એવું સતત અનુભવાય છે કે મૌન અને ધ્યાન વિના અંદરની દુનિયાને જાણવી અસંભવ છે. આધ્યાત્મિક ગતિ પકડવા માટે અને ભીતરી અનુભૂતિ માટે આ બંને સાધના અનિવાર્ય છે.
તિરુવન્ન્મલાઇમાં તાપમાન 40 ડિગ્રી અને અહીંયા કુન્નૂરમાં તાપમાન 20 ડિગ્રી જેટલું છે. પ્રકૃતિમાં કેટલો.તફાવત અને એની સાથે બદલાતી.માનસિકતા પણ કેવી વિચિત્ર. ગરમીની ઋતુમાં ધ્યાન માટે કુન્નૂર ક્ષેત્ર અતિ અનુકૂળ લાગે છે.
અહીંયા લાઈફ સ્ટાઇલ અતિ ધીમી છે, ઠંડીના હિસાબે સાંજના 6 વાગ્યા પછી ઘણાખરા લોકો ઘરોમાં ટીવી સામે વ્યસ્ત થઈ જાય છે, ઠંડા વાતાવરણના કારણે લોકોમાં આળસનું પ્રમાણ વધારે છે.
પ્રકૃતિ અને પહાડોનો આ પ્રદેશ છે. હરિયાળી ખૂબ ખીલેલી રહે છે. આ એક સુંદર નિલગિરી પહાડીઓમાં સ્થિત હિલ સ્ટેશન છે.
ચાના બાગો, પહાડીઓ, ધોધો અને ઠંડી હવાથી ઘેરાયેલું ભરપુર કુન્નૂર એ કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંનો મુખ્ય વ્યવસાય ચા છે.
અહીંનો ડોલ્ફિન નોઝ પોઈન્ટ (Dolphin’s Nose) એક પ્રસિદ્ધ વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી નીચેની ખીણો અને ધારાવાહિ ધોધોનું દૃશ્ય અદભૂત લાગે છે.
ઠંડા વાતાવરણ અને નિરવ શાંતિના કારણે ધ્યાન કરવા માટે આ ક્ષેત્ર ખૂબ અનુકૂળ છે. ભીતરી દુનિયાની યાત્રા માટે આ અમૂલ્ય ભૂમિ લાગે છે.
“અધ્યાત્મના રાહીએ સાધનાને ક્યારેય છોડવી નહીં; આ યાત્રા કદમ કદમ પર પ્રકાશ આપે છે.”
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
કુન્નૂરની શીતલ શાંતિમાં: સાધના યાત્રાનો છઠ્ઠો દિવસ: તારીખ: 22 એપ્રિલ, 2025
Apr 26, 2025
કુન્નૂરની શીતલ શાંતિમાં: સાધના યાત્રાનો છઠ્ઠો દિવસ
તારીખ: 22 એપ્રિલ, 2025
આજે સવારે 5 વાગે કોઇમ્બતુર પહોંચ્યો અને ત્યાંથી 8 વાગે કુન્નૂર પહોંચી ગયો. મુંબઈથી સુરેન્દ્રજી દુગ્ગડએ ગાડીની વ્યવસ્થા કરી હતી — એમનો ભાવપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
અહીં મુકેશજી બરડીયાએ ખૂબ ભાવપૂર્વક સ્વાગત કર્યું. દેરાસર અને સ્થાનકની મુલાકાત લીધી. રાજસ્થાનથી અમૃતમુનિજીનો પણ ફોન આવ્યો અને સૌજન્યભાવ વ્યક્ત કર્યો.
ધ્યાન અને મૌનનું સઘન સાધન:
આજે સવારે 10 થી 1 સુધી અને સાંજે 7 થી 9 સુધી, મૌન અને ધ્યાનમાં વિતાવવાનો સુંદર અવસર મળ્યો.
આ સતત અનુભવોને લઈને હવે દિલથી લાગે છે કે મૌન અને ધ્યાન વિના અંદરની દુનિયાને જાણી શકાય એ શક્ય નથી.
આધ્યાત્મિક ગતિ મેળવવા અને આંતરિક અનુભૂતિ સુધી પહોંચવા માટે આ બંને સાધનાઓ અનિવાર્ય છે.
પ્રકૃતિનો અનુભવ:
તિરુવન્નમલાઈમાં જ્યાં તાપમાન 40 ડિગ્રી હતું, ત્યાં કુન્નૂરનું તાપમાન માત્ર 20 ડિગ્રી આસપાસ છે.
પ્રકૃતિનો આ તફાવત અને તેની સાથે માનસિકતામાં આવતો ફેરફાર આશ્ચર્યજનક છે.
ગરમીના દિવસોમાં ધ્યાન માટે કુન્નૂરનું વાતાવરણ અત્યંત અનુકૂળ લાગે છે.
અહીં લાઈફસ્ટાઈલ ખૂબ ધીમી છે. સાંજના 6 વાગ્યા પછી ઠંડીના કારણે ઘણા લોકો ઘરોમાં ટીવી જોવામાં વ્યસ્ત થઈ જાય છે અને થોડી આળસ પણ છવાયેલી રહે છે.
કુદરતના વચ્ચે કુન્નૂર:
કુન્નૂર એક સુંદર નિલગિરી પહાડીઓમાં આવેલું હિલ સ્ટેશન છે. અહીં ચાના બાગો, ઘમતી પહાડીઓ, વહેતાં ધોધો અને ઠંડી હવાની વચ્ચે કુદરતનો સદ્ભાવ ઓરાય છે.
કુન્નૂર કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અને અહીંનો મુખ્ય વ્યવસાય ચા ઉગાડવાનો છે.
અહીંનું ડોલ્ફિન નોઝ પોઈન્ટ (Dolphin’s Nose) એક પ્રસિદ્ધ સ્થળ છે, જ્યાંથી ખીણો અને ધોધોના અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે.
સાધનાનું અનુકૂળ ક્ષેત્ર:
ઠંડા વાતાવરણ અને નિરવ શાંતિના કારણે અહીં ધ્યાન કરવું અત્યંત સરળ અને આનંદદાયક છે.
આમ લાગે છે કે ભીતરી દુનિયાની યાત્રા માટે કુન્નૂર એક અમૂલ્ય ભૂમિ છે.
> "અધ્યાત્મના રાહીએ સાધનાને ક્યારેય છોડવી નહીં; આ યાત્રા કદમ કદમ પર પ્રકાશ આપે છે."
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
આર્થિક સમજણથી આધ્યાત્મિક વૃદ્ધિ સુધી : સાધના યાત્રા: આઠમો દિવસ:૨૪ એપ્રિલ, ૨૦૨૫
Apr 26, 2025
આર્થિક સમજણથી આધ્યાત્મિક વૃદ્ધિ સુધી
સાધના યાત્રા : આઠમો દિવસ
તારીખ : ૨૪ એપ્રિલ, ૨૦૨૫
આજનો દિવસ પણ સાધનામય રહ્યો. ધ્યાન અને સ્વાધ્યાયનો ક્રમ નિયમિત રીતે શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો.
