નવપદજીની આરાધના:
અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી. એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના.
જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.
જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.
જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આયંબીલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે.
શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?:
આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં... જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે... ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં... જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે... આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.
આયંબિલમાં શું ખવાય? અને શું ખવાય?:
દ્યઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.
બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.
મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે.
દ્યી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.
પૂર્વે કોણે કરી આ મહાન આરાધના:
* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
નવપદજીની શાસ્વતી ઓળી એટલે:
*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.
આ તપ કરવાથી -
1. શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. શરીરને ડિટોકિસફાય કરે છે.
2. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે.
3. તપ એ કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે.
4. આયંબીલ તપ કરવાથી રસેન્દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.
5. ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્ત છે.
6. આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે. ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્વ બતાવતા અનેક પ્રેરક દૃષ્ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે.
પ્રભુ પરમાત્માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓમાંથી શ્રેષ્ઠ તપસ્વી કોણ? ત્યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્ના અણગાર કે જે જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્નો… ધન્નો અણગાર.
તપસ્વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.
ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો:
1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
4. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
5. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
6. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
Saman Shrutpragyaji
Date: April 4, 2019
Mumbai
હવે વૅકેશનનો સમય શરુ થઇ ગયો છે, અને કેટલાક માટે વૅકેશન પડવાની તૈયારીમાં છે. આજના બાળકો વૅકેશનની રાહ જોતાં હોય છે. પણ મોસ્ટલી બાળકોને એ ખ્યાલ નથી હોતો કે વેકેશનમાં શું કરવું અને વેકેશન કેવી રીતે ગાળવું? મોટા ભાગે બાળકો મિત્રો સાથે ફરવા જાય છે. મૂવી જોવા જાય છે, ટી.વી. જોવાનું પસંદ કરે છે. આ બધું કરીને પાછાં એ જલ્દી કંટાળી જાય છે. આ બધી વસ્તુ જ એવી છે કે અમુક સમય પછી કંટાળો ઉપજાવે.
વેકેશનનો મૂળ હેતુ છે - રિલેક્સ થવું - મનને આરામ આપવો. એના માટે સાચી રીત છે કે એ સારા પુસ્તકો વાંચે, સારા લોકોને મળે, ક્યાંક જઈને સેવા કરે, પ્રકૃતિની ગોદમાં થોડીવાર તેને માણે, ઘરમાં બેસીને થોડી વાર ધ્યાન કરે, પરિવારના સ્વજનો સાથે સમય પસાર કરી, એમની પાસેથી પણ કંઈક નવું શીખે, જેનો શોખ હોય એ માટે સમય કાઢે અથવા એના ક્લાસ જોઈન કરે અથવા મનગમતી કે જ્ઞાનવર્ધક કોઈ શિબિર યોજાય તો એમાં ભાગ લે. આમ કરવાથી સમયનો સદુપયોગ થશે, કંટાળો નહિ આવે, નવું શીખવાનું મળશે અને સારી રીતે વેકેશન માણ્યાનો આનંદ અનુભવાશે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
રાજકોટ
2/4/2019
દર્દ આપવાથી દર્દ મટે છે એ એક્યુપ્રેશરની જાણીતી બાબત છે. પેટમાં ગડબડ, માથાનો દુઃખાવો, ચેસ્ટ પેઈન - આ બધી આજના સમયની કોમન મુશ્કેલીઓ છે. એના માટે શું કરવું?
પ્રાણ યોગ ધ્યાન: રોજ પાંચ મિનિટ શ્વાસ દર્શન સાધના કરવી.
પ્રાણાયામ: જે નાકથી શ્વાસ ચાલતો હોય તેને બંધ કરી, જે નાક બંધ છે એનાથી 11 વખત શ્વાસ લ્યો અને છોડો.
આહાર યોગ: એક કપ દૂધ એક ચમચી ખસખસના દાણા - ઉકાળીને દિવસમાં એકવાર પી જવા ( ત્રણ દિવસ સુધી કરવાથી શરીરનું કોઈ પણ દર્દ કે દુઃખાવો માટે છે. આહારમાં મેંદાવાળી વસ્તુઓ પર અવશ્ય સંયમ રાખવો.
એક્યુપ્રેશર પોઇન્ટ: હથેળીથી લગભગ 2 આંગળી નીચે કાંડા પર ચિત્ર પ્રમાણે 5 - 5 સેકન્ડ 3 થી 5 વાર દબાવવાથી બેચેની, મોશન સિકનેસ, વોમિટિંગ, પેટમાં ગડબડ, માથાનો દુઃખાવો, ચેસ્ટ પેઈન અને હાથના દર્દમાં રાહત થાય છે.
