Blog

This is given in English and Gujarati. The blog contains Saman Shri Shrutpragyaji’s special short messages as well as summaries of his lectures and reflections. Reading it brings inspiration, personal confidence, and spiritual upliftment.

"The Call of Silence: Returning to the Inner Self (March 23, 2025)"

"The Call of Silence: Returning to the Inner Self (March 23, 2025)"

Date: March 23, 2025

Today marks the completion of the third day of silence, solitude, and meditation practice. Being in solitude makes self-observation easier. After spending the third day in the practice of silence, solitude, and meditation, I realized that my true nature is introverted. Due to the responsibilities of daily life, I gradually became extroverted and started to forget my introverted nature. But that is not my true self. People with an introverted nature enjoy solitude, meditation, and silence. They prefer to stay away from crowds, speak less, and remain immersed in their own inner world.

A person should learn to recognize their innate nature. An extroverted individual can excel in management because that path leads outward. On the other hand, an introverted individual can reach spiritual heights because this path leads inward. One path is of power, while the other is of peace. The path of power involves ego and conflict, whereas the path of peace embodies humility and acceptance.

~ Samanji

"The Bliss of Solitude: A Spiritual Journey at Rambai Ma Ashram (March 22, 2025)"

Rambai Ma Ashram

Vavaniya, March 22, 2025

Today marks the completion of the second day of the spiritual practice. This experiment of silence, solitude, and meditation is an exercise in renunciation. A sense of absolute bliss is emerging. After studying Jain philosophy, the conviction has deepened that Mahavira's path is one of renunciation.

"Thāṇeṇam, Moṇeṇam, Jhāṇeṇam, Appāṇam Vosirāmi:"

This means to keep the body still, remain silent, and immerse the mind in meditation — dedicating all three to the soul. This is the path of Mahavira’s spiritual practice. The path of Mahavira unfolds within oneself, not outside. The external world is an illusion, while the inner world holds the truth.

It is a journey of walking alone, with oneself as the sole companion. With the belief that one should accomplish the right tasks at the right time and age, this spiritual endeavor has commenced. The mindset of "Ekla Chalo Re" — walking alone — has guided this spiritual journey for years. Now, it is becoming even clearer that the joy of solitude far surpasses that of the crowd.

When we observe ourselves in silence, it becomes evident that many of our activities are meaningless and purposeless. On the other hand, there are many spiritual practices that give life its true purpose. If we can reduce our desire for fame, recognition, and applause, we will undoubtedly experience greater peace and satisfaction.

In this short life, the opportunity to discover oneself should not be lost. This spiritual practice is a step in that direction. Through it, the purpose of life becomes even clearer.

~ Samanji

ध्यान साधना - दूसरा दिन - रामबाई आश्रम - ववाणिया - २२ मार्च २०२५

रामबाई मा आश्रम: Second Day 

ववाणिया, 22 मार्च 2025

आज साधना का दूसरा दिन संपन्न हो रहा है। मौन, एकांत और ध्यान साधना का यह प्रयोग निवृत्ति का अभ्यास है। निरपेक्ष आनंद की अनुभूति हो रही है। जैन जीवन दर्शन के अध्ययन के बाद यह निर्णय दृढ़ हो गया है कि महावीर का मार्ग निवृत्ति का है।

"ठाणेणम्, मोणेणम्, झाणेणम्, अप्पाणम् वोसिरामि:"

अर्थात् शरीर को स्थिर करना, वाणी को मौन रखना और मन को ध्यान में लीन कर आत्मा को समर्पित कर देना — ये तीनों महावीर की साधना के मार्ग हैं। महावीर की साधना का मार्ग व्यक्ति के भीतर खुलता है, बाहर नहीं। बाहर भ्रम है, भीतर सत्य है।

यह मार्ग स्वयं को ही साथी बनाकर अकेले निकल पड़ने का है। सही समय और उचित उम्र में आवश्यक कार्य कर लेने चाहिए, इसी भाव से यह साधना यात्रा शुरू की है। "एकला चलो रे" की मानसिकता के साथ आध्यात्मिक यात्रा वर्षों से गतिमान है। अब और अधिक स्पष्ट हो रहा है कि भीड़ की अपेक्षा एकांत का आनंद अनुपम होता है।

यदि शांति से आत्मनिरीक्षण करें, तो पता चलता है कि कई सारी गतिविधियाँ ऐसी हैं, जिनका कोई अर्थ या उद्देश्य नहीं है, जबकि कई साधनाएँ ऐसी हैं, जिनके बिना जीवन का कोई उद्देश्य नहीं है। यदि हम कीर्ति, नाम और सम्मान पाने की महत्वाकांक्षा को थोड़ा कम कर सकें, तो संतोष और शांति वास्तव में बढ़ जाते हैं।

इस अत्यंत संक्षिप्त जीवन में स्वयं को जानने का अवसर नहीं गंवाना चाहिए। यह साधना उसी दिशा में एक कदम है। इस साधना से जीवन का उद्देश्य और अधिक स्पष्ट हो रहा है।