બપોરે પન્નાલાલજીના નિવાસસ્થાને ગોચરી માટે ગયો. સાંજે જોહરીલાલજી અને ચંદ્રાબહેન દર્શનાર્થે આવ્યા. ગોચરી માટે નિવેદન કરતાં તેમણે કાલે લાભ આપવાનું નક્કી કર્યું.
આજ દિવસમાં મુકેશજીના ઘરે પડેલા એક પુસ્તક પર નજર પડી. વાંચવા માટે ઉઠાવ્યું અને ત્રણથી ચાર કલાકમાં તેનું સારતત્વ સમજાઈ ગયું.
પુસ્તક હતું: ‘ધન-સંપત્તિનું મનોવિજ્ઞાન’. આ પુસ્તકનો મર્મસંદેશ સરળ ભાષામાં અહીં રજૂ કરું છું:
ધન માત્ર ગણિત નથી – તે આપણી ભાવનાઓ, મનોભાવો અને વ્યવહારો સાથે ઊંડાણથી સંકળાયેલું છે.
મોર્ગન હાઉઝલની આ પુસ્તક જણાવે છે કે ધનવાન બનવા કરતાં ધન સાથે જીવવાની સમજ અને સંતુલન વધારે મહત્વપૂર્ણ છે. આ પુસ્તક આ બાબત પર ભાર મૂકે છે કે ધનનું વ્યવસ્થાપન બુદ્ધિથી નહિ પરંતુ વર્તન અને વ્યવહારથી નિયંત્રિત થાય છે.
1. વસ્તુઓના માલિક બનો, ગુલામ નહિ:
જેટલી વધુ વસ્તુઓ, એટલી વધુ ચિંતા. અનાવશ્યક વસ્તુઓમાંથી મુક્તિ મેળવો એ જ સાચી સ્વતંત્રતાની શરૂઆત છે.
2. ધનનો સાચો લાભ:
સમય અને વિકલ્પનો સ્વતંત્ર ઉપયોગ. સંપત્તિનું મૂલ્ય તમારા ખાતામાં કેટલી રકમ છે એથી નહિ, પણ તમે તમારા સમય પર કેટલો કાબૂ રાખો છો એથી નક્કી થાય છે.
3. ‘પૂરતું’ કેટલું છે એ જાણવું અમૂલ્ય છે:
જે તમને લાલચથી અને પસ્તાવાથી બચાવે – એ જ સાચું 'પૂરતું'.
4. પ્રતિષ્ઠા અને સંબંધો ધનથી શ્રેષ્ઠ છે:
રજત ગુપ્તાનું લાલચ તેમને જેલ સુધી લઈ ગયું. જેલમાંથી બહાર આવી એમને કહ્યું— "ક્યારેય કોઈ સાથે વધુ આસક્ત ન થાઓ." પ્રતિષ્ઠા, સ્વતંત્રતા, પરિવાર, મિત્રતા અને આત્મસન્માન – એ સૌથી અમૂલ્ય છે. એમને ગુમાવીને મેળવેલું ધન વ્યર્થ છે.
5. સંયમ અને સંતુલન એટલે ધન વ્યવસ્થાપનની ચાવી:
બચત માત્ર ગણનાત્મક આયોજન નહિ પરંતુ માનસિક કસરત છે. જો તમે દેખા દેખી કરવાથી દૂર રહી શકો, તો સંપત્તિ ઊભી કરી શકો છો.
6. વડીલોએ શીખવેલા પાઠ:
એક સર્વે અનુસાર, હજારો વડીલ અમેરિકીઓમાંથી કોઈએ પણ ક્યારેય એવું નથી કહ્યું કે "ધન સુખ આપે છે." તેઓએ મહત્વ આપ્યું – સંબંધો, અર્થપૂર્ણ જીવન અને આત્મિક સંતોષને.
*ધન બાબતે કેટલાક વ્યવહારિક પાઠ:*
૧. વિનમ્ર બનો, દેખાવથી દૂર રહો.
૨. જે મળ્યું છે તે પૂરતું છે એવો ભાવ કેળવો.
૩. તમારા સમય પર કાબૂ મેળવવા માટે ધન વાપરો, શોષણમય જીવનશૈલી માટે નહિ.
૪. સરખામણીઓથી દૂર રહો.
૫. બચતની ટેવ બનાવો.
*નિષ્કર્ષ:*
ધન એ સાધન છે, સાધ્ય નહિ. જો તમે ધનને સુખ આપનાર માર્ગ બનાવી શકો અને તણાવનું નિમિત્ત નહિ, તો એ જ સાચી સમજ છે. આ પુસ્તક આપણને કરોડપતિ બનવાની રીત શીખવતું નથી, પણ સંતુલિત અને અર્થસભર જીવન કેવી રીતે જીવી શકાય તે શીખવે છે – જ્યાં આપણે આપણા સમય, સંબંધો અને આરોગ્ય પર નિયંત્રણ રાખી શકીએ.
> "ઓછું બોલો, વધુ સાંભળો અને જેટલું જરૂર છે એટલું જ ખર્ચ કરો – એ જ જીવનનું સંતુલિત રોકાણ છે."
સત્યના તાત્વિક અભિગમ અને અનેકાંતની અનુભૂતિ: નવમો દિવસ:૨૫ એપ્રિલ ૨૦૨૫
Apr 26, 2025
સત્યના તાત્વિક અભિગમ અને અનેકાંતની અનુભૂતિ
*સાધના યાત્રા : નવમો દિવસ*
તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૨૫
કુન્નૂર
આજની સવારે ધ્યાન તથા વોકિંગનો નિયમિત ક્રમ પૂર્ણ કર્યો. નાસ્તા બાદ જૌહરીજીના નિવાસે જવાનું થયું. ત્યાં એક કલાકનો આત્મીય સત્સંગ થયો. પછી ગોચરી કરી થોડો આરામ લીધો.
ત્યાર બાદ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય મહાપ્રજ્ઞજીની પુસ્તક "दर्शन वही जो जिया जा सके" મારા હાથમાં આવી. વાંચવાનું શરૂ કર્યું, તો સમજાયું કે આ તો વિચાર વિમર્શથી ભરેલું, ઊંડાણ ધરાવતો સુંદર ગ્રંથ છે. તેમાં મુખ્યત્વે અનેકાંત દર્શનનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. તેના તાત્વિક સારને અહીં સરળ ભાષામાં રજૂ કરું છું:
*સત્ય અને સત્યાંશ:*
સત્ય તો શાશ્વત છે. સત્યનું દર્શન કરનારા વ્યક્તિ તેનું સર્જન નથી કરતો, માત્ર તેનું વિવાદ મુક્ત વિવેચન કરે છે. ભગવાન મહાવીર પોતે પણ સત્યના રચયિતા નહોતા પરંતુ દર્શક હતા. લાંબી તપસ્યા દ્વારા તેમણે સત્યનું અનુભવ મૂલક જ્ઞાન મેળવ્યું અને ભાષાની મર્યાદામાં રહી તેને વ્યાખ્યાયિત કર્યું.
ભાષાની મર્યાદાના કારણે સત્યની સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ શકતી નથી, માત્ર તેના સત્યાંશને રજૂ કરી શકાય છે. આત્માનું જ્ઞાન પોતાનાં માટે હોય છે, જ્યારે તેની અભિવ્યક્તિ અન્ય માટે હોય છે.