એકયુપ્રેશર : ( ચિત્ર મુજબ ) છાતીની વચ્ચેનો પોઇન્ટ
આયુર્યોગ: ભોંય રીંગણી ( જેમાં કાંટાવાળા પાન હોય છે )એનું ફળ( જે નીચે જમીન પર પડે છે, એ ફળ જે પીળા લોટ જેવા રંગનું હોય છે ) લેવું, એમાંથી રસ કાઢવો અને એમાં એટલું જ પાણી નાખી - સવારે અને સાંજે બે બે ટીંપા નાકમાં નાખવાં. આમ કરવાથી સાત દિવસમાં હિસ્ટીરિયા કે ફીટ મટી જાય છે.
યોગાસન: રોજ 5 મિનિટ શવાસન કરવું.( સાજાં હોય ત્યારે )
પ્રાણાયામ: રોજ 5 મિનિટ અનુલોમ વિલોમ કરવું ( સાજાં હોય ત્યારે )
મંત્ર: રોજ 3 મિનિટ પેડૂ પર ધ્યાન એકાગ્ર કરી ' વં ' મંત્રનો બોલીને જાપ કરવો.
મુદ્રા: જ્ઞાન મુદ્રા - રોજ 10 મિનિટ કરવી
30/3/2019
Rajkot
એક્યુપ્રેશર એટલે શું?
Acu - લેટિન શબ્દ છે. એનો અર્થ થાય છે - needle - સોય અને Pressure - પ્રેશર એટલે દબાણ. સોય દ્વારા કે આંગળીઓ કે અંગૂઠા દ્વારા શરીરના ભાગોમાં દબાણ આપવું. દબાણ આપવું એક માનવીય મનોવૃત્તિ છે. સુશ્રુતમાં મર્મ સ્થાન કહે છે. કહેવાય છે કે આ પદ્ધતિ બૌદ્ધ સાધુઓ ચીનમાં લઇ ગયા અને આજે પણ ચીનના દરેક ઘરમાં એક વ્યક્તિ આ જ્ઞાન ધરાવે છે.
"પગના તળિયામાં, હાથની હથેળીમાં અને શરીરના અન્ય ભાગોમાં આવેલા ચોક્કસ દાબબિદુંઓ પર ચોક્કસ પ્રકારનું, ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ સમય સુધી તીવ્ર અને તીક્ષ્ણ દબાણ આપીને રોગોને અટકાવવાની કે મટાડવાની અથવા કેટલાક અસાધ્ય રોગોમાં થતી પીડા કે વેદનામાં રાહત પહોંચાડવાની પદ્ધતિને એકયુપ્રેશર કહેવાય છે."
આ પદ્ધતિની વિશેષતા છે -
1. એક પણ પૈસાનો ખર્ચ નથી.
2.સીધી - સાદી અને સરળ છે.
3.આડઅસર નથી.
4. નુકશાન નથી.
5. સાધનોની જરૂર નથી.
6.જાતે જ સાજા થઇ શકાય છે.
7. સમય અને જગ્યાની મર્યાદા નથી.
8. શરીરના તત્ત્વોની વધ-ઘટને સમાન કરે છે.
9. સર્વાંગીણ આરોગ્ય સુધારે છે.
29 March 2019
Rajkot
ઔષધિ પ્રયોગ: ભૂમિ આવલાં - ભોય આંબલી( હિન્દી નામ ) ના પાંચ અંગોનો રસ કાઢવો.અડધો કપ ગાળીને સૂર્યોદય પહેલાં અને અડધો કપ સૂર્યાસ્ત પછી બે દિવસ સુધી લેવો - ચાર ડોઝ લ્યો એટલે કમળો મટી જાય છે.
એકયુપ્રેશર: જમણા પગમાં લીવરના પોઇન્ટ દબાવવા
યોગાસન: શશાંકાસન - 3 વાર કરવું - બે - બે મિનિટ રોકાવું
પ્રાણાયામ: અનુલોમ - વિલોમ: 5 મિનિટ કરવું - ખાલી પેટે
ધ્યાન પ્રયોગ: લીવર પર ચમકતા બ્લૂ કલરનું ધ્યાન કરવું - 3 મિનિટ
28 March 2019
Rajkot
त्याग - भोग और आत्म ज्ञान
जीवन में आसक्ति को मिटाने के लिए कोई प्रयास करने की आवश्यकता नहीं है। क्योकि यह प्रयास निषेध से लड़ने का प्रयास है। निषेध से लड़ने से वो और अधिक प्राणवान बन जाती है। निषेध को मिटने का एक ही मार्ग है कि विधेयात्मक को प्राणवान बना दे। अंधकार से लड़ने का या उसे मिटाने का प्रयास मत करो, प्रकाश की व्यवस्था करो। आसक्ति अंधकार के समान है। आत्मज्ञान का दिया जले तो आसक्ति का अंधकार मिट सकता है।
अधिकतम लोग आसक्ति से लड़ते है और उसके कारण वे विरक्त हो जाते है। विरक्ति आसक्ति का ही उल्टा पहलू है। एक आसक्त व्यक्ति जिससे आसक्त होता है, एक विरक्त व्यक्ति उसी से विरक्त होता है। एक के मन में राग भाव है, दूसरी के मन में द्वेष भाव है। आसक्ति भी नहीं, विरक्ति भी नहीं, अनासक्ति चाहिए। यह अनासक्ति आत्मज्ञान का परिणाम है।