~ समणजी

ધ્યાન સાધના - બીજો દિવસ - રામબાઈ આશ્રમ - વવાણીયા - 22 માર્ચ 2025

રામબાઈ મા આશ્રમ

વવાણીયા, તા. 22 માર્ચ 2025

આજે સાધનાનો બીજો દિવસ સંપન્ન થઈ રહ્યો છે. મૌન, એકાંત અને ધ્યાન સાધનાનો આ પ્રયોગ નિવૃત્તિનો અભ્યાસ છે. નિરપેક્ષ આનંદ આવી રહ્યો છે. જૈન જીવન દર્શનના અભ્યાસ પછી એટલો નિર્ણય દ્રઢ થયો છે કે મહાવીરનો માર્ગ નિવૃત્તિનો છે. ठाणेणम्, मोणेणम्, झाणेणम्, अप्पाणम् वोसिरामि: अर्थात् શરીર સ્થિર, વાણી મૌન અને મન ધ્યાનમાં લીન - આ ત્રણેય માટે આત્માને સમર્પિત કરી દેવું એ મહાવીરની સાધનાના માર્ગ છે. મહાવીરની સાધનાનો માર્ગ વ્યક્તિની ભીતરમાં ખુલે છે, બહારમાં નહીં. બહાર ભ્રમ છે, ભીતર સત્ય છે.

જાતને જોડીદાર બનાવી એકલા નીકળી પડવાનો આ માર્ગ છે. યોગ્ય સમયે અને યોગ્ય ઉમરે કરવા યોગ્ય કાર્ય કરી લેવા જોઈએ એ આશયથી આ સાધના યાત્રા ચાલુ કરી છે. "એકલા ચાલો રે" ની માનસિકતા સાથે અધ્યાત્મની યાત્રા વર્ષોથી ગતિમાન છે. હવે વધુ સમજાઈ રહ્યું છે કે ટોળા કરતાં એકાંતનો આનંદ અનેરો હોય છે.

નિરાંતે જાત નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે જે કરવાનો કશો જ અર્થ કે હેતુ નથી, એની સામે ઘણી એવી સાધનાઓ છે જે કર્યા વિના જિંદગીનો કશો હેતુ નથી. કીર્તિ, નામના અને સન્માન પામવાની મહત્વાકાંક્ષા જો થોડી ઓછી કરી શકીએ તો સંતોષ અને શાંતિ ખરેખર વધે છે. ખૂબ જ ટૂંકી આ જિંદગીમાં જાતને શોધવાનું બાકી ન રહી જવું જોઈએ. આ સાધના એ દિશામાં એક પગલું છે. આ સાધનાથી જિંદગીનો હેતુ વધુ સ્પષ્ટ થાય છે.

~ સમણજી

ध्यान की यात्रा प्रारंभ - ववाणिया - पहला दिन २१ मार्च २०२५

ववाणिया, 21 अप्रैल 2025

मैं 21 अप्रैल से 27 अप्रैल 2025 तक सौराष्ट्र की साधना भूमि ववाणिया में हूँ। यहाँ तीन प्रमुख महापुरुष हुए - एक: श्रीमद राजचंद्र, दो: रामबाई मां और तीन: नीब करौरी बाबा। यहाँ इन तीनों महापुरुषों के आश्रम पास-पास स्थित हैं। ववाणिया एक तपोभूमि है, साधना की भूमि है, और ज्ञानियों की भूमि है। इन महापुरुषों ने यहाँ गहरी साधना की और आत्मज्ञान प्राप्त किया।

यहाँ साधना करना जीवन का एक अमूल्य अनुभव है। आज मेरा साधना का पहला दिन है। पहला दिन पूर्ण होने को है। मैं रामबाई मां आश्रम में ठहरा हूँ। सेवाभावी जैसंगभाई मेरे साथ हैं। साधना में अत्यंत आनंद की अनुभूति हो रही है।

रोज सुबह 5:30 से 6:30 ध्यान, 6:30 से 7:30 वॉकिंग, 9 से 12 और 3 से 6 मौन, और 7 से 9 विभिन्न ध्यान स्थलों पर ध्यान साधना होती है। हर शाम को नीब करौरी बाबा के मंदिर में जाकर ध्यान में बैठने का भी सौभाग्य मिलता है। श्रीमद राजचंद्रजी को जहाँ जाति स्मरण ज्ञान प्राप्त हुआ था, वहाँ भी ध्यान में बैठने का अवसर मिलता है।

रामबाई मां आश्रम में उत्तम व्यवस्था है, सेवक अत्यंत सहयोगी हैं। आश्रम के मुख्य ट्रस्टी जशुभाई राजकोट में रहते हैं। साधना का पहला दिन बहुत ही आनंदमय रहा।

"Meditation Journey Begins: Day 1 at Vavaniya (March 21, 2025)"

Vavaniya, March 21, 2025

I am in Vavaniya, the spiritual land of Saurashtra, from April 21 to April 27, 2025. Three great spiritual personalities graced this place — Shrimad Rajchandra, Rambai Maa, and Neem Karoli Baba. The ashrams of these revered souls are located very close to each other. Vavaniya is a land of penance, spiritual practice, and wisdom. These great personalities practiced deep meditation here and attained self-realization.