*અનેકાંતની શોધ:*
સત્ય તો એક જ હોય, છતાં મારા માટે અલગ અને બીજા માટે અલગ કેમ હોય છે? આ પ્રકારનું વિરોધાભાસી રૂપ માનવીને અસત્ય તરફ દોરે છે.
મહાવીરે આ મુદ્દે ગંભીર ચિંતન કર્યું. તેઓએ જોયું કે સત્ય તરફ જતાં પગલાં લથડી રહ્યાં છે. કારણ કે લોકો સત્યના અંશ ને જ આખું સત્ય માની લે છે. આ સમસ્યાના નિરાકરણરૂપે મહાવીરે અનેકાંત દર્શન રજૂ કર્યું.
*ભાષાની મર્યાદા:*
મહાવીરે સ્પષ્ટ કર્યું કે સંપૂર્ણ સત્યને એક સાથે જાણી શકાય છે પણ તેની વ્યાખ્યા કરવામાં ભાષાની મર્યાદા આવી જાય છે. એટલે સત્યના અંશની અભિવ્યક્તિ થઈ શકે છે, સંપૂર્ણ સત્યની નહીં.
*અનાગ્રહની સાધના:*
અનેકાંતે સાધક માટે એક માર્ગ દર્શાવ્યો – એ છે ઋજુતા અથવા અનાગ્રહ. એટલે કે તટસ્થ રહેવાનો અભ્યાસ.
સત્ય નિષ્ઠ સાધક કદી એક તરફ ઢળી નહીં જાય. જો મહાવીરનો શિષ્ય ઋજુ છે તો તે ન મહાવીર તરફ ઝુકે છે અને ન બીજા તરફ દ્વેષ પોષે છે.
તે મહાવીરના સત્યાંશને તેમના સમય, સંજોગો અને સંદર્ભમાં સમજે છે – અને એ જ દ્રષ્ટિથી બુદ્ધ કે લાઓત્સેના દ્રષ્ટિકોણને પણ એમના સંદર્ભે સમજે છે.
સત્યની શોધમાં સૌથી વધુ ઘર્ષણ એકાંતવાદી લોકોને કારણે ઊભું થયું છે – જે પોતાનો જ મત સાચો માને છે અને બીજાના મતને નકારી દે છે.
*ભેદથી ભરેલું જગત:*
આ દુનિયા ભેદથી ભરેલી છે. માનવીમાં અસંખ્ય પ્રકારના ભેદ છે: જેમ કે માન્યતાનો ભેદ, વિચારનો ભેદ, પસંદગીઓનો ભેદ, સ્વભાવનો ભેદ અને સંવેગનો ભેદ. સમજીએ આ બધાને:
ભિન્ન માન્યતાઓથી, ભિન્ન રુચિઓથી, ભિન્ન વિચાર અને સ્વભાવ એ સામાન્ય બાબત છે, એ હોવા જ જોઈએ પણ માણસમાં ખાલી વિચારભેદ કે સ્વભાવ ભેદ નથી, સાથોસાથ દરેક માણસમાં સંવેગો પણ છે. નકારાત્મક સંવેગો(ક્રોધ, અભિમાન, દ્વેષ વગેરે) અને આગ્રહો વિવાદ જન્માવે છે. સાંપ્રદાયિક તણાવ ઊભા કરે છે, પરસ્પરમાં દ્વેષ અને નફરત પેદા થાય છે.
*સંવેગ ભેદ:*
સંવેગ પણ ત્રણ પ્રકારના હોય:
મૃદુ: જે શાંતિમય સહઅસ્તિત્વમાં રહે છે.
મધ્યમ: જે વિવાદ ઊભા કરે છે.
તીવ્ર: જે હિંસા અને યુદ્ધ તરફ દોરી જાય છે.
*અનેકાંતના 5 આધાર સૂત્રો:*
૧. *સપ્રતિપક્ષ:*
જેનું પ્રતિપક્ષ હોય છે, તેનું જ અસ્તિત્વ ટકે છે. સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, અંધકાર પ્રકાશ - આ બધા પ્રતિપક્ષો આપણા અસ્તિત્વનું પૂરક તત્વ છે. એટલે વિરોધી એ ખરેખર વિરોધી નથી, સહયોગી છે. એટલે વિરોધીઓ પ્રત્યે પણ મૈત્રી કેળવો, એમના પ્રત્યે દુશ્મની ઊભી ન કરો.
૨. *સહઅસ્તિત્વ:*
દરેક વસ્તુમાં અનેક વિરોધી યુગલ હોય છે. એ બધા એક સાથે રહે છે. પોતપોતાની મર્યાદામાં રહે તો જ અસ્તિત્વ જાળવી શકશે. વિરોધ માણસની માત્ર કલ્પના છે. સહ અસ્તિત્વમાં એ જ બાધક રૂપ છે.
૩. *સ્વતંત્રતા:*
દરેક જીવ પોતપોતાની સ્વતંત્રતા ધરાવે છે. એક વ્યક્તિ બીજાની સ્વતંત્રતા માટે બાધક ન બને. માત્ર પોતાના વિચારોને સાચા ન માને, બીજાના વિચારોને પણ સાંભળે અને તેનું સન્માન કરે.
૪. *સાપેક્ષતા:*
આપણું અસ્તિત્વ ભલે નિરપેક્ષ અને સ્વતંત્ર હોય, પણ આપણું વ્યક્તિત્વ સાપેક્ષ છે. પરસ્પર એક બીજાનો આધાર અને સહયોગ એ વિકાસનું મૂળ છે.
૫. *સમન્વય:*
કોઈપણ વિચાર સંપૂર્ણ સત્ય નથી. એ માત્ર સત્યાંશ છે. પોતાનો આગ્રહ છોડીને બીજામાં પણ સત્ય શોધો – તેને ગ્રહણ કરો, એ મનુષ્ય જીવનનો સાર છે.
*અનેકાંતના બાધક તત્વો:**
પહેલું છે અહંકાર: “હું સાચો છું”, “મારો ધર્મ જ સાચો છે” બીજું છે: એકાંગી દ્રષ્ટિ, આમ જ થવું જોઈએ, હું વિચારું એમ જ થવું જોઈએ અને ત્રીજું છે ઉદંડતા. પોતાના આગ્રહ અને અહંના લીધે વિખવાદ ઊભા કરવા.
*એક સુંદર પંક્તિ:*
"હું કહું એ જ છે સાચું,
તું જે કહે એ ખોટું.
આ હું - તું વચ્ચેના ઝઘડાનો,
શાંતિપાઠ એ જ અનેકાંત છે."
અંતર્યાત્રાનું મધુર સમાપન । કુન્નૂર એપ્રિલ 26, 2025
Apr 27, 2025
અંતર્યાત્રાનું મધુર સમાપન
સાધના નો છેલ્લો દિવસ
કુન્નૂર: તા. એપ્રિલ ૨૬, ૨૦૨૫
આજે તિરુવન્નમલઇ અને કુન્નૂરની યાત્રા પૂર્ણ થઈ રહી છે. લગભગ બાર દિવસની આ યાત્રા સંપન્નતા તરફ છે. એક એવી યાત્રા, જેમાં આત્મસ્ફૂરિત આનંદ અને ઊંડા ધ્યાનમાં લીન થવાની અનુભૂતિ મળી. સતત ધ્યાનમાં પ્રવૃત થવાની પ્રેરણા મળી; જાણે આંતરિક જગતનો એક નવો દ્વાર ખુલી ગયો હોય. ખરેખર સાધનામાં ખૂબ આનંદ આવ્યો. ધ્યાનમાં ઊંડા જવાની અને ધ્યાન સતત ચાલુ રાખવાની પ્રેરણા મળી.