घर का त्यागी विरक्त है, इसलिए वह आश्रम बना कर नई आसक्ति खड़ी कर लेगा। धन को छोड़ने वाला त्याग में आसक्त हो जाएगा। गृहस्थ जीवन का त्याग करने वाला परिवार का त्याग कर देता है, लेकिन नये शिष्यों का मोह उन्हें नए बंधन में फंसा देता है।
अनासक्ति के लिए किसे पाना या किसे छोड़ना अनिवार्य नहि है। व्यक्ति जहाँ है वही रह कर व्यक्ति और वस्तु का उपयोग करते हुए उनके प्रति अनासक्त रह सकता है। भीतर से तृप्त साधक सब कुछ करते हुए भीतर से द्रष्टा बनकर, कमल की तरह निर्लिप्त रह सकता है।
- समण श्रुतप्रज्ञजी
27 March 2019
"उम्मीदें ... ख्वाहिशें .... जरूरतें .... जिम्मेदारियां .... , बड़ा हुआ तब से मैं कभी अकेला नहीं रहा "
संसारी अकेला रह नहीं सकता और संन्यासी भीड़ में रह नहीं सकता। एकांत अध्यात्म है, भीड़ संसार है। संसारी जीव के तीन लक्षण है। पहला लक्षण है - उम्मीदें - आशा का बंधन पहेला बंधन है। आज सुख नहीं मिला, शायद कल मिल जायेगा, आज यह चीज नहीं मिली, शायद कल मिल जाएगी। उम्मीदें जीवनभर दौड़ाती रहती है, तड़पाती रहती है।
दूसरा लक्षण है - ख्वाहिशें .... इच्छाए अनंत है। इच्छा समाप्त हो सकती है, पूरी कभी नहीं होती। पूरी होना उनका स्वभाव नहीं है। संसारी जीव इच्छा के जाल में मकड़े की तरह फंसता चला जाता है। भाग्यशाली है वो जिनकी इच्छाए अल्पतम है।
तीसरा लक्षण है - जरुरतें - इस भौतिक माहौल में आदमी की जरूरतें बढ़ गई। अमीर सुखी नहीं है, सुखी वह है जिनकी जरूरतें कम से कम है। मन की शांति भंग हो, उतना परिग्रह और संग्रह मत करो, संग्रह की भी एक आदत पड़ जाती है। यह आदत आदमी को गिराती है।
चौथा लक्षण है - जिम्मेदारियां - पदार्थ का मोह छूटता है तो जिम्मेदारियां का बंधन आदमी ओढ़ लेता है। ओर वह इसी लिए की आदमी के भीतर फिर नाम की भूख उघड़ती है। अपने नाम के लिए आदमी बहुत साडी संस्थाओ से जुड़ जाता है। भाग्यशाली वो है जिनके सर पर ६० की उम्र के बाद कोई जिम्मेदारियां नहीं है। सेवा करो, मदद करो, लेकिन ६० के बाद इस बंधन में मत पड़ो - अन्यथा तुम साधना - आराधना नहीं कर पाओगे। बड़ा हुआ तब तक नहीं, मौत की घडी तक आदमी अकेला नहीं हो पाता। सौभाग्यशाली है वो जिनको अकेला रहने का और अपनी आत्म साधना करने का मौका मिल पाता है। ज्ञानी कहते है इन चार बंधनो से खूब सावधान रहो।
- समण श्रुतप्रज्ञजी
मार्च २०, २०१९
"मैं अपनी इबादत खुद ही कर लूँ तो क्या बुरा है, किसी फ़क़ीर से सुना था मुझ में ही खुदा रहता है।"
आदमी विचित्र है। उनकी विचित्रता यह है कि वो सुखी होने के लिए जिंदगीभर दुखी होता है। सुख भीतर है, आदमी को यह सत्य मालूम है फिर भी वो सुख के लिए सारी दुनिया घूमेगा लेकिन भीतर नहीं झांकेगा। शांति की खोज भी अब नई अशांति का कारण बन गई है। अब इबादत भी धंधा और दिखावा बन गई। बहार शांति का वातावरण मिलेगा, शांति नहीं। शांति की खोज भीतर करनी पड़ेगी। अपनी सच्ची इबादत करनी है तो भीतर के खुदा से मुलाकात करो।
अनुभवी फ़क़ीर सदा यही कहेगा कि 'खुद के भीतर ही खुदा रहता है।' उस खुदा का मुलाकात का तरीक़ा एक मात्र ध्यान है। आँख बंद करो, शरीर को स्थिर एवं सीधा रखो, आते जाते श्वास को थोड़ी देर देखो, मन को शांत करो। उसके बाद शांत मन से भीतरी तत्व का अनुभव करे, विचार आये तो उसके साक्षी मात्र रहे, विचारो से लड़े नहीं, सिर्फ उसे देखें। विचार शांत होंगे तब भीतरी शांति और प्रकाश का अनुभव होगा।
- समण श्रुतप्रज्ञजी
१८ मार्च २०१९