Engaging in spiritual practice here is a priceless experience. Today marks my first day of spiritual practice, which is now coming to an end. I am staying at Rambai Maa Ashram, accompanied by the devoted Jasangbhai. The joy of practicing meditation here is profound.

My daily schedule includes meditation from 5:30 AM to 6:30 AM, followed by a walk from 6:30 AM to 7:30 AM. Silent contemplation takes place from 9 AM to 12 PM and 3 PM to 6 PM. From 7 PM to 9 PM, I practice meditation at different spiritual spots. Every evening, I also have the privilege of meditating at the Neem Karoli Baba temple and at the very place where Shrimad Rajchandra attained his self-realization.

The facilities at Rambai Maa Ashram are excellent, and the volunteers are extremely helpful. The main trustee of the ashram, Jasubhai, resides in Rajkot. My first day of spiritual practice has been blissful and fulfilling.

~ Samanji

ધ્યાન સાધના - વવાણીયા: મોરબી: પહેલો દિવસ: 21 માર્ચ 2025

વવાણીયા તા. 21 એપ્રિલ 25

હું તારીખ 21 થી 27 એપ્રિલ 2025 સુધી સૌરાષ્ટ્રની સાધના ભૂમિ વવાણીયામાં છું. અહીંયા મુખ્ય ત્રણ મહાપુરુષો થઈ ગયા - એક: શ્રીમદ રાજચંદ્ર, બે: રામબાઈ માં અને ત્રણ: નીબ કરોલી બાબા. અહીંયા ત્રણે મહાપુરુષના આશ્રમ અત્યંત બાજુ બાજુમાં છે.

વવાણીયા એક તપોભૂમિ છે, સાધના અને જ્ઞાનીઓની ભૂમિ છે. અહીંયા આ મહાપુરુષોએ ખૂબ સાધના કરી, આત્મજ્ઞાન પામ્યા છે. અહીંયા સાધના કરવી જીવનનો એક અમૂલ્ય લહાવો છે.

આજે મારો સાધનાનો પહેલો દિવસ પૂરો થઈ રહ્યો છે. હું રામબાઈ માં આશ્રમમાં રોકાયેલો છું. સેવાભાવી જેસંગભાઈ મારી સાથે છે. સાધનામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે. રોજ સવારે ૫.૩૦ - ૬.૩૦ ધ્યાન, ૬.૩૦ હું ૭.૩૦ વોકિંગ, ૯ થી ૧૨ અને ૩ થી ૬ મૌન, ૭ થી ૯ ધ્યાન સાધના અલગ અલગ ધ્યાન ભૂમિઓ ઉપર..રોજ સાંજના નીબ કરોલી બાબાના મંદિરમાં જઈને પણ ધ્યાનમાં બેસવાનો લહાવો મળે છે, શ્રીમદ રાજચંદ્રજીને જ્યાં જાતિ સ્મરણ જ્ઞાન થયેલું ત્યાં પણ ધ્યાનમાં બેસવાનો અવસર મળે છે.

રામબાઈ માં આશ્રમમાં ખૂબ જ સારી વ્યવસ્થા છે, સેવકો ખૂબ જ સહયોગી છે. એમના મુખ્ય ટ્રસ્ટી જશુભાઈ રાજકોટમાં રહે છે. સાધના ના પહેલો દિવસ ખૂબ જ આનંદમય રીતે પસાર થયો..

~ સમણજી

આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ

આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ

- સમણ શ્રુતપ્રજ્ઞજી

પર્યુષણ પર્વનો સંદેશ:  

પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. આ મહાન આધ્યાત્મિક પર્વનો સંદેશ છે - સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને એ ભૂલી જાય છે. પોતાને ભૂલનાર માનવી સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને એટલે ઓળખવાની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ઠ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે જ સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે અંદરની દુનિયાને શોધવાની હવે શરૂઆત કરી છે. 

આપણી પાસે તો આ જ્ઞાન અને ધ્યાન સદીઓથી છે. આપણે આ અમૂલ્ય વારસાને જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ જ કહેવાઈએ ને. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયામાં તમે અનેકોને મળો તો પણ એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ પર્વ બહારથી ડિસ-કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વમાં સાધના કરવાની છે. 

આત્મ નિરીક્ષણ 

પર્યુષણ પર્વની આરાધનાનો પ્રારંભ થવો જોઈએ આત્મ નિરીક્ષણથી અને પૂર્ણતા થવી જોઈએ ક્ષમાપનાથી. આ પર્વ માણસને જાત સાથે રૂબરૂ થતા શીખવે છે. જાતને જોયા વિના ભીતરી બદલાવ કોઈ સંજોગોમાં આવતો નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે: તારો મોટામાં મોટો દુશ્મન તને જે રીતે નિહાળે એ રીતે તારી જાતનું નિરીક્ષણ કરજે, અને તો જ તું તારી જાતનો મોટામાં મોટો મિત્ર બની શકીશ. 