આપણે જીવનમાં સાધના શરૂ કરવાના વિચારો કરીએ છીએ, પરંતુ વિચાર વિચારમાં જ દિવસો, મહિનાઓ અને વર્ષો વહ્યા જાય છે. મન વાયદા કરતું રહે છે, પરંતુ પગલાં મંડાતા નથી. જીવનની અનુપયોગી પ્રવૃત્તિઓમાં અમૂલ્ય સમય બરબાદ કરી નાખીએ છીએ, પરંતુ સંકલ્પ ને પાછો ઠેલ્યે રાખીએ છીએ. આવું કરવું — એ મનની ગુલામી છે. આ એક એવો સંકેત છે કે સંકલ્પ હજુ ઊંઘે છે, સજાગ થયો નથી.
જીવનમાં કુદરત દ્વારા અપાતી ઠોકરોથી આપણે ક્યારેક જાગીએ છીએ... પરંતુ એ જાગૃતિ પણ થોડી ક્ષણોની હોય છે. જાણે કૂતરાની પૂંછડી સમયસર સીધી થાય અને પછી ફરી વાંકી થઈ જાય તેમ.
આ માનવ જીવન ફરી મળવાનું નથી. જ્ઞાનીઓ સમજાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. છતાં આપણી ઊંઘ ઉડતી નથી. પોતાનો સંકલ્પ દૃઢ પોતે જ કરવો પડશે અથવા સદગુરુની વાત હૈયે ધારણ કરવા જેટલી શ્રદ્ધા કેળવવી પડશે, બાકી અનંત જન્મોથી ચૂકતા આવ્યા છીએ અને હજું ચૂકતા રહીશું. બીજાને સમજાવવામાં પણ હવે સમય બરબાદ કરવા જેવો નથી. અલ્પ આયુષ્ય આંખના પલકારામાં પૂરું થઈ જશે. જાગવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.
આજે જ્યારે સાધનાની આ યાત્રા અંતિમ પડાવે પહોંચી ચૂકી છે ત્યારે એક અંતઃપૂર્ણ પ્રતિજ્ઞા કરવી જરૂરી બની છે.
જે અમૂલ્ય છે એ હવે હથેળીમાં છે. આ અંતરની શાંતિ અને ધ્યાનની ઊર્જા, માત્ર થોડા દિવસો માટે નહીં, પણ સંપૂર્ણ જીવન માટે સજીવન રહે એવી જાત પ્રત્યે અપેક્ષા અને પરમ તત્વને પ્રાર્થના..
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
શક્તિ શબ્દોની અને વિચારોની - કુન્નૂર: તા. એપ્રિલ 27, 2025
Apr 27, 2025
શક્તિ શબ્દોની અને વિચારોની
કુન્નૂર
તા. એપ્રિલ 27, 2025
આજે બ્રહ્મમુર્હૂતમાં ધ્યાનમાં બેઠો, પ્રાણાયામ કર્યા. ત્યારબાદ સવારે હર્ષના ઘરે નાસ્તાની ગોચરી કરી, Ooty શહેર તરફ સાઇડ સીન માટે નીકળી ગયા હતા. મારી સાથે હર્ષ બરડિયા અને અમન કોઠારી હતા. અહીં અમે કર્ણાટક પાર્ક જોયો, ચાય બનાવાની ફેક્ટરીની મુલાકાત લીધી. બોટ લેકની પણ મુલાકાત લીધી. ખૂબ ચાલ્યા. સાંજે 6 વાગે પાછા કુન્નૂર પહોંચ્યા.
સૂતા પહેલાં ડાયરી લખવાની આદત મુજબ આજે શબ્દોની અને વિચારોની શક્તિ પર કંઈક વિશેષ લખવાનું મન થયું. દરેક માણસે જાત સાથે વાત કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. પોતાના વિશેનો પોતાનો અભિપ્રાય પોતાને સીધી અને સૌથી મોટી અસર કરે છે. પોતાના વિશે માણસ જે માનતો હોય તેના આધારે જ તેનો એટિટ્યૂટ બનતો હોય છે.
અનેક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માણસ પોતાના વિશે જે ધારતો, માનતો અને વિચારતો હોય એવું જ તેની સાથે થાય છે. ઘણા લોકો પાસે ખાસ કંઇ હોતું નથી, પણ એ પોતાની જાતને ક્યારેય નબળા ગણતા નથી. દુનિયામાં એવા લોકો પણ હોય છે જેઓ પોતે જ એવું માને છે કે, આપણે તો કંઇ નથી. હું નિષ્ફળ છું.
માણસના વિચારો માણસને પોતાને સૌથી વધુ અસર કરે છે. આપણને જો આપણી કિંમત ન હોય, આપણે જ આપણને સસ્તા સમજતા હોઇએ તો દુનિયા ક્યારેય આપણી કિંમત કરવાની નથી. આપણે જ્યારે આપણી જાત સાથે વાત કરીએ છીએ ત્યારે આપણા શબ્દો, આપણો ટોન અને આપણા ભાવો કેવો હોય છે?
જાપાનના વૈજ્ઞાનિક ' ડો. માસારુ ઇમોટો' ની વોટર થિયરી વિશે કદાચ તમને ખબર હશે. ડો. માસારુએ પાણી પર એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે પાણીની બોટલો બે ભાગમાં વહેંચી હતી. પાણીની કેટલીક બોટલ અલગ પાડીને તેની સામે ખરાબ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા: "હું તને નફરત કરું છું". મનમાં પણ ઘૃણા અને નફરતન વિચારો અને ભાવધારા ચાલતી હતી.
બીજી તરફ પાણીની કેટલીક બોટલો હાથમાં રાખી તેની સમક્ષ શ્રેષ્ઠ અને પોઝિટિવ વાતો કરવામાં આવી. પ્રેમ અને સદભાવના વિચારો કરવામાં આવ્યા. પછી બંને બોટલોમાંનું પાણી ગાઢ ઠંડકમાં જમાવી દીધું અને માઇક્રોસ્કોપથી તેના ક્રિસ્ટલ સ્ટ્રકચર (જામેલા પાણીના સ્ફટિકો)ના ફોટા લીધા. એના પરિણામ ચોંકાવનારા આવ્યા.
જે પાણી સામે ખરાબ વાતો થઈ હતી, એ પાણીના સ્ફટિકો વિચિત્ર, તૂટી ગયેલા અને આકારવિહિન હતા અને જે પાણી સામે સકારાત્મક વાતો થઈ હતી એ પાણીના સ્ફટિકો અદ્ભુત રીતે સુંદર અને કલાત્મક હતા — બિલકુલ કમળના ફૂલો કે હિમકણો જેવી સુંદર રચનાઓ સર્જાઈ હતી. આ પ્રયોગ પરથી ડો. માસારુ ઇમોટો નું એવું કહેવું છે કે પાણી માત્ર રાસાયણિક પદાર્થ જ નથી, પરંતુ તે આપણાં વિચારો, ભાવનાઓ અને શબ્દો દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે.
માણસના શરીરમાં 70 ટકા હિસ્સો પાણીનો છે. બોટલના પાણીમાં જેમ વિચારોની અસર થઈ, એમ માણસના વિચારો, શબ્દોની અસર પણ માણસના શરીરમાં રહેલા પાણીને થાય છે. જાપાનના ડો. માસારુ ઇમોટોએ પોતાના વોટર એક્સપેરિમેન્ટ ઉપર 'The Hidden Messages in Water' નામનું પુસ્તક પણ લખ્યું હતું. એટલે જ દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવામાં સાવચેત રહેવું જોઈએ. પોતાની જાતને ક્યારેય કોસવી ન જોઇએ. પોતાના વિશે ખરાબ કે નબળું વિચારશો તો તેની ખરાબ અસરો થવાની જ છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે સારા વિચારો કરવામાં કંઇ ગુમાવવાનું નથી અને ખોટા વિચારો કરવાનો કોઇ અર્થ નથી, એ વાત તો સાચી છે જ. જે સફળ લોકો છે તેના પર જેટલા અભ્યાસ થયા છે એમાં પણ એ વાત બહાર આવી છે કે, તેમણે પોતાના વિશે ક્યારેય નબળા વિચારો કર્યા હોતા નથી. માણસે પોતાના વિચારનું નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. મને કેવા વિચારો, કેટલા વિચારો અને એ શું કામ આવે છે?
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
જીવવાની ગુણવત્તા: સાતમો દિવસ: કુન્નૂર(તમિલનાડુ): એપ્રિલ ૨૩, ૨૦૨૫
Apr 27, 2025
સાધના યાત્રા: સાતમો દિવસ
કુન્નૂર(તમિલનાડુ)
એપ્રિલ ૨૩, ૨૦૨૫
એપ્રિલ મહિનો અહીં કુન્નૂર માટે પ્લેઝન્ટ મોસમનો દિવસ. ૨૦ ડિગ્રી ટેમ્પ્રેચર એટલે પ્રકૃતિના ખોળે આનંદ માણવાની ક્ષણો છે.
સવારનું ધ્યાન આદિ ક્રમ પૂર્ણ કરીને સવારે ૬. ૩૦ વાગે પ્રાકૃતિક વાતાવરણમાં જીરો પર્સેન્ટ પ્રદૂષણમાં હરિયાળી ઝાડીઓ વચ્ચે વોક કરવાનો એક વિશેષ નજારો હતો. મુકેશજી અને અમન સાથે પૂરું એક કલાક વોક કર્યા પછી પણ હજુ બીજી એક કલાક ચાલવા જેટલી ઉર્જા ફીલ થતી હતી.
આવી ને દૈનિક ક્રમ મુજબ ધ્યાનમાં બેઠો. નિયમિત લાંબુ ધ્યાન કરવાથી હવે વિકલ્પો શાંત પડવા લાગ્યા છે.
બપોરે અમનના ઘરે ગોચરી લેવા ગયા. બપોર પછીઅહીંની એક ચા બનાવાની ફેકટરીની મુલાકાત લીધી. ચા કેમ બને છે એની આખી પ્રોસેસ ખરેખર જોવા અને જાણવા જેવી છે. સાંજે પ્રાર્થના અને ધ્યાનનો ક્રમ પૂર્ણ કરી કેટલાક ચિનિંદા લોકો સાથે સત્સંગમાં બેઠા.
આજે ફ્રી ટાઈમમાં રોબિન શર્માની બુક વાંચતો હતો. એમને કહ્યું છે, માણસ રોજ સારા વિચારોથી દિવસ શરૂ કરે તો જીવવાની ગુણવત્તામાં અકલ્પિત વધારો થાય છે. રોજ સવારે શાંત વાતાવરણમાં એના માટે કેટલાક સૂત્રો રોજ સવારે રીપીટ કરવા જોઈએ તે આ પ્રમાણે છે:
✓ આજનો દિવસ મારા માટે ઇશ્વરના વરદાન તુલ્ય છે, એનો હું આદર કરું છું. આ દિવસને હું માણીશ અને તેનો ભરપૂર ઉપયોગ કરીશ. આવતી કાલ માત્ર એક વિચાર છે, આજ એ હકીકત છે.
✓ હું સર્વશ્રેષ્ઠ બનીશ, પીડિત નહીં. હું દેખાદેખી નહીં કરુ, જાત મહેનતથી આગળ આવીશ.
✓ હું ડરપોક નહીં, હિંમતવાન બનીશ. મારી શક્તિઓને બીજાના વાંક કાઢવામાં કે ફરિયાદ કરવામાં નહીં વાપરું પણ સર્જનાત્મક કાર્ય કરી શક્તિનું ગૌરવ વધારીશ.
✓ આજના દિવસે હું મારા ચિંતન માટે અને ડાયરી લખવા માટે સમય કાઢીશ અને સમયનો બગાડ કરતી વસ્તુઓથી દૂર રહીશ અને મારા સંકલ્પ પ્રમાણે દિનચર્યાને સાર્થક કરીશ.
✓આજે મેં મારી જાતને અને બીજાને આપેલા દરેક વચન પાડીશ. સારી આદતો રાખીશ અને મારા ચિત્તને પ્રસન્ન કરે એજ મેળવવા પ્રયાસ કરીશ.
✓ હું વાતો કરવાને બદલે કામ પર ધ્યાન આપીશ. બેજવાબદારીથી વર્તવાને બદલે નક્કર પરિણામ આપીશ.
✓ મને આરામની જરૂર હશે તો એને હું સમયનો બગાડ નહીં સમજુ. કારણ કે યોગ્ય આરામ વગર કામની ઘેલછા, મારી ક્ષમતામાં વધુ ઘટાડો કરશે.
✓ આજના દિવસે હું ગઇકાલ કરતા વધુ સમર્થ, વધુ આશાવાદી, વધુ હસમુખ અને વધુ કરુણામય રહીશ.
✓છેલ્લે હું મૃત્યુશૈયા પર હોઈશ ત્યારે, મેં કેટલા લોકોને પ્રેરણા આપી, કેટલાકની સંભાળ લીધી અને કેટલા પ્રત્યે મોટું મન રાખ્યું એજ મહત્વનું બની રહેશે.
✓ ઉચ્ચ સિદ્ધાંતો તરફની મારી આ સફરમાં મારી આ નાની નાની જીત મને મારી જ ઊંચાઈ અને સચ્ચાઈનો પરિચય કરાવે છે.
રોજ પ્રમાણે આજનો દિવસ મિનિંગફુલ રહ્યો. મન શાંત છે, વિકલ્પો રજા ઉપર છે, જાગૃતિની પળોનો અનેરો આનંદ છે.