આત્મ નિરીક્ષણ એટલે પોતાના નાનામાં નાના દોષોનું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલોને જોવી. પોતાના દોષો અને ભૂલો જોવી એ ખૂબ જ અઘરું કામ છે. કેમ કે મારો ઈગો વચ્ચે આડો આવે છે. એ ઈગોને  બીજાના દોષો તો દેખાય છે, પણ પોતાની ભૂલો નથી દેખાતી. આત્મ નિરીક્ષણ કર્યા વિના અધ્યાત્મની શરૂઆત થતી નથી. આત્મજ્ઞાનીઓ કહે છે: આંખોમાં આંસુ ન આવે ત્યાં સુધી પોતાની ભૂલો અને દોષો જોયા જ કરજો. પર્યુષણ પર્વમાં જો આવું કરી શકીશું તો એ ભૂખે રહ્યા વિના મોટું તપ કરવા બરાબર છે. આવું તપ કરીને આપણે વધુ ઉજળા અને ભાગ્યવાન બનીશું. 

કળિયુગના પાંચ કલંક:

આ પંચમકાળના પાંચ કલંક છે. પર્યુષણના સંબંધમાં તેને સમજીએ. 

1. હિંસા યુગ: કળિયુગનું પહેલું કલંક હિંસા છે. આ યુગ હિંસાનો છે. જો કે હિંસા પહેલા પણ હતી પરંતુ અત્યારે તેને ટેક્નોલોજીના માધ્યમે ખતરનાક રૂપ લીધું છે. પશ્ચિમ તો હવે ગન ક્લચર તરફ જઈ રહ્યું છે. જ્યાં ચારેય બાજુ હિંસાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની પ્રતિષ્ઠા જીવનમાં ક્યાંથી થશે? પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં શ્રાવકો માટે જે પાંચ કર્તવ્ય બતાવ્યા છે એમાં પહેલું છે - અમારી પ્રવર્તના. અમારી પ્રવર્તના એટલે જીવન વ્યવહારમાં અહિંસાની પ્રતિષ્ઠા. જૈન લોકોમાં એવા સંસ્કારો છે કે એ આઠ દિવસ બને એટલી હિંસાથી દૂર રહેશે. આઠ દિવસ જ કેમ? અહિંસાનું વધુમાં વધુ આચરણ જીવનભર થવું જોઈએ. અમારી પ્રવર્તનાના બળે જ કુમારપાળના ગુજરાતમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદથી અહિંસાની પ્રતિષ્ઠા થયેલી. 

2. સ્વાર્થ યુગ: કળિયુગનું બીજું કલંક સ્વાર્થ છે. અહિયાં લગભગ દરેક વ્યક્તિ પોતાના ન્યસ્થ સ્વાર્થના કેન્દ્રમાં જીવે છે. મારું ભલું થવું જોઈએ, મને સુખ સગવડ મળવી જોઈએ, પોતાના સ્વાર્થની પૂરતી માટે માણસને જાનવર થતા થતા વાર નથી લાગતી, જાનવરોમાં પણ ઘણીવાર માનવીયતા દેખાય છે. પોતાના સ્વાર્થ માટે માણસ માનવીય મૂલ્યો, પ્રામાણિકતા અને નૈતિકતાને ભૂલી જાય છે. આ બધા સ્વાર્થમાં પૈસાનો સ્વાર્થ સૌથી મોટો જણાય છે. પૈસા માટે માણસ દાનવ થવા તૈયાર થઇ જાય છે. માણસના મન એટલા સાંકળા થઇ ગયા છે કે તેને બીજાનો વિચાર સુધ્ધા આવતો નથી.  પર્વાધિરાજ પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય - જેનું નામ છે: "સાધર્મિક વાત્સ્લય", એ માણસને સ્વાર્થથી ઉપર ઉઠી પરાર્થ અને પરમાર્થ સાધવાની પ્રેરણા આપે છે. 

3. ભોગ યુગ: કળિયુગનું ત્રીજું કલંક છે અનિયંત્રિત ભોગ. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનો અનિયંત્રિત ભોગ એ આજના યુગની જીવનશૈલી બની ગઈ છે.  ખાઓ, પીઓ અને જલસા કરો એ મોર્ડન યુગનું જીવન સૂત્ર છે. આ બધું કર્યા પછી પણ સાચું સુખ અને શાંતિ તો મળતી નથી, ઉલટું અશાંતિ અને દુઃખ વધારવાનો હેતુ બને છે. ભર્તુહરિ કહે છે: ભોગા રોગ ભયં: ભોગમાં રોગનો ભય છુપાયેલો છે. આ કલંકથી મુક્ત થવાનો ઉપાય પર્યુષણ પર્વ બતાવે છે. "અટ્ઠમ તપ" પર્યુષણ પર્વનું ત્રીજું કર્તવ્ય છે. અટ્ઠમ તપ ભોગ પર નિયંત્રણ રાખતા શીખવે છે.  અટ્ઠમ તપ એટલે ત્રણ દિવસ અને રાત માત્ર પાણી સિવાય કોઈ વસ્તુ ખાવી પીવી નહિ... એટલે કે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે. 