जीवन की गुणवत्ता: कुन्नूर (तमिलनाडु) 23 अप्रैल, 2025
Apr 27, 2025
साधना यात्रा: सातवाँ दिन
कुन्नूर (तमिलनाडु)
23 अप्रैल, 2025
अप्रैल का महीना कुन्नूर के लिए सुहावने मौसम का प्रतीक है। 20 डिग्री तापमान में प्रकृति की गोद में आनंद लेने के सुनहरे पल हैं।
सुबह का ध्यान आदि क्रम पूर्ण कर 6:30 बजे हरियाली से घिरे प्रदूषण-रहित प्राकृतिक वातावरण में वॉक का विशेष आनंद लिया। मुकेशजी एवं अमन के स्थानएक घंटे की वॉक के बाद भी ऐसा लग रहा था मानो एक और घंटे आराम से चला जा सकता हूँ — शरीर में उतनी ऊर्जा छलक रही थी।
इसके बाद नियमानुसार ध्यान में बैठा। अब नियमित लंबे ध्यान के कारण विकल्प शांत पड़ते जा रहे हैं।
दोपहर में अमन के घर गोचरी लेने गया। इसके बाद पास की एक चाय फैक्ट्री का दौरा किया। चाय कैसे बनती है, इसकी पूरी प्रक्रिया देखना और समझना अपने आप में एक सीखने योग्य अनुभव था। शाम को प्रार्थना और ध्यान का क्रम पूर्ण कर कुछ आत्मीय जनों के साथ सत्संग में बैठा।
आज फुर्सत के समय में रॉबिन शर्मा की पुस्तक को आगे पढ़ रहा था। उन्होंने लिखा है कि यदि मनुष्य हर दिन की शुरुआत अच्छे विचारों के साथ करे, तो जीवन की गुणवत्ता में अप्रत्याशित वृद्धि हो सकती है। सुबह के शांत वातावरण में कुछ सूत्रों को रोज़ दोहराना चाहिए, जैसे:
✓ आज का दिन मेरे लिए ईश्वर के वरदान के समान है, मैं इसका सम्मान करता हूँ। मैं इस दिन को भरपूर जिऊँगा और इसका सार्थक उपयोग करूँगा। आने वाला कल केवल एक कल्पना है, आज ही सच्चाई है।
✓ मैं सर्वश्रेष्ठ बनने का प्रयास करूँगा, पीड़ित अनुभव करने का नहीं। मैं दूसरों की नकल नहीं करूँगा, बल्कि मेहनत से आगे बढ़ूँगा, अपना रास्ता खुद निर्मित करुंगा।
✓ मैं कायर नहीं, साहसी बनूँगा। अपनी ऊर्जा दूसरों की आलोचना या शिकायत में नहीं, बल्कि रचनात्मक कार्य में लगाकर अपनी शक्ति का गौरव बढ़ाऊँगा।
✓ आज मैं चिंतन और डायरी लेखन के लिए समय निकालूँगा। समय नष्ट करने वाली बातों से दूर रहूँगा और अपने संकल्प के अनुसार दिनचर्या को सार्थक बनाऊँगा।
✓ आज मैं स्वयं को एवं दूसरों को दिए गए प्रत्येक वचन को निभाने का प्रयास करूँगा। अच्छी आदतों को अपनाऊँगा और वही पाना चाहूँगा जिससे चित्त प्रसन्न हो।
✓ बातों से ज़्यादा कर्म पर ध्यान दूँगा। गैर-ज़िम्मेदार व्यवहार के बजाय ठोस परिणाम दूँगा।
✓ यदि मुझे विश्राम की आवश्यकता होगी, तो मैं उसे समय की बर्बादी नहीं मानूँगा। क्योंकि उचित विश्राम के बिना कार्य की अधिकता मेरी क्षमता को और घटा देगी।
✓ आज मैं कल से अधिक समर्थ, अधिक आशावादी, अधिक मुस्कुराता और अधिक करुणामय रहूँगा।
✓ अंत में जब मैं मृत्युशैया पर होऊँगा, तो यह महत्वपूर्ण होगा कि मैंने कितनों को प्रेरणा दी, कितनों की देखभाल की और कितनों के प्रति बड़ा मन रखा।
✓ उच्च सिद्धांतों की ओर मेरी यह यात्रा — मेरी ये छोटी-छोटी जीतें ही मुझे मेरी ऊँचाई और सच्चाई से परिचित कराती हैं।
हर दिन की तरह आज का दिन भी अर्थपूर्ण रहा। मन शांत है, विकल्प अभी छुट्टी पर है, और जागरूकता के पलों का अद्भुत आनंद मिल रहा है।
~ Samanji Shrutpragyaji
માઇન્ડસેટ: (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)
Oct 30, 2025
*માઇન્ડસેટ:* (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)
આધુનિક યુગમાં તકો અને અવસરો અસંખ્ય છે, જાણકારીનો મૂશળધાર વરસાદ છે, સાધન સામગ્રીનો પ્રચુર વૈભવ છે. છતાંય દરેક હૃદયમાં એક ખાલીપો છે અને એ ખાલીપો છે *આંતરિક અસ્થિરતાનો.* યુવા પેઢી સામે દુનિયાને જીતી લેવાના ઘણાં રસ્તાઓ છે, પણ પોતાને જીતી લેવાનો માર્ગ ધૂંધળો છે. સાચું સામ્રાજ્ય ન કોઈ રાજ્યમાં છે, ન રાજ્ય-ઘટનામાં. સાચું સામ્રાજ્ય તો વ્યક્તિના અંદરના જગતમાં છે. જ્યાં શાંતિ હોય, જ્યાં ગહેરુ મૌન હોય – જ્યાં વિકાસની ધૂનમાં આંતરિક સંતુલનનું સંગીત પણ વાગે છે. આવા આંતરિક સામ્રાજ્યની જ આજના યુવાનોને મોટી જરૂરિયાત છે.
અને એ માટે જરૂરી છે પહેલી બાબત જરૂરી છે - માઇન્ડસેટ:* (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)
એક યુવાનનું મન એ તેના જીવનનું કમાન્ડ સેન્ટર છે. જો આ મગજ સંકુચિત વિચારોથી ભર્યું હોય, તો તે જેટલો આગળ ધપે છે, તેટલો વધુ અંદરથી ખાલી પડી જાય છે. છતાં જો એનું મગજ મજબૂત પણ નરમાશવાળું, આત્મવિશ્વાસથી ભરપૂર પણ નમ્ર હોય – તો એ કોઈ પણ પરિસ્થિતિને અનુરૂપ બની શકે છે.
જૈનધર્મ આપણને શીખવે છે – *"અનેકાંતવાદ"*, એટલે કે અનેક દૃષ્ટિએ ચિંતન કરવાનો દૃષ્ટિકોણ. એ જ શિક્ષણ માઇન્ડસેટ માટે ધ્રુવતારો બની શકે છે. જેઓ જીવનમાં ફિક્સ મગજ લઈને ચાલે છે – જેમ કે, "મને તો આવું જ ગમે", "હું તો અમુક જગ્યાએ જ સૂઈ શકું", "મને અમુક લોકો સાથે જ ફાવે" " મને તો આ પ્રકારની ચા હોય તો જ ભાવે",- આવા લોકો પોતાના જ મગજ સાથે બંધાઈ જાય છે અને જીવન તેને એકાએક એવો યુ ટર્ન આપી દે છે કે જ્યાં એને ધારેલા બધા ગણિતોને બદલવા પડે છે.