4. નાસ્તિકતાનો યુગ: કળિયુગનું ચોથું કલંક છે: નાસ્તિકતા. નાસ્તિકતા એટલે આત્મા અને કર્મને ન માનવું. આજનો માણસ એટલો છીછરો થઇ ગયો છે કે એને આગળનું કશું વિચારવું જ નથી. આજે હું જે કંઈ કરી રહ્યો છું, એનું પરિણામ મારે જ ભોગવવું પડશે - આ સત્ય નાસ્તિક માણસ સાવ ભૂલી જાય છે. આ દુનિયામાં કર્મ જેવું પણ કંઈક છે અને માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું જ પડે છે.  નાસ્તિક માણસ આત્મા, કર્મ અને પુનર્જન્મમાં માનતો નથી, પરિણામે એના પાપોને ખુલ્લો દોર મળી જાય છે. પર્યુષણનું ચોથું કર્તવ્ય છે: ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે જ્ઞાન, ચૈત્ય એટલે પરમાત્મા, ચૈત્ય એટલે પરમાત્માની ઉપાસના, આત્માની ઉપાસના. પરિપાટી એટલે પરંપરા. પર્યુષણ પર્વ આત્મા અને પરમાત્માની ઉપાસના કરવાનો સંદેશ આપે છે. સાચી શાંતિ આત્માની પરિક્રમા કરવામાં છે. આત્માની ઉપાસના કરનાર કર્મ કરવામાં સતત સજાગ રહે છે. 

5. ક્લેશ યુગ: આજના યુગનું પાંચમું કલંક છે - ક્લેશ.. ક્લેશ એટલે નાની મોટી વાતમાં ઝગડવું, કારણ વગર રાઇને પહાડ બનાવવો. આજે તમે જુઓ તો ઘર ઘરમાં આ સમસ્યા છે. કોઈ કોઈને સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. લગભગ દરેક વ્યક્તિના મગજ ગરમ છે, કારણ વગર દુનિયાભરનો ભાર માથે લઈને ફરે છે. હું જ સાચો એવી મનોવૃત્તિ માણસને અહંકારી બનાવે છે અને અહંકારી માણસ કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતો. પરિણામે કુદરત પતનનો દરવાજો એમના માટે ખુલ્લો કરે છે. આ કલાકનું સમાધાન છે: ક્ષમાપના. પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે: ક્ષમાપના. ક્ષમાપના એટલે પોતાની ભૂલ બાળક બનીને ખુલ્લા દિલથી કોઈ પણ જાતનો બચાવ કર્યા વગર નિખાલસતા પૂર્વક સ્વીકારવી. હરિભદ્રસૂરિ કહે છે જે અનુષ્ઠાનમાં મૈત્રી અને ક્ષમા ભાવ નથી એ અનુષ્ઠાન જ નથી. ગળામાં ગાંઠ, દોરામાં ગાંઠ અને શેરડીમાં ગાંઠ હોય ત્યાં શું થાય છે એ કલ્પી શકો છો. એમ જ મનમાં શત્રુતાની ગાંઠ હોય તો બધી કરેલી આરાધના ફોક થઇ જાય છે. કલ્પસૂત્ર એ પણ કહે છે કે તમે ઉપશમ ભાવ નહિ રાખો તો વિરાધક બનો છો.  બહારથી ક્લેશ મુક્ત થવા માટે અંદરથી સંક્લેશ મુક્ત થવું પડશે. ભગવાન મહાવીર ફરમાવે છે: 

ખામેમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મેં - હું બધા જીવોનું માફી આપું છું, બધા જીવો મને પણ માફી આપો 

મિત્તિમે સવ્વ ભૂએષુ વૈરં મઝઝં કેણઈ  - મારો સૌ સાથે મૈત્રી ભાવ છે, કોઈની સાથે મારી શત્રુતા નથી.    

તો, આવી રીતે આ પર્યુષણ પર્વ આત્મ નિરીક્ષણથી શરુ થાય છે અને પાંચ કર્તવ્યો દ્વારા ક્ષમાપના પર પૂર્ણતા પામે છે. આ વખતે આપણે સૌ સાચા અર્થમાં પર્યુષણમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર પદની આરાધના કરી આત્માને ઓળખીએ અને ક્ષમાપના દ્વારા જીવનને ભારમુક્ત બનાવીએ. પર્યુષણ પર્વની આરાધના માટે સૌ સાધકો પ્રત્યે મંગળ કામના ....

1. આનંદનું ઉપનિષદ: આત્માનું અનુસંધાન: સમણ શ્રુતપ્રજ્ઞજી

આ વિષય રાખવા પાછળ સલક્ષ્ય કારણ છે. કારણ એ છે કે દીપાવલીનું પાવન પર્વ છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે માણસ બહારમાં પ્રકાશ કરે છે અને અનંત કાળ સુધી આપણે બહારમાં પ્રકાશ કરવા ટેવાયેલા છીએ. જેટલો જેટલો બહારમાં પ્રકાશ કરીએ છીએ એટલું અંદરનું અંધારું વધતું જાય છે. બહાર પ્રકાશ કરવાથી અંદરનું અંધારું દૂર ના થાય. અંદરનું અંધારું દૂર કરવું હોય તો ભીતરમાં પ્રકાશ કરવો પડે અને એનાં માટે ભીતરમાં જવું પડે અને ભીતરમાં જવા માટે આ બહાર જોતી આંખોને બંધ કરવી પડે. 

આ આંખો બંધ થયા પછી પણ વૃત્તિઓ અને સંસ્કારો બહારના જ તીવ્ર હોવાના કારણે ધ્યાનમાં પણ તરત ચિત્ત સ્થિર થતું નથી. એ માટે સતત અભ્યાસ અને વૈરાગ્ય કેળવવો પડે છે. સતત વૈરાગ્ય વૃત્તિ અને અંતર્મુખતાનો અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે. એવું ક્યારેય ન બને કે અંદરની દુનિયામાં કોઈ ગયું હોય અને આનંદ ન મળ્યો હોય. એવું પણ ક્યારેય ન બને કે બહારની દુનિયામાં કોઈ મોહગ્રસ્ત હોય અને આનંદ મળ્યો હોય. બહારમાં આત્માનો આનંદ મળે તો તો ભીતર જવાની કોઈ જ જરૂર નહી રહે. આનંદનો માર્ગ ભીતર જવાથી ખૂલે છે અને સંસારનો માર્ગ બહાર જવાથી ખૂલે છે. દીવો આત્મામાં કરવાનો છે, એ જો કરી શકીએ તો પછી દિવાળી એક દિવસની રહેતી નથી, પછી સાધક માટે નિત્ય દિવાળી જ હોય છે. ધ્યાન થકી અંદર દીવો કરવાની કળા આવળી જાય પછી રોજે રોજ સાધક માટે દિવાળી છે. બહારનો દીવો કરવામાં કષ્ટ વધુ છે, કોડિયું જોઈએ, ઘી જોઈએ દિવેટ જોઈએ, માચીસ જોઈએ, હવા મુક્ત વાતાવરણ જોઈએ. અંદર જવાની યાત્રા અને ત્યાં દીવો કરવાની કળા સાવ સરળ છે. કબીરની ભાષામાં બિન બાતિ બિન તેલ આ દીવો ઝળહળે છે. 

ઉપનિષદ શબ્દ પણ જાણી જોઈને વાપર્યો છે. ઉપનિષદ એટલે પોતાની નજીક બેસવું. પોતાની નજીક બેસે તેને આનંદની અનુભૂતિ થાય. અત્યાર સુધી કોની પાસે બેઠા? હંમેશા આપણી બેઠક બહાર જ રહી છે. ઉપનિષદ કહે છે: પોતાની સાથે રહો તો આનંદ મળે, બીજા સાથે રહો તો દુઃખ મળે. ઉપનિષદ કેટલા છે. હિન્દુ પરંપરામાં ૨૫૧ ઉપનિષદો છે. નામ પણ યાદ નહી રહે. ૨૫૧ માં પ્રમુખ છે ૧૦૮ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદમાં પણ દસ ઉપનિષદો પર આદિ શંકરાચાર્યજીએ ટીકા લખી છે. છાંદોગ્ય ઉપનિષદ, તૈતરિય ઉપનિષદ, નિર્વાણ ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ વગેરે. આ બધામાં આનંદનું ઉપનિષદ ક્યાંય નથી. એ ટાઇટલ મારું આપેલું છે. એ એટલા માટે કે આનંદનું ઉપનિષદ એ ૨૫૧ ઉપનિષદનો સાર છે. મને થયું કે ૨૫૧ તો કોઈ વાંચવાના નથી, એટલે મને થયું કે સાધક જો આનંદનું ઉપનિષદ સમજી લે તો એમનું કામ થઈ જાય. પછી  