માઇન્ડસેટ એટલે, તમારા વિચારોની વણાટ. એમાં જેટલું લચકપણું હશે એટલા તમે સ્વતંત્ર હશો. એક જૈન યુવક તરીકે જીવનમાં તમારો મંત્ર બની બનાવી લ્યો – "જ્યાં છું ત્યાં ખુશ છું, જે છે એ પૂરતું છે, જે મળે એમાં આનંદ છે."
અંતે વાત એ છે કે જેમ પાણી પોતાનું સ્વરૂપ નદીનાં વળાંક મુજબ બદલે છે પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, એમ માઇન્ડસેટ એ છે કે જ્યાં સ્થિરતા અને સંવેદનશીલતા બંને સાથે ચાલે, જ્યાં મૂલ્યોની દૃઢતા અને વર્તનની નરમાશ સાથે ચાલે.
હાર્ટસેટ: (લાગણીઓનો ધર્મપથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
Oct 30, 2025
હાર્ટસેટ: (લાગણીઓનો ધર્મપથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
માઈન્ડસેટ ગોઠવ્યા પછી હાર્ટસેટ ગોઠવવું આવશ્યક છે. દુ:ખ, ક્રોધ, નિરાશા, હતાશા, દ્વેષ જેવી દબાયેલી લાગણીઓમાંથી મુક્ત થવું જરૂરી છે. દબાયેલી લાગણીઓના ઢગલાં આપણની પ્રતિભા અને ઊર્જાને દબાવી દે છે. જુના લાગણીના ઘાવોને ઓળખી બહાર લાવવાનું અને ઉપચાર કરવાનું કામ અત્યંત જરૂરી છે.
આઘાત કોઈ નકારાત્મક શબ્દ નથી; તે જીવનનો શિક્ષક બની શકે છે. એ મુશ્કેલીઓમાંથી પસાર થવાનું શીખવે છે. ખોવાયેલ સર્જનાત્મકતા પાછી લાવવાનું કામ કરે છે. ભરોસાપાત્રતા, વિનમ્રતા અને હૃદયની કોમળતાનું સાચું સ્વરૂપ પેદા કરે છે. જીવનમાં ભેગા થયેલા આઘાતો તમારી સૌથી મોટી પાઠશાળા બની શકે છે. જો તમે આ દુ:ખદ ઘટનાઓ પચાવી શકો તો તમારો કલાત્મક ઢબે વિકાસ થાય છે, સંવેદનશીલતા અને આધ્યાત્મિક સ્વતંત્રતા ફૂટી નીકળશે. દબાયેલી લાગણીઓને ખોલી શકશો તો તમારો ઈશ્વરીય શક્તિ સ્ત્રોત ખીલશે.
જૂના અને હૃદયની ગુફામાં દબાયેલા આઘાતો હટાવ્યા વગર જીવનમાં સફળતા, આનંદ અને શાંતિ શક્ય નથી. હૃદય અને મગજની અંદરની શુદ્ધિ કરવી તાત્કાલિક જરૂરી છે. તેનાથી તમારી ગ્રહણશક્તિ, સમજશક્તિ અને સ્ફૂર્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે. વેદના અને જૂના ઘાવ મગજને ધૂંધળું અને હૃદયને મૂર્છિત બનાવે છે. જ્યારે તમે દિલની પીડાને ઓળખો છો, એમને સ્વીકારો છો અને હીલીંગ તરફ આગળ વધો છો, ત્યારે તમે ખરેખર વધુ સ્વસ્થ, વધુ ખુશ અને વધુ મુક્ત બની શકો છો.
આજના યુવાનો ઘણી વખત પોતાની લાગણીઓને ગુપ્ત રાખે છે, છુપાવીને રાખે છે, અને આમ છતાં એ દુનિયામાં બધું સાબિત કરવા પાછો ઉત્સુક રહે છે. પરંતુ સાચી શક્તિ તો પોતાની ભીતરના તોફાનો સાથે સંવાદ સાધવામાં છે.
જૈન મૂલ્યો કહે છે – *"અહિંસા પરમો ધર્મઃ"*, અને એ અહિંસા માત્ર બહાર બીજા સાથે કરવાની નથી – સૌથી પહેલા તો તે તમારી પોતાની લાગણીઓ સાથે કરવાની છે. જયાં તમને દુઃખ મળ્યું છે, જયાં કોઈએ દુઃખ આપ્યું છે, ત્યાં તમે શું શીખ્યા એ મહત્વનું છે. પોતાની જાતને પોતાની લાગણીઓથી ઘાયલ ન કરવું એ સાચી અહિંસા છે.
અન્યથા આપણા હૃદયમાં દબાયેલી ઝેરી લાગણીઓ – ગુસ્સો, ક્રોધ, વૈર અને અફસોસ – એક એક કરીને આપણા વ્યક્તિત્વની પાંખો કાપી નાખે છે. ખરા હાર્ટસેટમાં તો ક્ષમાયુક્ત વ્યવહાર અને સદ્ભાવ છે. ક્ષમાપના માત્ર વચનમાં અને બીજાના પ્રત્યે જ નહીં, પરંતુ હૃદયની અંદર જે દબાયેલી અગણિત લાગણીઓ છે એને માફ કરી દેવામાં છે.
ટ્રોમા અને આઘાત જે આપણા જીવનમાં અવાર નવાર આવતા હોય છે, એ ખરેખર અભિશાપ નથી – સાચા અર્થમાં તે જ આપણી પાઠશાળા છે. એમાંથી બોધપાઠ શીખીએ તો જ આપણું હૃદય શુદ્ધ થાય. જેમ પંખીઓ પોતાના ઘાવો સહન કરી ઊંચા આસમાને ઊડે છે, તેમ આપણે પણ આપણા ભીતરના ઘાવને સમજીને, યોગ્ય જગ્યાએ પ્રગટ કરીને આપણી પોતાની જ આંતરિક ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ. હાર્ટસેટ એ છે – સૌંદર્ય સાથે જીવન જીવવાની કળા. જ્યાં સાચા અર્થમાં કૃપા, કૃતજ્ઞતા અને ભવ્યતાનો આરંભ થાય છે.
હેલ્થસેટ: (શરીર એ સાધન છે – સાધ્ય નહીં): સમણ શ્રુતપ્રજ્ઞજી
Oct 30, 2025
હેલ્થસેટ: (શરીર એ સાધન છે – સાધ્ય નહીં): સમણ શ્રુતપ્રજ્ઞજી
શરીર એ ઉપકરણ છે – અને જયારે એ સત્વથી ભરેલું હોય ત્યારે જ આપણે જ્ઞાન, સાધના અને સેવા તરફ આગળ વધી શકીએ. પણ આજના યુવાનોનું શરીર ઘણીવાર પોતાને જ સંકેતો આપે છે – ઊંઘ ઘટી છે, આહાર અયોગ્ય છે, યોગ ભૂલાઈ ગયો છે, અને આખું જીવન તંત્ર અસંતુલિત છે.
જૈનધર્મ અમૂલ્ય પદ્ધતિ આપે છે – સાત્વિક આહાર, ઉપવાસ, રાત્રિભોજન ત્યાગ, સમયસર સૂવું, અને શરીર પ્રત્યે જાગૃતિ કેળવવી. સાચું હેલ્થસેટ એ છે જ્યાં આપણે માત્ર ભોગ કેન્દ્રીત જીવવા માટે નહિ, પરંતુ ઉચ્ચ ગુણવત્તા વાળું જીવન જીવવા માટે શરીરને સ્વસ્થ રાખીએ.