મેં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો અભ્યાસ કર્યો તો મારું મગજ અહોભાવથી ઝૂકી ગયું કેમ કે કોઈ વિષય એવો નથી એમના કાવ્યો અને પત્રમાં કે  એમની લેખની ચાલી ન હોય. આનંદ વિષયને નજરમાં રાખીને એમના પત્રોનું અવલોકન કરતો હતો તો મને લાગ્યું કે આ વિષય પર એમને સીધું કે આડકતરી રીતે ઘણું પ્રકાશ્યું છે. એમના દરેક શબ્દોમાં સમ્યક દર્શનની ઝાંટ છે, આ માત્ર શબ્દો નથી પણ મંત્રો છે, એવું મારું માનવું છે. જ્ઞાની આત્મા સંક્ષિપ્તમાં ઘણું કહી દેતા હોય છે. આનંદના આ સંદર્ભ સાથે આપણે આ વિષયને ખોલીશું. એમનો એક પત્ર હું જોતો હતો ૮૩૨ મો પત્ર, ૧૯૫૪ માં આ લખેલો પત્ર છે. એ પત્રનો હું એક જ પેરેગ્રાફ વાંચું છું. લખ્યું છે: "દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા." આત્મા કેવો છે? દેહથી ભિન્ન. આ બુદ્ધિથી સમજીએ છીએ, આત્માના અનુભવમાં આવી જાય તો એ જ સમ્યક દર્શન છે ને? બીજું લક્ષણ આત્મા કેવો છે? સ્વ પર પ્રકાશક. આત્માનો દીવો એવો છે કે અંદર પણ અજવાળું કરે અને બહાર પણ અજવાળું કરે. ત્રીજી વાત કરી આત્મા જ્યોતિ સ્વરૂપ છે. ત્યાં બારેમાસ નહીં, અનંતકાળ સુધી પ્રકાશ જ રહે છે. 

આ ત્રણેયનો અનુભવ કરવો હોય તો આગળ કૃપાળુ દેવ કહે છે: "એ આત્મામાં નિમગ્ન થાઓ." એ આત્મામાં વિશેષ રૂપે એકાગ્ર થઈ ઊંડા ઉતરો. ઉદાહરણ લઈએ તો પાણીમાં તરવું અને પાણીમાં ડૂબકી મારવી એ બંને વસ્તુ ભિન્ન છે. નિમગ્ન થવું એટલે તરવું નહીં, આત્મામાં ડૂબકી મારવી. આ ધ્યાન વિધિ છે. બીજો ઉપાય બતાવે છે: "હે આર્યજનો અંતર્મુખ થાઓ." નિમગ્ન થવા માટે અંતર્મુખ થવું અનિવાર્ય છે. ચિત્તના મોઢાને અંદરની તરફ વાળો. આ બે વસ્તુ જો કરી શકો તો કૃપાળુ દેવ કહે છે: "અનંત અપાર આનંદનો અનુભવ થશે." આનંદના બે લક્ષણો અહીં મૂક્યા: અનંત અને અપાર. અંત વગરનો આનંદ એટલે અનંત અને પાર વગરનો આનંદ એટલે અપાર. જે આનંદનો અંત આવે તો સમજવાનું એ આત્માનો આનંદ નથી. અપાર એટલે જેની કોઈ સીમા નથી. એ આનંદ ક્યારેય ઘટે નહીં એવો છે. આનંદની અનુભૂતિના બે ઉપાય છે: નિમગ્ન થાઓ અને અંતર્મુખી થાઓ.

હવે એક બીજી વસ્તુ સમજીએ કે દરેક જીવ એ પછી નિગોદનો હોય કે વ્યવહાર રાશિનો હોય, સાધક હોય કે સંસારી, લાલસામાં જીવનાર હોય કે પ્રાર્થનામાં - દરેકનું એક માત્ર લક્ષ્ય છે: આનંદની અનુભૂતિ કરવી. આપણે આ લક્ષ્ય પ્રત્યે જાગરૂક હોઇએ કે ના હોઇએ  પણ દરેકનું મૂળ લક્ષ્ય આ જ છે. સંસારમાં રચ્યા પચ્યા રહેતા કોઈ પણ માણસને તમે પૂછી જો જો કે તમે જે કંઈ કરો છો એ શા માટે કરો છો, મૂળમાં જઈને કારણ ખોજશો તો એ કારણ આનંદની પ્રાપ્તિ જ જોવા મળશે. સારું ખાવું, સારું જોવું, સારું પહેરવું, આ બધું શું કામ? તમે શિબિરમાં આવ્યા શું કામ? ધર્મ કરનાર કે અધર્મ સેવનાર દરેકનું લક્ષ્ય આનંદ છે. દિશા ખોટી હોઈ શકે, લક્ષ્ય ખોટું નથી. થિયેટરમાં મૂવી જોનાર પણ એ જ આનંદ શોધે છે ,જે તમે અને હું ધ્યાનમાં શોધીએ છીએ. પ્રયોજનમાં ભેદ નથી, પ્રયત્નમાં ભેદ છે, એક બહારમાં ખોજે છે, બીજો ભીતરમાં ખોજે છે. એક ખોટી જગ્યાએ આનંદ શોધે છે, બીજો સાચી જગ્યાએ આનંદ શોધે છે. ખોટી જગ્યાએ શોધનાર પણ પાછો ક્યારેક તો અહીંયા જ આવશે, અને સાચી જગ્યાએ શોધનાર પણ ખોટી જગ્યાએ ભટકીને અહીં આવ્યો છે. તો દરેક જીવનું અંતિમ લક્ષ્ય આનંદ છે. આનંદ વગર કોઈ જીવ રહી શકે નહીં અને એટલે જ આનંદ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ વગર રહેવું એ જ પીડા અને સંતાપનું કારણ છે.