કસરત, યોગ અને શ્વાસ- વ્યાયામ એ માત્ર શરીરને જ શક્તિશાળી બનાવે છે એવું નથી પણ સાથોસાથ આપણી આંતરિક ઉર્જામાં વધારો કરે છે. આ ઉર્જા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું સુત્રધાર બની જાય છે. સાચો યુવાન એ છે, જે પોતાનું આરોગ્ય જાળવવાને પોતાનો ધર્મ સમજે. કારણ કે આરોગ્ય વિના કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ – ધ્યાનથી લઈને સેવા સુધી – સંભવ નથી.
આજ પૂરતું નહીં પણ હમેશા માટે – આપણું શરીર એ આપણું મંદિર છે એમ સમજી આરોગ્યના આટલા નિયમો દ્રઢતાથી પાડવા જોઈએ:
હેલ્થ સેટના ઉત્તમ વિકાસ માટેના પગલાં:
*કસરત (Exercise):*
દરરોજ સવારમાં ઉઠીને પરસેવો આવે એટલી કસરત કરવી જોઈએ.
સાયકલ ચલાવવી, દોડવું, કૂદવું અને યોગાસન કરવાં મુખ્ય કસરતના પ્રકારો છે.
સૂર્યોદય પહેલા કસરત કરવાની ટેવ તમારા આખા દિવસને ઊર્જાવાન બનાવે છે. કસરતથી ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે જેનાથી નવી ઊર્જા, આનંદ અને ઉત્તમ વિચારશક્તિ મળે છે.
*વિશ્રામ (Rest):*
દિવસ દરમ્યાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. દરરોજ 10:30 વાગ્યા સુધીમાં ઊંઘવાનું શેડ્યુલ રાખવું. સોશિયલ મીડિયા જેવા વ્યસનોથી બચવું અને માનસિક આરામ માટે ધ્યાન કે પ્રસન્નતાપૂર્ણ પ્રવૃત્તિઓ અપનાવવી.
*સાત્વિક આહાર (Healthy Diet):*
ભોજનની પદ્ધતિ સાત્વિક, પૌષ્ટિક અને તાજી હોવી જોઈએ.
~ દર ત્રણ વર્ષે આરોગ્ય પ્રમાણે આહાર પદ્ધતિમાં ફેરફાર કરવો યોગ્ય રહે છે.
~જાપાની પ્રેરણા મુજબ, ૨૦% પેટ ખાલી રાખીને ખાવું દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર માટે લાભદાયી છે. જેને જૈન ધર્મ ઉણોદરી કહે છે.
પ્રાચીન આયુર્વેદ જણાવે છે: *"તમારું ભોજન જ તમારું ઔષધ છે."*
*યોગ અને ધ્યાન (Yoga & Meditation):*
યોગ બિમારી પછી નહીં, પણ બિમારી પહેલાંથી શરૂ કરો — એ જ સાચી આરોગ્ય જાગૃતિ છે. બિમારી આવ્યા પછી યોગ કરવો એ મજબૂરી છે.
*પરંપરાગત આરોગ્ય નિયમો (Traditional Health Practices):*
~ વહેલા ઊઠવું
~ નિયમિત ઉપવાસ
~ પ્રકૃતિમાં ફરવું
~ તેલ માલિશ
~ એક્યુપંકચર/ એક્યુપ્રેશર
~ પોષક સપ્લિમેન્ટ્સ
સોલસેટ: (આત્મસેતુ – પોતાને ઓળખવાનો પંથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
Oct 30, 2025
સોલસેટ: (આત્મસેતુ – પોતાને ઓળખવાનો પંથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
આ બધા પડદાની પાછળ એક અગમ્ય તત્વ છે – આત્મસેતુ. જે આપણને જીવમાંથી લઈ જીવાત્મા સુધી પહોંચાડે છે. જ્યાં બધું મૌન છે, જ્યાં બધું શાંત છે.
જૈનધર્મમાં "સ્વાધ્યાય" અને "સમ્યકદર્શન" એ આત્માનું ગૌરવગાન છે. યુવાનો માટે અહીં સૌથી મોટું કાર્ય છે – પોતાની અંદર ઉતરવાનું. રોજની કશમકશ વચ્ચે પોતાને થોડી ક્ષણો આપવા – સૂફી ભાસ્કરના શબ્દોમાં કહીએ તો: "એક પળ વિતાવું છું, જ્યાં હું માત્ર હું છું."
આ સોલસેટ એ છે, જ્યાં ધ્યાનનો અભ્યાસ માટે તણાવને દૂર કરવા માટે નહીં, પણ આત્માનો અહેસાસ કરવા માટે થાય છે. જયાં ધ્યાન માત્ર એક ટેકનિક નથી, પણ જીવનશૈલી બને છે. જયાં પ્રશ્ન એ નથી કે હું શું છું, પણ પ્રશ્ન એ છે કે હું કોણ છું?
જ્યારે યુવાન પોતાના અંદરના તત્ત્વ સાથે જોડાઈ જાય છે, ત્યારે બાહ્ય વિશ્વની શૂરવીરતા ગૌણ બની જાય છે – અને અંતરમાં શાંતિનો શહેનશાહ ઉભો થાય છે.
આંતરિક સામ્રાજ્ય બનાવવું એ કંઈ ખાલી ધ્યાન અને વિચારસીમામાં આવે એટલી જ વાત નથી – એ તો દિનચર્યાની ગૌરવશાળી ક્રાંતિ છે.
*માઇન્ડસેટ આપશે દિશા, હાર્ટસેટ આપશે ઊર્જા, હેલ્થસેટ આપશે સાધન અને સોલસેટ આપશે સાધ્ય.*
આ ચાર તત્વો સાથે આજે જો યુવાન પોતાના આંતરિક સામ્રાજ્યનું સર્જન કરે – તો તે માત્ર પોતાનું નહિ, દુનિયાનું ભવિષ્ય પણ ઉજળું બનાવી શકે છે.
*જૈનમંત્ર છે:*
"અપ્પા કાહા વિ ઝાણેહિ – પોતાને જાણો, પોતે જ પોતાનું શ્રેષ્ઠ સાધન છે."
તો ચાલો, આજે આપણી અંદર એક શાંત, શાસ્ત્રયુક્ત, શાંતિમય અંદરનું સામ્રાજ્ય ઊભું કરીએ – જે ક્યારેય ખંડિત ન થાય, અને જ્યાં યુવાન રાજા નહીં, ગૃહસ્થીમાં રહીને પણ એક સાચો સંત બની શકે છે.
Mathematics Department
Curabitur a felis in nunc fringilla tristique. Fusce egestas elit eget lorem. Etiam vitae tortor. Nam at tortor in tellus interdum sagittis.
Physics Department
Phasellus leo dolor, tempus non, auctor et, hendrerit quis, nisi. Phasellus nec sem in justo pellentesque facilisis. Etiam imperdiet imperdiet orci.
Biology Department
Vivamus elementum semper nisi. Sed fringilla mauris sit amet nibh. In auctor lobortis lacus. Suspendisse non nisl sit amet velit hendrerit rutrum.