એક વસ્તુ યાદ રાખી લેવી ઘટે કે દરેક આનંદની શોધના મિશન પર છે. એટલે ખોટી જગ્યાએ શોધતો હોય એવા જીવ માટે પણ અભાવ કે દુર્ભાવ રાખવો નહીં. એ આંધળા જીવની જેમ લાકડીથી ટટોડી ટટોડીને સાચી દિશા શોધી રહ્યો છે. રસ્તો બતાવનાર યોગ્ય સુગુરુનો ભેટો થશે તો એ પણ સુપથ પર આવી જશે. પ્રયાસ તો એ પણ પૂરેપૂરો કરે છે, દિશાનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનું આવરણ પણ કાળ લબ્ધિના યોગે કે સત સમજણથી દૂર થશે. એટલે આવા જીવો પ્રત્યે દુર્ભાવ કરવા કરતા કરુણાનો ભાવ રાખજો. પાપીને પણ પાપી માનવાની ભૂલ ભૂલેચૂકે ના કરતા. 

આપણે ભલે માનતા હોઈએ કે આપણને સાચી દિશા મળી ગઈ છે. સાચા માર્ગની સમજણ હોવા છતાં પણ વૃત્તિઓના કારણે અને અતીતના જૂના સંસ્કારોના કારણે આપણે પણ અંદરથી હજું ભટકેલા હોઇ શકીએ છીએ. દુનિયાની નજરે આપણે ધર્માત્મા છીએ પણ આપણી પોતાની નજરમાં જે દિવસે આપણે ધર્માત્મા થઈશું ત્યારે કલ્યાણનો માર્ગ ઊઘડશે. ધર્મનો પ્રયત્ન કર્યા પછી પણ આપણા વિચારોમાં, આચરોમાં, સંસ્કાર અને વૃત્તિઓમાં જો કોઈ ફરક ના આવે તો આપણે પણ બહુ ફૂલાવવા જેવું નથી. એટલે જ કદાચ કૃપાળુ દેવે મુમુક્ષુ વૃત્તિ વાળા જીવને કહ્યું હશે કે " વૃત્તિઓને લખતા રહેજો." વૃત્તિઓ લખવા માટે પહેલા વૃત્તિઓ દેખાવી જોઈએ, દેખવા માટે પોતાનું તટસ્થ અને સૂક્ષ્મ નિરીક્ષણ કરવું પડે. સાધક અને હલુકર્મી જીવ જ આવું કરી શકે તેમ છે.

આનંદની અલગ અલગ ભૂમિકાઓ છે. બહુ જ સ્થૂળ દૃષ્ટિએ વિચારી તો, જો તમારે અડધો કલાકનો આનંદ જોઈતો હોય તો પ્રેમથી જમો. એક કલાકનો આનંદ જોઈએ તો જમ્યા પછી રૂમમાં આવીને સૂઈ જાઓ, એક દિવસનો આનંદ જોઈએ તો પિકનિક પર જાઓ, એક અઠવડિયાનો આનંદ જોઈએ તો મિત્રો સાથે વેકેશનમાં જાઓ, એક મહિનાનો આનંદ જોઈએ તો લગ્ન કરી લ્યો, છ મહિનાનો આનંદ જોઈએ તો નવી ગાડી ખરીદો, એક વર્ષનો આનંદ જોઈએ તો બંગલો બનાઓ, દસ વીસ વર્ષનો આનંદ જોઈએ તો કોઈની સેવા કરો, જિંદગીભરનો આનંદ જોઈએ તો ઈમાનદાર રહો અને જન્મોજન્મનો આનંદ જોઈએ તો આત્માનું અનુસંધાન કરો. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું: પૂછો આ પ્રશ્નો પોતાની જાતને ! સાચો આનંદ તો આ છેલ્લો જ છે, બાકી તો ક્ષણિક આનંદ જ છે. 

જો આત્માનો સ્થાઈ આનંદ અનુભવવો હોય તો પહેલાં જાણી લેવું ઘટે કે આપણે કેવા પ્રકારના માણસ છીએ? ચાર પ્રકારના માણસોની વાત કરું. પહેલો માણસ તેને કહેવાય જે શરીર કેન્દ્રિત જીવન જીવે છે. આવા માણસને સગવડ બહુ જ પસંદ હોય છે. બીજો માણસ તેને કહેવાય જે મન કેન્દ્રિત છે, આવા લોકો સુખ પ્રિય હોય છે. ત્રીજા પ્રકારના લોકો ચિત્તના સ્તરે જીવે છે, આવા લોકો પ્રસન્ન રહેવાવાળા હોય છે, અને ચોથા લોકો છે આનંદ પ્રધાન, આવા લોકો આત્માનું અનુસંધાન કરતા હોય છે. આ ચાર પ્રકારના હવે પછી વિસ્તારથી સમજીશું.